________________
ચૌદ ગુણસ્થાનક માઢમ-૨
માયા અને લોભ આ ચાર કષાયના પુદ્ગલો દરેક આત્મપ્રદેશો ઉપર જે રહેલા હોય છે તે દરેક આત્મપ્રદેશો ઉપરથી ખેંચી ખેંચીને
૨૩૯
સંપૂર્ણ નાશ કરે છે. આ રીતે એક અંતર્મુહૂર્તમાં જ્યારે ચારે કષાયનો સંપૂર્ણ ક્ષય થાય એટલે જીવ અનંત ગુણ વિશુધ્ધિવાળો બને છે અને પુરૂષાર્થ કરીને દરેક આત્મપ્રદેશો ઉપર રહેલા મિથ્યાત્વ મોહનીયના પુદ્ગલોનો નાશ કરવાનો પ્રયત્ન કરે છે. એક અંતર્મુહૂર્તમાં જ્યારે એ પુદ્ગલો સંપૂર્ણ નાશ પામે એટલે જીવ મોહનીય કર્મની ત્રેવીશ પ્રકૃતિઓની સત્તાવાળો થાય છે. આ ત્રેવીશની સત્તા મનુષ્ય ગતિમાં જ જીવને હોય છે. બીજી કોઇ ગતિમાં હોતી નથી. ત્યાર બાદ મિશ્રમોહનીયના પુદ્ગલોનો સંપૂર્ણ નાશ કરે છે ત્યારે મોહનીય કર્મની બાવીશ પ્રકૃતિઓની સત્તાવાળો બને છે. અને ત્યાર બાદ સમ્યક્ત્વ મોહનીયના પુદ્ગલોને ઉદયમાં લાવી લાવીને જ્યારે સંપૂર્ણ ક્ષય કરે ત્યારે જીવ મોહનીય કર્મની એકવીશ પ્રકૃતિઓની સત્તાવાળો થાય છે ત્યારે ક્ષાયિક સમકીત પામ્યો એમ કહેવાય છે. આ રીતે જે સાત પ્રકૃતિઓનો ક્ષય કરાય છે એ સાત પ્રકૃતિઓને દર્શન સપ્તકની પ્રકૃતિઓ કહેવાય છે.
જે જીવો અનંતાનુબંધિ ચાર કષાયનો ક્ષય કરે છે ત્યારે તે જીવો મોહનીયની ચોવીશ પ્રકૃતિઓની સત્તાવાળા થાય છે. આ ચોવીશ પ્રકૃતિઓની સત્તા ચારે ગતિમાં સન્ની પર્યાપ્તા જીવો પ્રાપ્ત કરી શકે છે અને કેટલાક જીવો ચોવીશની સત્તા પ્રાપ્ત કર્યા પહેલા ચારે ગતિમાંથી કોઇપણ ગતિનું આયુષ્ય બાંધેલું હોય તો તે જીવો મરીને ચારે ગતિમાંથી કોઇપણ ગતિમાં ઉત્પન્ન થઇ શકે છે. આ ચોવીશની સત્તા જીવને છાસઠ સાગરોપમ કાળ સુધી ક્ષયોપશમ સમકીતના કાળમાં ટકે છે અને ત્યાંથી ત્રીજા મિશ્ર ગુણસ્થાનકને પણ ચોવીશની સત્તા સાથે પ્રાપ્ત કરીને એક અંતર્મુહૂર્તમાં ીથી ક્ષયોપશમ સમકીત પામી છાસઠ સાગરોપમ કાળ સુધી ક્ષયોપશમ