Book Title: Pratima Shatak
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Aradhak Trust

View full book text
Previous | Next

Page 499
________________ જિનપૂજા ધર્મરૂપ 167 तथैव तत्त्वमिति तत्तुल्यतया पुण्यत्वे का क्षति: ? अथ शिवहेतवो न भवहेतवो हेतुसङ्करप्रसङ्गादिति निश्चयनयपर्यालोचनायां सरागचारित्रकालीना योगा एव स्वर्गहेतवो न चारित्रं, घृतस्य दाहकत्ववद्व्यवहारनयेनैव चारित्रस्य स्वर्गजनकत्वोक्तेरित्यस्ति विशेष इति चेत् ? न, द्रव्यस्तवस्थलेऽपि निश्चयतो योगानामेव स्वर्गहेतुत्वं, न मोक्षहेतोईव्यस्तवस्येति वक्तुं शक्यत्वाद् दानादिक्रियास्वपि सम्यक्त्वानुगमजनितातिशयेन मुक्तिहेतुत्वोक्तेः, तदुक्तं विंशिकायां → दाणाइआ उ एअम्मि चेव सुद्धा उ हुंति किरिआओ। एयाओ वि हु जम्हा मोक्खफलाओ અભ્યદયજનક છે, પરંતુ તે સરાગપણાથી આ કાર્ય કરે છે. (અહીં ચારિત્ર અભ્યદયજનક છે. તેથી ચારિત્રત્વધર્મ અભ્યદયજનકત્વનો અવચ્છેદક છે. પણ આ ચારિત્રત્વધર્મ નિરવચ્છિન્ન નથી, પણ સરાગત્વથી અવચ્છિન્ન=વિશિષ્ટ બનીને જ અભ્યદયજનકતાનો અવચ્છેદક બને છે. તેથી નિરવચ્છિન્નપદ્ધર્મ. ઇત્યાદિ હેત્વર્થ “ચારિત્ર' માં ઘટી શકતો નથી. તેથી ઉપરોક્ત અનુમાન ચારિત્રને લાગુ પડતું નથી.) તેથી અમારા અનુમાનમાં દોષ નથી. ઉત્તરપક્ષઃ- આ જ પ્રમાણે (દ્રવ્યસ્તવનું દ્રવ્યસ્તવત્વ=સ્વરૂપ જ છે ભાવસ્તવરૂપ ચારિત્રનું જનકપણું. કારણ કે ભાવનું કારણ દ્રવ્ય' ગણાય છે. આમ મૂળભૂત રીતે - કોઇ પણ ધર્મથી અવિશિષ્ટ) દ્રવ્યસ્તવત્વચારિત્રજનતાનું જ અવચ્છેદક છે, અભ્યદયજનકતાનું નહીં. તેથી જ્યારે દ્રવ્યસ્તવ ચારિત્ર પ્રાપ્તિના આશયને છોડી બીજા આશયથી કરાય છે, ત્યારે જ માત્ર અભ્યદયફળજનક બને છે. પૂર્વપક્ષઃ- મોક્ષજનયોગથી ભિન્ન જાતિનો-ભિન્ન પ્રકારનો યોગ હોવાથી જ દ્રવ્યસ્તવ સ્વર્ગનું કારણ છે. મોક્ષજનક યોગ રાગથી રહિત હોય છે. જ્યારે દ્રવ્યસ્તવ રોગયુક્ત છે. તેથી તે મોક્ષથી ભિન્ન સ્વર્ગાદિફળ આપે છે. ઉત્તર૫ક્ષઃ- એમ તો સરોગચારિત્ર પણ મોક્ષજનક યોગથી ભિન્ન યોગ છે અને સ્વર્ગાદિજનક હોવાથી દ્રવ્યસ્તવને તુલ્ય જ છે. તેથી તે પણ પુણ્યરૂપ હોવામાં કયો દોષ છે? પૂર્વપક્ષ - જે મોક્ષના હેતુ હોય, તે સંસારના હેતુ બની શકે નહિ. અન્યથા હેતુમાં સંકરદોષ આવે. (ભિન્ન અધિકરણમાં રહેનારા ધર્મો જો ક્યાંક એક જ અધિકરણમાં ઉપલબ્ધ થાય, તો ત્યાં સંકરદોષ આવે. વિષયાદિમાં સંસાતુતા છે. સમતાઆદિમાં મોક્ષત્તા છે. ચારિત્રમાં આ બંને હેતુતા માનવામાં સંકરદોષ આવે, એ તાત્પર્ય છે.) સ્વર્ગની પ્રાપ્તિ સંસારરૂપ છે. ચારિત્ર પોતે મોક્ષનું કારણ છે. તેથી તેને સ્વર્ગપ્રાપ્તિ આદિરૂપ સંસારના હેતુ તરીકે માની શકાય નહિ. (શંકા - જો ચારિત્રસ્વર્ગનું કારણ ન હોય, તો શાલિભદ્ર વગેરે અનેક જીવો ચારિત્ર પાળી સ્વર્ગે ગયા છે, તેવું સંભળાય છે, તેનું શું? વળી અનુત્તર દેવલોકમાં માત્ર સુચારિત્રી જ જઇ શકે તેવા વિધાનનું શું? ઉપશમાળામાં કહ્યું છે કે – “એક દિવસ પણ ચારિત્ર પાળનારો જો મોક્ષે ન જાય, તો અવશ્ય વૈમાનિક દેવ થાય તેનું શું? આ કાળમાં મોક્ષના અભાવમાં પણ ચારિત્રનું પાલન થતું દેખાય છે, તેનું શું? સમાધાન - આકળા ન થાવ,) ચારિત્ર પોતે તો મોક્ષદ જ છે. નિશ્ચયનયથી વિચારીએ, તો સરાગચારિત્રકાલના જે શુભયોગ છે, તે જ સ્વર્ગના હેતુ છે; ચારિત્ર પોતે સ્વર્ગઆદિનો હેતુ નથી. ઉપર તમે જે કહ્યું, તેની સિદ્ધિ સરાગચારિત્ર-કાલીન યોગના પ્રભાવથી છે. ઘી પોતે બાળનારું ન હોવા છતાં, તેમાં રહેલી અગ્નિની ઉષ્ણતાના કારણે તે દાહક બને છે, ત્યારે વ્યવહારથી એમ કહેવાય કે “ઘી દાહક છે. એ જ પ્રમાણે નિશ્ચયથી ચારિત્ર સ્વર્ગાદિમાં કારણભૂત નહીં હોવા છતાં તેમાં ભળેલા રાગઆદિના કારણે સ્વર્ગની પ્રાપ્તિ થવાથી વ્યવહારથી ચારિત્રને સ્વર્ગજનક કહી શકાય. આમ નિશ્ચયનયથી વિચારતાં સંકરદોષ પણ રહેતો નથી. ઉત્તરપક્ષ - આ પ્રમાણે તો દ્રવ્યસ્તવ માટે પણ કહી શકાય. અર્થાત્ દ્રવ્યસ્તવકાસે રહેલા સરાગયોગો જ સ્વર્ગના કારણ છે. મોક્ષ માટે કારણભૂત દ્રવ્યસ્તવ પોતે સ્વર્ગનો હેતુ નથી, એમ કહી શકાય. પૂર્વપક્ષ - દ્રવ્યસ્તવ મોક્ષના હેતુ તરીકે અસિદ્ધ છે. ઉત્તરપક્ષ - ના, અસિદ્ધ નથી. શ્રાવકોની દાનવગેરે ક્રિયાઓ પણ સમ્યકત્વની પ્રાપ્તિથી પ્રગટેલા અતિશયને કોળી

Loading...

Page Navigation
1 ... 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548