________________
ચૌદ ગુણસ્થાન ભાગ-૨
૨૬૭ કર્મનો બંધ થાય છે, તેવો અવ્યક્ત મિથ્યાત્વથી થતો નથી. આથી કરીને જે વ્યક્તિ મિથ્યાત્વબુદ્ધિને પ્રથમ ગુણસ્થાનક તરીકે ઓળખાવવી ઘટે છે, તે વિશિષ્ટ પ્રકારની અર્થાત્ મિત્રાદ્રષ્ટિ સ્થિતિવાળી હોવી જોઇએ. આ વાતનું પંડિતપ્રવર યશોવિજય ગણિ કૃત દ્વાચિંશિકાનો શ્લોક અને તેની ટીકા સમર્થન કરે છે.
"व्यक्तमिथ्यात्वधीप्राप्ति
रप्यन्यत्रेयमुच्यते ।
घने मले विशेषस्तु,
વાવ્યblધર્યોનું ? ? !” टीका - "अन्यत्र-ग्रन्थान्तरे व्यक्तमिथ्यात्वधीप्राप्ति: मिथ्यात्वगुणस्थानकपदप्रवृत्ति निमित्तत्वेन इयं मित्राद्रष्टिरे વોન્યતે, વ્યત્વેન તX 3મચા ઈવ JUવાત | પળે-તીવ્ર मले तु सति, नु इति वितर्के, व्यक्ताव्यक्तधियो: को विशेष: ? दुष्टाया धियो व्यक्ताया अव्यक्तापेक्षया प्रत्युत अतिदुष्टत्वात् न कथंचिद् गुणस्थानत्वनिबन्धनत्वम् ||"
આ પ્રમાણે ગુણસ્થાનકની વ્યાખ્યા વિચારતાં જરૂર એવી શંકા ઉદ્ભવે છે કે-સિદ્ધાન્તોમાં-આગમોમાં પ્રથમ મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાન તો તમારા નીચી હદના જીવોમાં-સૂક્ષ્મ નિગોદ જેવા જંતુઓમાં પણ સ્વીકારવામાં આવ્યું છે તે શું અયોગ્ય છે ? આનું સમાધાન એ છે કે-આ હકીકત તો સામાન્ય અપેક્ષાએ છે. અને તે વળી એજ કે-સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુમાં પણ-સૂક્ષ્મ નિગોદના જીવોમાં પણ થોડીક પણ ચૈતન્ય માત્રા છેજ. આ અપેક્ષાને લક્ષ્યમાં રાખીને એવા જીવોમાં પ્રથમ ગુણસ્થાન સિદ્વાન્તકારોએ સ્વીકાર્યું છે. વિશિષ્ટ અપેક્ષા ઉદ્દેશીને તો જે ઉગારો અન્યાન્ય આચાર્યોએ કાઢ્યા છે તેની સ્થૂલ રૂપરેખા ઉપર મુજબ છે, જે ખાસ ધ્યાન ખેંચવા યોગ્ય છે.
આટલું પ્રાસંગીક જણાવી હવે પ્રસ્તુત હકીકત.