Book Title: Pratima Shatak
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Aradhak Trust

View full book text
Previous | Next

Page 511
________________ નિયભેદથી ભક્તિ | | 479 श्रीहेमसूरयः → 'अयं जनो नाथ तव स्तवाय गुणान्तरेभ्यः स्पृहयालुरेव । विगाहतां किन्तु यथार्थवादमेकं परीक्षाविधिदुर्विदग्धः'।[अन्ययोग. द्वात्रिं. २] उदयनोऽपि सर्वप्रसिद्धमीश्वरमुद्दीश्य तन्यायचर्चाया उपासनात्वेनैव करणीयतामाह। तदुक्तं न्यायकुसुमाञ्जलौ तस्मिन्नेवं जातिगोत्रप्रवरचरणकुलधर्मादिवदासंसारं सुप्रसिद्धानुभावे भगवति भवे सन्देह एव कुतः? किं निरूपणीयम् ? तथापि- 'न्यायचर्चेयमीशस्य मननव्यपदेशभाक् । उपासनैव क्रियते श्रवणानन्तरागता॥[गा. ३] इति ॥ यदीयंव्यवहारभक्तिस्तदा निश्चयभक्तिः का ? इत्युच्यतामित्याकाङ्क्षायामाह - ‘स्वात्मे'ति। स्वात्मैवारामोऽत्यन्तसुखहेतुत्वान्नन्दनवनं यत्र, तादृशः (नन्दनवनसदृशः पाठा.)। स्वात्माકહેવી છે. તેથી ભક્તિ પદ વિધેય છે. અને અહીં વિધેયપદની જ પ્રધાનતા છે, તેથી “સા” અને “ઇયં એવો સ્ત્રીલિંગ નિર્દેશ કર્યો છે. જો “શણામલક્ષાલનમ્' આ ઉદ્દેશ્યપદને પ્રધાન કર્યું હોત, તો “સા' ને બદલે ‘ત’ અને ‘ઇયં” ને બદલે “ઇદમ્ એવો નપુંસકલિંગનો નિર્દેશ કર્યો હોત.) કારણ કે શિષ્ટ પુરુષો કહે જ છે કે, પરસિદ્ધાંતને દૂષિત કરવાપૂર્વક સ્વસિદ્ધાંતની સ્થાપના કરવાથી ભગવાનના વચનો યથાર્થ છે' તેવો નિશ્ચય થાય છે. તેથી ભગવાનના “યથાર્થવનવાદિપણું ગુણની સ્તવના થાય છે. ગુણસ્તવનાથી જ ગુણી ભગવાનની સ્તવના છે. આ સાચી સ્તવના જ ભગવાનની ઉપાસના છે. શ્રી હેમચંદ્રસૂરિજીએ અન્યથોગવ્યવચ્છેદ દ્વાર્દિશિકામાં કહ્યું જ છે કે – “હે નાથ ! આ માણસ(=કવિ) બીજા ગુણોદ્વારા તારી સ્તવના કરવાની ઇચ્છાવાળો છે જ, છતાં પણ પરીક્ષાવિધિમાં પોતાને પંડિત માનવાનો ડોળ કરતો તે(=કવિ) તારા યથાર્થવાદ'નામના એક ગુણની સ્તવના કરવા ભલે ઉદ્યમશીલ બને.”આમ ભગવાનના યથાર્થવાદ ગુણની સ્તવના જ ભગવાનની સાચી ભક્તિ છે. તેથી સ્વ અને પર સિદ્ધાંતનાં ક્રમશઃ સ્થાપન અને દૂષણ પણ ભગવાનની ભક્તિરૂપે જ કરણીય છે. ઉદયનાચાર્યું પણ કહ્યું જ છે કે સર્વદર્શનમાં પ્રસિદ્ધ એવા ઈશ્વરને ઉદ્દેશીને (ઉપાસનારૂપ હોવાથી જો ન્યાયચર્ચા કરણીય છે. ન્યાયકુસુમાંજલિ નામના ગ્રંથમાં કહ્યું જ છે કે – “આ પ્રમાણે (બ્રાહ્મણત્વાદિ, જાતિ, ગોત્ર(કાશ્યપાદિ) પ્રવર (યજ્ઞમાં પસંદગી પામતા ઋષિ) ચરણ (અવાંતર જાતિ) કુલ-ધર્મ આદિને સમાન સમસ્ત સંસારમાં પ્રસિદ્ધ પ્રભાવવાળા ભવ=જગત્સર્જક પરમાત્માના વિષયમાં સંદેહ જ છે ક્યાં? તેથી તેમના વિષયમાં શું નિરૂપણ કરવું? અર્થાત્ આ ઈશ્વરઅંગે કોઇ સંદેહ જ સંભવતો ન હોવાથી નિરૂપણ કરવા યોગ્ય પણ કંઇ નથી. છતાં પણ આ ન્યાયચર્ચાથી (અનુમિતિરૂપ) શ્રવણ પછી પ્રગટતા મનનના વ્યપદેશને પામેલી ઈશ્વરની ઉપાસના જ કરાઇ રહી છે.'તાત્ય - ઈશ્વરનું શ્રવણ ઘણીવાર થયું છે. આ શ્રવણ પછી અવશ્ય મનન કરવું જ જોઇએ. આ ન્યાયચર્ચા ઈશ્વરના મનનરૂપ જ છે. ઈશ્વરનું આ મનન જ ઈશ્વરની ઉપાસનારૂપ છે. શંકાઃ- જો આ વ્યવહારભક્તિ ગણાતી હોય, તો નિશ્ચયનયને સંમત ભક્તિ કઇ? તે કહો. સમાધાનઃ- “સ્વાત્મ' ઇત્યાદિ. પોતાનો આત્મા જ અત્યંત સુખજનક બનવાથી આરામ નંદનવન સમાન બને છે જેમાં, એવી સમાધિ. અથવા પોતાના આત્માને જ સમંતતઃ ક્રિીડા કરાવનારી સમાધિ=(૧) શુભ ઉપયોગરૂપ=સંપ્રજ્ઞાત સમાધિ, અર્થાત્ આત્મામાં જ રમતો અને આત્માને જ આહ્માદ ઉત્પન્ન કરતો શુભ ઉપયોગ સંપ્રજ્ઞાત સમાધિ છે. અથવા (૨) છેલ્લા વિકલ્પભૂત અને વચનરહિતના અથવા ચરમવિકલ્પથી નિર્વચન= ઉલ્લેખનીય દ્રવ્યાર્થિક ઉપયોગથી ઉત્પન્ન થયેલો અને લયરૂપ લેશથી અસંપ્રજ્ઞાત. અર્થાત્ અંતિમ વિકલ્પરૂપે જે ઓળખી શકાય એવા દ્રવ્યાર્થિક ઉપયોગજન્ય લયરૂપ અસંપ્રજ્ઞાત સમાધિ, આ બે પ્રકારની સમાધિ નિશ્ચયભક્તિ છે. આ સમાધિથી અમે સંસારને બાધિતરૂપે સ્થાપ્યો છે. અર્થાત્ પરમ આત્મસ્વરૂપના ધ્યાનમાં ચડતાં ચડતાં અમે અપૂર્વ આનંદદાયક આત્મરણતારૂપ સમાધિમાં ચડી ગયા. એ સમાધિથી હવે અમને માત્ર આત્મસ્વરૂપ જ ભાસે છે. જાણે કે સાક્ષાત્ સિદ્ધઅવસ્થાને પામી ગયેલા અને તે સ્વરૂપમાં મગન બનેલા અમને નથી દેખાતો સંસાર

Loading...

Page Navigation
1 ... 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548