________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૯૩
ગમે, તેને મેળવવાને માટે પ્રયત્ન કરવાનું મન થાય. ગમે તેટલી ધર્મક્રિયા કરતા હો, પણ જે દિ' સંસાર સુખમય હોય તો સારો લાગે, એમાં જીવનું ભલું લાગે, તે દિ' જીવનો બધો ઢાળ એ તરફ વળે; અને, જો સુખમય એવો પણ સંસાર ખરાબ લાગે, છોડવા જેવો છે એમ લાગે, તો જીવનો ઢાળ એ છોડવા તરફ વળે. જેને સુખમય એવા પણ સંસારમાં ખરેખર ાવટ જેવું ન લાગે, તેનું ધ્યેય સુધરે. ધ્યેય સુધરે એટલે પરિણામ સુધર્યા વિના રહે નહિ. પણ, સંસારના સુખ ઉપર જ જો આંખ હોય, તો સુખ ન મળે અને દુઃખ આવે તોય દુઃખ થાય પણ ધ્યેય સુધરે નહિ. એ તો જે કોઇ એને સંસારનું સુખ પામવામાં સહાયક બનતો લાગે, એ વાતમાં ટેકો આપનાર જે કોઇ એને મળે, તેની પૂંઠે એ ચાલવા માંડે. સુખ મળે કે ન મળે પણ એની આશામાં ને આશામાં એ દુઃખેય વેઠ્યા કરે. આ રીતિએ દુઃખ વેઠનારો અને સંસારના સુખની આશાએ સુખને છોડનારો, ધર્મ કરે છે એમ કહેવાય ? સંસારના સુખની આશામાં રમતો જીવ ધર્મક્રિયા કરે એવું પણ બને. જો એને લાગી જાય કે- ‘આનાથી મારે જે સુખ જોઇએ છે તે મને મળશે.' -તો એ એ પણ કરે. આ લોકમાં નહિ પણ પરલોકમાં આ સુખ ઘણું મળશે એમ લાગે, તો એ જીવ આ લોકમાં ઘણાં ઘણાં કષ્ટ વેઠીને પણ ધર્મક્રિયા કરે. પણ એ બધું કરતાં એના મનમાં શું હોય ? એની આંખ ક્યાં હોય ? સંસારના સુખ ઉપર જ ને ? પછી એની ઘણી પણ ધર્મક્રિયા એના પરિણામને સુધારનારી બને શી રીતિએ ? આજે કેટલાક ધર્મક્રિયા કરનારા એવા હોશિયાર થઇ ગયા છે કે-જો એમને પૂછીએ કે- ‘તમે આ બધું શા માટે કરો છો ?' તો એ કહે કે- ‘મોક્ષ માટે.' મોક્ષનું ધ્યેય છે એમ બોલે. એ વખતે તાગ કાઢવો હોય અને એને સમજાવવું હોય, તો પૂછવું પડે કેમોક્ષ ગમે છે તો તેનું કારણ શું છે ? સંસારનું સુખ નથી ગમતું માટે મોક્ષ ગમ્યો છે અને એથી ધર્મ કરો છો કે સંસારનું સુખ