________________
૪૩
-જ્ઞાનની અપૂર્વ મહત્તા. જ્ઞાન એટલે શું ? જ્ઞાન જ્ઞાનીની આરાધના કેવી રીતે કરી શકાય ? જ્ઞાનગુણ એકલે જ પૂવા ગ્ય છે કે જ્ઞાની પણ પૂજવા યોગ્ય છે ? જ્ઞાન અને સમ્યગદર્શન વચ્ચે રહેલે તફાવત. જ્ઞાનપ્રાપ્તિના બે માર્ગો છે. બે માર્ગમાંથી કયે માર્ગે મેળવેલું જ્ઞાન ઉત્તમ છે ? જીવાદિકતવનું જ્ઞાન મેળવવા માટે જોઈતી સુયોગ્યતા. જ્ઞાન એ મોક્ષનું કારણ ક્યારે બને છે ?
૯-એ મહામહિમાવંત ચારિત્રપદ. ચારિત્ર એટલે સાધુને વેષ જ છે એમ ન સમજે. ચારિત્ર નથી તે કાંઈ નથી. ચારિત્ર વિના સિદ્ધિ નથી. વગર ચારિત્ર લીધે જ મોક્ષ મેળવવાની જેઓ આશા બતાવે છે તેઓ મહાધૂર્ત છે. અઢાર પાપસ્થાનકેન વસરાવવાથીજ ચારિત્રની પ્રાપ્તિ નથી. ચારિત્રપદમાં અશુભને ત્યાગ અને શુભની પ્રવૃત્તિ એ બેની આવશ્યકતા. જ્ઞાનગુણુ પૂજનીય છે; પરંતુ માત્ર એકલા જ્ઞાનગુણને ધણું પૂજવા યોગ્ય નથી. જ્યારે ચારત્રિ અને તેને ધારક બને પૂજવા લાયક છે. એ ચારિત્રની વિશેષતા છે.
૧૦-સાચું તપ કોને કહેશે ? તપ વિના કોઈપણ પદની સિદ્ધિ નથી. આત્મધ્યાન કરવાથી તપની આવશ્યકતા ટળી શકે છે ખરી કે ? કદી જ નહિ ! આત્મજ્ઞાન તપથીજ જન્મે છે. અરિહંતાદિ સઘળા જ તપને આશ્રય લેતા હતા. તપના બાર ભેદ તપની સૂર્ય સાથે સરખામણું. જ્યાં તપને પરમ પ્રકાશ પ્રકટે છે, ત્યાં કર્મના સઘળાં અંધકાર-પડિલે તુટી પડે છે. સંચિત કર્મોને નાશ કરવા માટે મોક્ષહેતુ હોય એવું તપ સિદ્ધ રસાયણ છે. તપ નથી તે સિદ્ધિ નથી.