Book Title: Hu Aatma Chu Part 02
Author(s): Tarulatabai Mahasati
Publisher: Gujarati Shwetambar Sthanakwasi Jain Association

View full book text
Previous | Next

Page 301
________________ 274 હું આત્મા છું કવિવર બનારસીદાસે, આવા સમકિતી જીવને વંદન કર્યા છે. તેઓ કહે છે. જેના અંતર-ઘટને વિષે ભેદ-વિજ્ઞાન જાગૃત થયું છે. ચિત્ત જેનું ચંદન જેવું શીતલીભૂત થઈ ગયું છે. એવા જીનેશ્વરનાં લઘુનંદન, શિવમાર્ગમાં ક્રીડા કરી રહ્યાં છે. મિથ્યાત્વને મૂળમાંથી જ ઉખેડી નાખી, નિજ સત્યસ્વરૂપને પ્રગટ કર્યું છે. તેઓની શાંતદશાને જાણું, બે હાથ જેડી બનારસી વંદન કરે છે. - સમ્યક્ત્વી જીવ પણ સામાન્ય છે માટે વંદનને ગ્ય બને છે કારણ તે જીનેશ્વરનાં લઘુનંદન છે. ઝાડના નામે ફળ વેચાય તેમ જીનેશ્વરનાં મહિમાને જાણતાં જ, સમ્યક્ત્વનાં મહિમાને પણ સમજી જ શકે શ્રીમંત કે આબરૂદાર બાપનાં દીકરા તરીકે ઓળખાવવામાં પણ માણસ ગૌરવ અનુભવે છે તે જિનેશ્વરનાં નંદનરૂપે ઓળખાવવામાં કેટલું ગૌરવ? બંધુઓ! આવું ગૌરવ પામવાનું સૌભાગ્ય આપણને કયારે મળશે? અંતરમાં એક નિશ્ચય કરીએ, પ્રબળ જિજ્ઞાસા જાગૃત કરીએ કે સંપૂર્ણ વીતરાગતાની પ્રાપ્તિ અર્થોને પ્રચંડ પુરુષાર્થ તે નથી કરી શક્તા, પણ જિનેશ્વરનાં લઘુનંદન કહેવડાવું એવી સમ્યક્ત્વદશાની પ્રાપ્તિ તે જરુર થઈ શકે ! આ ભવમાં જ એવો પુરુષાર્થ કરી લઉં કે જેથી સમ્યકત્વ પામ્યા વિના તે ભવ પૂર્ણ ન જ થાય. ઉપકારી ગુરુદેવ શુદ્ધ સમ્યકત્વદશા પ્રગટ શી રીતે થાય તે બતાવતા કહે છે - મત દશન આગ્રહ તજી, વતે સદ્દગુરુ લક્ષ; લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદ ન પક્ષ...૧૧૦... અમુક મત, પંથ કે સંપ્રદાયની માન્યતાથી મેક્ષ છે એ કદાગ્રહ જેને નથી. જે સત્યને ગ્રાહક છે તે જીવ સદ્ગુરુની આજ્ઞાને આરાધક બની શકે છે. મત–પંથને આગ્રહ ધરાવનાર જીવ કદાગ્રહી હોય છે. જેનું વિવેચન આગળ એકથી વધારે વાર થયું છે. મત-પંથમાં ધર્મ નથી. ધર્મ આત્માને સ્વભાવ છે અને તે આત્મામાંથી જ પ્રગટ કરવાનું છે. માટે સત્યનો ઈચ્છક જીવ મંત-પંથની માન્યતાને વળગી ન રહે, તેમાં કદાગ્રહ

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358