________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ લાખ વર્ષ સુધી રાજ્ય પાળ્યું.
–––––––––– એકદા તે મેઘનાદ રાજા પોતાના નગરની બહાર ઉધાનમાં પધારેલા પાર્શ્વદેવ નામના જ્ઞાની ગુરૂને વાંદવા ગયો. ત્યાં તેણે કર્ણને અમૃત સમાન આ પ્રમાણે ધર્મદેશના સાંભળી કે- “હે ભવ્ય પ્રાણીઓ ! રત્નાકરની જેવા આ મનુષ્ય જન્મને પામીને તમે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રત્નને ઉપાર્જન કરવામાં લેશ પણ આળસ ન રાખો.” આ પ્રમાણે દેશના સાંભળ્યા પછી રાજાએ નિર્મળ જ્ઞાનના સમુદ્રરૂપ ગુરૂને પ્રણામ કરી પૂછયું કે- “હે પ્રભુ ! મેં પૂર્વ ભવમાં શું પુણ્ય કર્યું હતું કે જેના પ્રભાવથી હું આવો રાજા થયો ? અને વળી સર્વ મનોરથને પૂર્ણ કરનાર કલ્પવૃક્ષની જેવું દુર્લભ ક્યોળું મને શાથી પ્રાપ્ત થયું ?” ત્યારે ગુરૂ મહારાજ બોલ્યા કે- “હે રાજા તારા પૂર્વભવને સાંભળ.”
સૂર્યપુર નામના નગરમાં એક વણિક રહેતો હતો. તે મૂર્ખ હોવાથી ભારને વહન કરવાનો ધંધો કરતો હતો. તે કૃપણ હોવાથી હંમેશાં એક જ વાર ખીચડીનું ભોજન કરતો હતો અને એક જ જાડું વસ્ત્ર પાંચ વર્ષ સુધી ચલાવતો હતો. તે ધનનો જ સંચય કરતો હતો, અને ધર્મનું નામ પણ જાણતો નહોતો, બીજા સમગ્ર કર્તવ્યોને તે ભૂલી ગયો હતો, પર્વતિથિનો દિવસ તેને સાંભરતો પણ નહોતો, ખર્ચ થઇ જવાના ભયને લીધે તે સગા સંબંધીઓને ઘેર જતો નહોતો, અને જિનેશ્વરના ચૈત્યની સન્મુખ પણ જોતો નહોતો. એ રીતે કેવળ મજુરી કરીને તેણે એક લાખ દ્રવ્ય ઉપાર્જના કર્યું. તેને એક પુત્ર થયો. તે પણ કૃપણતાદિક ગુણે કરીને તેની જેવો જ થયો, તેથી આ પુત્ર પૂર્વજોનો ઉધ્ધાર કરશે. એમ જાણીને તેનો પિતા હર્ષ પામ્યો. તેણે પોતાના મરણ સમયે પુત્રને કહ્યું કે“હે પુત્ર ! મેં એક લાખ દ્રવ્ય ઉપાર્જન કરી તેને પૃથ્વીમાં નિધાન રૂપે કર્યું છે, તારે પણ બીજું લાખ દ્રવ્ય ઉપાર્જન કરીને તેને પૃથ્વીમાં નિધાન કરવું.” આ પ્રમાણે પિતાની હિત શિક્ષાને તેણે