________________
–
–
–
–
–
–
–––
–
–
–
–
–
–
–
–
–
–
–
ચૌદ ગુણસ્થાન ભાગ-૨
૧૯૩ તેઓએ પણ શ્રી જિનપૂજા સર્વ આદરથી જ કરવાનું માવ્યું છે. જો વિચાર કરવામાં આવે, તોપૂજા શબ્દ પોતે જ આદરભાવના સહિતપણાને સૂચવે છે ! તમને પોતાને કોઇની પણ પૂજા કરવાનું મન થાય, એ ક્યારે બને ? એના પ્રત્યે હૈયામાં આદરભાવ પ્રગટે તો જ ને ? હૃદયના સાચા ભાવથી કોઇને માન આપવાનું મન પણ તેના પ્રત્યે સભાવ પ્રગટ્યા વિના થતું નથી, તો પછી હૃદયના સાચા ભાવથી પૂજા કરવાનું મન તો જેની પૂજા કરવી હોય, તેના પ્રત્યે આદરભાવ પ્રગટ્યા વિના થાય જ શી રીતિએ ? આપણે
ત્યાં અનાભોગ દ્રવ્યપૂજાની વાત પણ આવે છે. પૂજાનો વિધિ બરાબર ન હોય, અને ભગવાન શ્રી જિનેશ્વરદેવોના ગુણોનું જ્ઞાન પણ ન હોય, તો પણ માત્ર શુભ પરિણામથી જે જે પૂજા થાય, તે અનાભોગ દ્રવ્યપૂજા કહેવાય છે. એવી દ્રવ્યપૂજા પણ અનુક્રમે શુભ, શુભતર પરિણામોને પ્રગટાવવા દ્વારા સમ્યકત્વને પમાડનારી બને છે. આ વાતનું આલંબન લઇને જો કોઇ અવિધિનું સમર્થન કરે અને આદરભાવથી પૂજા કરવાના વિધાનનો વિરોધ કરે, તો તે બીચારો મિથ્યાત્વથી જ પીડાઇ રહ્યો છે, એમ કહેવું પડે. અનાભોગ દ્રવ્યપૂજા લાભ આપનારી બને છે, તે શુભ પરિણામોના યોગે. શુભ પરિણામો કાંઇક ને કાંઇક આદરભાવના સૂચક છે, પણ તેના અભાવના સૂચક નથી. શ્રી જિનના ગુણોનું તેવા પ્રકારનું જ્ઞાન નહિ હોવા છતાં પણ, એ તારકની પૂજા કરવાનું મન થયું, એ તારકની પૂજા કરવાના નિર્દોષ અને શુભ પરિણામો થયા, એ આદરભાવ પ્રગટ્યા વિના બને જ નહિ. એવા આત્માને વિધિનું જ્ઞાન નહિ હોવાથી, તે અવિધિએ પૂજા કરે તોય તેને ઉત્તરોત્તર લાભ થાય ? કારણ કે-અવિધિએ કરવાનો તેને આગ્રહ નથી અને વિધિનું જ્ઞાનાદિ હોય તો અવિધિએ કરવાની તેની ઇચ્છા પણ નથી. આથી એવા આત્માઓને, અજ્ઞાન અને અવિધિ એ દોષ રૂપ હોવા છતાં પણ, વસ્તુતઃ દોષ રૂપ બને નહિ અને શુભ