Book Title: Pratima Shatak
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Aradhak Trust

View full book text
Previous | Next

Page 480
________________ પ્રતિમાશતક કાવ્ય-૯૨ खलु जुत्तो। जे कसिणसंयमविऊ पुप्फाइअंण इच्छति'। [३/३८] इत्यत्र साधुश्रावकयोर्द्वयोरविशेषेण कृत्स्नसंयमज्ञत्वं पुष्पादिपरिहारेण पूजाधिकारितावच्छेदकमुक्तं, तत्रैकतरपक्षपातो न श्रेयान्, किं चात्र कारणमिति विचारणीयं, यदिन्द्राभिषेककरणे सुपर्वाणोऽहमहमिकयौदारिकजलपुष्पसिद्धार्थादीनि गृह्णन्ति, जिनपूजां तु न तेनोपचारेण कुर्वन्तीति सुरपुष्पेषु त्रसासम्भवोऽम्लानत्वं च हेतुश्चेत्, हिंसापरिहार एवायं धर्माभ्युदयाय प्रगल्भते, समवसरणे च वैक्रियाण्येव पुष्पाणि देवा: प्रभोरग्रे देशनोवा॒ विकिरन्ति, मण्यादिरचनाप्यचित्तैव, उक्तंचराजप्रश्नीयोपाङ्गे, 'पुप्फवद्दलयं विउव्वंति'[सू. २३] इत्यादि। नवकमलरचनाप्यचित्तैव ज्ञेया, तथा प्रतिमानां वन्दनाછજીવનિકાયની હિંસાથી દૂર રહે છે. મહાનિશીથ ગ્રંથમાં કહ્યું છે કે – “અકૃત્નપ્રવર્તક વિરતાવિરતને જ આ(=દ્રવ્યસ્તવ) યુક્ત છે. જેઓ સ્નસંયમવિદ્વાન્ છે. તેઓ પુષ્પ વગેરેને ઇચ્છતા નથી.” (આવશ્યક નિર્યુક્તિમાં પણ કહ્યું છે કે જેઓકૃત્નસંયમવિદ્વાનું છે. તેઓ પુષ્પ વગેરેને ઇચ્છતા નથી.') આ બધા સ્થળે સાધુ અને શ્રાવક – આ બન્નેમાં સમાનરૂપે રહેલા કૃત્નસંયમન્નપણાને પુષ્પવગેરેના ત્યાગપૂર્વકની પૂજાની અધિકારિતાના અવચ્છેદક તરીકે બતાવ્યું છે. અર્થાત્ સાધુ અને શ્રાવક – બન્ને કૃમ્નસંયમન્ન હોવાથી પુષ્પવગેરેની હિંસાપૂર્વક પૂજા કરવાના અધિકારી નથી. હિંસા છોડીને જ પૂજા કરવાના અધિકારી છે. શંકા - અલબત્ત, શ્રાવક અને સાધુ બન્ને કૃમ્નસંયમ વિદ્વાન છે. છતાં પણ શ્રાવક સંસારમાં રહ્યો હોવાથી તેને પુષ્પ વગેરેથી પૂજા કરવાનો અધિકાર છે અને માત્ર સંસાર ત્યાગી સાધુઓ જ પુષ્પ વગેરેથી રહિતની પૂજાના અધિકારી છે. સમાધાન - સૂત્રમાં સંસારી અને સંસારત્યાગી એવા બે ભેદ પાડ્યા નથી. પરંતુ અત્નસંયમજ્ઞ અને કૃત્નસંયમજ્ઞ એમ જ બે ભેદ પાડ્યા છે. તેથી કૃમ્નસંયમજ્ઞ શ્રાવક પણ પુષ્પ વગેરે વિના જ પૂજા કરવાનો અધિકારી છે. તેથી શ્રાવકને છોડી માત્ર સાધુને જ પુષ્પાદિ રહિતની પૂજાના અધિકારી તરીકે સ્થાપવામાં એકતરફી પક્ષપાત બતાવવાનું થાય છે. પણ આ પક્ષપાત કલ્યાણકારી નથી. વળી અહીં કારણ વિચારો. જુઓ! જ્યારે ઇંદ્રનો અભિષેક કરવાનો હોય છે, ત્યારે બધા દેવો અહમદમિકાથી(હું કરું. હું કરું...એવી હરિફાઇથી) ઔદારિક પાણી(=સચિત્ત પાણી), ઔદારિક પુષ્પ(=સચિત્ત પુષ્પ), તથા ઔદારિક સિદ્ધાર્થ(=સચિત્ત ધોળા સરસવ)વગેરે ગ્રહણ કરે છે. જ્યારે તે જ દેવો જિનપૂજા આ ઉપચારથી(=ઔદારિકપુષ્પ વગેરેના ગ્રહણથી) કરતા નથી. અર્થાત્ દેવો ઇંદ્રના અભિષેક વખતે અહીંના માગધ વગેરે તીર્થોના પાણી અને અહીંના પુષ્પોનો ઉપયોગ કરે છે. જ્યારે જિનપૂજા માટે ત્યાંના પાણી અને ત્યાંના પુષ્પોનો જ ઉપયોગ કરે છે. આમ કરવામાં તેઓ ભગવાન કરતા ઇંદ્રને વધુ પૂજ્ય માને છે એવો આશય તો સંભવતો જ નથી. બલ્ક તેઓ ભગવાનને જ વધુ પૂજ્ય માને છે. તેથી ભગવાનની પૂજામાં સુરપુષ્પ(=દેવલોકના પુષ્પ) લેવામાં જો આ જ આશય હોય, કે (૧) આ સુરપુષ્પો ત્રસ જીવોથી રહિત હોય છે. ભમરા વગેરે વિકલેન્દ્રિયો માત્ર તિથ્થુલોકમાં જ છે. તેથી સૌધર્મ વગેરે દેવલોકમાં થતા પુષ્પને આશ્રયી વિકલેન્દ્રિય જીવો રહેતા હોય તેમ સંભવતું નથી. તથા (૨) આ સુરપુષ્પો ક્ષેત્રપ્રભાવથી કે તથાસ્વભાવથી પ્લાન થતા નથી. તો કહેવું પડે, કે આ હિંસાત્યાગ જ ધર્મનો અભ્યદય કરનારો થાય છે. જ શંકા - જો આમ જ હોય, તો દેવો દેશનાભૂમિમાં પ્રભુની આગળ પુષ્પવૃષ્ટિ કરે છે. તે અંગે શું કહેશો? સ્વાભાવિક છે કે આ પુષ્પવૃષ્ટિમાં અસંખ્ય પુષ્પાદિ જીવોની હિંસાનો સંભવ છે. સમાધાનઃ- દેવો દેશનાભૂમિમાં દારિક સચિત્ત પુષ્પોની વૃષ્ટિ કરતા નથી. પરંતુ અચિત્તવૈક્રિયપુષ્પોની વૃષ્ટિ કરે છે. તે જ પ્રમાણે, સમવસરણ વગેરેમાં કરાતી મણિ-રત્ન વગેરેની રચના પણ અચિત્ત મણિ વગેરેથી જ કરે

Loading...

Page Navigation
1 ... 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548