________________
-
૯૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ગૃહસ્થ વેષવાળાનેય સર્વવિરતિનો પરિણામ આવે એવું પણ બને અને સાધુવેષવાળાને સર્વવિરતિનો પરિણામ આવે નહિ એવું પણ બને. પણ, સર્વવિરતિના એ પરિણામને ટકાવવાને માટે સાધુપણાના વેષ વગેરેની જરૂર ખરી જ. ધર્મને વધુમાં વધુ પ્રમાણમાં પામવાની અને ધર્મને વધુમાં વધુ પ્રમાણમાં પાળવાની અનુકૂળતા સાધુવેષમાં છે, સાધુક્રિયામાં છે. ધર્મને પામવાની અનુકૂળતા જેન કુળમાં પણ ઘણી; પણ એ જૈન કુળમાં જેનપણાના આચાર-વિચાર ચાલુ હોય તો ! બાકી અહીં આવ્યો અને સાધુ બન્યો એટલે સ્વાધ્યાય વગેરે ચાલુ ને ચાલુ હોય. સદગુરુનો યોગ પણ હોય. એને લીધે એ ગુણને ઝટ પામી શકે. જેન કુળમાં આવેલો જીવ પણ સદ્ગુરુના યોગ આદિને ઝટ પામી શકે, પણ જેન કુળને પામેલાઓ સગુરુ પાસે આવતા જ ન હોય તો? વાત એ છે કે-સર્વવિરતિનો પરિણામ હોય કે ન હોય, દેશવિરતિનો પરિણામ હોય કે ન હોય, સમ્યક્ત્વનો પરિણામ હોય કે ન હોય, તો પણ એને પામવા માટે અને એને શુદ્ધ-નિર્મળ બનાવવા માટે પણ સર્વવિરતિની, દેશવિરતિની અને સમ્યક્ત્વની ક્રિયા અભ્યાસ રૂપે થાય; પણ જે કોઇ એ ક્રિયા કરે છે, તે એ ક્રિયા સર્વવિરતિના, દેશવિરતિના અગર તો સમ્યક્ત્વના પરિણામને પામવાને માટે અને પામ્યા હોય તો તેને નિર્મળ બનાવવાને માટે કરે છે કે નહિ ? એ વિચારવાનું છે. ધ્યેય સુધરે તો પરિણામ સુધરે :
આપણે જાતે જ આપણી ધર્મક્રિયાના ધ્યેયને તપાસવું જોઇએ. એ માટે સૌથી પહેલું આપણે જ આપણને પૂછવું અને તપાસવું કે- “લોકમાં સુખમય ગણાય એવા પણ સંસાર તરફ તારી આંખ કેવી છે? રોજ જીવ ! તું પૂજા કરે છે, દાન-શીલ-તપ વગેરે કરે છે, તો તને ખરેખર ગમે છે શું ?' જે વસ્તુ ખરેખર