________________
૧૦૨
સિદ્ધચક્ર માહાત્મ્ય
પણ કેવળજ્ઞાન થયા પછી જાહેર કર્યુ છે. શ્રીમાન ગૌતમાદિક ભગવાન જ્યારે પ્રતિષેાધ પામ્યા હતા તે સમયે ભગવાન શ્રીમહાવીરસ્વામીએ “ અનુજ્ઞાનામિ ’ દ્રશ્ય. ગુણુ, પર્યાયથી વિચારીને એ વસ્તુ જાહેર કરી છે કે તીની ઉત્પત્તિ તીર્થંકર ભગવાનની ઉત્પત્તિ સાથેજ છે; પરંતુ તેમના મેક્ષ પછી શાસન આયાર્યોનેજ સોંપાય છે અને આચારેંજ તેના સ્વામી-તેના માલિક છે. અતિહાસિક ઉદાહરણ જુઓ.
આ સંબધીનુ એક થોડાજ સમય ઉપરનુ' ઉદાહરણ વિચારા. કાઠિયાવાડમાં જે સમયે વલ્લભીપુર એ એક અતિવિશાળ અને માઢામાં માટું શહેર હતું તે સમયે ત્યાં શિલાદિત્ય નામના મહારાજા રાજ્ય કરતા હતા. એ સમયે ત્યાં જૈનો અને બૌદ્ધો વચ્ચે બહુ કાતિલ ધવિગ્રહ ચાલતે હતા. આચાર્ય દેવ શ્રીમલ્લવાદીસૂરીશ્વરજીના ગુરુદેવ એ સમયે એક બૌદ્ધપડિત સામે વાદમાં ઉતર્યો હતા અને તેમાં શ્રીમલ્લવાદીજીના ગુરુદેવને પરાજય થયા હતા;
આ પ્રસંગને લીધે શ્રીમદ્યવાદીસૂરિજીના ગુરુદેવ કાઠિયાવાડના ત્યાગ કરીને ચાલી નીકળ્યા હતા. જ્યારે ગુરુદેવ ચાલી નીકળ્યા ત્યારે વલ્લભીપુરના સઘળા જૈનો આચાય દેવ સાથે ચાલી નીકળ્યા અને તેમણે સૌરાષ્ટ્રની ભૂમિને ત્યાગ કરી દીધા ! વિચાર કરે કે સૌરાષ્ટ્રને એ પ્રસ ંગે ત્યાગી દેનારા એ જૈનો પણ તમારા જેવા જ ગૃહસ્થા હતા, છતાં તે પ્રસંગે પૈસેટકે, માલમિલ્કત, કાંઇ પણ ગળે ન વળગ્યુ અને બધુંજ મૂકીને ચાલી નીકળ્યા,