Book Title: Pratima Shatak
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Aradhak Trust

View full book text
Previous | Next

Page 515
________________ 183 પ્રતિમા ધ્યાનનું શ્રેષ્ઠ આલંબન त्वद्विम्बे विधृते हृदि स्फुरति न प्रागेव रूपान्तरं, त्वद्रूपे तु ततः स्मृते भुवि भवेन्नो रूपमात्रप्रथा। तस्मात्त्वन्मदभेदबुद्ध्युदयतो नो युष्मदस्मत्पदो लेखः किञ्चिदगोचरंत लसति ज्योतिः परं चिन्मयम् ॥ ९९॥ (दंडान्वयः→ त्वद्विम्बे हृदि विधृते प्रागेव रूपान्तरं न स्फुरति । तत: त्वद्रूपे स्मृते भुवि रूपमात्रप्रथा नो भवेत्। तस्मात्त्वन्मदभेदबुद्ध्युदयतो युष्मदस्मत्पदोल्लेख: नो (भवति) किञ्चिदगोचरं परं चिन्मयं ज्योतिस्तु लसति॥) 'त्वद्विम्ब'इति। तव बिम्ब-त्वद्विम्बं, तस्मिन् हृदि विशेषेण धृते सति प्रागेव-सुतरां रूपान्तर (आ) कार्यान्तरं (आकारान्तरं) न स्फुरति-न स्मृतिकोटीमाटीकते, सदृशदर्शनविधया स्मारकेन त्वद्विम्बेन त्वदन्यस्य स्मृतिपथारोहायोगात्। त्वबिम्बमेव च तादृशं प्रकृतिरमणीयं येनान्यबिम्बमेव दृक्पथे नागन्तुं दीयते, कुतस्तरां तदाकारिणि देवत्वमुपनीतं दोषेणाऽपि भावात्, अवदाम चाष्टसहस्रीविवरणे- 'यदेवैतद्रूपंप्रथममथ सालम्बनपदे, तदेव ध्यानस्थं घटयति निरालम्बनसुखम् । रमागौरीगङ्गावलयशरकुन्तासिकलितं, कथं लीलारूपं स्फुटयतु પામે છે એમ માને છે. તેથી આ જ વચનો એ જીવો માટે નિયોગપર છે. પ્રસ્તુતમાં તેથી જ અનુગ્રાહકયોગ્યતાઅનુગ્રાહ્યયોગ્યતા વગેરે વાતો કરી છે. આ કાવ્યમાં ચમક અલંકાર છે. આ અલંકારનું લક્ષણ આ છે – “અભિધેયનો સદ્ભાવ હોય ત્યારે ભિન્ન અર્થવાળા વર્ણ(=અક્ષર)નો પૂર્વના ક્રમથી ફરીથી આવર્તન યમક કહેવાય.’૯૮ પ્રતિમા સ્થાનનું શ્રેષ્ઠ આલંબન કાવ્યર્થ - તારા બિંબને હૃદયમાં ધારણ કર્યા પછી સુતરાં બીજું કોઇ રૂપ હુરતું જ નથી. તે પછી તારા રૂપનું ધ્યાન ધરવાથી પૃથ્વીપર રૂપમાત્રની પ્રથા=પ્રસિદ્ધિ હેતી નથી. તે પછી તારા અને મારા વચ્ચેની અભેદબુદ્ધિના ઉદયથી ‘તું-હું એવા પદનો ઉલ્લેખ પણ રહેતો નથી. અને માત્ર શ્રેષ્ઠ, ચિન્મય અવર્ણનીય જ્યોતિ જ ટમટમી રહે છે. હત્રિભુવનનાથ! તારું બિંબ હૃદયસિંહાસન પર બિરાજમાન થાય છે, અને જગતના બીજા તમામ (આ?) કાર્યો (અર્થાત્ આકારવાળી વસ્તુ કે વ્યક્તિઓ અથવા બીજા આકારો) સ્મરણપથ પર આવતા જ નથી. તારું બિંબ મને તારી જ યાદ અપાવે છે. (કારણ કે એક વસ્તુનું દર્શન પોતાને સમાન આકાર ધરાવતી જ બીજી વસ્તુનું સ્મરણ કરાવે છે, આ નિયમ છે. તેથી વીતરાગતાને કરુણાને વ્યક્ત કરતીતારી પ્રતિમાના દર્શનથી જેઓ વીતરાગ નથીનેકરૂણાવાન નથી, તેઓસ્મૃતિપથપર આવવા સંભવતા જ નથી.) તારું બિંબ સ્વભાવથી જ એટલું બધું રમણીય છે, કે બીજા બિંબોને દૃષ્ટિપથપર પણ આવવા દેતું નથી, તો પછી તે બીજા બિંબોના આકારવાળી વ્યક્તિઓમાં ઉપનીત દોષથી (ઉપનદોષ=ભ્રમાત્મક જ્ઞાનના સંબંધથી થતા અવસ્તુમાં વસ્તુત્વનાં બોધમાં કારણ ઉપનીતદોષ ગણાય છે.) પણ દેવપણાની બુદ્ધિ થવાનો સવાલ જ ક્યાં રહે? અન્ય દેવોની પ્રતિમાથી તદ્દન વિલક્ષણ એવી તારી પ્રતિમાનાં આકૃતિ, રૂપ, સ્વરૂપ એટલા બધા ચિત્તાકર્ષક છે, કે બીજા દેવોની પ્રતિમાપર લક્ષ જતું નથી-નજર પણ કરતી નથી. પછી એ-એ પ્રતિમા જેઓની છે, એઓઅંગે ભ્રાંતિથી પણ વિચાર કરવાની પણ વાત ક્યાંથી આવે? અમે (ટીકાકારે) અષ્ટસહસ્ત્રી ગ્રંથના વિવરણમાં કહ્યું જ છે કે – “જે આ રૂપ(=પ્રતિમાનું સ્વરૂપ છે) પ્રથમ સાલંબનસ્થાનરૂપ છે (અર્થાત્ સાલંબનધ્યાનમાં આલંબનભૂત છે.) તે જ રૂપ ધ્યાનમાં રહેલાને નિરાલંબન સુખ રચી આપે છે. (છદ્મસ્થના ધ્યાનનો વિષય બનતું પણ સ્વરૂપથી અદશ્ય કેવળજ્ઞાનાદિ સ્વરૂપનું ધ્યાન નિરાલંબન ધ્યાન છે. અર્થાત્ આ પ્રતિમાના સાલંબન ધ્યાનથી જ નિરાલંબન ધ્યાન પ્રાપ્ત થાય છે. કારણ કે પ્રતિમા વીતરાગઅવસ્થા અને સિદ્ધાવસ્થાની ઝાંખી કરાવે છે...પ્રતિમાના આધારે આ બે અવસ્થાનું ધ્યાન ધરતાં પ્રતિમા બાજુમાં રહી જાય છે, અને આ બે અવસ્થાના સ્વરૂપચિંતનમાં જીવ લીન થઇ જાય છે. તે વખતે સ્વરૂપષ્ટ કોઇપણ પ્રકારનું આલંબન રહેતું

Loading...

Page Navigation
1 ... 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548