________________
૨૨૬
—
—
—
—
—
—
—
—
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ તો ભીમ કે ચારમાંનો બીજો કોઇ એ તરફ કી પણ શકે નહિ ! સંયોગવશ પાંચ મળેલા, પણ સતી તરીકે જ એ જીવ, કેમ કેએ કુલીન હતી.
આજે કુલીનતા અને અકુલીનતા જેવી વાત ક્યાં રહી છે ? નહિ જ હોય એમ નહિ, પણ આજે તો વર્ણસંકરતા જ કુલીાલી રહી છે. એને લઇને, સારાં સારાં ગણાતાં કુટુમ્બોમાં પણ આચાર-વિચારનું ઠેકાણું રહ્યું નથી. આજે અનાચાર અને અસર્વિચારનું સામ્રાજ્ય કેટલું બધું ફ્લાયું છે? પહેલાં તો કહેવાતું કે-જાત વગર ભાત પડે નહિ ! કુલીન સ્ત્રી-પુરૂષને માટે ધર્મની પ્રાપ્તિને સુલભ માની છે અને એથી ઉત્તમ કુળ-જાતિ વગેરેનું મહત્ત્વ પણ શાસ્ત્ર માન્ય રાખ્યું છે. આમ છતાં, અકુલીન કુળમાં કોઇ જીવ પાપના ઉદયે આવી ગયો હોય, પણ પૂર્વે ધર્મ કરીને આવ્યો હોય અને એના એ પૂર્વભવના સંસ્કાર જાગૃત થાય ને એ ધર્મ પામી જાય એવું પણ બને. વાત એ છે કે-આપણે કુળ જાતિ વગેરેની અસરમાં માનતા જ નથી એવું નથી, પણ આ કાળમાં ઉત્તમ ગણાતા જાતિ-કુળની પણ પહેલાં જે ઉત્તમ અસર હતી, તે બહુ ભૂંસાઇ ગઇ છે, કેમ કે- આચાર-વિચારમાં અને સંસ્કારમાં મોટો પલટો આવી ગયો છે.
શ્રી વજબાહુએ, ઉદયસુન્દરે કહેલી વાતોનો ક્રમસર જવાબ આપી દીધા પછીથી છેલ્લે કહ્યું કે- “માટે તમે અમને દીક્ષા ગ્રહણ કરવામાં અનુમતિ આપો અને તમે પણ અમારી પાછળ ચાલો, એટલે કે-તમે પણ દીક્ષા ગ્રહણ કરો ! આપણે તો ક્ષત્રિય છીએ અને પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવું એ જ ક્ષત્રિયોનો કુળધર્મ
છે.”
આ રીતિએ શ્રી વજબાહુએ ઉદયસુન્દરને પ્રતિબોધ પમાડી દીધો. બધાં પહાડ ઉપર જ્યાં ગુણ રૂપી રત્નોના સાગર એવા શ્રી ગુણસાગર નામના મહાત્મા હતા ત્યાં પહોંચી ગયાં. ત્યાં પહોંચીને