Book Title: Pratima Shatak
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Aradhak Trust

View full book text
Previous | Next

Page 506
________________ 174 પ્રતિમાશતક કાવ્ય-૯૫) पारिणामिको भाव आत्मधर्म इति मतं, तदाऽनादित्वेनापुरुषार्थत्वापत्तिः, यदि तु स्वः स्वकीयोऽनागन्तुकोऽनुपाधि वो धर्म इति, तदा वर्तमानः स्वकीय: शुभः परिणाम ऋजुसूत्रविषयः, स जिनपूजायामप्यक्षत इति कथं न तत्र निश्चयशुद्धो धर्म: ? शब्दनयेन सामायिकवदेशविरतानां धर्मो नेष्यत इति चेत् ? किंतावता, समभिरूढेन षष्ठगुणस्थानेऽप्यनभ्युपगमात्। वह्निपरिणतोऽयस्पिण्डो वह्निरितिवत् तद्भावपरिणत आत्मैव धर्मः, स्वभावपदप्रवृत्तिरपि तत्रैव, स्वो भावः पदार्थ इति व्युत्पत्तेः। आह च → परिणमदि जेण दव्वं तक्कालं तम्मयंति पण्णत्तं । तम्हा धम्मपरिणदो आदा धम्मो मुणेअव्वो' ।। प्रवचनसार १/८] (छाया → परिणमति येन द्रव्यं तत्कालं तन्मयमिति વિવિધમતે ધર્મસ્વરૂપ વળી કેટલાક નિશ્ચયથી આત્મસ્વભાવને જ ધર્મરૂપ કહે છે. જેમકે ઘટત્વવગેરે ધર્મો ઘટના સ્વભાવરૂપ જ છે. આમ, આમતે જેનો સ્વભાવ હોય, તે તેનો ધર્મબને છે. “આત્મત્વ' વગેરે અનાદિપારિણામિકભાવ આત્માના સ્વભાવરૂપ છે. તેથી આત્મત્વ વગેરે સ્વભાવો જ આત્માના ધર્મો છે. પણ આ વિચારણા બરાબર નથી, કારણ કે આત્મવૈવગેરે સ્વભાવો અનાદિ હોવાથી આત્માના ધર્મને પણ અનાદિ સિદ્ધ માનવા પડવાથી ધર્મપુરુષાર્થ જ ઉડી જાય. (પુરુષથી=પરાક્રમ-વીર્યથી સાધ્ય અર્થ પુરુષાર્થ છે.) અનાદિસિદ્ધ વસ્તુને સાધ્ય કહેવામાં પૂર્વાપર વિરોધ છે. તથા સંસારાભાવવગેરે બીજા દોષો ઊભા થાય. તેથી ધર્મને અનાદિસિદ્ધ માનવામાં પુરુષાર્થ તરીકે માની ન શકાય. શંકા- અહીં સ્વભાવનો અર્થ જુદો છે. સ્વ=પોતાનો=ઉપાધિ આદિરૂપનહિતેવો=બહારથી નહીંઆવેલો ભાવ=સ્વભાવ. અર્થાત્ પોતાનામાં જ પ્રગટેલો ઉપાધિ વિનાનો ભાવ= સ્વભાવ. સ્વભાવનો આ અર્થ છે. આવો સ્વભાવ જ ધર્મરૂપ છે. અર્થાત્ આત્મામાં ઉત્પન્ન થયેલો નિરુપાધિક પરિણામ જ ધર્મરૂપ છે. એટલે કે ઋજુસૂત્રનયનો વિષય બનતો વર્તમાનકાલીનસ્વકીય શુભપરિણામ જ ધર્મરૂપ છે. ક્રોધાદિક પરિણામો કર્મોદયજન્ય-કર્મની ઉપાધિથી હોવાથી પાધિક અને આગંતુક છે. માટે ધર્મરૂપ નથી. સમાધાન - ધર્મને આવા સ્વરૂપનો માનવામાં અમને આપત્તિ નથી. કારણકેદ્રવ્યસ્તવકાલે પણ દ્રવ્યસ્તવ કરતી વ્યક્તિને દ્રવ્યસ્તવક્રિયાના આલંબનઆદિથી આવા પ્રકારનો શુભભાવ પ્રગટે જ છે. આ શુભભાવ તમને ઇષ્ટ નિશ્ચયનયથી ધર્મરૂપ છે જ. (આ આલંબન બહારથી ટેકારૂપ છે, તેથી ઉપાધિરૂપ નથી, તે વખતે ઉતા શુભ પરિણામ માટે કર્મોદયની જરૂરત ન હોવાથી તે નિરુપાધિક-અનાગંતુક છે.) પૂર્વપક્ષ - શબ્દનયમતે દેશવિરત સુધી સામાયિકભાવ નથી. છઠાગુણસ્થાનકથી જ સામાયિક છે. આ જ પ્રમાણે, આ નયમતે દેશવિરત સુધી ધર્મ ઇષ્ટ નથી, કારણ કે સામાયિક જ ધર્મરૂપ છે. તેથી શ્રાવકની પૂજાવગેરે ક્રિયા ઘર્મરૂપ નથી. ઉત્તરપક્ષ - તમે જો આમ એક નયને જ પ્રાધાન્ય આપવા માંગતા હો, તો સમભિરૂઢનયના મતે સામાયિક અપ્રમત્તઅવસ્થામાં જ આવે. અર્થાત્ સામાયિક સાતમા ગુણસ્થાનકથી જ સંભવે છે. કારણ કે વધુ વિશુદ્ધિગ્રાહી આ નયે પ્રમાદ ને સામાયિક સાથે નહીં હોઇ શકે. તેથી આ નયની અપેક્ષાએ તો છઠ-પ્રમત્તસંયતગુણસ્થાને પણ સામાયિક અને ધર્મ નથી. તેથી એક જ નયથી વિચારવામાં તો છઠ્ઠાગુણસ્થાનની ક્રિયાને પણ ધર્મરૂપ માની શકાય નહિ. - કોઇક - વાસ્તવમાં જેમ અગ્નિથી પરિણત થયેલો=અગ્નિમય બનેલો લોખંડનો ગોળો અગ્નિ છે. તેમ ધર્મના ભાવથી પરિણત થયેલો આત્મા પોતે જ ધર્મરૂપ છે. “સ્વભાવ' પદની પ્રવૃત્તિ પણ ત્યાં જ થાય છે. અર્થાત્ સ્વભાવપદથી ધર્મથી પરિણત થયેલો આત્માજવાચ્ય બને છે. કારણકે સ્વભાવપદની વ્યુત્પત્તિ આ છે-સ્વ=આત્મા

Loading...

Page Navigation
1 ... 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548