________________
દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની આત્મા ઉપર ઘણી સારી અસર પડે છે. તેમાં પણ ધ્યાન ટાણે તેવા નિમિત્તાની વધુ આવશ્યકતા રહે છે, કારણ કે તે આરોહણને માગ છે. સામા પૂરે તરવા જેવું કઠિન કામ છે, પ્રારંભિક અવસ્થાઓમાં માત્ર પોતાના એકલાના પ્રયત્નથી જ સિદ્ધિ સાંપડતી નથી. પણ બીજા અનેક ઉત્તમ આલંબનની તેમાં જરૂર પડે છે.
કદાચ પવિત્ર તીર્થ આદિની બધી સામગ્રીની અનુ કુલતા ન હોય તે પિતાના ગામના જ મંદિરમાં જે વખતે શાંતિપૂર્વક ધ્યાન થઈ શકે તે સમય પસંદ કરી ત્યાં ધ્યાનને અભ્યાસ કર જોઈએ.
અને તેવી પણ અનુકુળતા ન હોય તે પિતાના ઘરમાં જ એક પવિત્ર ઓરડામાં ભગવાનના ચિત્રપટની સ્થાપના કરી તેની સામે યોગ્ય સમયે યાનને અભ્યાસ કરે જોઈએ. અભ્યાસ આદરપૂર્વક ચક્કસ સમયે અને નિયમિત કરે જોઈએ. પ્રારંભ કર્યા પછી તેમાં આંતરૂં ન પડે તેની પૂરી કાળજી રાખવી જોઈએ.
અભ્યાસ દ્વારા જ્યારે હૃદયકમળ કે ચિત્તભૂમિમાં જે મૂર્તિ કે ચિત્ર વિના પણ આલંબનની માનસિક કલ્પના કરીને આલંબનને ખ્યાલ લાવી શકાય તે ત્યારપછી અનુકૂલતા મુજબ ગમે ત્યારે રાત્રે કે દિવસે આંખ બંધ કરીને હદયકમલ આદિ શરીરના સ્થાન ઉપર ધ્યાન ધરી શકાય. * આ અંગેની વિશેષ જાણકારી માટે “નમસ્કાર ચિંતામણિ અને
સાધના પ્રકાશ” પુસ્તક જેવા ભલામણ છે,