________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
અનાદિથી હોતો નથી, કારણ કે-ભોગવવા આદિ દ્વારાએ કર્મો આત્માથી વિખુટાં પણ પડતાં જાય છે અને બંધનાં કારણોનું અસ્તિત્વ હોઇને જીવને નવાં નવાં કર્મો બંધાતાં જતાં પણ હોય છે. એટલે, કોઇ કર્મ વિશેષનો સંયોગ જીવને અનાદિકાલથી હોતો નથી, પરન્તુ પ્રવાહ રૂપે અથવા પરંપરા રૂપે, જીવની સાથેનો જડ એવા કર્મનો જે સંયોગ છે, તે અનાદિકાલીન છે. આમ હોઇને, જીવને અનાદિકર્મવેષ્ટિત કહેવાને બદલે, જીવને અનાદિકર્મસંતાન-વેષ્ટિત અથવા અનાદિકર્મ પરમ્પરાવેષ્ટિત આદિ કહેવો, એ વધુ યોગ્ય છે. કર્મનો બંધ તે જ જીવને થઇ શકે છે, કે જે જીવને કર્મનો સંયોગ હોય છે. પ્રત્યેક સમયે આત્મા કર્મથી છૂટે છે પણ ખરો અને કર્મને બાંધે છે પણ ખરો. વીતરાગ અને સર્વજ્ઞ બનેલો આત્મા, માત્ર ચાર પ્રકારનાં કર્મોએ જ સહિત હોય છે. તેથી તે ચાર પ્રકારનાં કર્મોથી છૂટતો જાય છે અને એ આત્માને માત્ર યોગપ્રત્યયિક અને તે પણ શાતાવેદનીયનો જ બંધ થતો હોય છે. એમ કરતાં કરતાં, એ આત્મા એવી અવસ્થાએ પહોંચે છે કે-એને કર્મનો બંધ થાય જ નહિ અને એથી તે સકલ કર્મોથી રહિત બની જાય. સમ્યક્ત્વની દુર્લભતા ઃ
૯૬
જીવ માત્ર અનાદિકાલથી કર્મસન્તાનથી વેષ્ટિત છે અને એથી જીવ માત્રને માટે સમ્યક્ત્વ દુર્લભ છે. સમ્યક્ત્વ દુર્લભ છે એ વાત જેમ સાચી છે, તેમ જીવે સમ્યક્ત્વને પોતાને માટે સુલભ બનાવ્યા વિના ચાલી શકે એવું પણ નથી-એ વાતેય એટલી જ સાચી છે; કારણ કે- ‘સમ્યક્ત્વને પ્રાપ્ત કર્યા વિના, કોઇ પણ જીવ, ગૃહિધર્મને કે સાધુધર્મને તેના ખરેખરા સ્વરૂપમાં પામી શકતો જ નથી; અને, ધર્મને ખરેખરા સ્વરૂપમાં પામ્યા વિના, કોઇ પણ જીવ, પોતાના મોક્ષને સાધી શકતો નથી.'
-