________________ હું આત્મા છું “ગણે જોઈએ ફરીથી !" ફરીથી ગણ્યા તે પણ નવ થયા. કાકા બોલ્યા: “અરે ! મૂર્ખ તું તને જ ગણતે નથી. તું થઈને દશ હતા કે તારા સિવાય ના, ના, હું થઈને દશ.” ત્યારે તારી જાતને સામેલ કરી દે એમાં ! સહુને ગણે છે, તું તને જ ભૂલી જાય છે !" બંધુઓ ! આત્માના અસ્તિત્વને અસ્વીકાર કરતા અજ્ઞાની જીવનું પણ આમ જ છે. એ માત્ર દષ્ટિગોચર થતા પદાર્થોને જ માને છે. ગુરુદેવે પણ એ જ કહ્યું હતું કે ઘટ, પટ આદિને માને છે અને તેના જાણનારને તું નથી માનતો ? શિષ્યને પોતાની ભૂલનું ભાન થાય છે. અને ગુરુદેવે કહેલાં તત્ત્વની વિચારણામાં ઊંડે ઉતરી જાય છે. એ વિચારમાંથી બહાર આવીને એ. ગુરુદેવ સમક્ષ શું કહેશે તે અવસરે.....