________________
૪૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ વસ્તુ ધન-ધાન્યાદિ આપવા તે.
આ દયાનો પરિણામ દીન-અનાથ-દુખી પ્રાણીઓ જગતમાં જેટલા દેખાય તેવા પ્રાણીઓને પોતાની શક્તિ મુજબ સહાય કરવી અને એ સહાયથી એનું દુઃખ દૂર થાય એવો પ્રયત્ન કરવો એ આ દયામાં આવે છે. જીવના અંતરમાં જેમ જેમ રાગાદિની મંદતા થતી જાય છે, મિથ્યાત્વની મંદતા થતી જાય છે, તેમ તેમ એને એવા જ વિચારો અંતરમાં પેદા થતાં જાય છે કે સંસારમાં રહેલા જીવો સો સુખને ઇચ્છે છે. જેમ મને સુખ જોઇએ-મને સુખ પસંદ છે એમ જગતના જીવોને પણ સુખ પસંદ છે. મને જેમ દુખ પસંદ નથી તેમ જગતના જીવોને પણ દુઃખ પસંદ નથી માટે મારી શક્તિ મુજબ દુખી જીવોને સુખી કરવા જોઇએ એ મારી જ છે. અને કર્તવ્ય છે. હું સુખી નહિ કરું તો કોણ કરશે ? આવી વિચારણા રાખી પોતાના જ માણસો હોય અને એની જે રીતે દયા કરે એ રીતે આ જીવોની પણ દયા કરતો જાય છે. આ દયાનો પરિણામ આચરણમાં જીવતો રાખે તો સમકીતની પ્રાપ્તિ કરાયા વગર રહેતો નથી. આ દયાના પરિણામમાં કોઇ સ્વાર્થ ન હોવો જોઇએ મારા તારાનો ભેદ પણ ન હોવો જોઇએ તો જ લાભ થાય. પુણ્યાનુબંધી પુણ્ય બંધાવે. આવી દયાથી પણ જીવને મિથ્યાત્વનો ક્ષયોપશમ ભાવ થઇ શકે છે. આ કરૂણા ભાવનાનું બીજું લક્ષણ કહેલું છે. (3) સંવેગ જન્ય રૂણા :
સુખી પ્રાણીઓને જોઇને તેઓના સુખ ઉપર દયા આવે અને તેઓ કેવી રીતે એવા બાહ્ય સુખના ખોટા ખ્યાલથી બચી અપરિમિત આત્મીય સુખને પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થાય એવી ઇચ્છા કરવી તે ત્રીજો ભેદ ગણાય છે.
મિથ્યાત્વની મંદતાથી જીવને પોતાને આંશિક જે સુખની. અનુભૂતિ થયેલી છે એના કારણે જગતમાં જે જે અનુકૂળ પદાર્થોની