Book Title: Pratima Shatak
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Aradhak Trust

View full book text
Previous | Next

Page 479
________________ પાર્જચંદ્રકલ્પિત છપુરુષવિભાગ 147 ) कृत्येन संयम पालयितुं न शक्यते तावानेवाविरतिभागः श्रुते भणित इति, यमुद्दिश्येदं सूत्रं - इह खलु पाईणं वा ४ संतेगइआ मणुआ भवंति अप्पिच्छा अप्पारंभा' इत्यादि। चतुर्थभङ्गस्थविरत्यपेक्षया स्तोकया विरत्या तृतीयो भङ्ग इति विवेकः ४, श्रमणोपासको देशविरतश्च स उच्यते - यः श्रमणोपासनमहिम्ना प्रतिदिनं प्रवर्द्धमानसंवेगो जीवाजीवसूक्ष्मबादरादिभेदपरिज्ञानवान् तत एवास्थिमज्जाप्रेमानुरागरक्तचित्तो देशविरतिं गृहीत्वा पालयति, सम्यक्त्वसहितव्रतग्रहोत्तरमभङ्गरङ्गश्चोभयकालमावश्यकं कुरुते। अत एव च संयमं जानीते, उक्तं चानुयोगद्वारसूत्रे → 'समणेण य सावयेण य अवस्सं कायव्वं हवइ जम्हा। अंतो अहोणिसिस्स य तम्हा आवस्सयं णाम'। [सू. २९, गा. ३] दशवैकालिके च → जो जीवे वि वियाणाइ, अजीवे वि वियाणाइ । जीवाजीवे वियाणतो, सो हु णाहीइ संजमं'। [४/१३] एनमेवोद्दिश्य- से जहाणामए समणोवासगा भवंति', 'अभिगयजीवाजीवा' इत्यादि सूत्रप्रवर्त्तते, अयमेवशुद्धजिनभक्तिमानुचितं संयममाद्रियते, हिंसां परिहत्य जिनविरहे जिनप्रतिमां पूजयति, संयमज्ञो ह्यसौ षट्कायहिंसां परिहरति, अत एवोक्तं महानिशीथे → 'अकसिणपवत्तगाणं, विरयाविरयाण एस (૩) વિરતાવિરત - આ વ્યક્તિને સંપૂર્ણ સમ્યત્વ હોતું નથી. છતાં પણ તે પોતાને યોગ્ય બધા જ વ્રત અને નિયમોનું પાલન કરે છે. (૪) સર્વત વિરતાવિરત - આ વ્યક્તિના મનમાં ‘તમેવ સર્ચો નીસંકે જે જિર્ણહિં પવેઇય' (તે જ સત્ય અને નિઃશંક છે, જે જિનેશ્વરોએ કહ્યું છે.) આવો સખ્યત્વ પરિણામ સ્થિર થયો હોય છે. છતાં પણ તે વ્યક્તિને પ્રમાદની ગુલામીના કારણે અને સાધુનો સંગ સારા પ્રમાણમાં ન થવાથી જિનેશ્વરોએ કહેલાં તત્ત્વનું જ્ઞાન હોતું નથી. આ વ્યક્તિ કુળની પરંપરાથી આવેલી વિરતિ પાળે છે. આ પુરુષ પૂર્ણ સંયમનું જ્ઞાન નહીં હોવાથી જ આરંભપૂર્વક જિનપૂજા કરે છે. અને આ ભક્તિરાગના ઉછાળાને કારણે જ ભક્તિરાગને આધીન થઇ (તે પુરુષ) જિનપૂજા વગેરે કરતી વખતે સંયમ કે અસંયમને ગણકારતો નથી. અહીં તે વ્યક્તિ જેટલા કૃત્યથી સંયમ પાળી શકતી નથી, તેટલા અંશને જ અવિરતિના ભાગ તરીકે શ્રતમાં કહ્યો છે. આ પુરુષને ઉદ્દેશીને આ સૂત્ર પ્રવર્તે છે. “ઇહ ખલુ પાઇણ વા-૪ સંતગઇયા મછુઆ ભવંતિ તંત્ર અસ્પિચ્છા અપ્રારંભા” (અહીં પૂર્વ આદિ દિશામાં કેટલાક મનુષ્યો છે, તે આ પ્રમાણે – અલ્પ ઇચ્છાવાળા અલ્પઆરંભવાળા ઇત્યાદિ.) ત્રીજા વિકલ્પમાં ચોથા વિકલ્પની અપેક્ષાએ અલ્પ વિરતિ છે. તેથી જ તેને અલગ વિકલ્પ તરીકે બતાવ્યો છે. એમ વિવેક કરવો. (૫) શ્રમણોપાસક દેશવિરતઃ- જે વ્યક્તિ સાધુઓની ઉપાસનાના પ્રભાવે દરરોજ ચડતા સંવેગવાળો છે. તથા જે પુરુષ જીવ-અજીવ, સૂક્ષ્મ, બાદરવગેરે ભેદોના જ્ઞાનવાળો છે. (સર્વજીવો પ્રત્યે) અસ્થિમજ્જા જેવા થઇ ગયેલા પ્રેમ અને અનુરાગથી રંગાયેલા ચિત્તવાળો છે. તેથી જે દેશવિરતિ ગ્રહણ કરી પાળવાવાળો છે, તે શ્રમણોપાસક દેશવિરત કહેવાય, આ શ્રાવક સમ્યકત્વ સહિત વ્રતો ગ્રહણ કર્યા પછી ધર્મના આ રંગમાં ભંગ પાડ્યા વિના હંમેશા ઉભયકાળ(=સવારે અને સાંજે) આવશ્યકક્રિયા કરે છે. તેથી જ તે શ્રાવક સંયમને બરાબર સમજે છે. અનુયોગદ્વાર સૂત્રમાં કહ્યું જ છે કે – “જેથી સાધુ અને શ્રાવકે (આ ક્રિયા) અહોરાત્રની મધ્યમાં અવશ્ય કરવાયોગ્ય છે, તેથી તેનું નામ આવશ્યક છે.” તથા દશવૈકાલિકમાં કહ્યું છે – “જે જીવોને જાણે છે, અજીવને પણ જાણે છે. જીવાજીવને જાણતોતેજ સંયમને જાણે છે. આ જ શ્રાવકને ઉદ્દેશીને “સેજહાણામએ સમણોવાસગા ભવંતિઅભિગયજીવાજીવા” ઇત્યાદિ (જે શ્રમણોપાસક હોય છે, તેઓ જીવાજીવાદિ પદાર્થના જ્ઞાતા હોય છે, ઇત્યાદિ) સૂત્ર પ્રવૃત્ત થયું છે. વળી, શુદ્ધ જિનભક્તિ ધરાવતો આ શ્રાવક જ યોગ્ય સંયમનો આદર કરે છે અને ભાવજિનના વિરહમાં હિંસાનો ત્યાગ કરી જિનપ્રતિમાની પૂજા કરે છે. અર્થાત્ હિંસા ન થાય એ પ્રમાણે પૂજા કરે છે. આ શ્રાવક સંયમના સ્વરૂપને સમજે છે અને

Loading...

Page Navigation
1 ... 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548