________________
ચોદ ગણસ્થાન ભાગ-૨
૪૩
ક્યારે આ કાર્ય જલ્દી પૂર્ણ કરી દઉં અને સાચા સુખ માટેની ક્રિયા કરતો થાઉં. આ વિચારણા રહ્યા જ કરે છે. આ પ્રમોદ ભાવનાનું ત્રીજું લક્ષણ કહેવાય છે. આ વિચારણા ક્ષચોપશમ ભાવ આત્મામાં પેદા થાય-મિથ્યાત્વની મંદતા થાય એનાથી થાય છે. આ શુભ કર્મોના અનુબંધથી ઉત્તરોત્તર આત્માની વિશુધ્ધિ વધતી જાય છે અને એનાથી વિશુદ્ધિની સ્થિરતા પેદા થાય છે અને ઉત્તરોત્તર વિશુધ્ધિથી સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપ પેદા કરી શકે છે. આ ત્રીજું લક્ષણ કહેવાય છે. (૪) પરામુદિતા ભાવ:
સંતોષ પેદનમાં સાત તી
મોહનીય કમદિ મહાતીવ્ર કર્મના નાશથી પ્રાપ્ત થતાં અવ્યાબાધ સુખમાં જે સંતોષ વૃત્તિ થવી તે.
આ રીતે પ્રમોદ ભાવનાના ત્રણ લક્ષણના પરિણામોની વિચારણામાં સ્થિરતા પેદા થતી જાય તેમ મિથ્યાત્વ મોહનીય કર્મનો તીવ્ર રસ મંદ પડતો જાય અને જેમ એની મંદતા થતી જાય તેમ મોક્ષના સુખની આંશિક અનુભૂતિ થતી જાય છે. એ અનુભૂતિના સુખના કારણે અંતરમાં સાચા સુખની અનુભૂતિ થઇ એવા ભાવનો પૂર્ણ સંતોષ પેદા થતો જાય છે. આ ચોથા લક્ષણના અધ્યવસાયથી જીવને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય ભાવ પેદા થાય છે. આ જ્ઞાન ગર્ભિત વૈરાગ્યના પરિણામને જ્ઞાનીઓએ આંશિક વીતરાગ દશાનો અનુભવ થાય છે એમ કહેલું છે.
ધર્મ પ્રવૃત્તિ કરતાં કરતાં-દેવ ગુરૂની ભક્તિ-સેવા કરતાં કરતાં આવા સુખની અનુભૂતિ થાય છે એવું કાંઇ લાગે છે ખરું ? આ અનુભૂતિથી સુખી જીવોનાં સુખની સામગ્રી જોઇને દ્વેષ ભાવા પેદા થતો હતો તે નષ્ટ થઇ જાય છે. એ દ્વેષ બુદ્ધિના કારણે ઇર્ષ્યા ભાવ પેદા થતો હતો તે નષ્ટ થાય છે તો હવે એવા જીવોને જોઇને શું થાય છે ? જેટલા અનુકૂળ પદાર્થોવાળા વધારે સુખી