Book Title: Hu Aatma Chu Part 02
Author(s): Tarulatabai Mahasati
Publisher: Gujarati Shwetambar Sthanakwasi Jain Association

View full book text
Previous | Next

Page 347
________________ 320. હું આત્મા છું હે વત્સ! અત્યાર સુધી મેં જે કંઈ કહ્યું તે મારૂં પિતાનું કંઈ નથી કહ્યું. ભૂતકાળમાં થયેલા અનંતજ્ઞાની મહાપુરુષે જે કહી ગયા વર્તમાનમાં જ્ઞાનીઓ જે કહે છે અને ભવિષ્યમાં થનાર અનંત સર્વજ્ઞ પરમાત્માઓ જે કહેશે, તે જ મેં પણ કહ્યું. સર્વે જ્ઞાનીઓ આત્માને પામવા માટે આ જ રાહ બતાવે છે. અન્ય નહીં. આનાથી એ પણ નહીં અધિક પણ નહીં. વિપરીત પણ નહીં. કારણ એક હેય ત્રણ કાળમાં પરમારથ પંથ.” દ્રવ્ય, ક્ષેત્ર કે કાળનાં પરિવર્તનથી, પરમારથના પંથમાં કોઈ પરિવર્તન આવતું નથી. એ તે જે છે તે જ છે. એ જ રહેશે. તેથી જ ગાથામાં ગુરુદેવ કહે છે. અનંતજ્ઞાનીને નિશ્ચય આ જ છે. તેમાં કદી ફરક પડતો નથી. વ્યવહારમાં પણ એમ કહીએ છીએ કે સે જ્ઞાનીને એક મત અને એક અજ્ઞાનીનાં સે મત કઈ પણ ક્ષેત્રે, કેઈ પણ કાળે જેટલા ડાહ્યાં પુરુષો થયાં તે સર્વ ને જીવન વિષે કે વ્યવહાર વિષે કે જીવનનાં મૂલ્ય વિષે, નીતિ કે સદાચાર નાં ધોરણે વિષે અથવા તે. સર્વ જન સામાન્ય ને લાગુ પડતાં કેઈ પણ વિષયમાં એક જ મત હોય, અર્થાત્ વ્યષ્ટિ ધર્મે કે સમદષ્ટિ ધર્મો વિષે મત-ભેદ ન હોય. પરંતુ એક અજ્ઞાની માણસનાં એક જ વિષયમાં અનેક અભિપ્રાયે વર્તતા હોય. અત્યારે આમ કહ્યું તો થોડા સમય પછી એ જ વાતને તદ્દન જુદા અર્થમાં કહે પરંતુ જ્ઞાનીઓનાં મત કદી બદલાય નહીં. અજ્ઞાની, સ્વાર્થ પરાયણ હોય તેથી જે સમય તેવી વાત બંધુઓ! જેમ તમારા વ્યાપારનાં Field માં જે ગ્રાહક એવો વ્યાપાર તમે કરી લે છે, કારણ સ્વાર્થ છે. ત્યાં તમારી જીભને ફરતાં જરા પણ તક્લીફ નહીં. એક વખતની વાત છે. એક ભાઈને ત્યાં તેમના કેઈ સંબંધી ઘણું વર્ષ પછી મળવા આવ્યા. બંને બેઠા છે, વાતે ચાલી રહી છે, ત્યાં યજમાનને નાને બાબો ત્યાં આવી ચડે. મહેમાને પ્રેમથી તેને બોલાવ્યો અને પૂછયું : “બેટા ! તારી ઉંમર કેટલી ?

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358