________________
306
પ્રતિમાશતક કાવ્ય-૬૪
सम्बन्धाभिधानस्यावश्यकत्वे वृत्तिस्थस्य तस्य सौत्रत्वादिति भावः । तथा तृतीयाङ्गतः स्थानाङ्गतः शस्ते-प्रशस्ते कर्मणि दिग्द्वयस्य पूर्वोत्तरादिग्रूपस्य यो ग्रहःपुरस्कारः, तस्य या रह:ख्याति:= तात्पर्यप्रतिपत्तिः, तस्यां च पुनः व्यवहारतः सूत्रात्, सम्यग्भावितानि-अनायतनरूपवर्जनया सद्भावं प्रापितानि यानि चैत्यानि साक्षीणि यत्र यस्यां क्रियायां तथा, स्वालोचना- सुष्ठ-समीचीना याऽऽलोचना, तस्याः श्रुतौ विधिश्रवणे सति न:-अस्माकं प्रीति: जिनेन्द्र स्थापनाजिने स्थिरा-अप्रतिपातिनी भवति । स्थापनाजिनस्य जिनेन्द्रत्वं भावजिनेन्द्रवत्सद्यः समुपासनाफलदानसमर्थतयाऽव्यभिचारेणाध्यात्मिकभावाक्षेपकत्वाच्चावसेयम्।
तत्र तुर्याश्रवद्वारे 'सुवनगुलिआए'त्ति [प्रश्नव्या० ४/१६] प्रतीके वृत्तिर्यथा → सुवर्णगुलिकायाः कृते सङ्ग्रामोऽभूत्। तथा हि → सिन्धुसौवीरेषु जनपदेषु विदर्भकनगरे उदायनस्य राज्ञः प्रभावत्या देव्याः सत्का देवदत्ताऽभिधाना दास्यभूत् । सा च देवनिर्मितांगोशीर्षचन्दनमयीं श्रीमन्महावीरप्रतिमांराजमन्दिरान्तर्वर्तिचैत्यभवनव्यवस्थितांप्रतिचरति स्म। तद्वन्दनार्थं च श्रावक: कोऽपि देशात्सञ्चरन् समायातः, तत्र चागतोऽसौ रोगेणापुटुशरीरो जातस्तया च सम्यक्प्रतिचरितः । तुष्टेन च तेन सर्वकामितमाराधितदेवतावितीर्णगुटिकाशतमदायि। (=સ્થાપનાજિનપર) અમારી પ્રીતિ સ્થિર થાય છે.
પ્રતિમાની સિદ્ધિઅર્થે અન્ય સાક્ષીપાઠો પ્રશ્નવ્યાકરણ અંગમાં સુવર્ણગુલિકા'ની વાત આવે છે. પરંતુ તેના સ્વરૂપનો સંબંધ સૂત્રમાં બતાવ્યો નથી. સૂત્રમાં માત્ર નામનિર્દેશ છે. પણ જો તે પ્રસ્તુતઅર્થમાટે અસંબદ્ધ હોત, તો તેનો ઉલ્લેખ જ ન કરત. તેથી ટીકાકારે સમસ્ત વૃત્તાંત દેવા દ્વારા આ સંબંધ બતાવી સૂત્રના તાત્પર્યની પૂર્તિ કરી છે. તેથી આ આવશ્યક ઉલ્લેખ ટીકામાં હોવા છતાં સૂત્રની પૂર્તિરૂપ હોવાથી સૂત્રસ્વરૂપ જ છે. એ જ પ્રમાણે સ્થાનાંગમાં એવો નિર્દેશ કર્યો છે કે – સર્વ પ્રશસ્ત કાર્યો પૂર્વ કે ઉત્તરદિશાની સન્મુખ રહી કરવા.” આ બે દિશાને આમ પ્રધાનતા આપવામાં આવી છે, તેમાં રહેલા તાત્પર્યનો બોધ જાણવાથી, તથા વ્યવહાર સૂત્રમાં કહ્યું છે કે- “આચાર્યવગેરેના અભાવમાં સમ્યગ્લાવિત ચૈત્ય આગળ પણ આલોચના લેવાથી શુદ્ધિ થઇ શકે છે.” સમ્યગ્લાવિત=અનાયતનના વર્જનદ્વારા સદ્ધાવને પ્રાપ્ત કરેલા. અહીં સ્થાપનાજિનને જિનેન્દ્ર કહેવામાં આ આશય છે – સ્થાપનાજિન પણ (૧) ભાવજિનની જેમ જ ઉપાસનાનું ફળ દેવા સમર્થ છે. તથા (૨) આધ્યાત્મિક ભાવ(=આત્મામાં પ્રગટ થતાં શુભસંવેદન)ને પ્રગટ કરવામાં અનેકાંતિક નથી. અર્થાત્ અવશ્ય શુભ ભાવ પ્રગટાવે છે.
પ્રશ્નવ્યાકરણ અંતર્ગત સુવર્ણગુલિકાનું દૃષ્ટાંત પ્રશ્રવ્યાકરણ અંગમાં ‘સુવન્નગુલિઆએ આટલો ઉલ્લેખ આવે છે. તે સંબંધી ટીકા આ પ્રમાણે છે
સુવર્ણગુલિકાના કારણે સંગ્રામ થયો. તે આ પ્રમાણે - સિંધુસૌવીર રાજ્યની રાજધાની વિદર્ભક નગરમાં તે રાજ્યના રાજા ઉદાયનને પ્રભાવતી નામની પટ્ટરાણી હતી. આ પટ્ટરાણીને દેવદત્તા નામની દાસી હતી. દેવે આત્મહિતાર્થે બનાવેલી ગોશીષચંદનમયી શ્રી મહાવીર જિનપ્રતિમા આ પ્રભાવતી રાણીને પ્રાપ્ત થઇ હતી. એને રાજમહેલમાં રહેલા ચેત્યાલયમાં પધરાવી હતી. પ્રભાવતી રાણીએ દીક્ષા લીધા બાદ આ પ્રતિમાની પૂજાઆદિ ક્રિયા દેવદત્તા દાસી કરતી હતી. જિનાલયોના વંદનાર્થે દેશાંતરોમાં ભમતો એક શ્રાવક એકવાર ત્યાં જિનપ્રતિમાને વાંદવા આવ્યો. પણ ભક્તિમાં ભંગ પડ્યો - તે શ્રાવક માંદો પડ્યો. પોતે સ્વજન ન હોવા છતાં દેવદત્તાએ સાધર્મિકબંધુના નાતે નિરાશસભાવે આ શ્રાવકની સંભાળ લઇ તેને સ્વસ્થ બનાવ્યો. તેથી ખુશ થયેલા શ્રાવકે દેવતાની આરાધનાથી