________________
ચમરેન્દ્રનો ઉત્પાત
59
=
'किं निस्साए णं भंते! असुरकुमारा देवा उढुं उप्पयंति जाव सोहम्मो कप्पो ? से जहानामए - इह सबराइ वा बब्बराइ टंकणाइ वा भुत्तुयाइ वा पल्हयाइ वा पुलिंदाइ वा एगं महं गड्डुं वा खड्डुं वा दुग्गं वा दरिं वा विसमं वा पव्वतं वा णीसाए सुमहल्लमवि आसबलं वा हत्थिबलं वा जोहबलं वा धणुबलं वा आगलेंति, एवामेव असुरकुमारावि देवा, णन्नत्थ अरहंते वा, अरहंतचेइयाणि वा, अणगारे वा भावियप्पणो निस्साए उड्डुं उप्पयंति जाव सोहम्मो कप्पो'[भगवती ३/२/१४३] त्ति | 'णऽन्नत्थ'त्ति=तन्निश्रां विना नेत्यर्थः । तथा 'तए णं से चमरे असुरिदे असुरराया ओहिं पउंजइ, २ मम ओहिणा आभोएइ, २ इमेयारूवे अज्झत्थिए जाव समुप्पज्जित्था एवं खलु समणे भगवं महावीरे जंबुद्दीवे दीवे भारहे वासे सुंसुमारपुरे नगरे असोगवणसंडे उज्जाणे असोगवरपायवस्स अहे पुढविसिलावट्टयंसि अट्ठमभत्तं पडिगिण्हित्ता एगराइयं महापडिमं उवसंपज्जित्ताणं विहरति । तं सेयं खलु मे समणं भगवं महावीरं नीसाए सक्कं देविंदं देवरायं सयमेव अच्चासादेत्तए 'त्ति कड्ड एवं संपेहेइ, २ सयणिज्जाओ अब्भुट्ठेइ, २ त्ता देवदू परिहेइ, २ उववायसभाए पुरत्थिमिल्लेणं दारेणं णिग्गच्छइ, २ जेणेव सभा सुहम्मा, जेणेव चोप्पाले पहरणकोसे तेणेव उवागच्छइ, २ त्ता फलिहरयणं परामुसइ, २ एगे अबीए फलिहरयणमायाए महया अमरिसं वहमाणे चमरचंचाए रायहाणीए मज्झमज्झेणं निग्गच्छइ २ जेणेव तिगिंछकूडे उप्पायपव्वए तेणेव उवागच्छइ, २ ता वेउव्वियसमुग्घाएणं समोहणइ, २ ता संखेज्जाई जोयणाइं जाव उत्तरवेउव्वियं रूवं विकुव्वइ, २ त्ता ताए उक्किट्ठाए
અભાવરૂપ અપકર્ષ બતાવ્યો છે. તેથી અહીં અનુક્તિ અલંકાર સંભવશે. સમાધાનઃ- નૈષધીચક્રાવ્યગત ‘હનુમદાà’ ઇત્યાદિ સ્થળે અપકર્ષમાં પણ વ્યતિરેક અલંકારનો પ્રયોગ દેખાય છે. તેથી તમારું કથન બરાબર નથી. આ બાબતનો વિસ્તાર અમે(ટીકાકારે) અલંકારચૂડામણિ ગ્રંથની ટીકામાં કર્યો છે.
ચમરેન્દ્રનો ઉત્પાત
ચમરેન્દ્રના ઉત્પાતસંબંધી ભગવતી સૂત્રના આલાપકો બતાવે છે →
હે ભદંત ! અસુરકુમારદેવો કોની નિશ્રાએ ઉર્ધ્વ સૌધર્મકલ્પસુધી ઉત્પાત કરે છે ? હે ગૌતમ ! જેમ ભીલ, બર્બર, ટંકણ વગેરે (અનાર્યદેશના રહેવાસીઓના નામ છે) લોકો ગર્તા, ખાડો, દુર્ગ, ગુફા કે વિષમપર્વત વગેરેનો આશ્રય લઇને દુશ્મનના વિશાળ અશ્વ, હસ્તિ, યોધ-ધનુર્ધારી સૈન્યને જીતવાનો વિચાર કરે છે. તે જ પ્રમાણે અસુરદેવો પણ સૌધર્મદેવલોકસુધી ઉર્ધ્વગમન કરે છે. અસુરો આ પ્રમાણે ઉર્ધ્વગમન આ ત્રણની નિશ્રાએ જ કરી શકે. (૧) અરિહંત (૨) અરિહંતની પ્રતિમા અને (૩) પરિણત સાધુ. આ ત્રણની નિશ્રા સ્વીકાર્યા વિના નહિ.
તે વખતે તે ચમરેન્દ્ર અવધિજ્ઞાનનો ઉપયોગ મુકે છે અને મને(ભગવાન મહાવીર સ્વામીને) અવધિજ્ઞાનના ઉપયોગથી જોઇ આ પ્રમાણે વિચારે છે. ‘આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીરસ્વામી જંબૂદ્વીપના ભરતક્ષેત્રના સુંસુમારપુરનગરના ‘અશોકવાટિકા' ઉદ્યાનમાં શ્રેષ્ઠ અશોકવૃક્ષની નીચે શિલાપર અટ્ઠમતપ કરીને એકરાત સંબંધી મહાપ્રતિમાને સ્વીકારીને રહ્યા છે. તેથી શ્રમણ ભગવાન મહાવીરસ્વામીની નિશ્રા સ્વીકારી દેવેન્દ્ર શક્રનું અપમાન કરવું મારામાટે શ્રેયસ્કર છે.’(અહીં શ્રેયસ્કરતા નિશ્રા સ્વીકારવાથી છે, નહિ કે તે નિશ્રાના આધારે શક્રનું અપમાન કરવાથી એટલો ખ્યાલ રાખવો.) આ પ્રમાણે વિચારી ચમરેન્દ્ર પોતાના શયનમાંથી ઊભો થાય છે. દેવદૂષ્યને ધારણ કરી પોતાની ઉપપાતસભા(ઉત્પન્ન થવાના સ્થાન)ના પૂર્વના દ્વારથી બહાર નીકળે છે. ત્યાંથી નીકળી તે પોતાની સુધર્મસભાના શસ્ત્રવિભાગમાં જાય છે. ત્યાં પોતાના પરિઘરત્ન(=શસ્ત્રવિશેષ)ને ગ્રહણ કરે છે. પછી તે ચમરેન્દ્ર ભારે ક્રોધથી પરિઘરત્નને લઇ એકલો પોતાની ‘ચમરચંચા' નામની રાજધાનીમાંથી બહાર નીકળે છે અને ‘તિગિછ’ નામના