Book Title: Hu Aatma Chu Part 02
Author(s): Tarulatabai Mahasati
Publisher: Gujarati Shwetambar Sthanakwasi Jain Association

View full book text
Previous | Next

Page 316
________________ ' ઉદય થાય ચારિત્રને 289 ભય-જુગુપ્સાનાં ભાવેનું, નિમિત્ત મળતાં ક્ષણિક અસર થાય, પણ લાંબે સમય ટકે નહીં. જિનેશ્વરની ઉપાસિકા પેલી શાણ સુમતિ-વીતરાગનાં ચરણમાં જેની અનન્ય શ્રદ્ધા છે. સમ્યકત્વ ભાવની આરાધિકા છે. આત્મ-નિર્મળતામાં ચિત્ત રમી રહ્યું છે. પ્રભુનાં વચનની પૂર્ણ શ્રદ્ધા છે. શ્રદ્ધા સાથે આચારને સમન્વય થયેલે છે. એવી એ શ્રાવિકાને પતિ બહાર ગયે છે અને આંખનાં રત્ન સમા, બે યુવાન પુત્રનું અકસ્માતે એક સાથે મૃત્યુ થાય છે. ક્ષણભર તો સુમતિ સ્તબ્ધ થઈ જાય છે. આખાયે જીવનને ચહેરે વિકૃત થઈ ગયું હોય એવું પ્રતિભાસવા માંડે છે. પણ વીતરાગનાં ચરણે જેણે પૂજ્યા છે એવી અનન્ય શ્રદ્ધાવાન નારી શેડી જ ક્ષણેમાં સ્વસ્થ થઈ જાય છે. પુત્રને અન્ય ઓરડામાં સફેદ ચાદર ઓઢાડી જાણે સુવરાવી દીધા છે અને ઉબરમાં પતિની રાહ જોતી ઉભી છે. કેટલા સમય પછી પતિ આવે છે. રેજની હસતી નારીનું મુખ ઉદાસ જુએ છે. પતિનાં મનમાં પ્રશ્ન “સુમતિ! શું થયું? કેમ ઉદાસ છે?” “કંઈ નહીં, દેવ! પાડોશી સાથે જરા ઝઘડો થઈ ગયો! અરે! સુમતિ તું આ બેલે છે? ઊંચે અવાજે બોલતા પણ તને કદી કોઈએ સાંભળી નથી. તું ઝઘડે કરી શકે કઈ રીતે? રત્નકંકણ લઈ આવી હતી. મને બહુ ગમ્યા. મેં રાખી લીધા. આજે પાડેશી માગવા આવ્યા, પણ મારે નેતા આપવા. તેથી ઝઘડો થયો.” “અરે! પાગલ. એમાં તે ઝઘડે હોય? જેનું હોય તે માગવા આવે તે આપી જ દેવું જોઈએ ને? પારકું કેટલા દિવસ રખાય? આપી દે !" ' “ના, પણ, મને આપવા નહીં ગમે, મારે તે એ રત્નકંકણ રાખવા છે. બહુ ગમે છે મને! ન આપું તે !' ભાગ-૨-૧૯

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358