Book Title: Pratima Shatak
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Aradhak Trust

View full book text
Previous | Next

Page 450
________________ પ્રતિમાશતક કાવ્ય-૮૩) स्यात्। किञ्च समये आकेवलिनं द्रव्याश्रवं भाषितं विचार्य शुद्धं धर्ममपश्यतस्तनुधियः शोकः कथं गच्छति ?) __'वाहिनी' इत्यादि। अन्यथा उक्तानभ्युपगमे स्वरूपत एवाश्रवत्वाभिमतस्याधर्मत्वोक्तौ वाहिन्युत्तरणादिके नद्युत्तारप्रमुखे परपदे-अपवादमार्गे चारित्रिणां-भावसाधूनामपापो धमॆकस्वभावो यो भाव:=पुष्टालम्बनाध्यवसायस्तन्मिलितां पापक्रियां नद्युत्तारादिरूपां कुर्वतां मिश्रत्वं मिश्रपक्षाश्रयणं स्यात्, न चैतदिष्टं परस्यापि साधूनां धर्मैकपक्षाभ्युपगमात्। तस्मान्न धर्मभावे स्वरूपत: सावधक्रियाया मिश्रणं द्रव्यस्तव इति गर्भार्थः । अभ्युच्चयमाह- किञ्च, आकेवलिनं केवलिपर्यन्तं समये-सिद्धान्ते जावं च णं एस जीवे एयइ वेयइ तावं च णं आरंभइ' इत्यादिना द्रव्याश्रवं भाषितं विचार्य तावदेव शुद्धं धर्ममपश्यत स्तनुधियः ऐदम्पर्याऽपर्यालोचनेन तुच्छबुद्धेः शोको धर्मपक्षस्थानोच्छेदजनितवैकल्यलक्षणः कथं गच्छतु ? न कथञ्चित्, अत एव सुन्दरर्षिरयोगिकेवलिष्वेव सर्वतः संवरो मतः' इति सूक्ष्माघ्राणेनाकेवलं देशविरतिमेव सम्भावयति, न तु जानीते फलतः सर्वसंवरस्तदा, विवक्षित(भेद)सर्वसंवरस्त्वन्यदापीति। एवं द्रव्यभावमिश्रतां केवलिन्यपि सन्देहानः पाशोऽपि सोरस्ताडं शोचन् केन वार्यतामिति ॥ ८३॥ वादी प्रसङ्ग समाधत्ते શુભભાવ - અશુભકિયામિશ્રણ નિરાસ ઉપરોક્ત બીજા વિકલ્પના સ્વીકારમાં પૂર્વપક્ષને આવતી અનિષ્ટપત્તિ બતાવે છે– કાવ્યર્થ - અમારો ઉપરોક્ત મત સ્વીકારવામાં ન આવે, તો તમારે ‘નદી ઉતરવી વગેરે અપવાદમાં અપાપભાવ(=શુદ્ધ ધર્મભાવ)થી યુક્ત પાપ ક્રિયા(=નદી ઉતરવી વગેરે સાવદ્ય ક્રિયા) કરતા સાધુને પણ મિશ્રધર્મનો સ્વીકાર કરવો પડશે. વળી “આગમમાં કેવળી સુધી દ્રવ્યાશ્રવ બતાવ્યો છે તે વચનને વિચારી ક્યાંય શુદ્ધધર્મને નહીં દેખી શકતા આ અલ્પબુદ્ધિવાળાઓનો શોક શી રીતે દૂર થશે? સ્વરૂપથી જ આશ્રવ તરીકે અભિમત વસ્તુ જો અધર્મરૂપ જ હોય, તો અપવાદપદે નદી ઉતરતા ભાવસાધુને પણ મિશ્રધર્મની આપત્તિ છે, કારણ કે તે વખતે એક બાજુ તે સાધુને માત્ર ધર્મરૂપ પુષ્ટાલંબનનો જ અધ્યવસાય છે. “પુષ્ટાલંબન હોવાથી મારે આ અપવાદનું સેવન કરવાનું છે.” ઇત્યાદિ અધ્યવસાય ધર્મરૂપ જ છે. આમ ભાવ શુભ છે. તો બીજી બાજુ નદીઉતરણક્રિયા હિંસાત્મક હોઇ સ્વરૂપથી સાવદ્ય-આશ્રવરૂપ છે. તેથી અહીં પણ શુભભાવથી મિશ્રિત સ્વરૂપથી પાપક્રિયા હોવાથી મિશ્રધર્મ છે. પણ તમને તે ઇષ્ટ નથી, કારણ કે તમે પણ સાધુને એકમાત્ર ધર્મપક્ષ જ હોય, તેમ સ્વીકાર કર્યો છે. તેથી પ્રસ્તુતમાં સાધુને મિશ્રપક્ષનું દૂષણ ટાળવા અને ધર્મપક્ષ સ્થાપવા જે હેતુ આગળ કરશો, તે દ્રવ્યસ્તવસ્થળે પણ લાગુ પડશે. તેથી ધર્મ-શુભભાવની ઉપસ્થિતિમાં દ્રવ્યસ્તવમાં સ્વરૂપસાવઘક્રિયાના સંયોગથી મિશ્રતા ઊભી થતી નથી – એવો રહસ્યાર્થ સમજવો પડશે. અમ્યુચ્ચય – “આગમમાં “જ્યાં સુધી આ જીવ કંપન, વેજન કરે છે, ત્યાં સુધી આરંભ કરે છે' ઇત્યાદિવચનથી કેવલી સુધી દ્રવ્યાશ્રવ કહ્યો છે.” આ વચનનો તાત્પર્યાઈ વિચાર્યા વિના જ જેઓ કેવલી સુધી શુદ્ધ ધર્મનો અભાવ છે એમ વિચારે છે, તેઓને ધર્મપક્ષનો ઉચ્છેદ જોઇને થતો શોક શી રીતે દૂર થઇ શકે? અર્થાત્ દૂર ન જ થાય. તેથી જ “અયોગી કેવલીઓને જ સર્વતઃ સંવર હોય આ વચનને આગળ કરી સુંદરરાષિ(સાધુવિશેષ) સૂક્ષ્મબુદ્ધિથી(કટાક્ષમાં) કેવલી અવસ્થા સુધી દેશવિરતિની જ સંભાવના કરે છે. પણ એમ સમજવા તૈયાર નથી કે “પરિણામથી - ફલતઃ સર્વસંવર અયોગી અવસ્થામાં હોવા છતાં તે સંવરથી ભિન્નરૂપે વિવક્ષિત સર્વસંવર(સર્વસાવદ્યયોગના ત્યાગઆદિરૂપ) તો અન્યદા(=અયોગી સિવાયની અવસ્થામાં પણ) સંભવી શકે છે. આમ સયોગી કેવલીમાં પણ દ્રવ્ય-ભાવની મિશ્રતાનો સંદેહ કરતા પાશને (=પાર્ધચંદ્રને) અત્યંત શોક કરતા કોણ અટકાવી શકે? ૮૩

Loading...

Page Navigation
1 ... 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548