________________
ચૌદ ગુણસ્થાનક મામ-૨
૧૦૯
જિનકથિત ધર્મનું તમે દ્રવ્યથી પણ જે થોડુંક આચરણ કરી શકો છો, એ સૂચવે છે કે-તમે ગ્રન્થિદેશે તો અવશ્ય આવેલા છો. ગ્રન્થિદેશે આવીને શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રુત-ચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણને પામેલા જીવો પણ, પ્રગતિ જ સાધે-એવો નિયમ નથી. અભવ્યો અને દુર્ભાવ્યો પણ શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રુત-ચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણને પામી શકે છે; અને એથી એમ સાબિત થાય છે કે-જીવ, ગ્રન્થિદેશને પામવા છતાં પણ અને ગ્રન્થિદેશને પામીને શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રુત-ચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણને પામવા છતાં પણ, પ્રગતિને સાધનારો બને નહિ અને પરિણામે પીછેહઠ કરનારો બને, તો એ પણ શક્ય છે. આથી, એ વાત બહુ સ્પષ્ટ થઇ જાય છે કે-શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રુત-ચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણને પામી ગયેલા જીવોએ તો ખૂબ જ સાવધ બની જવું જોઇએ, કારણ કે-પ્રગતિને સાધવાનું જો મન થાય, તો પ્રગતિને સાધવાની આ એક સારામાં સારી તક છે; અને, જો આ તક ગુમાઇ ગઇ, તો આવી તક પુનઃ ક્યારે પ્રાપ્ત થાય-એ તો જ્ઞાની જ કહી શકે એવી બાબત છે; પણ સામાન્ય રીતિએ એમ કહી શકાય કે-આવી તક ગુમાવી દેનાર જીવને આવી તક ઘણા લાંબા કાળ સુધી પ્રાપ્ત થાય નહિ તો એમાં જરાય આશ્ચર્ય પામવા જેવું નથી.
કાલની પરિપક્વતાની અપેક્ષા :
ગ્રન્થિદેશે આવેલા જીવોએ, પોતાની ભાગ્યશાલિતાને સફ્લ બનાવવાને માટે, સૌથી પહેલો પુરૂષાર્થ ગ્રન્થિને ભેદવાનો કરવાનો હોય છે. જ્યાં સુધી ગ્રન્થિભેદ કરી શકાતો નથી, ત્યાં સુધી ઉત્તરોત્તર પ્રગતિ સાધવાનું શક્ય જ બની શકતું નથી. એ ગ્રન્થિભેદ થવામાં, કાલની પરિપક્વતાની પણ અપેક્ષા રહે છે. ચરમાવર્તને પામેલા જીવને, એટલે કે-જે જીવની મુક્તિ એક