Book Title: Pratima Shatak
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Aradhak Trust

View full book text
Previous | Next

Page 507
________________ વિવિધમતે ધર્મસ્વરૂપ 175 प्रज्ञप्तम् । तस्माद्धर्मपरिणत आत्मा धर्मो मन्तव्यः।) एतदप्यधिकृते सम्बद्धमेव । इदं तु चिन्त्यते-आत्मनो धर्मिणो द्रव्यस्य निर्देशे धर्मद्वारा धर्मत्वमन्यद्वारा चान्यत्वमिति सङ्करः कथं वारणीयः ? प्रशान्ताधिकारेऽपि नयद्वयनिर्देश एव युक्ते प्रशान्तवाहिताख्यस्य पर्यायस्यैव निवेशे तु प्रागुक्ताभेदः। धर्म: किं द्रव्यं पर्यायो वा ? इति जिज्ञासायामित्थमुच्यत इति चेत् ? लक्षणाधिकारे नेदमुपयोगि, तत्त्वचिन्ताधिकारेऽपि नयद्वयनिर्देश एव युक्तो नैकनयनिर्देश: न्यूनाख्यनिग्रहस्थानप्रसङ्गात् । यथोक्तं भगवता भद्रबाहुस्वामिना सामायिकमधिकृत्य किं द्वारे → जीवो गुणपडिवन्नो णयस्य दवट्ठियस्स सामाइसो चेव पज्जवणयट्ठिअस्स जीवस्स एस गुणो त्ति'। [आव. नि.७९२] एतदर्थप्रपञ्चोऽस्मत्कृतानेकान्तव्यवस्थायाम्। एकनयेनैव धर्मलक्षणेचाभिधातव्ये आदौ व्यवहारनयेन तत्प्रणयनमुचितं, निश्चयनयानां बालमध्यमौ प्रत्यपरिणामकातिपरिणामकत्वेन दुष्टत्वात् । अत एव मूढनइअंसुयंकालियं ભાવ=ભાવ. અર્થાત્ ભાવમય બનેલો આત્મા જ સ્વભાવ છે. કહ્યું જ છે કે – “જે સમયે દ્રવ્ય જે સ્વભાવથી પરિણત થાય છે, તે સમયેદ્રવ્ય તે સ્વભાવમય બને છે. એમ જિનેશ્વરોએ કહ્યું છે. તેથી ધર્મથી પરિણત આત્મા જ ધર્મ છે, તેમ સમજવું.” ઉપાધ્યાયજીઃ- આ મત પણ દ્રવ્યસ્તવસ્થળે સંબદ્ધ જ છે, કારણ કે તે સમયે પરમાત્મભક્તિરસિક આત્મા પરમાત્મભક્તિના પ્રશસ્ત અધ્યવસાયથી પરિણત થાય છે. આ પ્રશસ્ત અધ્યવસાય ધર્મરૂપ છે. તેથી તે કાલે આત્મા પણ ધર્મરૂપ બને છે. વસ્તુતઃ આ પ્રમાણે વ્યાખ્યા કરતા એક બાબત વિચારવાની છે – આત્મા પોતે ધર્મરૂપ છે એવા નિર્દેશમાં “આત્મા’ શબ્દથી ધર્મી એવા આત્મદ્રવ્યનો નિર્દેશ હોય, તો આત્માને ધર્મ દ્વારા ધર્મરૂપ અને તે સિવાયના અન્ય પરિણામોદ્વારા અન્યરૂપ માનવો પડે. આમ ધર્મમય બનેલા આત્માને જ અધર્મમય પણ માનવાથી આવતા સંકરદોષનું નિવારણ શી રીતે થઇ શકે? “આત્માનો પ્રશાંતઅધિકાર ધર્મરૂપ છે.” અર્થાત્ “અન્યવિક્ષેપના પરિહારથી ચિત્તમાં વહેતો શાંતપ્રવાહ-પ્રશાંતવાહિતા જ ધર્મરૂપ છે.” આ સ્થળે પણ દ્રવ્યપ્રધાન - પર્યાયપ્રધાન-બન્ને નયથી વ્યાખ્યા કરવી જ ઉચિત છે. કારણકે માત્ર પર્યાયનયથી વ્યાખ્યા કરવામાં પ્રશાંતવાહિતાપર્યાયરૂપ ધર્મરૂપે આત્માને સ્વીકારવામાં પૂર્વે કરેલી વ્યાખ્યાથી ભેદ પડતો નથી, કારણ કે શુદ્ધોપયોગઆદિ પણ પર્યાયરૂપ જ છે. પૂર્વપક્ષ - ધર્મ શું દ્રવ્યરૂપ છે કે પર્યાયરૂપ છે? એવી જિજ્ઞાસાને આશ્રય આ પ્રમાણે પર્યાયરૂપે ધર્મનો નિર્દેશ કરવામાં આવે છે. ઉત્તરપક્ષ - આ પ્રમાણેનો નિર્દેશ ધર્મના લક્ષણનાં અધિકારમાં કરો છો કે ધર્મના તત્ત્વઅંગેના વાદસ્થળે કરો છો? પ્રથમપક્ષે આ પ્રમાણેનો એકનયઆશ્રયી નિર્દેશ યોગ્ય નથી, કારણ કે દ્રવ્યાર્થિકનયને આગળ કરી કે પર્યાયાર્થિકનયને આગળ કરી ઘર્મનું લક્ષણ કરવામાં પરસ્પરમાં અવ્યાવિગેરેદોષ આવે. સર્વનયસંમત પ્રમાણને આગળ કરી કરેલું લક્ષણ જ નિષ્કલંક બને. તે જ પ્રમાણે તત્ત્વચિંતા(=વાદ) સ્થળે પણ ઉભયન (દ્રવ્યાર્થિકપર્યાયાર્થિકોનો નિર્દેશ કરવો વ્યાજબી છે. એકનયને આગળ કરવામાં ‘ન્યૂન' નામનાનિગ્રહસ્થાનનુંભાજન બનવાનો વારો આવે, અર્થાત્ ન્યૂનતાદોષ આવે. તેથી જ શ્રી ભદ્રબાહુસ્વામીએ “સામાયિકના સ્વરૂપને આશ્રયી ગુસ્મૃતિપન્ન જીવ જ સામાયિક છે – એમ દ્રવ્યાર્થિકન કહે છે. પર્યાયાર્થિકનયની અપેક્ષાએ જીવનો તેવો ગુણ જ સામાયિક છે.” આ પ્રમાણે ઉભયનયસંમત વ્યાખ્યા બતાવી છે. આ બાબતનો વિસ્તાર મહોપાધ્યાયજીએ અનેકાંતવ્યવસ્થામાં - - - - - - - - - - - - - 0 मूढनइयं सुयं कालियं तु ण णया समोयरंति इहं । अपुहुत्ते समोयारो नत्थि पुहुत्ते समोयारो॥ इति पूर्णश्लोकः॥

Loading...

Page Navigation
1 ... 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548