Book Title: Siddhachakra Mahatmya
Author(s): Anandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
Publisher: Ramanlal Jechand Shah

View full book text
Previous | Next

Page 298
________________ ચારિત્રપદ ૨૪૫ એક જ જવાબ છે કે ભગવાન શ્રી મહાવીર દેવને મનઃપઅર્વવજ્ઞાન દીક્ષા લીધા પછી જ થયું હતું. માત્ર ભાવનાની કિંમત જૈનશાસને ગણી નથી અથવા પ્રકૃતિએ પણ એકલી ભાવનાની કિંમત ગણી નથી; આગળ વધીને કહું તે વ્યવહારે પણ નરી ભાવનાની કિંમત કરી નથી. મનમાં ભાવના કર્યા કરે કે “હું રાજા છું, હું રાજા છું, ” પરંતુ રાજપ્રાપ્તિ ન કરે ત્યાં સુધી જનતા તેને રાજા માનતી નથી. તેજ પ્રમાણે જૈનશાસન, કુદરત અને વ્યવહાર ત્રણે એકલી ત્યાગપરણુતિ એનેજ સાધુત્વ માનતા નથી; સાધુત્વ ત્યારે મનાય છે કે જ્યારે ચારિત્રગ્રહણની નિશાની હોય ! જેને અવધિજ્ઞાન થયું હોય તે આત્મા જે કાંઈ પણ ગ્રહણ કરવા ચોગ્ય માને છે તે સર્વવિરતિજ ગ્રહણ કરવા યોગ્ય માને છે; બીજું કાંઈ નહિ. શાસ્ત્રકારે કહે છે કે મન:પર્યવજ્ઞાન ગૃહસ્થને થતું નથી, તે જ્ઞાન તે ચારિત્ર લીધા પછી જ થાય છે. કેવળજ્ઞાન ગૃહસ્થાપણામાં થાય છે, પરંતુ મન:પર્યવજ્ઞાન ચારિત્ર લીધા વિના થતું નથી. ચારિત્ર સાથે મન:પર્યવજ્ઞાન થાયજ થાય એ રજિસ્ટર છે; પરંતુ તેજ પ્રમાણે ચારિત્ર વગર મન ૫ર્યવ ન થાય એ પણ રજિસ્ટરજ છે. ગૃહસ્થપણામાં કેવળ ભાવપરિણતિ થાય, ત્યાગીના બધા આચારવિચારે પાળે અને સંપૂર્ણ રીતે સંસારથી વિરક્ત રહે તે પણ તેને મનાયર્યાય થવાનું જ નહિ એ શાસ્ત્રકાનું વિધાન છે. મન:પર્યવજ્ઞાનને માટે ચારિત્ર ખરૂં જ ખરું. “સાધુત્વની પ્રાપ્તિ ક્યારે થાય ??? ચારિત્રની આટલી આવશ્યકતા વિચાર્યા પછી હવે ચારિ. ત્રનું સ્વરૂપ સમજવાની જરૂર છે. વડી ધારાસભાના પ્રમુખની

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326