________________
૧૮૬
ચૌદ મુણસ્થાનક ભાગ-૨ પરિણામે ઘણા ગુણને કરનારા હોવાથી પાપ રૂપ નથી. નિર્મલ બુદ્ધિવાળા પુણ્યવાન ગૃહસ્થોને આ આરંભવાળી પણ શ્રી જિનપૂજા વિશિષ્ટ કોટિના પુણ્યલાભ રૂપ ફ્લને દેનારી છે અને ભવવિરહના કારણ સ્વરૂપ સદનુષ્ઠાનને પણ પમાડનારી છે. વિવેકી તે કહેવાય, કે જે હાનિ-લાભનો વિચાર કરીને, જેમાં વિશેષ લાભ હોય તેને આચરે અને જેમાં વિશેષ હાનિ હોય તેને તજે જ્યાં અલ્પ હાનિ અને ઘણો લાભ હોય, તે કાર્ય લોકમાં પણ લાભનું કાર્ય જ ગણાય છે. ઘણો લાભ થતો હોય તો તેમાં થતી થોડી હાનિ, એ વસ્તુતઃ હાનિ જ ગણાતી નથી. દશ રૂપીયા ખર્ચીને હજાર રૂપીયા કમાનારો જેમ પોતે એમ નથી કહેતો કે- ‘મને દશ રૂપીયાની હાનિ થઇ' પણ એમજ કહે છે કે- ‘મને હજાર રૂપીયાનો લાભ થયો.' તેમ બીજાઓ પણ એને માટે એમ જ કહે છે કે- ‘એ હજાર રૂપીયા રળ્યો.' એ જ રીતિએ, શ્રી જિનની દ્રવ્યપૂજામાં થતા આરંભને આગળ કરવો, એ ડાહ્યા માણસનું કામ નથી. શ્રી જિનની આરંભવાળી પણ યથાવધિ પૂજાનું ફ્લ એટલું બધું મોટું છે કેઆરંભના નામે એવી શ્રી જિનપૂજાથી વંચિત રહેનારા ગૃહસ્થો, એક તો મિથ્યા કલ્પનાની ઉપાસનાના પાપને વહોરે છે અને બીજું પોતાને સ્વ-પરના હિતની જે ઉત્તમ તક મળી છે, તેને પણ ગુમાવી દે છે.
કાયયોગ, વાગ્યોગ,મનોયોગની પ્રધાનતાવાળી પૂજાઓ કેવા સ્વરૂપ-ફલવાળી હોય છે ?
ઉપકારિઓ ફરમાવે છે કે-ગૃહસ્થોએ ન્યાયોપાર્જિત વિત્ત વડે શ્રી જિનપૂજા કરવાની છે. ધર્મને પામવાની ઇચ્છાવાળા તેમજ ધર્મને પામેલા ગૃહસ્થે ન્યાયોપાર્જિત વિત્તવાળા બનવું જોઇએ. ગૃહસ્થ વિત્તવાળો તો હોય છે, પણ તે વિત્ત ન્યાયોપાર્જિત હોવું જોઇએ. સાધુધર્મને સ્વીકારવાનું સામર્થ્ય નહિ હોવાથી