________________
સિદ્ધપદ સિદ્ધ એટલે બધાથી મુક્ત,
શ્રી અરિહંતેમાં શાતા કે અશાતા બેમાંથી ગમે તે એકને ઉદય હેવાને જ હેવાને ! એવા એક પણ શ્રી અરિહંત નથી કે જેમનામાં બેમાંથી એકને ઉદય ન હોય, ત્યારે સિદ્ધ મહારાજમાં તે શાતા કે અશાતા બેમાંથી એકને ઉદય છે જ નહિ ! અરિહંત મહારાજા પણ શરીરની સત્તાના કેદી છે. મૃત્યુની સત્તા અરિહંત ભગવાનને પાલવે ચટેલી છે. અરિહંત ભગવાને ભૂતકાળમાં અનંત થયા છે, વર્તમાનકાળમાં પણ છે અને ભવિષ્યકાળમાં પણ જરૂર થવાના જ થવાના ! ! પરંતુ એ સઘળામાંથી કોઈ ભગવાન એવા નહિ થાય કે જે મૃત્યુની સત્તાથી પર હોય! ત્યારે સિદ્ધ ભગવાન એ સઘળાથી પર છે. તેમને નથી મતની સત્તાની તાબેદારી, નથી શાતા અશાતને ઉદય, નથી વેદનીય કર્મના વાડામાં પુરાવાપણું ! શ્રી સિદ્ધત્વ એટલે અંનત જ્ઞાન, દર્શન, વીતરાગતા, વીર્ય અને સુખ! શરીરથી રહિતપણું, સંપૂર્ણ ગુણે અને અમરત્વ. શ્રી જિનેશ્વર દેવને પણ એ શ્રી સિદ્ધત્વ આરાધ્ય છે અને તેઓ પણ સિદ્ધત્વને ઈરછે છે. અરિહંત પહેલાં પછીજ સિદ્ધ
એ સિદ્ધત્વની જેને કિંમત નથી તે સઘળાને શ્રી અરિહતેના કાર્યની પણ કાંઈજ કિંમત નથી એમજ તેને અર્થ છે. સિદ્ધત્વ એ શિખર છે. શ્રી અરિહંત એ શિખરે ચઢવાને માર્ગ છે. જેમ માતાથી પુત્રની પ્રાપ્તિ છે, જેમ પિતાથી પુત્ર ગણાય છે, જેમ શેઠથી વાસેતર પ્રકાશવાન