________________
| 32
પ્રતિમાશતક કાવ્ય-૩)
मउलसोहंजलिपुडेणं, सिरिउसभाइपवरवरधम्मतित्थयरपडिमाबिंबविणिवेसियणयणमाणसेगग्गतग्णयज्झवसाएणं समयण्णुदढचरित्तादिगुणसंपओववेयगुरुसद्दत्थाणु ट्ठाणकरणेक्कबद्धलक्खत्तऽवाहियगुरुवयणविणिग्गयं, विणयादिबहुमाणपरिओसाणुकंपोवलद्धं, अणेगसोगसंतावुव्वेगमहावाहिवियणाघोरदुक्खदारिदकिलेसरोगजम्मजरामरणगब्भवासाइदुट्ठसावगावगाहभीमभवोदहितरंडगभूयं इणमो, सयलागममज्झवत्तगस्स, मिच्छत्तदोसावहयविसिट्ठबुद्धीपरिकप्पियकुभणियअघडमाणअसेसहेउदिढतजुत्तीविद्धंसणिक्कपच्चलपोट्टस्स पंचमंगलमहासुयक्खंधस्स, पंचज्झयणेगचूलापरिक्खित्तस्स पवरपवयणदेवयाहिट्ठियस्स, तिपदपरिच्छिन्नेगालावगसत्तक्खरपरिमाणं, अणंतगमपज्जवत्थपसाहगं, सव्वमहामंतपवरविज्जाणं परमबीयभूयं, 'नमो अरिहंताण' ति, पढमज्झयणं अहिज्जेयव्वं, तद्दियहे य आयंबिलेणं पारेयव्वं । महानिशीथ अ.३, सू.६]
तहेव बीयदिणे अणेगाइसयगुणसंपओववेयं, अणंतरभणियत्थपसाहगं, अणंतरुत्तेणेव कमेणं दुपयपरिच्छिन्नेगालावगपंचक्खरपरिमाणं नमो सिद्धाणं' ति बीयमज्झयणं अहिज्जेयव्वं ति; तद्दियहे य आयंबिलेण पारेयव्वं। एवं अणंतरभणिएणेव कमेण अणंतरुत्तत्थपसाहगं तिपदपरिच्छिन्नेगालावगसत्तक्खरपरिमाणं नमो आयरियाणं'ति तइयमज्झयणं आयंबिलेणं अहिज्जेयव्वं। तहा य अणंतरुत्तत्त्थपसाहगं तिपयपरिच्छिन्नेगालावगं सत्तक्खरपरिमाणं 'नमो उवज्झायाणं' ति चउत्थमज्झयणं अहिज्जेयव्वं, तद्दियहे य आयंबिलेणं पारेयव्वं। एवं 'नमो लोए सव्वसाहूणं'ति पंचमज्झयणं पंचमदिणे आयंबिलेण। तहेव तयत्थाणुगामियं एक्कारसपयગુભગવંતના મુખમાંથી ઉદ્ધવ પામેલું તથા વિનયઆદિ બહુમાનથી પ્રસન્ન થયેલા ગુરુની કૃપાથી પ્રાપ્ત થયેલુંઅનેક શોક, સંતાપ, ઉદ્વેગ, મહાવ્યાધિ, વેદના, ઘોર દુઃખ, દારિદ્રય, ક્લેશ, રોગ, જન્મ, ઘડપણ, મરણ, ગર્ભવાસ વગેરરૂપ દુષ્ટ પ્રાણીઓથી ભરેલા ભયંકર સંસાર સમુદ્રમાંથી પાર ઉતારતી નૌકાસમાન તથા આ સકળ આગમની મધ્યમાં રહેલું તથા મિથ્યાત્વદોષથી હણાયેલી બુદ્ધિથી કલ્પેલા અસંગત કુતર્કોનો અશેષ હેતુ, દષ્ટાંત, યુક્તિઓદ્વારા ધ્વંસ કરનારું પાંચ અધ્યયન અને એક ચુલાથી પરિક્ષિત તથા પ્રવચનદેવતાથી અધિષ્ઠિત પંચમંગલમહાશ્રુતસ્કંધનું ત્રણ પદવાળું, એક આલાપકવાળું, સાત અક્ષરવાળું, અનંત ગમ અને પર્યાયથી યુક્ત વસ્તુઓનું પ્રસાધન કરનારું, સર્વમહામંત્રોનું અને સર્વવિદ્યાઓનું શ્રેષ્ઠ બીજરૂપ “નમો અરિષ્ઠતાણ રૂપ પ્રથમ અધ્યયન ભણવું જોઇએ અને તે દિવસે આયંબિલનો તપ કરવો જોઇએ.
બીજે દિવસે “નમો સિદ્ધાણં' નામક બીજું અધ્યયન પૂર્વોક્તક્રમે ભણવું. આ અધ્યયન અનેક અતિશયોથી અલંકૃત છે, પૂર્વોક્તઅર્થનું પ્રસાધક છે, બે પદવાળું છે, એક આલાપકવાળું છે. તથા પાંચ અક્ષરોથી બનેલું છે. આજે પણ આયંબિલ તપ કરવો. તથા ત્રીજે દિવસે “નમો આયરિયાણં અધ્યયન પૂર્વોક્ત ક્રમે ભણવું અને આયંબિલ તપ કરવો. આ અધ્યયન અનેક અતિશયોથી સુશોભિત છે. ત્રણ પદવાળું છે. એક આલાપક અને સાત અક્ષરથી બનેલું છે. આ જ પ્રમાણે ચોથે દિવસે “નમો ઉવજઝાયાણં” અધ્યયનનું પઠન કરવું. અને આયંબિલનો તપ કરવો. આ અધ્યયન પણ ત્રણ (કે બે?) પદ, એક આલાપક અને સાત અક્ષરથી બનેલું છે. આ જ પ્રમાણે પાંચમે દિવસે “નમો લોએ સવ્વસાહૂણ અધ્યયન પૂર્વોક્ત પ્રમાણે ભણવું અને આયંબિલનોતપ કરવો. તે પછી “એસો પંચ નમુક્કારો, સવ્વપાવપણાસણો, મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ” આ ચૂલિકા ક્રમશઃ છઠે, સાતમે અને આઠમે દિવસે ભણવી અને ત્રણ આયંબિલ કરવા. આ ચૂલિકા મૂળના અર્થને અનુસરનારી છે. અગ્યાર પદવાળી છે. ત્રણ આલાપકવાળી છે, તથા તેત્રીસ અક્ષરમય છે. આમ ઉમદા ગુણોથી સભર ગુરુભગવંતોએ ઉપદેશેલા આ પંચમંગલ મહાશ્રુતસ્કંધને સ્વરવર્ણપદથી સહિત તથા પદ, અક્ષર, બિંદુ અને માત્રાથી વિશુદ્ધરૂપે સંપૂર્ણપણે ભણવું જોઇએ.