Page #1
--------------------------------------------------------------------------
________________
UIQUE ystei DuપEB Vાપરથી
વાવાયો
- 1 ||
/
TET/TA
'/
(જાય
/
| BHIકાની પિSCI BEILIT સારી_રાણી માત્રા
Page #2
--------------------------------------------------------------------------
________________
Go
2
શ્રીમતી શાન્તાબેન લાલચંદ છગનલાલ ફાઉન્ડેશન
ગ્રંથમાળા નંબર ૧
નવપદ પૂજા પરની વાચના ૧
અરિહંતપદ
નવપદ
પ્રકાશ
વાચનાચાર્ય
પૂજ્ય આચાર્ય ભગવંત
શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ
પ્રાપ્તિસ્થાન :
દિવ્યદર્શન સાહિત્ય પ્રકાશન સમિતિ કુમારપાળ વિ. શાહુ
૬૮, ગુલાલવાડી, ત્રીજે માળે
મુંબઈ ૪૦૦૦૦૪
Page #3
--------------------------------------------------------------------------
________________
HEBEDDED
નવપદ્ પ્રકાશ
અરિહંત પદ
૧
વાચનાચાર્ય
પરમ પૂજ્ય આચાર્ય ભગવંત
શ્રી વિજયજીવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબ
નકલ ૨૦૦૦ - ૧૦૦૦ (શ્રી અંધેરી ગુજરાતી જૈન સઘ
પ્રાપ્તિસ્થાન : દિવ્યદર્શન સાહિત્ય પ્રકાશન સમિતિ
શ્રી કુમારપાળ વિ. શાહ
૬૮. ગુલાલવાડી, ત્રીજે માળે, મુંબઈ ૪૦૦ ૦૦૪
વ્યવસ્થા
લાલચંદ કે. શાહ
“ શાંતિકુંજ ”, ૧૬, શત્રુજય સાસાયટી, પાલડી,
અમદાવાદ ૩૮૦૦૦૭
EDDEDEDEDEDEDE
Page #4
--------------------------------------------------------------------------
________________
અત્યંત પ્રત્યક્ષ ચમત્કારી જૈન પ્રાચીન હાસમપુર તીર્થં શ્રી અલૌકિક પાર્શ્વનાથ સ્વામી
મૂકામ ઉજજૈનથી ૭ માઈલ ઉપર ગામ હાસમપુર અસની વ્યવસ્થા ચાલુ છે.
પદ્માસન ઉપર મૂર્તિ નાગ સહિત ભારતભરમાં એક જ પ્રતિમા છે.
www.lainelibrary.org
Page #5
--------------------------------------------------------------------------
________________
Page #6
--------------------------------------------------------------------------
________________
સવિશાલ ગાધિપતિ સિદ્ધાંત મહોદધિ આચાર્ય શ્રીમદ્વિજયપ્રેમસૂરીસ્વરજી મહારાજ
Page #7
--------------------------------------------------------------------------
________________
Page #8
--------------------------------------------------------------------------
________________
||૨||R
વંદના
4000000000000000009
અર્પણ
કમઁસાહિત્ય સૂત્રધાર, સંયમૈકપ્રાણ, વાત્સલ્ય નિધિ વિશ્વકલ્યાણકર જિનશાસન ઉદ્યોતક
સિદ્ધાંત મહાદધિ
દિવંગત
પૂજ્યપાદ આચાર્યદેવ
શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ
જેમનું
વ્યકિતત્વ અને કૃતિત્વ બેમિસાલ હતું
જેનું ધર્મસાધના અને સંયમ પ્રધાન જીવન અમે માણ્યું છે, અને જાણ્યું છે, તથા એ જંગમ તીર્થની યાત્રા કરી અમારો શ્રી સંઘ અને અમારો પરિવાર એમની ભાવકરુણાથી સતત ભીંજાતા અને ભાવિત થતા રહ્યો છે.
એવા
પરમ આરાધ્યપાદ ગુરૂવય શ્રીના
ચરણામાં
આ પુસ્તક અર્પણ કરવા પૂર્વક અમે કાટિશ:વંદના
કરીએ
છીએ.
લિવ
આપના વિનમ્ર સેવક
લાલચંદ છગનલાલ [ પિંડવાડાવાળા ]
9000000000000000000
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય નિવેદન અનંત ઉપકારી શ્રી જૈનશાસનમાં પરમ મંગળમય શ્રી અરિહંત-સિદ્ધ–આચાર્ય-ઉપાધ્યાય-સાધુ, અને દર્શન– જ્ઞાન–ચારિત્ર–તપ આ નવપદનો અપરંપાર મહિમા છે. નીચેની કક્ષાથી માંડીને ઉચ્ચ કક્ષા સુધી પહોંચેલા તમામ સાધક આત્માઓ માટે શ્રીનવપદની મન–વચનકાયાથી આરાધના, ઉપાસના અને આલંબન એ પરમ કલ્યાણ કરનારા બને છે. શ્રી નવપદની આરાધના એ જ શ્રી જૈનશાસનને સાર અને સૂર છે. એના વિના મુક્તિ લભ્ય નથી.
વાચક–શિરોમણિ પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબે રચેલી શ્રી નવપદજીની પૂજામાં જૈનશાસનનાં સારભૂત આ નવપદનાં અનેક માર્મિક અને મહત્તવપૂર્ણ રહસ્ય છુપાયેલાં પડ્યાં છે. એને આસ્વાદ સામાન્ય પણ ભવ્યાત્માઓને સુગમતાએ પ્રાપ્ત થાય એ હેતુથી દર્શનશાસ્ત્રનિપુણમતિ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્દવિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબે પોતાના શિષ્યવર્ગ સમક્ષ ચાલુ વર્ષે (વિ. સં. ૨૦૩૬માં) મહા સુદ ૬ના દિવસે દાદર મુકામે “શ્રી નવપદની પૂજામાં રહસ્યભા” આ વિષય પર અર્થગંભીર વાચનાઓ આપવાને શુભ પ્રારમ્ભ કર્યો.
Page #10
--------------------------------------------------------------------------
________________
મુખ્યત્વે પૂ. સાધુમહાત્માઓને ઉદ્દેશીને અપાઈ રહેલી વાચનામાં પ્રાતઃકાળે છ વાગે શ્રાવકવર્ગ પણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થઇ વ્યાખ્યાન જેવી સભા થવા માંડી. આશ્ચર્ય એ હતું કે યુવાન વર્ગ પણ આટલી વહેલી સવારે વાચનામાં ઉપસ્થિત થતા ! અને એ રીતે શેષકાળનાં વિહારમાં દાદર – સાયન - ઘાટકા પર – મલાડ – કાંદીવલીએરીવલી-કાટ વગેરે જે જે સ્થળેાએ આ જ્ઞાનગંગા વહેતી રહો, એ બધા સ્થળે વિશાળ શ્રોતાવર્ગમાં અજબ ગજબના તવરસ જામી પડયો.
-P
ચાલુ વાચના-કાળે એકાગ્રપણે સાંભળનાર પૂ. મુનિભગવત્તા અને આ વાચનાઓ સાંભળવા માટે અમદાવાદથી ખાસ ઉપસ્થિત થયેલ પ્રા. શ્રી લાલચંદભાઇ કે. શાહ વાચનાઆને તરત જ અક્ષરદેહ આપતા હતા. ત્યારબાદ તે પરથી એમણે વાચનાઓના અવતરણને અંતિમ આકાર આપ્યા એને પૂજ્યશ્રીએ પોતે અનેકવિધ પ્રતિકૂળતાએ વચ્ચે પણ તપાસી આપવાના બહુમૂલ્ય અનુગ્રહ કર્યાં. મુદ્રણચેાગ્ય પ્રેસકાપી તૈયાર થતાં તેના મુદ્રણ અંગેની સર્વવિષ જવાબદારી શ્રી લાલચંદભાઈએ સભાળી લીધી. આ રીતે ૫. પૂ. આચાર્ય ભગવંત, પૂ. મુનિભગવંતા અને શ્રી લાલચંદભાઈ કે. શાહના સમવાયી અથાગ પરિશ્રમે નિર્માણ થઈ રહેલ વિશાળકાય ‘નવપદ પ્રકાશ’ નામના ગ્રન્થરત્નના પ્રથમ અશ રૂપે ‘અરિહંતપદ’ પુસ્તક શ્રી સ`ઘના કરકમળમાં અર્પણ કરતાં અમે આનંદ અનુભવી રહ્યા છીએ.
વાચના શ્રવણુ કર્યો બાદ અનેક પુણ્યશાળી
Page #11
--------------------------------------------------------------------------
________________
આત્માઓએ, તેને જે અક્ષરદેહ અપાઈ જાય અને તેનું વ્યવસ્થિત મુદ્રણ થાય તો અનેક પુણ્યાત્માઓને તેનાં વાંચનનો લાભ મળે એ ઉદ્દેશથી, તે તે સંઘના આગેવાને દ્વારા તેની મુદ્રિત પ્રતિએ લખાવી દીધી હતી. વિશેષ તે સમગ્ર નવપદનાં પુસ્તકનાં મુદ્રણ માટે અગાઉથી જ આર્થિક સગવડને લાભ શ્રીમતી શાંતાબેન લાલચંદ છે. ફાઉન્ડેશન તરફથી લેવાની શુભ ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. તેમની આ ભાવનાને પૂજ્યશ્રીનું અનુમોદન પ્રાપ્ત થતાં ‘તરત દાન ને મહા પુણ્ય સમજીને સ્ટે આ “અરહંતપદ' વગેરે નવપદનાં પુસ્તકનું મુદ્રણ શરુ કરાવવાને મહાન લાભ ઝડપી લીધું છે, જે ખરેખર ધન્યવાદને પાત્ર છે.
પ્રસ્તુત પુસ્તકના પ્રકાશન બાદ બીજા પણ આઠેય પદેના સ્વતંત્ર પુસ્તકમાં સમગ્ર વાચનાઓનાં સારભૂત અવતરણે શીધ્રાતિશીધ્ર શ્રી સંઘને અર્પણ કરવાની અમારી ઉત્કંઠા છે, જે શાસનદેવની કૃપાએ પૂર્ણ થશે એમાં શંકા નથી.
વર્ધમાન તપની ૧૦૮ ઓળીની આરાધના કરી ચુકેલા પ્રભાવક પ્રવચનકાર વાચના-પ્રદાતા પૂજ્ય આચાર્યદેવશ્રી આજે જૈનશાસનની રક્ષા-પ્રભાવનામાં અત્યંત મહત્ત્વનો ભાગ ભજવી રહ્યા છે, અને વર્ષોથી તેમનું ગંભીર શાસ્ત્રાધ્યયન તેમજ આગમ શાસ્ત્રોનું પારાયણું અને તે ઉપર સતત અન્તસ્તલસ્પર્શી માર્મિક ચિંતન-મનન આ વાચનાએનાં પ્રત્યેક પૃષ્ઠ વાચક વર્ગને પ્રતીત થયા વિના રહેશે નહીં. પોતાની કુશાગ્ર બુદ્ધિરૂપી મનદંડ વડે નવપદશાસ્ત્ર
Page #12
--------------------------------------------------------------------------
________________
સાહિત્યનું આયેાજન કરીને તેઓશ્રીએ આ વાચનાએના માધ્યમે જે નવનીત તારવી આપ્યું છે તેના આસ્વાદ લઈ સમગ્ર પાઠકગણુ શ્રીનવપદનાં ધ્યાન—ઉપાસના—ભક્તિઆરાધનામાં તલ્લીન બને એ જ શુભેચ્છા.
પ્રસ્તુત પ્રકાશનમાં પૂજ્ય આચાર્ય ભગવંત, તેમને વિનીત શિષ્ય સમુદાય, પ્રેા. શ્રી લાલચંદભાઈ કે. શાહ તથા મુદ્રણમાં આર્થિક સગવડ કરનાર ટ્રસ્ટ વગેરે મહાનુભાવ પ્રત્યે જેટલી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ તેટલી ઓછી છે.
શ્રી જિનાજ્ઞાને અનુરૂપ કઇ પણ પ્રસ્તુત પ્રકાશનમાં અમારા મિતષથી આવી જવા પામ્યું હાય તા તે માટે મિચ્છામિ દુક્કડં સહ વિરમીએ છીએ.
લિ. સંઘના નમ્ર સેવક કુમારપાળ વિ. શાહ (તંત્રી દિવ્યદર્શન, સાપ્તાહિક) ટ્રસ્ટી ‘દિવ્યદર્શન’ ટ્રસ્ટ
Page #13
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મને બેધ પામવા અને આરાધનામાં જેમ પૂરવા
દિવ્યદર્શન સાપ્તાહિકના ગ્રાહક બને. ન્યાયવિશારદ, વર્ધમાન તપોનિધિ, પૂજ્યપાદ આચાર્ય
શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના વૈરાગ્યપ્રેરક વિવેચનોને ઝીલતું દિવ્યદર્શન સાપ્તાહિક પ્રત્યેક શનિવારે નિયમિત પ્રકાશિત થઈ રહ્યું છે. આજના કાળે ઊભરાતા અશુભ સંક૯પ વિકલપોથી બચવા અને શુભ અધ્યવસાયમાં મનને ઝીલતું રાખવા તથા જીવનમાં ઉદ્ભવતી જટિલ સમસ્યાઓને ઉકેલ પામવા વૈરાગ્ય અને અધ્યાત્મનો બોધ મેળવવા આરાધનામાં જેમ પૂરવા દિવ્ય જયોતિર્ધરોનો પરિચય કરવા, ને જેન તત્ત્વોની વિશદ તાર્કિક અને તાત્વિક સમજણ તથા આત્મશુદ્ધિ અને શુભ ભાવોનું સતત સાતત્ય જાળવવા ઈચ્છતા હો તો
આજે જ દિવ્ય દર્શન પરિવારના સભ્ય બનો. દિવ્ય દર્શન સાપ્તાહિકના આજીવન સભ્ય રૂ. ૧૫૧-૦૦
, , વાર્ષિક ગ્રાહક રૂા. ૧૦-૦૦ રકમ મનીઓર્ડર દ્વારા નીચેના સ્થળે મોકલી આપો. ૦ ૦ દિવ્યદર્શન કાર્યાલય ૦ ૦
- કુમારપાળ વિ. શાહ ૬૮, ગુલાલ વાડી, ત્રીજે માળે, મુંબઈ-૪૦૦૦૦૪.
Page #14
--------------------------------------------------------------------------
________________
,
VAKARARKKER TITI
I
શું વાંચશે ?
શ્રી અરિહંતપદ પૂજા નવપદ એટલે શ્રી જિનશાસન શાસનને સાર સંયમ કેમ? શ્રાવક પરમેષ્ઠિમાં કેમ નહિ? નવપદ પૂજ: ચાર કર્તાની કૃતિ શ્રીપાલ કથા કાલ્પનિક કેમ નહિ? “લેગપmઅગરાણુંના બે અર્થ શાસ્ત્રોમાં કાલ્પનિક કથાઓ ઉગ્ર પુણ્ય-પાપ અહીં ફળે બ્રાહ્મણીને રાત્રિ ભેજન- ત્યાગ “ઉપન્ન નાણુ નમે નમો” એટલે સન્માણ સમ્યગ્ર=સંપૂર્ણ કેમ? સ્વપર્યાય અને પરપર્યાય એકને સંપૂર્ણ જાણવા સર્વને જાણવાની જરૂર જીવ જ્ઞાનમય કેમ? આત્માથી જ્ઞાન ભિન્ન અને અભિન્ન કેમ? જ્ઞાન એ મહાતેજ કેમ ? જ્ઞાન ઉત્પન્ન? કે પ્રગટ થતું ? પ્રાતિહાય એટલે
Page #15
--------------------------------------------------------------------------
________________
અશોકવૃક્ષ: સુરપુષ્પવૃષ્ટિ વગેરેનું તાત્પર્ય અને કમ અશોકવૃક્ષ: પ્રભુ આલંબન પુષ્પવૃષ્ટિ : ધમરચિ–સુવાસ દિવ્યધ્વનિ:ધર્મ સંગીત ચામરે: સ્વપક્ષ-પરપક્ષ ઉજજવલ સિંહાસન: વૈરીને બેઠક ભામંડલ:ધમતેજવર્તુળ નાગકેતુનું ધર્મતેજ દુંદુભિ : યશવાદ ૩ છત્ર:ત્રિલોકકીતિ ૮ પ્રાતિહાય યાદ રાખવા કમ વિહાર ને સ્થિરતા વખતે પ્રાતિહાર્ય પ્રભુની બીજી શોભાઓ સમવસરણ સસણાણું દિય- સજજણાણું સજજને એટલે પ્રભુનું જ્ઞાન એ અતિશય કેમ? “સદા નમસ્કારનું કથન અસત્ય કેમ નહિ ? જ્ઞાનવિમલસૂરિકૃત “નમોડનંત સંત._ શાસનનું સર્વસ્વ: શ્રી સિદ્ધચક નવપદમાં સંયમી અને સંયમ સિદ્ધચક એટલે સંસારમાં સંસરણ કેટલાં? શેઠે હવેલી બંધાવી સિદ્ધચથી સંતોને આનંદ કેમ?
Page #16
--------------------------------------------------------------------------
________________
તપમાં આનંદ છે માટે ફલાંગ વિષયત્યાગમાં આનંદના ૫ હેતુ ત્યાગને આનંદ ભેગી ન સમજે અરિહંતના એશ્વર્યને પ્રભાવ હસ્તિપાલ રાજાને સિદ્ધપદનો પ્રકાશ શ્રેણિકને જેલમાં સિદ્ધચક્ર પ્રકાશ ધન્નાને સિદ્ધચક પ્રકાશ ૪ષભદેવ ને શ્રીકૃષ્ણ પર્વતિથ પણ પૂજ્ય મયણાની આરાધના ચિંતા કરવા લાયક સિદ્ધચક શ્રીપાલે ધવલને કેમ છોડાવ્યો? વેરની સામે પ્રેમમાં મન ખરું સુખી વટ સુકૃતથી પડે, ધનથી નહિં સલામતી મૈત્રીમાં
ક્ય કર્મ દુર્મમાં ચકચૂરે જેણે પદની આરાધનામાં પદનું મૂલ્યાંકન : નયસાર જ્ઞાનનું મૂલ્યાંકન શું ? નવપનું ધ્યાન એટલે જ્ઞાન-ધ્યાન એટલે કર્મના દુર્મમ = અશુભાનુબંધ નવપદ-ધ્યાનથી અશુભાનુબંધ તૂટે ચંદનાનું સમક્તિ રાજસેવામાં વસ્તુપાલની શરત નવપદની ભવ્ય આરાધના જ એ ધ્યાન સત્યયાત્મક શ્રદ્ધા
Tona!
Page #17
--------------------------------------------------------------------------
________________
વિશુદ્ધસાધનાના ૩ ઉપાય
:
સાધના વખતે ફળના વિચાર નહિ અણિ કાપુત્ર આચાય નાગકેતુને સપઢશે વિષયસ જ્ઞા નહિ તીર્થંકરપઃ–પુણ્યનાં ૩ કારણ સાધના-પૂજના-વાસિતતા
પ્રભુપાસે ભીખ નહિ, ભાવિતતા કરો
દેશનાનું કારણ પ્રાતિહા એ ગુણ શી રીતે? સુરેન્દ્રો-નરેન્દ્રોની સ્તુતિ ‘બ્રહ્મપૂતાના એ અ કર્યાં ઘાતિયાં કટ
ઘાતી કમ એટલે ? ભવાપગ્રહી ક
એઢ અને અસમાધિ મૂળથી નહિ ધાતી-અઘાતીનાશ શી રીતે? નમે એ ગમે. ગમવુ = મૂલ્યાંકન પિતાને શ્રેણિક ગમતા એટલે ? મૈશ્ચમમતા જ કેમ સારી ? વિક્રિયાના મમ
મહાપુરુષના વારસા દેષ્ણ દ્રષ્ટકૃત કાવ્યો કાનજીમત જૈનમત નથી પ્રભુની ધીરતા
અમૃત કરતાં જિનવાણીની વિશેષતા. કેવળજ્ઞાન પછી પ્રભુ ઘરે જઈ ન બેઠા.
હર
૭૪
G
20
૭૯
૮૧
૨
૮૪
૮૬
૮૮
૮૯
૯૦
૧
R
૯૪
૯૭
૯૮
૯૯
૧૦૦
૧૦૦
૧૦૧
૧૦૩
૧૦૫
*
૨૦૦૭
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૦૮ ૧૦૮ ૧૦૮ ૧૧૦ ૧૧૧ ૧૧૨ ૧૧૩
૧૧૪
૧૧૫ ૧૧૫ ૧૧૭
૧૧૮
૧ પૂર્વ એટલે? જિનદેશનાની કદર કયાં છે? પ્રભુ વડવીર કેમ? ત્રિપૃષ્ઠનું વીર્ય કેવું? વર અક્ષય નિર્મળ હીરાનું યથાર્થ દર્શન રાગદ્વેષ કેમ ન થાય? બરફીની ફરિયાદ આત્મભાવે શ્રદ્ધા
જીવ ભિખારી નિશ્ચય-વ્યવહાર ચારિત્ર કે નિશ્ચયવાદીનું પતન દિવ્યધ્વનિ અંગે મતાન્તર ૩૪ અતિશય પ્રભુની એકેન્દ્રિય પર કરણું શી? સર્વ શુભમાં અરિહંત કેમ કારણ? આલંબનની મુખ્યતા તીર્થકરની ૧૫ અનન્ય બક્ષીસ અરિહંતનું બાહ્ય-આંતર ઐશ્વર્ય બાહ્ય ઐશ્વર્યનું મહત્વ શું ? ઉ, યશ, કુત પૂજાની ઢાળ-ત્રીજે ભવ...' અરિહંત પૂર્વે સંસારી અરિહંત બનવાના ભવની પ્રક્રિયા ૨૦ પદની સરળ સ્મરણ ગણતરી ૧૦ સ્થાનકના કમના કારણ જ નવું જ્ઞાન શા માટે મેળવવું?
૧૧૯ ૧૨૧ ૧૨૩
૧૨૫ ૧૨૬ ૧૨૮ ૧૨૮ ૧૩૦
૧૩૧
૧૩૧
૧૩ર ૧૩૩ ૧૩૫
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૩૬
૧૪૩
૧૪૩
અરિહંતપદની વિવિધ આરાધના અરિહંતપદની જીવનમાં વ્યાપકતા
૧૩૭ “તપ” એટલે આરાધના
૧૩૯ તપથી શુભ અધ્યવસાય કેમ? વિવિધ અધ્યાસ સિદ્ધચકપદ વંદો
૧૪૪ ઈન્દ્રની નવેય પદની કેવી કેવી સેવા? દશાર્ણભદ્રની સામે ઈન્દ્રના હાથી કેવા? ૧૪૬ ઈન્દ્રની સમ્યગ્દર્શન પદની ઉપાસના
૧૪૭ અરિહંતની ઓળખ કયારે થાય ?
૧૪૯ શ્રેણિકની જેલમાં ભાવના
૧૫૪ વંદન = દ્રવ્ય – ભાવ સંકોચ
૧૫૪ આભ્યન્તર અતિશય : સ્થિર તત્ત્વચિંતન
ઉપસર્ગમાંય ૧૫૬ પ્રભુનમનથી પાપ કયારે ટળે?
૧૫૮ નમુત્થણું વારંવાર કેમ?
૧૫૯ પાપ બે પ્રકારે અરિહંતને પ્રચંડ શક્તિરૂપે મનમાં લાવે
૧૬૧ ઈચ્છા મરવાથી પાપ ઢીલા
૧૬૨ જિન-નમનથી નિકાચિતના અનુબંધ તૂટે ૧૬૩ જિન-નમનમાં સમ્યકત્વાદિ હોઈ પાપના ઝુંડ તૂટે ૧૬૪ અરિહંત જેવા ઈશ્વર નાહ ભેગકરમ ક્ષીણ જાણી કર્મનાશ યાગથી – ભેગથી
૧૬૭ પ્રભુ ભેગમાં અનાસકત કેમ?
૧૬૭
૧૬૫
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૬૮
પાશ્વકુમાર અને પ્લેચ્છ રાજા જ્ઞાન શા માટે?
૧૭૦ સંસાર ખેટ ભેગેન્માદ અને પાપભરપુરથી ૧૭૧ મહાગાપ મહામાહણ કહીએ
૧૭૩ આમાની તુષ્ટિ–પુષ્ટિ શી?
૧૭૪ વીર્યાચાર સ્વતંત્ર આચાર કેમ?
૧૭૪ જ્ઞાનાચારમાં વીર્યાચાર
૧૭૫ વીર્યાચારનો પણ માથે ભાર લાવો
૧૭૬ તપમાં મુડદાલ કેમ?
૧૭૮ વીર્યાચારના ભંગથી વીર્યાભાવ
૧૯ દર્શનાચારમાં વીચાર છે?
૧૭૯ ચારિત્રાચારમાં વીર્યાચાર છે? તપાચારમાં વીચાર
૧૮૧ સંયમ અને યોગ એટલે
૧૮૧ કિયા-સ્વાધ્યાય-વૈયાવચ્ચેનાં ફળ ધમ–પરિણતિ: વીર્યાચારથી પરિણતિ શુદ્ધ પરિણતિ જોતા રહો
૧૮૪ નુકસાન કરનારને બેવડું વાત્સલ્ય
૧૮૪ સ્ત્રી દશનથી જિન-જિનાજ્ઞા ભુલાય ૧૮૪ અરિહંત મહાગેપ-મહામાહણ
૧૮૫ સ્વ-અહિંસા અને પર-અહિંસા
૧૮૬ ભાવશસ્ત્ર ઉત્કૃષ્ટ અહિંસા જિને બતાવી
૧૮૮ ભગવાન નિર્યામક કેમ?
૧૮૮ અરિહંત સાર્થવાહ કેમ!
૧૮૯ નિર્ધામક અને સાર્થવાહ વચ્ચે ફરક તત્ત્વદર્શક
૧૮૩
૧૮૭
Page #21
--------------------------------------------------------------------------
________________
મા દેશ ક સ્વાત્માન રક્ષ! ભજ=ઉદ્દેશમાં રાખ ચિલાતીપુત્રને તત્ત્વ ને મા
ચુંડકૌશિકને, અહારનું શું જુએ ? 'દરનું જો ! ૧૯૧ ‘જિનનમીએ ઉત્સાહથી નિત્યનવા સવેગથી ૧૯૨
સ્વાત્માન ભજ
વાણીના ૩૫ અતિશયાના નામ ‘અરિહ‘તપદ્ય ધ્યાતા થકા’
કેમ અરિહંત જુદા સ‘ભેદ-અભેદ્ય પ્રણિધાન
દ્રવ્ય-ગુણ-પર્યાયથી ધ્યાન ચરમાવતે હા....
ભવ્યત્વની ખાતરી શી? વૈયકિતક ભવ્યત્વ જુદું જુદું ખધકસિર અને માળમુનિમાં ફરક અરિહંતનુ વિશિષ્ઠ તથાભવ્યત્વ અરિહંતનુ દ્રવ્યથી ધ્યાન પતિને આળખનારી પત્ની મરીચિ-‘મૂળ પકડવું કે ડાળપાંખળાં ? ” જૈન ધર્મમાં જ સ્ત્રીનુ વિશિષ્ટ ગૌરવ
૧૮૯
૧૯૦
૧૯૦
૧૯૩
૧૯૫
૧૯૬
૧૯૭
૧૯૯
૨૦૧
૨૦૨
૨૦૨
૨૦૨
૨૦૩
૨૦૪
અરિહંતનું ગુણથી ધ્યાન
૨૦૫
૨૦૯
અરિહંતનું પર્યાયથી ધ્યાન : ૫ અવસ્થા ચિંતન ૨૦૬ અરિહંતદ્રવ્યના ૫ પદસ્થ-પર્યાય ત્રિવિધ ઉપકાર રૂપાતીત અવસ્થા
૨૦૯
૨૦૯
૧૯૮
૧૯૯
૧૯૯
Page #22
--------------------------------------------------------------------------
________________
ભેદછેદ કેમ થાય ? ચિંતન પરિણતિજનક જોઈ એ વીર જિનેશ્વર ઉપદ્દેિશ ’
આત્માદ્ધિ વીતરાગભાવના અશ
કુસસ્કાર ભૂંસવાના ઉપાય
કુસસ્કારનું દૃષ્ટાન્ત વિવિધ સત્ ક્રિયા
આત્માન શું? આત્માના ઉદ્દેશથી તન્મય
૨૧૩
આત્મજ્ઞ અને અનાત્મજ્ઞ આત્માને મહત્ત્વ : સીધાં વેતરણ
૨૨૪
આત્મધ્યાન : નજર સામે આત્મા જ આત્મા ૨૧૬ વિવિધ ઊંધાં વેતરણે।
૧૬
૨૧૮
ગુણસુકૃત-અભ્યાસ અશુભાનુમધ તાડે ખરુ આત્મધ્યાન ગુણ-સુકૃતાભ્યાસમાં ‘ ઉપવાસ ” એટલે
સુદર્શન શેઠના જીવ ‘ જિય’તર’ગાદિ...... વીતરાગ-ધ્યાનની અસર વિવિધ પાપબુધિ
૧૦
૨૧૦
૨૧૧
૨૧૨
૨૧૩
હિત પ્રવૃત્તિઓ.
૨૩૦
ભૂખ લાગવાનુ કારણ
૨૨૧
જડપ્રવૃત્તિ વેઠરૂપ લાગે તો જ આત્માને જાણ્યા ૨૨૨
સ્વ અધ્યાય
આત્મઋદ્ધિના ઉપાય ક્રોધાદિ રાકવા ઉપાય.
૨૧૮
૨૧૯
૨૨૪
२२४
૨૫
२३७
२२७
૨૨૮
૨૩૦
૨૩૩
૧૩૩
Page #23
--------------------------------------------------------------------------
________________
સપાહિહેરા
અ--હુ તે વિમળ કેવળ...' કાવ્ય
પ્રાથમિક પવિત્રતા ઉપરની પવિત્રતા
૨૩૬
૨૩૬
૨૩૭
૨૩૮
૨૩૯
૨૪૦
૨૪૩
૨૪૨
ગૌતમના શરણભાવ ભગવતાનું પ્રધાન કારણ
સ
શુભમાં અરિહંત મુખ્ય હેતુના એ દૃષ્ણા ૨૪૪
o
અભિષેકથી કરંજ-મહુમી કેમ જાય ગૃહસ્થને લાભ, સાધુને માન અરિહંતની સમ્યક્ત્વ-પ્રાપ્તિ મહાવીરપ્રભુની પૂર્વ સાધના
અભિષેકમાં અનુમેાદના
દેપાલમાં અહંદુ બહુમાન દેવને રાત્રી નાશ કેમ સમક્તિ મંદ તો ચારિત્ર મદ
I
૨૩
૨૩૫
૩૫
૨૪૭
Page #24
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ
નવપદ પૂજા પર વાચના
૧
અરિહંત
વાચનાદાતા ન્યાયવિશારદ પૂજ્યપાદ આચાર્યશ્રી વિજ્યજીવનભાનુ સૂત્યજી મહાસજ સાહેબ
Page #25
--------------------------------------------------------------------------
________________
ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજ વિરચિત
શ્રી જયપ્રદજીની પૂજા
પ્રથમ શ્રી અરિહંતપદ પૂજા
(કાવ્યમ્-ઉપજાતિ છંદ) ઉપન્ન-સન્નાણુ-મહેમયાણું, સપાડિહેરાસણ-સંઠિયાણું, સદેસણાણું દિયસજણાણું નમે નમો હાઉ સયા જણાણું,
(ભુજંગપ્રયાત છંદ) નમેનંતસંત પ્રમોદ પ્રદાન પ્રધાનાય ભવ્યામિને ભાસ્વતાય, થયા જેહાદી સખ્યભાજ, સદા સિક્ષચક્રસ લિ રાજા. કર્યા કર્મ તુમ એક જેણે, ભલાં ભાજપ-કપદ દામન તેણે, કરી પૂજા ભવ્ય ભાવે ત્રિકાળે, સદા વાસિયે મા તેણે કાળે જિકે તીર્થકર કર્મ ઉદયે કરીને, દીયે દેશના ભવ્યને હિત ધરીને, સદા આઠ મહાપડિહારે સમેતા, સુએ મારશે તથા અલ્હા જૂના ક્ય વાતિયાં મારે -- આલા, ભોપગ્રહી ચાર જે છે વિલગા, જગ ૫૫ કઆણકે સૌખ્ય પામે,
૪
Page #26
--------------------------------------------------------------------------
________________
અરિહંત
(ઢાળ-ઉલાળાની દેશી) તીથપતિ અરિહા નમું, ધર્મ ધુરંધર ધીરેજી; દેશના અમૃત વરસતા, નિજ વીરજ વડવીરે. ૧
(ત્રોટક ઈદ) વર અક્ષય નિર્મળ જ્ઞાન ભાસન, સર્વ ભાવ પ્રકાશતા, નિજ શુદ્ધ શ્રદ્ધા આત્મ ભાવે, ચરણથિરતા વાસતા, જિન નામકર્મ પ્રભાવ અતિશય, પ્રાતિહાર જ શેતા, જગજતુ કરુણાવંત ભગવંત, ભવિક જનને ભતા. ૨
(પૂજા-ઢાળ, શ્રીપાળ રાસની દેશી). ત્રીજે ભવ વસ્થાનક તપ કરી, જેણે બાંધ્યું જિનનામ, ચેસઠ ઈકે પૂજિત જે જિન, કીજે તાસ પ્રણામ રે, ભવિકા ! સિદ્ધચક્રપદ વદે, જિમ ચિરકાળે નંદો રે, વંદીને આનંદ, ના ભાવભય, ટાળે હરિતણું દો, સેવે ચોસઠ ઈદે,ઉપશમરસનો કંદ,જિમ ચિરકાળે નંદરે
ભવિકસિદ્ધ ૧. જેહના હાય કલ્યાણક દિવસે, નરકે પણ અજવાળું, સકળ અધિક ગુણ અતિશયધારી, તે જિન નમી અઘ કાળું રે.
ભવિકા! સિદ્ધ ૨, જે તિહુનાણુ સમગ્ર ઉપન્ના, ભેગુકરમ ક્ષીણ જાણી, લેઈ દીક્ષા શિક્ષા દીયે જનને, તે નમીએ જિન નાણી રે
ભવિકા ! સિદ્ધ૦ ૩ મહાગપુ મહાસાહણ કરીને નિમક અથવા ઉપમા એહેવી જેહને છાજે તે જિન નમીરાહ
ભવિકા ! સિદ્ધ૭ ૪
જ
૧
,
, 1
1 *
Page #27
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ
આ પ્રતિહાર જ જસ છાજે, પાંત્રીસ ગુણયુત વાણી, જે પ્રતિબોધ કરે જગજનને, તે જિન નમીએ પ્રાણ રે.
ભવિકા ! સિદ્ધ૦ ૫
દુહા,
અરિહંતપદ ધ્યાત થકે, દબ્રહ ગુણ પજાય રે; ભેદ છેદ કરી આતમાં, અરિહંત રૂપી થાય છે. જે વીર જિનેશ્વર ઉપદિશે, સાંભળજે ચિત્ત લાઈ રે, આતમ ધ્યાને આતમ કૃદ્ધિ મળે સવિ આઈ રે. વીર૦ ૨
શ્રી અરિહંતપદ કાવ્ય. જિયંતગારિગણે સુનાણે, સપાડિહેરાઈસપહાણે; સંદેહ સંદેહરયે હરતે, ઝાએહ નિર્ચાપિ જિસેડરિહતે. ૧
સ્નાત્ર કાવ્ય
(કુતવિલંબિત છંદ) વિમલ કેવલભાસન ભાસ્કરે, જગતિ જતુ મહેદય કારણમ; જિનવરે બહુમાન જલઘતઃ શુચિમના સ્નપયામિ વિશુદ્ધ. ૧ સ્નાત્ર કરતાં જગદગુરુ શરીરે, સકલ દેવે વિમળ કળશની રે આપણાં કર્મમલ દૂર કીધાં, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા. ૨ હષ ધરી અસરાવૃંદ આવે, સ્નાત્ર કરી એમ આશિષ ભાવે, જિહાં લગે સુરગિરિજ બૂદી,અમતણા નાથ દેવાધિ દેવે ૩
મંત્ર % હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાયે જલાદિક યજામહે સ્વાહા.
Page #28
--------------------------------------------------------------------------
________________
ઉપા. શ્રી યશેોવિજયજી મહારાજ કૃત શ્રી નવપદ્દજીની પૂજા પરની વાચના નવપપૂજા પર વાચના
દાદર
મહાસુદ ૬, ૨૦૩૬
૨૩-૧-૨૦
પ્રાસ્તાવિક :
વર્તમાન સ્ત્રી જૈનસ`ઘમાં ખાસ કરીને વર્ષની શાન્ધતી એ એળીમાં શ્રી નવપદજીની પૂજા ભણાવવાના રિવાજ ચાલે છે. એમાં મહેાપાધ્યાય ન્યાર્યાવશારદ શ્રી યશેાવિજયજી મહારાજની નવઃપૂજાના પદે પદ્મમાં તાત્ત્વિક ગંભીર ભાવ સમાયેલા છે. જે નવપદના અરિહંત, સિદ્ધ વગેરે દરેક પદ્મ ઉપર વિસ્તારથી ખ્યાલ આપે છે, અને નવપદ એ શ્રી જિનશાસનના સાર છે. તેથી અહીં એના વિસ્તૃત વિચાર કરવામાં આવે છે.
નવપદ એટલે શ્રી જિનશાસન :
નવપદ એટલે શ્રી જિનશાસન, કેમકે નવપદ્મમાં અરિહત,
વાચના
૧
અરિહત
Page #29
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ
સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય ને સાધુએ પાંચ ઉપાસ્ય પરમેષ્ઠિનાં પદ છે. અને દશન, જ્ઞાન, ચારિત્ર, તપ-એ ચાર ઉપાસનાનાં પદ છે.
પરમેષ્ઠિ એ ધમી છે અને ઉપાસના એ ધર્મ છે. ધમી અને ધમમય શ્રી જિનશાસન છે. શ્રી જિનશાસન એટલે શ્રી જિનેશ્વર ભગવાનનું શાસન અર્થાત પ્રવચન. જિન પ્રવચન મુખ્યતયા શ્રી દ્વાદશાંગી આગમને કહેવામાં આવે છે. શાસનને સાર સંયમ :
આ સમગ્ર દ્વાદશાંગીને સાર સંયમ છે. સંયમમાં દશન, જ્ઞાન, ચારિત્ર, તપનો સમાવેશ છે. આ સંયમ કયાં જોવા મળે? તે કે પંચ પરમેષ્ઠિમાં. એમાં અરિહંત અને સિદ્ધમાં સંયમનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ છે, ત્યારે આચાર્ય, ઉપાધ્યાય ને સાધુમાં સંયમની પૂર્ણ ઉપાસના ચાલુ છે. એટલે જ પાંચ પરમેષ્ઠિ મુમુક્ષુ જીવને ઉપાસ્ય બને છે, કેમકે સંયમ વિના મોક્ષ મળે નહીં એટલે સ્વાભાવિક છે કે મોક્ષના અથીને સંયમની ઉપાસના કરવી રહે અને એ ઉપાસનાના આલંબન માટે ઉપાસ્ય તરીકે પંચ પરમેષ્ઠિ લક્ષ્ય તરીકે રાખવા જોઈએ. સંયમ અને સંયમસંયમ : પ્ર-પરમેષ્ઠિમાં સાધુને લીધા તેમ વ્રતધારી શ્રાવકને કેમ
ન લીધા? તેમનામાં પણ દેશથી સંયમ તે છે જ. ઉ.-શ્રાવકમાં દેશથી સંયમ એટલે સંયમસંયમ છે.
અર્થાત સંયમ સાથે અસંયમ પણ છે અને મુમુક્ષુને આદશ તરીકે લેશ પણ અસંયમવાળાને રાખવાના
Page #30
--------------------------------------------------------------------------
________________
ન હોય, ઉપાસના સંચામાન અને સંચાલી જ કરવાની હેય, તેથી શ્રી જિનશાસનમાં એ પણ મેષ્ઠિ એ જ ઉપાસ્ય છે, પૂજ્ય છે, અને દાન, જ્ઞાન, ચારિત્ર, તપ એ જ ઉપાસના છે, એટલે પાંચ ધમી છે અને ચાર ધર્મ છે.
શ્રી ઉપા. મહારાજની શ્રી નવપદજીની પૂજામાં આ નવનાં અભુત ભાવો રજૂ થયેલા છે. એ ભાવને રહસ્યપૂર્વક સમજવામાં આવે તે તેના પર ખૂબ સુંદર ચિંતન અનુપ્રેક્ષા કરી શકાય અને તે દ્વારા જીવનમાં એ ન પદની ભવ્ય આરાધના-ઉપાસના થઈ શકે. એમાં પાંચ પદો ઉપાસ્ય અર્થાત્ લક્ષ્ય તરીકે અને ચાર પદની ઉપાસના આચરણ તરીકે જીવનમાં ઉતારવાની છે. તાત્પર્ય નવપદની સમજ અને એને બોધ જીવનમાં આરાધના માટે ખૂબ ઉપયોગી છે, એથી અહીં એ બોધ માટે આ નવપદપૂજાના પદે પદ પર વિવેચન કરવામાં આવે છે. નવપદ પૂજા : ચાર કર્તાની કૃતિ:
પ્રસ્તુત ઉપા, કૃત નવપદની દરેક પૂજામાં ચાર અંશ, છે: પ્રારંભિક પ્રાકૃત ગાથા આ. શ્રી રત્નશેખર સૂરિ કૃત સિરિવાલ કહાની અંતર્ગત છે. એ પછી આ. શ્રી જ્ઞાનવિમલ સૂરિજી કૃત ભુજગપ્રયાત છંદમાં કાવ્ય છે. ત્યારબાદ શ્રી દેવચંદ્ર સૂરિજી કૃત ઉલાળ ને ત્રોટક છંદમાં કાવ્યો અને છેલ્લે ઉષા, શ્રી યશોવિજયજી મહારાજકૃત લાળ છે. નવે પદની આ ઢાળે એમણે શ્રી ખલાસમાં શ્રીપાલ મહારાજાની નવપદની ભાવના રૂપે ગૃ થેલી છે. આ કાળમાં નવપદને વિસ્તારથી વિચાર છે, તેથી સમગ્ર
Page #31
--------------------------------------------------------------------------
________________
નવધા પ્રકાશ
સંગ્રહને ઉપાધ્યાયજી કૃત “નવપદ પૂજા તરીકે ઓળખવામાં આવે છે. શ્રીપાલરાસ :
શ્રી શ્રીપાલ મહારાજાનો રાસ આમ તો ઉપા, શ્રી વિનય વિજયજી મહારાજે રચેલો છે. પરંતુ એ રાસને ઘણે અંશ રમ્યા પછી તેમને દેહત્યાગ થયો. તેમના સમકાલીન ન્યાયાચાર્ય ઉપા. શ્રી યશોવિજયજી મહારાજે તે રાસને પૂર્ણ કર્યો. આ રાસ આ, શ્રી રત્નશેખર સૂરિકૃત “સિરિ સિરિવાલ કહાઝ પરથી રચવામાં આવેલ છે, અને એમાં શ્રી શ્રીપાલ મહારાજા અને મયણુ સુંદરીનું ચરિત્ર આલેખવા સાથે નવપદનું વર્ણન, અને તેને મહિમા અને પ્રભાવ પ્રસ્તુત કરવામાં આવેલ છે. શ્રીપાલ રાસકથા-તે વાસ્તવિક કથા છે : પ્ર-આજે કેટલાક કહેવાતા ભણેલા આ સવાલ ઉઠાવે છે
કે આ કથા ક્યાંથી લાવ્યા ? આગમમાં એ મળતી
નથી, માટે એ કાલ્પનિક છે. ઉ–વર્તમાનમાં વિકૃત બુદ્ધિ “જૂનું એટલું બેટું એમ કરાવવાનો પ્રયત્ન કરે છે. એની પાછળ એ હેતુ લાગે છે કે જૂનું છેટું ઠરે એટલે એને માનવાનું મટી ગયું, પછી ખોટાનું અનુકરણ શું કરવું ? વાસ્તવમાં old is gold-જૂનું એ સોનું છે, કેમકે જૂના કાળમાં સંસ્કૃતિને મહાન વિકાસ હતો, તેવી વિકસિત સંસ્કૃતિમાં જે ધમપાલન થતાં હતાં, તેની અપેક્ષાએ આજે પાશ્ચાત્ય સંસ્કૃતિ (વિકૃતિ)ની અસર હેઠે આવેલાને, એ ધર્મ પામ દુષ્કર બને છે. એવા ધમપાલનની
Page #32
--------------------------------------------------------------------------
________________
ન ના
નબળાઈને ઢાંકવા તેમને “જનું એ છેટું એમ રજુ કરવું પડે છે. બાકી ખરેખર તો જૂના કાળમાં ઉત્તમ ધમપાલન કરનાર મહાપુરુષોના જીવન આદર્શરૂપ છે. એ નજર સામે રાખવાથી ઉત્તમ ધમપાલનની પ્રેરણા મળે છે.
હવે આ કથા આગમમાં ક્યાં મળે છે. તેને વિચાર કરીએ, ગુરૂમુખે આગમજ્ઞાન :
પૂર્વના કાળમાં પુસ્તકીયું જ્ઞાન ન હતું. આગમો ગુરૂમુખે ભણવાના રહેતા અને તે સાંગોપાંગ કંઠસ્થ રખાતા, પછી અવસર્પિણી કાળના હિસાબે તેમજ પંચમકાળમાં ખાસ કરીને બુદ્ધિને હાસ-સ્મૃતિભ્રંશ વગેરે કારણે કેટલુંક ભૂલાતું આવ્યું. એમાં દ્વાદશાંગીમાંના બારમા અંગ “દષ્ટિવાદમાં મુખ્ય એક ભાગ ચૌદ પૂર્વ મહા શાસ્ત્રોને હતો, તે તો ક્રમશ: સંપૂર્ણ ભૂલાઈ ગયો, છતાં એમાંની કેટલીક વાતે પરંપરામાં ચાલુ રહી. એવી રીતે દ્વાદશાંગીના છઠા અંગ “શ્રી જ્ઞાતા અધ્યયનમાં સાડાત્રણ કોડ કથાઓ હતી. તે પણ ઘણીખરી ભૂલાઈ ગઈ. છતાં એમાંની કેટલીક કથાઓ આચાયપરંપરામાં ચાલુ રહી. આવી એક કથા શ્રી શ્રીપાલ ચરિત્ર તરીકે હોય, તેને શ્રી રત્નશેખર સૂરિજી મહારાજે ગ્રંથારૂઢ કરી, એમ માનવામાં
ક્યાં વાંધો આવે છે કે જેથી એને કાલ્પનિક કહેવાનું દુસ્સાહસ કરી શકાય?
શ્રી શ્રીપાલ મહારાજા બારમા તીર્થંકર ભગવાન શ્રી વાસુપૂજ્ય સ્વામીના શાસનમાં અથવા ર૦મા તીર્થંકર
Page #33
--------------------------------------------------------------------------
________________
to
નવપર બા
ભગવાન શ્રી સુનિસુવ્રત સ્વામીના શાસનમાં થઈ ગયેલા
તરીકે પ્રસિદ્ધ છે.
ગુરુમુખે જ્ઞાનના વાસેા :
જ્ઞાનના હ્રાસ કેવા થતા આવે છે, તે આપણને શ્રી ગણધર ભગવાન પછી એમના શિષ્યોની પરંપરામાં ચાલી આવતા જ્ઞાનના વારસા પરથી જાણવા મળે છે, દા.ત. ગણધર શ્રી સુધર્માં સ્વામીએ તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામીજી પાસેથી ત્રિપદી મેળવીને શ્રી દ્વાદશાંગી આગમની રચના કરી. એમાં મારમા અંગમાં મેાટા દરિયા જેવડા ચૌદપૂર્વ શાસ્રની રચના સમાવી. પછી એમણે પાતાના શિષ્ય શ્રી જમૂસ્વામીને એ સાંગેાપાંગ ભણાવી. સૂત્રથી એક અક્ષરે એ નહીં, પરંતુ એનું અજ્ઞાન જે આપ્યુ તે તે જાણતા એટલુ બધુ જ આપી શકયા નહીં, કેમકે ‘સૂત્ર પરિમિત છે, પરંતુ અર્થ અનત છે, અને એટલા બધા અથ આપવાનો સમય પણ કયાં મળે ? એટલે કહેવાય છે કે શ્રી ગણધર મહારાજા પાસે જે શ્રુતજ્ઞાન હેાય છે, તે ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાન છે એટલુ એમના ખુદના શિષ્ય પાસે શ્રુતજ્ઞાન પણ નહીં. “ લાગપજ્જોઅગરાણ ”ના એ અથ ;
•
એટલા જ માટે શ્રી ‘નમુન્થુણં સૂત્ર'ની શ્રી ‘લલિતવિસ્તરા ’ નામની ટીકામાં આ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે “ લાગપજ્જોઅગરાણુ ” પદની વ્યાખ્યામાં સ્પષ્ટ કર્યુ કે અરિહંત ભગવાન માત્ર ગણધર મહારાજો માટે પ્રદ્યોત કરનારા છે, અહીં લા' શબ્દના અર્થ ‘ગણધર લાક’ લીધા અને એમને પ્રદ્યોત કરનારા એટલે કે શ્રુતજ્ઞાનને ઉત્કૃષ્ટ પ્રકાશ આપનારા ભગવાન મનાવ્યા.
Page #34
--------------------------------------------------------------------------
________________
અરિહંત
ત્યારે બીજા ભવ્યજીવોની અપેક્ષાએ ભગવાન લિંગ પઈવ ” અર્થાત “પ્રદીપ” જેવા છે. અભવ્ય લેકેને તે ભગવાનની વાણી મળે તોય પ્રકાશ કરનારી બનતી નથી, એટલે “લેગ પઈવાણું 3) પદમાં “લોક શબ્દથી ભવ્ય લેક કે જેના સુધી ભગવાનની વાણીનો પ્રકાશ પહોંચે છે, એને લઈને ભગવાન “પ્રદીપની માફક જ્ઞાનને પ્રકાશ આપનાર છે.
આમ જ્ઞાનનો પ્રકાશ ઉત્તરોત્તર ઓછાવત્તો આવે, એમાં સૂત્રથી કેટલુંય ભૂલાઈ જાય. છતાં અર્થથી કેટલીક વસ્તુની પરંપરા ચાલુ રહે એ સ્વાભાવિક છે. એવું આ શ્રી શ્રીપાલ ચરિત્ર અંગે સમજવાનું છે કે આગમમાં સૂત્રથી એ વીસરાઈ ગયું હોય, છતાં અર્થથી ચરિત્રને અધિકાર ચાલ્યો આવતો હોય એને શ્રી રત્નશેખર સૂરિ મહારાજે “સિરિ સિરિવાલ કહામાં ગૂંથી લીધે. કાલ્પનિક કથાનો નિર્દેશ :
બીજી એક વસ્તુ એ સમજવાની છે કે આગમ શાસ્ત્રોમાં કાલ્પનિક કથાઓ પણ અપાયેલી છે, કિંતુ ત્યાં કાલ્પનિક તરીકે એને નિદેશવામાં આવેલ છે. દા. ત. શ્રી ઉત્તરાધ્યયનમાં એલક અધ્યયન છે. એમાં સંસારના રળિયામણું દેખાતા વિષે પરિણામે ખતરનાક છે. એ બતાવવા ગાય. અને એના વાછરડાને સંવાદ મૂકવામાં આવ્યું છે. અને તેને બેધ માટે કાપનિક સંવાદ હેવાનું દર્શાવવામાં આવ્યું છે,
એમ શ્રી આવશ્યક સૂત્ર નિર્યુક્તિ આગમમાં અયોગ્ય શિષ્યને ઉપદેશ ન દેવા માટે પુકરાવત મેઘ અને મગ--
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૨
નવપદ પ્રકાશ
સેળિયા પાષાણની કથા તેમજ સાધુએ ભિક્ષાચર્યામાં નિષિતા અંગે સાવધાન રહેવા માટે ‘ માછીમારના સકંજામાં ત્રણ ત્રણ વાર ન ફસાતાં માલાની કથા આપવામાં આવી છે, તે પણ ત્યાં કાલ્પનિક તરીકે નિર્દેશાયેલી છે.
આ સૂચવે છે કે બાકીની કથાએ, ચિરત્રો એ કાલ્પનિક નહિ, પણ વાસ્તવિક બનેલી હકીકત છે, શ્રીપાલ ચરિત્રની વાસ્તવિકતા :
પરપરામાં માઢ મેઢે ચાલી આવતી વાસ્તવિક કથાઓ, ચિરત્રો વગેરે વિસ્તારથી ભૂલાતાં જવાનુ... જોઈ પૂર્વાચાર્યાએ એને પુસ્તકારૂઢ કર્યાં છે. શ્રી સમરાઈÁ કહા, શ્રી કુવલયમાલા ચિરત્ર વગેરેની જેમ સિર સિરવાલ કહા ( શ્રી શ્રીપાલ ચરિત્ર ) વગેરેને તેના દૃષ્ટાંત રૂપે સમજી શકાય,
એક સમાધાન એ પણ છે કે કાળ અનંતાપુર્દૂગલ ધરાવત્તના વીતી ચૂકયા. તેમાં એકેક પુદ્ગલ પરાવર્ત્ત માં અનતા કાળચક્ર વીત્યાં, જે એકેકા કાળચક્રમાં ૬૦ કોટાકોડી સાગરોપમ અર્થાત્ ૨૦૦ કેટાકોટી પડ્યાપમ પ્રમાણ ૬ + ૬ = ૧૨ ઉત્સર્પિણી અવસર્પિણીના આરા વીત્યા. આવા જંગી કાળમાં શ્રી શ્રીપાલ ચરિત્રમાં એવી શી મામત છે કે જે નવી સંભિવત ન હોય ? હા ! એમ કહ્યું હોય કે ‘એક પથ્થર પડયા હતા, શિલ્પીએ તેનું સિ'હનુ' બાવલું અનાવ્યું અને વિજ્ઞાને તેમાં પ્રાણ પૂર્યા, એટલે એ જિવંત સિંહ તરીકે ફરવા લાગ્યા. આવું કાંઈક કર્યુ” હાય તો તે અસંભવિત છે, એમ કહી શકાય, કારણ કે અજીવ કોઈ દિવસે જીવ અની શકે નહીં; પરંતુ શ્રીપાલ ચરિત્રમાં એવુ અસ‘ભવિત જેવુ... કાંઈ નથી. અરે ! આજે તા છાપામાં
Page #36
--------------------------------------------------------------------------
________________
અરહંત
૧૩
એવા બનાવ આવે છે કે જે ટૂંકી બુદ્ધિવાળાને તદ્દન અસંભવિત લાગે, જેમકે જંગલમાં એવાં ઝાડ છે કે જેનાં પત્તાં રાતના પ્રકાશ વેરતા હોય અથવા છાડવાના એવાં પત્તાં છે કે જે એના પર જતુ બેસે તે પાંદડું તરત સંકેચાઈ જાય અને તે જીવના સર્વને ચૂસી લે અને પાંદડું પાછું પૂર્વવત થઈ જાય, આવી અસંભવિત લાગતી વસ્તુ આજે પણ હકીકત રૂપ બને છે, એમ આજના પેપર દ્વારા જાણવા મળે છે. આ અપેક્ષાએ તે શ્રીપાલા થરિત્રની વિગતે કશી અસંભવિત નથી. માટે શ્રીપાલ. પરિત્ર કાલ્પનિક નથી. તાત્કાલિક ઉગ્ર પુષ્યપાપનું ફળ: -શ્રીપાલ કુમાર ધવલ શેઠથી વહાણુમાંથી નીચે દરિયામાં ફેંકાયા, તે તો સંભવિત વાત, પરંતુ એ જ વખતે નીચે સમુદ્ર સપાટી પર મગરમચ્છની પીઠ પર ઝીલાયા અને મગરમ છે તેમને થાણા બંદરે ઉતારી દીધા-આ વસ્તુ અસંભંવિત કેમ નહીં ? માટે શ્રીપાલ કથા કાલ્પનિક કેમ નહીં ? -જૈનશાસનમાં બતાવેલા ઉત્કટ ધમ અને ઉત્કટ પાપના પ્રભાવની જેને ગમ ન હોય–અતિ ઉગ્ર પુણ્ય પાપના અહીં જ મળતા અસાધારણ ફળની જેને ખબર ન હેય એ જ આવા ચરિત્ર પ્રસંગને કાલ્પનિક કહે, શાસ કહે છે કે સત્યુગ પુચપાપાનામવા રુખ્ય એટલે કે અતિ ઉગ્ર પુણ્ય કે પાપનું અર્થાત અતિ ઉચ્ચ સુકૃત દુષ્કૃતનું આ જન્મમાં જ ફળ મળે છેઆ શાસ્ત્ર વચનના હિસાબે શ્રીપાલ કુંવરની અતિ ઉચ
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૪
નવપદ પ્રકાશ
શ્રી નવપદ જેવી ઉપાસનાના ફળ રૂપે દરિયામાં કુંકાવા પ્રસગે એમની રક્ષા અર્થે કાઈ દેવતા જ મગરમચ્છનું રૂપ કરી એમને ઝીલી લે ને સમુદ્ર કાંઠે મૂકી દે એમાં શુ' અસ`ભવિત છે? ઊંચા ભાવેાલ્લાસનું ફળ :
દા. ત. શાસ્ત્રમાં રાત્રિભોજન ત્યાગના પ્રભાવ પર બ્રાહ્મણ પુત્રીના દૃષ્ટાંતમાં આવે છે કે એ સાસરે ગયા પછી ઘણું કષ્ટ પડવાં છતાં પણ અતિ ઊંચા ભાવેાલ્લાસથી રાત્રિભોજન ત્યાગનું વ્રત પાળી રહી છે અને એથી સાસુ ખીજાઈ જતાં એના કહેવાથી વહુને સસરો ને તેના પતિ એના પિયેર મૂકી આવવા નીકળી પડે છે.
રસ્તામાં અંધારૂ થતાં નજદીકંના ગામમાં આળખીતાને ત્યાં રાતવાસા કરવા જાય છે. ત્યાં જજમાન દૂધપાક પૂરી મનાવી, એ બધાના અતિથિસત્કાર કરે છે. સૌ જમે છે, પર ંતુ બ્રાહ્મણપુત્રી અણનમ રહી રાત્રે જમતી નથી. દૂધપાકમાં સર્પનું ઝેર પડેલુ હોઈ જમનારા બધા જમ્યા પછી બેભાન થઈ લાંબા પડયા. ત્યાં કરીએ તત્કાલ પરિસ્થિતિ સમજી લઈ ઘરના નોકર દ્વારા વૈદ્યને ખેલાવી વમનના ઉપચાર કરાવ્યા. સૌ જીવતા થયા અને વઘે તપાસ કરતાં દૂધપાક રંધાવાની જગ્યાએ ઉપર ચદામાં સાપ બફાઈ ગયેલા, ને તેના માઢામાંથી ઝેર સાથે લાળ ટપકતી જોઇ એ પરથી સસરા ને ધણી રાત્રિભોજન ત્યાગના મહા પ્રભાવને જોઈ તાજુમ થઈ ગયા. તેમણે વહુની ક્ષમા માગી અને સવારે વહુને પાછી ઘેર લઈ ગયા. અતિ ઉંમ સુક્તનો પુણ્ય તાત્કાલિક ફળે એ સમજવાની
re
Page #38
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૧૫
ગામ ન હોય એ બધું કાલ્પનિક ગણે અને કહે: આ વખતે જ ત્યાં સાપ કેમ આવ્યો? એ જ વખતે ત્યાં દૂધપાક કેમ બન્યો? પહેલાં પછી કેમ નહિ? એવા પ્રશ્નો એ બધા કર્યો છે. બાકી આજે પણ માણસને અતિ ઉગ્ર સુકૃતના પુણ્યનું અથવા પૂર્વના પુણ્યનું ગેબી ફળ મળે છે, એ દેખાય છે.
આ જોઈને શ્રીપાલ ચરિત્રતા પ્રસંગને કાપનિક કહેવા એ નરી મૂર્ખતા અને મૂઢતા છે. અસ્તુ
Page #39
--------------------------------------------------------------------------
________________
અરિહંત પદની પૂજા
૨૩–૧–૮૦
કાવ્યની શરુઆત: ઉપન્નસન્નણ મહેામયાણ, સપાડિહેરા સણ સઢિયાણ । સન્દેસણાણું ટ્વિયસજજણાણું, નમા નમે હાઉ સયા જિણાણ... |
ઉપન્ન સન્નાણુ મહેામયાણ–આ પહેલું કાવ્ય, પૂ. શ્રી રત્નશેખરસૂરી મહારાજનું છે તે “ સિરિ સિરિયાલ હા” માંના શ્લાક છે. તે કથા પ્રાકૃત ભાષામાં છે. તેની ભાષા melodieous-મધુરતા ભરેલ છે. ( તમેા નમે ની વિશિષ્ટતા :
“ નમા નમા હાઉસયા જિણાણું ” —જિનેશ્વર ભગવાનને હંમેશાં અમારા વારંવાર નમસ્કાર હેા.
અહી... ‘નમા નમા’ એ વાર કહ્યું તે ‘વીપ્સા' કહેવાય. વીપ્સા એટલે એ વાર એલવુ –જેના અર્થ ‘વાર્’વાર'ની એ ક્રિયા સૂચવે છે. દા. ત. તે ‘એલ એલ’ કરે છે, એટલે તે 'વાર વાર એલે છે, સિદ્ધચસ નમાનમ : એટલે સિદ્ધચક્રને વારંવાર નમસ્કાર કરૂ' '; તેમ અહી જિનેન્ધર ભગવાનને હુંમેશ વાર વાર નમસ્કાર કરૂ છું એ અર્થ છે.
નમેા નમે હાઉ અર્થાત્ વાર’વાર નમસ્કાર હે; એટલે
Page #40
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૧૭ નમસ્કારની પ્રાર્થના કરી. પ્રાર્થના એટલે કરી કે આ દિવસ પ્રત્યેક ક્ષણે “નમો જિર્ણ, નમો જિણાણું, એમ વારંવાર નમસ્કાર કરી શકાતો નથી અને નમસ્કાર કરવાનું મન છે, માટે તે પ્રાર્થના છે. “હું હૃદયથી આ ઈચ્છું છું એવી ભાવના અહીં પ્રગટ કરી છે.
જિનેશ્વરને નમસ્કાર તે ઉત્તમ કટિનું કર્તવ્ય છે. દેરાસરમાં દર્શન કરવા ગયા. ત્યાં મૂર્તિઓ ઘણી છે. દર્શન કરતાં દરેક ભગવાનને અલગ અલગ નમસ્કાર કરવા જોઈએ. નમે જિણાણું, નમે જિણાણુંએમ દરેક ભગવાનનું મુખ જોઈ બોલવું જોઈએ, પણ તેમ નથી કરતા, કારણકે, અનેક નમસ્કારના વિશિષ્ટ લાભ તરફ દષ્ટિ નથી, તે કરવું જ જોઈએ તેવું હૃદયમાં વસી નથી ગયું, પણ તે ઉત્તમ કર્તવ્ય છે, એમ સમજયા બાદ તે અનેક બિંબવાળું મંદિર મળે તે મન હર્ષથી કૂદે. ટગવાન ઘણું જોઈ આનંદઆનંદ થાય પણ કેટલાકને તે થાય કે કેટલા બધા ભગવાનને મારે હાથ જોડવાના ! ” આ શું છે? સુકૃતને અનુત્સાહજે આ મહાન સુકૃત કમાઈ લેવાનું સમજે, તેને તો ઘણા ભગવાનને જોઈને ઉલ્લાસ થાય.
જિનેશ્વર ભગવાનને નમસ્કાર તે ઉત્તમ કોટિનું કર્તવ્ય સુકૃત છે. હવે આ જિનેશ્વર ભગવાન કેવા છે; એ કાવ્યકાર બતાવે છે. “ઉપન સન્માણ મહેમયાણું )
Page #41
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ આ પ્રથમ કાવ્યમાં ભગવાનનાં ત્રણ કારણસૂચક વિશેષણ છે.
જિનેશ્વર ભગવાનને નમસ્કાર કેમ? બીજાને કેમ નહિ? જિનેશ્વર ભગવંતને નમસ્કારનાં કારણે :
જિનેશ્વર ભગવાન “ઉપન્ન-સન્માણ મહેમા ” છે, અર્થાત ઉત્પન્ન થયેલ સમ્યગૂજ્ઞાન રૂપી ––મશ્ન તેજમય છે, મહેમય એટલે તેજોમય, સમ્યગૃજ્ઞાન રૂપી તેજમવ ફક્ત જિનેશ્વર ભગવાન છે, બીજા કોઈ ધર્મના દેવ ઈશ્વર એવા નહિ. અહીં “સન્માણ એટલે સમ્યગૂજ્ઞાન તે કેવળજ્ઞાન, તે અવધિજ્ઞાન નહિ. અહીં સ્થાને ભાવ સમજવાને છે. “સમને ભાવ શું છે? શાસે વચન છે કે–
जो एगम् जाणइ सो सव्वं जाणइ જે એકને જાણે છે, તે સર્વને જાણે છે.
જે એક-એક દ્રવ્યને-એક વસ્તુને જાણે છે, પૂરી રીતે જાણે છે, તે સર્વને જાણે છે. સ્વપર્યાય અને પરપર્યાય :
જે સર્વ સમસ્ત વિશ્વના સમગ્ર દ્રવ્યોને જાણે છે, તે એક દ્રવ્યને પૂર્ણ રીતે સારી રીતે જાણે છે. પ્ર-વસ્તુ સારી રીતે કયારે દેખાય? ઉ-સમસ્ત વિશ્વને દેખીએ તે જ એક વસ્તુને સારી રીતે
દેખી કહેવાય. દરેક વસ્તુમાં બે પર્યાય છે-બે અવસ્થા હેય છે: સ્વપર્યાય અને પરપર્યાય.
Page #42
--------------------------------------------------------------------------
________________
અમિત
સ્વપર્યાય એટલે પિતાના ગુણે-પોતાની અનુવૃત્ત અવસ્થા છે, જે પોતાનામાં સદ્ભાવરૂપે વણાયેલી હોય છે અને પરપર્યાય એટલે જે પોતાનામાં વ્યાવૃત્ત-અભાવ રૂપે વણાયેલી છે, અર્થાત પોતાનામાં નથી, પણ બીજામાં છે. પ્ર.-જે પર્યાય પોતાનામાં નથી, પણ બીજાના પર્યાયે છે
તે પર્યાય આ વસ્તુના કેમ કહી શકાય? ઉ–વસ્તુમાં જેમ અમુક ધર્મો અનુવૃત્ત-અનુસ્મૃત એટલે કે વસ્તુમાં વણાયેલા હોય છે, તેમ એનાથી વિપરીત ધર્મો વ્યાવૃત્ત એટલે કે વસ્તુથી વિમુખ થઈને રહેલા હોય છે: એટલે અનુવૃત્ત ધર્મ જેમ વસ્તુના છે, તેમ વ્યાવૃત્ત ધમે પણ એ જ વસ્તુના છે. દા. ત. ઘડે માટીમય છે, તે જ ઘડે સુવર્ણમય નથી. માટીમય કોણ? તો કે “ઘ સુવર્ણમય કેણ નહીં? તો કે “ઘડો”
અર્થાત જે ઘડે માટીમય છે, તે જ ઘડો સુવર્ણમય નથી. એટલે ઘડાની જ બે અવસ્થા આવી: વિધિરૂપે માટીમયતા અને નિષેધરૂપે સુવર્ણમયતા.
તાત્પર્ય : માટીમયતા એ ઘડાને અનુવૃત્તિ પર્યાય અને સુવર્ણમયતા એ ઘડાને વ્યાવૃત્તિ પર્યાય છે. અનુવૃત્તિ પર્યાય એ સ્વપર્યાય છે અને વ્યાવૃત્તિ પર્યાય એ પરપર્યાય છે.
પરપર્યાય એ બીજાને સાપેક્ષ પર્યાય છે.
દા. ત. આ પેન્સિલ નાની કે મોટી ? તે મોટી છે, અને નાની પણ છે.
મેટા સાથે મૂકીએ તો તે નાની છે અને નાના સાથે મૂકીએ તે તે મોટી છે, તેથી કેઈને મોટા તરીકે જોઈએ તે આ નાની તરીકે ઓળખાય.
Page #43
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ
એ સૂચવે છે કે “ એકને અમુક રૂપે જાણ્યા વગર બીજાને અમુક રૂપે જાણી ન શકાય ”
વસ્તુમાં સમગ્ર વસ્તુના સંબંધ ખીજાની સાથેની સમાનતાથી કે અસમાનતાથી જાણી શકાય.
દરેક વસ્તુમાં જેમ પેાતાના ધર્મ છે, તેમ બીજાની અપેક્ષાએ તે નકારાના ધર્મ પણ છે.
દા. ત. આ વસ્તુ લાકડાની છે કે સાનાની? તા કહેવાય કે લાકડાની; કાણુ આ વસ્તુમાં લાકડ તન્મય છે. સાતુ તન્મય નથી.
૨૦
વસ્તુમાં એક વણાયેલ ધર્મ છે અને બીજા નહિ વણાયેલ ધર્માં છે, વણાયેલ એટલે અનુચુત-અનુવૃત્ત અને હિ વણાયેલ એટલે વ્યાવૃત્ત ધર્યાં. વણાયેલ ધર્મને સ્વપર્યાય કહેવાય અને નહિ વણાયેલ ધર્મોને પર્યાય કહેવાય.
આમ એક વસ્તુને પૂરેપૂરી જાણવી હાય તા એના સમસ્ત અનુવૃત્તિ પર્યાય અને સમસ્ત વ્યાવૃત્તિ પર્યાય જાણવા જોઈએ. આ સમસ્ત વ્યાવૃત્તિ પર્યાયામાં જગતના આ વસ્તુ (દ્રવ્ય )થી ભિન્ન સમસ્ત દ્રવ્યાના ભેદ ( ભિન્નતા) પણ સમાવિષ્ટ છે. તેથી વસ્તુને એના સમસ્ત વ્યાવૃત્તિ પર્યાયાથી જાણવા માટે ઇતર સમસ્ત દ્રવ્યાની ભિન્નતા જાણવી જરૂરી અને છે, અને એ ભિન્નતા જાણવા માટે ઇતર સમસ્ત દ્રવ્યા જાણવા આવશ્યક બને છે, કેમકે એ જાણ્યા હોય તેા જ તેનાથી આ દ્રવ્યમાં ભિન્નતા છે એ સમજી શકાય.
આમ એક દ્રવ્યને પૂરેપૂરૂં... જાણવા માટે જગતના ઈતર સમસ્ત દ્રવ્યો અને એના પાઁયા જાણવા જરૂરી છે, તેથી કહ્યું : ‘નો સર્વ્ય જ્ઞાનદ્ સો પ” નાર્ । ‘ જે સવ ને જાણે
Page #44
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૨૧. છે તે જ એકને પૂરેપૂરું જાણે છે અને જે એકને પૂરેપૂરું જાણે છે, એણે સર્વને પૂરેપૂરા જાણી જ લીધા છે. “ जाणइ सो सव्वं जाणइ'।
આવું એક”ને સંપૂર્ણપણે જાણનાર માત્ર કેવળગાન છે, જ્ઞાનમાત્ર; લેશ પણ કશાનું અજ્ઞાન નહિ, અર્થાત સર્વકાળના સમસ્ત દ્રવ્ય અને તેના સમસ્ત પર્યાનું જ્ઞાન ભૂત, ભવિષ્ય, કઈ કાળને કઈ જ પદાર્થ, દ્રવ્ય કે પર્યાય અજ્ઞાત નહિ. આવા કેવળજ્ઞાન અર્થાત સમ્યકજ્ઞાન રૂપી મહાતેજમય જિનેશ્વર ભગવાનને નમસ્કાર!
જિનેશ્વર ભગવાનમાં કેવળજ્ઞાનનું તેજ ઉત્પન્ન થયું છે, કેવળજ્ઞાન રૂપી તેજવાળા જિનેશ્વર ભગવાન: પ્ર–તો પછી અહીં જિનેશ્વર ભગવાનને કેવળજ્ઞાનરૂપી તેજવાળા કેમ ન કહ્યા? તેજોમય કેમ કહ્યું ? તેજોમય
એટલે તો પોતે જ તેજ, તેજસ્વરૂપ. ઉ.-એકાંતવાદી અને અધુરા જ્ઞાની જૈનેતર ન્યાયાદિ દશનેની
આ માન્યતા છે કે ભગવાનમાં કે આત્મામાં જે જ્ઞાન ગુણ છે, તે આધારથી તદ્દન ભિન્ન છે. તેથી એ એમ સમજે છે કે ભગવાન કે જીવાત્મા જ્ઞાનવાળા કહેવાય, જ્ઞાનમય નહિ, જ્ઞાનસ્વરૂપ નહિ, પરંતુ આ માનવું ખોટું છે, કેમકે જ્ઞાન જે આત્માથી એકાન્ત ભિન્ન જ હોય તે
(૧) આત્મામાં એને સંબંધ જ ન થાય. સંબંધ માટે બીજે સમવાય વગેરે સંબંધ કઃપવા જતાં એ સંબંધ પણ આત્માથી તદ્દન ભિન્ન હાઈ એને ય આત્મામાં સંબંધ નહિ થઈ શકે એ માટે વળી ને સંબંધ ક૨વા જતાં, એવા સંબંધની કલ્પનાને પાર જ નહિ આવે, અર્થાત્ અનવસ્થા થશે.
Page #45
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકારના
(૨) બીજી વાત એ છે કે જ્ઞાન જે જુદી વસ્તુ છે, તો એ આત્માને સ્વભાવ નહિ રહે; કેમકે વસ્તુને સ્વભાવ કાંઈ વસ્તુથી તદ્દન જુદા ન હોય, ત્યારે જે આત્માને શાનસ્વભાવ ન હોય તે તો જ્ઞાનસ્વભાવ વિનાના આત્મામાં આત્મપણું શું ? ચેતન્ય શું ? કશું જ નહિ, એટલે જડ પણ જ્ઞાનસ્વભાવ વિનાના, અને આત્મા ય જ્ઞાન સ્વભાવ વિનાના–એમ આત્મા અને જડ બે સરખા જેવા થઈ જશે!
ખરેખર વિશ્વના સમસ્ત જડ પદાર્થો કરતાં આત્માની આ વિશેષતા છે, કે એ ચેતન છે, એનામાં ચૈતન્ય સ્વભાવ છે, ચૈતન્ય એટલે જ્ઞાન. એ હિસાબે આત્મામાં જ્ઞાનસ્વભાવ છે. અને સ્વભાવ એ વસ્તુ સ્વરૂપ હોય છે, વસ્તુથી અભિન્ન હોય છે, તેથી જ્ઞાનસ્વભાવ આત્માથી અભિન્ન છે. આત્મામાં ભિન્નભિન્ન જ્ઞાન :
પરંતુ આત્મા-શાનની આ અભિન્નતા-અભેદ એકાંતે નથી; કેમકે એમ હોય તો “આત્મામાં જ્ઞાન એવો શબ્દપ્રગ અર્થાત એવો વ્યવહાર નહિ થઈ શકે. જેમકે ઘઉંને ઢગલો થઉંથી એકાન્ત ભિન્ન હોય તો “ઘઉમાં ઢગલે એવે વ્યવહાર નથી થતું. માટે માનવું જોઈએ કે જ્ઞાન એ આત્માને સ્વભાવ હેઈ આમાથી અભિન્ન પણ છે, અને “આત્મામાં જ્ઞાન એમ આધારમાં જુદી જ્ઞાન વસ્તુ રાખવા હિસાબે શાન એ આત્માથી ભિન્ન પણ છે. અર્થાત જ્ઞાન એ આત્માથી ભિન્નભિન્ન છે, પણ એકાંતે ભિન્ન નહિ, એકાંતે અભિન્ન નહિ.
તે આમાં આત્મા શાનથી અભિન્ન હવાના હિસાબે કહી શકાય કે આત્મા જ્ઞાનમય છે, ભગવાન જ્ઞાન તેજોમય છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
અરિહંત, પ્ર-ભગવાનને જ્ઞાનવરૂપ તેજોમય કહ્યા, તે જ્ઞાન એ
તેજ કેવી રીતે? ઉજ્ઞાન એ તેજ જ શું? મહાતેજ છે. દીવા કે સૂર્યનું
તેજ તે રૂપી અને પરિમિત વસ્તુને પ્રકાશ કરે છે, તે પણ એના અમુક ધર્મોનો જ પ્રકાશ કરે છે, એ પણ ચક્ષુના વિષયમાં આવતા પદાર્થોને જ પ્રકાશ કરે છે, તે પણ વર્તમાનમાં વિદ્યમાનનો અને તે પણ વસ્તુની ઉપરમાં દેખાતા ધર્મનો પ્રકાશ કરે છે, જ્યારે જ્ઞાનરૂપી તે જ તે રૂપી અને અરૂપી, અને પ્રકારના પદાર્થોને પ્રકાશ કરે છે, તે પણ અપરિમિત, સર્વ ધર્મોને પ્રકાશ કરે છે, તથા તે પણ સર્વ ઈદ્રિયોથી ગ્રાહ્ય તે શું? ઉપરાંત અતીન્દ્રિય પદાર્થોને પણ પ્રકાશ કરે છે. તે પણ ત્રિકાળના પદાર્થોને અને વસ્તુની આરપાર રહેલા ધર્મોને પ્રકાશ કરે છે.
આમ જ્યારે દીપક કે સૂર્યનું તેજ એ તેજ રૂપ એટલા માટે છે કે એના સહારે આપણને વસ્તુને બંધ થાય છે, તે પછી જ્ઞાનના સહારે તો એથીયે ઘણી ઘણી વસ્તુને બંધ થતો હોય છે. એટલે એને માત્ર તેજ જ શું? પણ મહાતેજ કેમ ન કહેવાય? ઉત્પન્ન સત જ્ઞાન-તેજોમય જિનેશ્વર ભગવાન પ્ર–અહીં ભગવાનને ખાલી સતજ્ઞાન તેજોમય ન કહેતાં ઉત્પન સંત જ્ઞાન–તેજોમય કહીને ભગવાનના એવા સમ્યક્ જ્ઞાન રૂપી તેજને ઉત્પન્ન કરનારૂં ? કેમ કહ્યું ? જ્ઞાન તે પહેલાં કહ્યું, તેમ આત્માનો સ્વભાવ હાઈ આત્મા સાથે જડાયેલું હોય, પછી એને નવું ઉત્પન્ન થવાનું શું?
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૪
નવપદ પ્રકાર
ઉ.-અલમત્ત જ્ઞાન એ આત્માના સ્વભાવ છે, પરંતુ એના પર કનાં આવર્ણ ચઢી ગયાં છે, તેથી આત્માની અંદર સ્વભાવમાં જ્ઞાન પડેલુ છતાં મહારમાં એ પ્રગટ નથી. પ્રગટ કરવા માટે જ્ઞાનાવરણ ખસેડવાની જરૂર છે. તે જ્ઞાનના આ પ્રકારના આચારાના પાલનથી હડાવવા જોઈએ છે. જેટલાં આવરણ હુડે, તેટલા પ્રમાણમાં જ્ઞાન પ્રગટ થાય છે.
આ સૂચવે છે કે જ્ઞાન બાહ્ય પુસ્તક વગેરેમાંથી નથી આવતુ, કિંતુ આત્માની અંદરથી પ્રગટ થાય છે,
અલબત્ત આવર્ણ હટાવી જ્ઞાનને પ્રગટ થવામાં પુસ્તક સહાયક મને છે. આમ પૂવે નહિ અનુભવેલ જ્ઞાન પ્રગટ થાય, ત્યાં જ્ઞાન થયું અર્થાત્ ઉત્પન્ન થયુ એવા વ્યવહાર થાય છે. આ હિસાબે જ પ્રસ્તુતમાં સત્ જ્ઞાન પ્રગટ થવાના અર્થમાં ‘ ઉત્પન્ન” શબ્દ વપરાયેલા છે.
આ પી એ સૂચિત થાય છે કે તીર્થંકર ભગવાન જેવાને પણ આત્માના આંતરિક સ્વભાવમાં કેવળ જ્ઞાન છૂપાયેલું હાવા છતાં એને પ્રગટ કરવા માટે એના ઉપરના આવરણા હટાવવાના ભગીર્થ પુરુષાર્થ કરવા પડે છે તે પછી આણા જેવા માટે એવા પુરુષાર્થ કરવા અંગે પૂછવાનું જ શું?
ઉપસ’હારઃ આમ 6 વિશેષણની વિચારણા થઈ
ઉપન્ન સન્નાણુ મહેામયાણ...” એ
હવે કાવ્યમાંના મીજા વિશેષણ ‘સપ્પાડિહેરાસણ સડિયાણ' વિશેષણના વિચાર કરીએ.
Page #48
--------------------------------------------------------------------------
________________
અરિહંત “સપાડિહેરાસણ સંઠિયાણું)
કાવ્યના પહેલા ચરણથી પ્રભુને ઉત્પન્ન કેવળજ્ઞાન વાળા કહ્યા. કેવળજ્ઞાનવાળા બનીને પ્રભુ શું કરે છે? તો કે સમોસરણના મથાળે સિંહાસન પર બિરાજમાન થાય છે. એ કહેવા માટે “સપાડિહેરાસણ સંઠિયાણું. એવું બીજુ ચરણ કહ્યું :
આ ચરણમાં બતાવેલ વિશેષણનો અર્થ એ છે કે જિનેશ્વર ભગવાન સત પ્રાતિહાર્યરૂપ આસન-સિંહાસન ઉપર સ્વસ્થતાથી બિરાજમાન છે. અથવા “સપાડિહેરાસણ એટલે સપ્રાતિહાર્ય–આસન, અર્થાત્ પ્રભુ આઠ પ્રાતિહાર્ય સહિત સિંહાસન પર બિરાજમાન છે. એવા ભગવાનને હુ વારંવાર નમું છું.
તીર્થકર ભગવાનની વિશિષ્ટ શભા કરનાર આગવી વસ્તુઓને પ્રાતિહાર્ય કહેવામાં આવે છે.
તે વસ્તુ ભગવાન ભગવાન થાય, અર્થાત કેવળજ્ઞાન પ્રગટ થતાં જ તીર્થકર બને ત્યારથી ભગવાનના નિર્વાણ પામતાં સુધી સાથે જ હોય છે, એવા પ્રાતિહાર્ય આઠ છે. આઠ પ્રાતિહાર્યો :
અલબત્ત શાસ્ત્રાય શ્લોકમાં આઠ પ્રાતિહાર્યોમાં અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, આસન, ભામંડલ, દુંદુભિ અને છત્ર” એ ક્રમ આવે છે. આઠ પ્રાતિહાર્યોનું કમ પ્રજન:
આ કમની પાછળ એક પ્રોજન આ રીતનું સમજાય છે.
૧. ભગવાનને કેવળજ્ઞાન થયા પછી આઠ પ્રાતિહાર્ય પ્રગટ થાય છે, એમાં પહેલું પ્રાતિહાર્ય–અશોકવૃક્ષ એટલા માટે છે કે અશોકવૃક્ષ ભગવાનને પોતાની નીચે આશ્રય આપે છે. એ સૂચવે છે કે ભગવાન તીર્થકર બન્યા
Page #49
--------------------------------------------------------------------------
________________
૨૬
નવપદ પ્રકાશ
પછી પહેલું તો જગતના જીવોને આશ્રય આપે છેઆલંબન આપે છે. આરિહંતને આશ્રય લે અર્થાત આરિહંતનું આલંબન કરે તેને, કલ્યાણની શરૂઆત થાય છે અને ભગવાન જે આશ્રય રૂપ બને છે, તેનું પ્રતીક અશોકવૃક્ષ છે, માટે તેને પહેલા પ્રાતિહાર્ય તરીકે મૂકયું.
૨. ભગવાન ભકતોને આલંબન આપ્યા પછી ભકતના દિલમાં ધર્મ અને ગુણેની રૂચી ઊભી કરે છે–સુવાસ ઊભી કરે છે, કેમકે “નમુત્થણમાં “અભયયાણું” પછી “ચકખુદયાણું પદ આવે છે, ત્યાં શ્રી લલિત વિસ્તરામાં “ચકખુ ને અર્થ ધર્મરૂચી (ધર્મનું આકર્ષણ) એ કર્યો છે ને એ અભય” એટલે કે ચિત્તના સ્વાર્થપૂર્વક જ ઉત્પન્ન થાય છે, આ ચિત્તસ્વાથ્યને અરિહંતના આલંબનથી પ્રાપ્ત કરી શકાય. એટલે અરિહંતનું આલંબન પહેલું પ્રાપ્ત કરવું જોઈએ, તે પછી ચક્ષુ એટલે કે ધર્મની રૂચી–આકર્ષણ પ્રાપ્ત થાય. એ આત્મામાં એક જાતની સુવાસ છે અને તેના પ્રતીક રૂપે પુષ્પવૃષ્ટિ છે. જેમ પુષ્પ સુવાસ ફેલાવે છે, તેમ ભગવાન ભકતોના દિલમાં ધર્મની ને ગુણેની સુવાસ ફેલાવે છે.
૩. ભકતોના દિલમાં ધર્મનું આકર્ષણ ઊભું કર્યા પછી પ્રભુ ધર્મનું સંગીત રેલાવે છે. એના પ્રતીક રૂપે દિવ્યવનિ છે.
૪. પ્રભુ પાસેથી ધમસંગીત-ધર્મદેશના મળ્યા પછી એ દેશના શું કરે છે? તે કે ભગવાન ભક્તના બન્ને પક્ષને એ દેશના દ્વારા ઉજજવળ કરે છે. (૧) સ્વપક્ષ અર્થાત ધર્મસાધનાદ્વારા ભક્તના પિતાના આત્માનું હિત અને (૨) પસ્પક્ષ અર્થાત ભક્ત તરફથી પરાર્થકરણ દ્વારા પર આત્માઓનું હિત ઉત્તેજિત કરે છે.
Page #50
--------------------------------------------------------------------------
________________
૧૭
અરિહંત
આમ પ્રભુ ના સ્વપક્ષ-પરપક્ષને ઉજજવળ કરતા હેવાથી તેના પ્રતીક રૂપે કુદરત (તીર્થકર નામ કર્મને ઉદય) એમને બે બાજુ સફેદ ચામર વીંઝે છે.
(૫) આમ છે જ્યારે સ્વપરહિદ્યોત બને છે, ત્યારે એ હિતના-ઉત્કર્ષના પ્રભાવે અન્ય સૂક્ષ્મ પણ જીવને વિશિષ્ટ અભયદાતા બને છે. એટલે એ જીવને પોતાના હૃદયમાં નિર્ભય બેઠક મળી જાય છે. દા. ત. બળદેવ મુનિ પોતાના અલૌકિક રૂપથી આકર્ષાઈ નગરની સ્ત્રીઓ મોહના કારમા પાપમાં ન પડે એ ભાવદયાથી પ્રેરાઈને જંગલમાં રહેતા હતા, ત્યાં પણ જંગલી પશુઓ વગેરે પર એવી ઉચ્ચ કક્ષાની કરુણ ધરતા હતા અર્થાત એમના હૃદયમાં પરસ્પર વિરોધી સિંહ-હરણ, સાપ-નેળિયે, શિયાળ-સસલું વગેરે છે એવું સ્થાનએવી બેઠક પામ્યા હતા કે એમના સાંનિધ્યમાં એ બધા છે જ્યારે આવતા, ત્યારે વેરભાવ ભૂલી મૈત્રીભાવથી ત્યાં રહેતા
આ બધું અરિહંત પરમાત્માના પ્રભાવે બનતુ હેવાથી, કહેવાય કે પ્રભુ જ પોતે જીવોના દિલમાં વેરી જીવોને પણ બેઠક આપતા એટલે તેના પ્રતીક રૂપે પ્રભુની પાસે હમેશાં દિવ્ય સિંહાસન બેઠક માટે હાજર રહે છે.
(૬) જીવોના સ્વપક્ષ-પરપક્ષ અર્થાત સ્વહિત–પરહિત બંને ઉજવળ થઈ ગયા એટલે પરમાત્માના એ ઉપકાર દ્વારા જીવનનું ધર્મતેજ વધે છે; એ ધર્મતેજના પ્રભાવમાં બીજાઓ એવા પ્રભાવિત થઈ જાય છે કે આમની સામે કશે વિરોધ તે નહીં, પરંતુ એમને ફૂકતા ને ભજતા થઈ જાય છે. દા. ત. જન્મતાં અઠ્ઠમના આરાધક નાગકેતુ મોટા થયે અરિહંત પ્રભુના પરમ ભકત બન્યા હતા અને
Page #51
--------------------------------------------------------------------------
________________
૨૮
નવપદ પ્રકાશ
પ્રભુએ કહેલા શ્રાવકના માવ્રત વગેરે ઉત્તમ વ્રત-નિયમ સયમ ધરનારા હતા. પ્રભુના આ ઉપકારથી એમનું ધર્મોતેજ એવું વિકસેલું કે એકવાર ચાર નહીં, પરંતુ ખાટી રીતે ચાર તરીકે રાજાથી મરાવી નખાયેલ માણસ વ્યંતર દેવ થઈ, એણે રાજાને નીચે પછાડી, નગર ઉપર ઉપર માટી શીલા વિષુવી. અને તે નીચે નીચે લાવી રહ્યો હતા, એ વખતે જિનમંદિર તથા સંઘ અને જીવોને બચાવી લેવા નાગકેતુએ મૉંદિરના શિખર પર ચઢી, આંગળી ઊંચી કરી. એમના ધ તેજથી દેવતા ડઘાઈ ગયા, શિલા સ’હરી લીધી અને નાગકેતુને નમી પડયે!. તેમજ એમના આદેશાનુસાર રાજાને ( સ્વસ્થ કરી કાયમ માટે મંદિર અને સંઘના રક્ષક બની ગયા' પાત્માના જીવાને આ ધર્મ તેજ આપવાના પ્રતીક રૂપે ભામંડલ પ્રભુના મુખ પાછળ એક તેજોવતુ ળરૂપે ગાવાઈ પ્રભુના મુખારવિંદની કાન્તિમાં વધારો કરી દે છે.
(૭) પ્રભુના ઉપકારદ્વારા જીવામાં ધ તેજ વધ્યાથી લાકમાં એમને યશવાદ ગવાય છે, એ જ્યાં જાય ત્યાં એ વ્યાપેલા યાવાદથી એમના ગુણા અને મહિમા લોકોમાં ગાજે છે. પ્રભુના આ ઉપકારના પ્રતીક રૂપે આકાશમાં દુદુભિ નામનું દેવતાઈ વાજિંત્ર પ્રભુના પ્રાતિહાર્ય રૂપે ગાતું વાતું રહે છે અને એ ગિતમાં જાણે ધાષણા કરે છે કે અહી' ધનરેશ્વર આવ્યા છે,’
(૮) વાના ધ તેજ અને યશવાદથી ત્રણે લાકમાં એમની એવી કીતિ કેલાય છે કે એમના માથે જાણે ત્રણે લાકના દેવતાઓ અને મનુષ્યોની અપરંપાર
ભક્તિ વરસે પ્રતીક રૂપે
છે. પ્રભુના સાધક જીવા પરના આ ઉપકારના પ્રભુના માથે ત્રણ છત્ર સદા ધરાતાં રહે છે. છત્રમાં નીચેનું નાનું, તે પર માઢક હોય છે. આમ ઉપર
આ ત્રણ
Page #52
--------------------------------------------------------------------------
________________
તિ
૨૯
ઉપર વધતા જતાં છત્ર સૂચવે છે કે પ્રભુની પુણ્યશ્રી અર્થાત્ પવિત્ર એન્થય વધતું ને વધતુ રહે છે. અને પ્રભુને ભુજનારની પુણ્યશ્રી પણ ઉત્તરોત્તર વધતી ચાલે છે.
પ્રાતિહાય ધ્યાનથી લાભ :
તીર્થંકર ભગવાનના આઠ પ્રાતિહા ની પાછળના આ હેતુઓ સૂચવે છે કે તે તે પ્રાતિહા થી નિર્દેશાતા લાભ પ્રાપ્ત કરવા હોય એ અરિહંત ભગવાનનુ તે તે પ્રાતિહા સાથે ધ્યાન કરે તે! એને એવા પ્રાતિહા યુક્ત અરિહંતના ધ્યાનથી તેના તેનાથી નિર્દિષ્ટ આસહિતને લાભ થાય છે. દા. ત. અરિહંત પરમાત્માનું એકલા અાકવૃક્ષ સાથે ધ્યાન કરે, એને પ્રભુના કાયમી આશ્રય મળે છે, એટલે કે દરેકે દરેક પ્રસંગમાં એના મનમાં આલખન રૂપે અરિહંત પ્રભુ ઉપસ્થિત થઈ જાય છે.
એમ પ્રભુનું સુવાસ ફેલાવતી પુષ્પવૃષ્ટિ સાથે ધ્યાન કરે તે એના દિલમાં ધર્મ અને ગુણેાની સુવાસ ફેલાઈ જાય છે, અર્થાત્ દુન્યવી મહાસમૃદ્ધિ-સન્માનના આકષ ણ મૂકાઈ જઈ, અને તુચ્છ લેખી ધમ અને ગુણાના અદ્ભુત આકર્ષણ ઊભા થઈ જાય છે.
એમ દરેકે દરેકે પ્રાતિહા માટે સમજવુ,
પ્રાતિહા નું ધ્યાન માત્ર આવા લોકોત્તર લાલ કરી આપે છે, એમ નહીં, કિન્તુ તેવા તેવા ચમત્કારિક લૌકિક લાભ પણ કરી આપી વ માન જીવાના સ્તરમાં એને ઊંચે ઊંચકે છે અર્થાત્ ઊચુ સ્થાન અપાવે છે,
આઠ પ્રાતિહા ને યાદ રાખવાના સરળ ઉપાય :
આ આઠ પ્રાતિહા ને સહેલાઈથી યાદ રાખવા માટે પ્રભુની નીચેથી ઉપર સુધી જોતાં જવુ`દા. ત. (૧) પ્રભુની
Page #53
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ
નીચે સિંહાસન, એની ઉપર (૨) પ્રભુની બે બાજુ વીંઝાતા ચામર, તેની ઉપર (૩) પ્રભુના મુખની પાછલી તેજસ્વી ભામંડળ એની ઉપર (૪) પ્રભુને માથે ત્રણ છત્ર, એની ઉપર (૫)અશોકવૃક્ષ, એની ઉપર, (૬) દેવ દુંદુભિ, એની નીચ(૭) પ્રભુની આસપાસ સુરપુષ્પ વૃષ્ટિ, એની વચમાં (૮) દિવ્ય ધ્વનિ અર્થાત્ પ્રભુની માલકેશ મુખ્ય રાગવાળી વાણીમાં વાજિંત્રના સૂર પૂરતી દેવતાઈ બંસરીના વિનિ.
આમાં સિંહાસન ઝગારા મારતા રત્નોનું બનેલું અને બેસવામાં માખણના પીડા જેવું મુલાયમ હોય છે. સિંહાસન પર બેસી નીચે લટકતા પગને મૂકવા માટે સિંહાસનની આગળ રત્નજડિત સુકમળ પાદપીઠ હેય છે. પ્રભુ જ્યારે સિંહાસન પરથી ઊઠી ચાલવા માંડે છે, ત્યારે પાદપીઠ યુક્ત સિંહાસન આપમેળે આકાશમાં ચાલ્યું જઈ પ્રભુની સાથે સાથે ઉપરમાં આગળ આગળ વધતું (ચાલતું) રહે છે, અને જ્યાં પ્રભુ અટકીને બેસવાની તૈયારી કરે છે, ત્યાં જ એ નીચે ઉતરી પ્રભુને બેસવા માટે પાછળ જમીન પર ગોઠવાઈ જાય છે.
વિહાર વખતે પ્રાતિહાર્યો :
આઠે પ્રાતિહાર્ય સમોસરણ પર જોવા મળે છે. પરંતુ પ્રભુ જ્યારે વિહાર કરે છે, ત્યારે અશોકવૃક્ષ, પુષ્પવૃષ્ટિ અને દિવ્યધ્વનિ સિવાયના પ્રાતિહાર્યાં પ્રભુની સાથે રહે છે. તેમજ વિહાર પછી પ્રભુ જ્યાં સ્થિરતા કરે છે, ત્યાં આગળથી સુગંધિત જલવૃષ્ટિ થઈને ઉડતી રજ વગેરે શાંત થઈ જાતાવરણ મઘમઘામય બને છે અને ત્યાં ઊંચે અતિ વિશાલ અરોકવૃક્ષ નામને પ્રાતિહાર્ય વિસ્તરે છે.
Page #54
--------------------------------------------------------------------------
________________
અરિહંત પ્રભુના અતિશયની અસર:
આ આઠ પ્રાતિહાર્યની વિશિષ્ટ સભાની જેમ બીજી પણે કેટલીક શોભા પ્રસંગવશ ઉપસ્થિત થાય છે. દા. ત. પ્રભુ ચાલતા હોય ત્યારે પ્રભુને આ પાપભી અને કચરાળી પૃથ્વી ઉપર પગ ન દેવા માટે, દેવતા માખણના પીંડા જેવા સુકમળ નવ સુવર્ણ કમળ એવી રીતે ગોઠવે છે કે પ્રભુના પવિત્ર ચરણ એના પર જ પડે. એમાં જેમ જેમ પ્રભુ આગળ ડગલાં માંડે, તેમ તેમ પાછળનાં બબ્બે સુવર્ણ કમલા અદશ્ય થઈ આગળ આગળ બબે સુવર્ણ કમળ પ્રગટ થતાં રહે છે.
વળી પ્રભુ વિચરે ત્યાં છએ હતુ અનુકૂળ બની જાય છે, જેથી ત્યાં સૌને હતુઓને કેઈ ત્રાસ ન અનુભવાતા સૌમ્ય ગડતુઓનો અનુભવ છે.
વળી પ્રભુ વિચરે તે માર્ગ ઉપરના કાંટા ઊંધા થઈ જાય છે, જેથી પ્રભુની સાથે ચાલતા કેઈને એ વાગે નહીં પ્રભુ વિચરતા હોય, ત્યારે બન્ને બાજુના અક્કડ ઝાડ પણ પ્રભુને નમસ્કાર કરતા હોય એમ ઝૂકતાં રહે છે.
તેમજ પ્રભુના માથે આકાશમાં પંખેર પ્રદક્ષિણા દેતાં હેય એમ ઘુમરી લેતાં રહે છે. પ્રભુને દેશના દેવા માટે દેવતાઓ જમીન પરના ઝાડને આંચ ન આવે, એ રીતે ઝાડની ટોચ ઉપર આકાશમાં અદ્ધર ચાંદી, સોનું અને રત્નના મેટા ત્રણ કિલ્લા રચે છે, એને સાસરણ કહે છે. એમાં સૌથી નીચેને ચાંદીનો કિલ્લો હોય છે. એ કિલ્લાને સેનાના કાંગરા હોય છે, એ કિલ્લાની ઉપર વચમાં સેનાને કિ હોય છે, તેને રત્નના કાંગરા હોય છે. એની ઉપર વચમાં સ્તનને કિલે મણિના કાંગરાવાળો હોય છે. એ
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૨
નવપદ પ્રકાશ કિલ્લામાં સપાટી રચેલી હેાય છે, તેના ઉપર બરાબર મધ્યમાં ઊંચું અતિ વિશાળ અશોક વૃક્ષ હેય છે, જે આખા સમોસરણને છાયા સાથે ચારે બાજુ જગતી-દેવછંદ (વ્યાસપીઠ) હોય છે. અને વૃક્ષના થડની ચારે દિશામાં એ જગતી ઉપર પાદપીઠ સહિત રત્ન સિંહાસન ગોઠવાય છે. એમાં પૂર્વ દિશાના સિંહાસન ઉપર પ્રભુ બિરાજમાન થાય છે, અને બાકીની ત્રણ દિશાના સિંહાસન ઉપર પ્રભુનાં આબેહૂબ બિંબ ગોઠવાય છે, જે જીવંત બોલતા પ્રભુ જેવા જ દેખાય છે. પ્રભુની ચારેબાજુ ત્રીજા કિલ્લાના અંદરના ભાગમાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા અને વ્યંતર, ભવનપતિ,
જ્યોતિષી, તથા વૈમાનિક એમ ચાર પ્રકારના દેવો ને દેવીઓ એમ કુલ બાર પર્ષદા બેસે છે.
પ્રભુની આગળ, હરણ-હરિણીથી સેવાતું ધર્મચક હોય છે અને સાસરણની બહાર આતશય ઊંચા રત્નમય દંડવાળો ધર્મવજ હોય છે.
આ સસરણ ઉપર પાંચે વર્ણનાં ઝીણાં તાજાં પુષ્પોની એવી મંદ મંદ ઝરમર ઝરમર વૃષ્ટિ થતી રહે છે કે જેને પમરાટ આખા સમોસરણ પર પથરાઈ જઈ, વાતાવરણને એવું મહેતું કરી દે છે કે ત્યાંથી કેઈને ઊઠવાનું મન ન થાય, અને નાસિકામાં સુગંધીને શેરડે આવ્યા જ કરે.
કાવ્યમાં “સપાડિહેરાસણ” કહી.
(૧) સપ્રાતિહાર્ય આસન અર્થાત અષ્ટ પ્રાતિહાર્ય સહિતના સિંહાસન પર “સંસ્થિત સારી રીતે બિરાજમાન કહ્યા અથવા
(૨) “સત પ્રાતિહાર્ય–આસન.” કહીને સત પ્રાતિહાર્ય સ્વરૂપ સિંહાસન પર પ્રભુને સંસ્થિત કહ્યા, એમાં “સત”
Page #56
--------------------------------------------------------------------------
________________
અહિ ત
33
યુદ્ધ એટલા માટે મૂકયુ છે કે આ પ્રાતિહા કાલ્પનિક નથી, કિન્તુ વાસ્તવિક હકીકત છે.
એટલે કે પ્રાતિહા ના વર્ણન પ્રમાણે તે તે પ્રાતિહા ત્યાં ઉપસ્થિત હાય છે, જેને જ્ગત જોઈ શકે છે.
આવા વાસ્તવિક પ્રાતિહાય એ તીર્થંકર નામકર્મોના પુન્ય સહિત ઈંતર્ ઉત્કૃષ્ટ પુન્યાના સમૂહના ઉડ્ડયનું ફળ છે.
એવા સત્ પ્રાતિહા રૂપ સિંહાસન પર પ્રભુ સંસ્થિત એટલે કે સમ્યગ્ રીતે અર્થાત્ ખૂબ ખૂબ સ્વસ્થતાથી આરામથી પ્રભુ બિરાજમાન હાય છે, એવા અરિહંત ભગવતાને મારો નમસ્કાર હો. સત પદાર્થોની દેશના :
·
વળી આ પ્રભુ કેવા છે ? અર્થાત સિ’હાસન પર બિરાજમાન થઈ શુ કરતા હોય છે ? એવી જિજ્ઞાસા પૂરવા કહ્યું “ સદેસણાઽડણ ક્રિય–સણા છે આ વિશેષણના અ એ છે કે ભગવાનની સત્ દેશનાથી સજ્જના આન દ્વિત થાય છે. આમાં દેશનાનું ‘સત્” એવુ* વિશેષણ મૂક્યુ, એના ભાવ એ છે કે ભગવાન સત્ પદાર્થોની દેશના આપે છે, પણ નહિ કે અસત્-મન: કલ્પિત પદાર્થાની.
‘ સત્' એટલે જે જગતમાં ખરેખર વિદ્યમાન છે, અને તેને કેવળજ્ઞાનથી સંપૂર્ણ સ્વરૂપે પ્રત્યક્ષ જોતાં થકા તે રૂપે તેને દેશનામાં વર્ણવે છે, તેથી દેશના યથાર્થ અર્થાત વાસ્તવિક પદાર્થાનુસારી હોય છે.
ઈતર ધર્મના સ્થાપકો સજ્ઞ ન હોવાથી પાતાના માનેલા તર્ક અનુસાર સૂક્ષ્મ અતીન્દ્રિય પદાર્થોની કલ્પનાગરી લઈ એવા. વાસ્તવમાં વ્યસત પદ્મર્યાની પ્રરૂપણા એમને કરી પડે છે, તેમાં પણ અવાંતર વિરોષી અતીન્દ્રિય હેઈ પિત
3
Page #57
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ અધૂરા જ્ઞાનથી જોઈ શકતા ન હોઈ, એ અંગે કલ્પનાના ઘેડા જ દોડાવવા પડે છે. દા. ત. મફતવ તે માન્યું, પરંતુ મોક્ષનું સ્વરૂપ પ્રત્યક્ષ દેખી શકતા ન હોવાથી મેલના અવાંતર વિશેષ અંગે તાકાબાજી જ એમને કરવી પડે; જ્યારે જિનેશ્વર ભગવાનની ઉત્કૃષ્ટ અહિંસા-સંયમ–તપથી સમસ્ત જ્ઞાનાવરણને નાશ કરી, સર્વજ્ઞ બનેલા હોય છે, તેથી અતીન્દ્રિય દ્રષ્ટા અને અરૂપિદ્રષ્ટા છે, એટલે જ એ સંપૂર્ણ જ્ઞાનમાં વિશ્વ અને એની રીતભાત જેવી જુએ છે, તેવી જ પ્રરૂપે છે.
આ રીતે સત પદાર્થોની યથાર્થ દેશનાથી ભગવાન સજ્જનોને આનંદિત કરનારા હોય છે. પ્ર-સજ્જને એટલે કેણુ?
સજજને એટલે? ઉ–અલબત બુદ્ધિના નિધાન બુદ્ધિના વૈભવવાળા ઇંદ્રભૂતિ જેવા, માધાંતા, જે બીજા સાથે વાદ કરી શકે તેવા પ્રતિભાવાળા-ખૂબ પાંડિત્યવાળા-આવા સજનેને તો ભગવાનની દેશના આનંદ આપે જ છે.
કિન્તુ સજજને એટલે કે બુગ્રહ, પૂર્વગ્રહ, દુરાગ્રહ, મહામહ, મહામિથ્યાત્વ, વગેરે દૂષણેથી રહિત અને જિજ્ઞાસુ એ પણ સજ્જન છે. એમાં સામાન્ય મનુષ્ય ઉપસંત પંચેન્દ્રિય તિર્યંચા પણ આવે, જે સમોસરણ પર આવેલા હોય છે. આવા પણ સજનાં હૈયાંને ડોલાવે તેવી વાણી ભગવાન પીરસે છે, એટલે કે માત્ર પંડિતે જ નહિ, કિંતુ સામાન્ય પણ જીવોને સમ્ય દેશનાથી આનંદિત કરનાર-મુગ્ધ કરનાર વ્યક્તિ કરનારા જિનેશ્વર ભગવંત છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
માહિત
મા ત્રણ વિરોણા અને જિણાણ” પદમાં ભગવાનના ચાર મૂળાતિયા સૂચિત છે,
(૧) ઉપ્પન્ન-સનાણ-મહામયાણ આમાં જ્ઞાનાતિશય મતાવેલ છે. (કેવળજ્ઞાન તે જ્ઞાનાતિય) (૨) સમ્પાડિહેરાસણ સક્રિયાણ. આમાં પૂજાતિશય બતાવેલ છે. (પ્રાતિહા એ દેવકૃત પૂજાતિશય છે) (૩) સદ્દેસણાડડયિસજ્જણાણ-આમાં વચનાતિશય અતાવે છે.
(૪) જિણાણ એટલે રાગદ્વેષ રૂપી અપાયા (આત્મગુણના ઘાતક અનર્થા )ને દૂર કરી વીતરાગ અનેલા -એમ કહીને ચાથા અપાયાપગમ અતિશય સૂચભ્યા.
પ્ર.-જ્ઞાનાતિશય કેવળજ્ઞાન તા સામાન્ય કેવળીને પણ હાય છે, તા પ્રભુનુ કેવળજ્ઞાન એ અતિશયરૂપ અર્થાત્ વિશિષ્ટ કોટિનું શી રીતે ?
34
ઉ.–તી કર પ્રભુત્તુ કેવળજ્ઞાન વિશિષ્ટ કોટિનું એ રીતે કે એમના કેવળજ્ઞાનથી પ્રકાશિત તત્ત્વ અને માનુ જ્જતને પ્રકાશન કરે છે, એના આધારે જ પુછી વિશિષ્ટ વે. આસધના કરીને કેવળજ્ઞાન પામે છે, એટલે બીજાઆના કેવળજ્ઞાનનુ ઉત્પાદક લહાવારૂપે ભગવાનનુ કેવળજ્ઞાન વિશિષ્ટ કોટિનું માટે અતિશય રૂપ છે,
“ નમા નમા હાઉ સયા જિણાણાં
""
કારવાર નમસ્કારના લાભ :
'
એવા જિનેશ્વર ભગવતાને “ નમા તમે હેાઉ સયા ” અર્થાત્ હંમેશાં વારંવાર નમસ્કાર હો. આની સામાન્ય
Page #59
--------------------------------------------------------------------------
________________
૩૬
નવપદ પ્રકાશ
વ્યાખ્યા પ્રાર્ભમાં પૂર્વે કરી છે, પરંતુ અહી' પ્રસ’ગ હાવાથી એની સ્પષ્ટરૂપે અને એમાં ઊઠતા પ્રશ્નના સમાધાન સાથે ફરીથી વિચારર્ણા કરી લઈ એ.
6
અહીં‘ નમા નમા ’–એ વાર કહ્યું : એ વીપ્સા કહેવાય, અને તેના અર્થ વારવાર” તે ક્રિયા કર્યાની એવા થાય. દા. ત. વાચાલ માણસ ખેલ મેલ કરે છે, અર્થાત્ વાર વાર ખેલે છે. એવી રીતે સિદ્ધચસનમાનમ:' એટલે સિદ્ધચક્રને વારંવાર નમસ્કાર કરૂ છું.
પ્ર.-નમે! નમાની સાથે હોવુ પદ વધારે પડતુ' નથી ? ઉ.-ના. કેમકે આ પદ વિના એકલા નમા પદ્મથી ‘હુક વ માનમાં નમસ્કાર કરુ` ' એટલે અર્થ થાય, કિંતુ ‘સયા' પદથી ‘સદા' એટલે કે ભાવષ્યમાં નમસ્કાર કર્વાનુ` સૂચિત છે, માટે હોવુ એટલે કે ભવિષ્યમાં પણ હા, એવું સૂચવે છે.
પ્ર.–અહીં ‘નમા નમા સયા જિણાણ...” એમ કહી જિનેશ્ર્વર દેવાને હમેશાં નમસ્કાર હોવાનું સૂચવ્યું. તે કેમ ઘટે ? કારણ, ભવિષ્યના અંધા કાળ જિનને એકલી નમસ્કારની ક્રિયા થાડી જ કરાતી હાય છે ? તે ‘ નથી કરાતી” તા પછી ‘સદા નમસ્કાર’એ વચન અસત્ય નહિ રે ?
ઉ. બધા જ કાળ એકલી નમનિક્રયા ચાલુ નથી, એય સાચુ’, તે પણ ‘નમેા નમે। સયા” કથન ખાટુ નથી. કેમકે આ કથન તેવા અભિગ્રહની જેમ શુભ ભાવને પૂનારૂ છે.
દા. ત. કોઈએ અભિગ્રહુ યાને નિયમ –પ્રતિજ્ઞા
Page #60
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૩૭
કરેલ હાય કે “ મારે જીવનભર ગ્લાન મુનિની સેવા કરવી.” હવે આ પ્રતિજ્ઞાના વિષય કાંઈ રોજ મળે એવા નથી; રાજ કાંઈ મુનિ પ્લાન મળે જ એવુ અનતું નથી, એટલે હમેશાં ગ્લાનની સેવા કરવાનુ અનવાનુ નહિ, તા શુ' નિયમ ભંગ કર્યાં ? પ્રતિજ્ઞા ખાટી પાડી ? ના, ગ્લાન મળે ત્યારે તેા સેવા કરે જ છે, તે જેવી રીતે આ પ્રતિજ્ઞા શુભ ભાવની પ્રેરક છે, માટે યથાય છે, તેવી રીતે અહીં સ`જિનાને હું સદા નમુ` છું; એ કથન પણ ચિત્તમાં પ્રશસ્ત ભાવને પૂરે છે, માટે એ યથાર્થ જ છે,
શુભ ભાવનું પૂરક આ રીતે કે જેમ પેલી પ્રતિજ્ઞામાં હુંમેશ માટે ગ્લાન માટે સદ્ભાવ લાગણીવશતા, તથા પોતાના ભાગ આપવાની ધગશ, અને ગ્લાનને સમાધિ આપવાની વૃત્તિ, જિનાજ્ઞા-પાલનની ધગશ, વગેરે શુભ ભાવ પોષાય છે, તેમ અહીં “નમેા નમા સયા જિણાણું ” કથનમાં પણ સદ્દાને માટે સ જિનેન્ધો પ્રત્યે પૂજ્યભાવ, બહુમાન, પોતાના અપક, નમ્રતા ઇત્યાદિ પ્રશસ્ત ભાવતુ પાષણ થાય છે, તેથી જ આ કથન જૂઠ્ઠુંં નથી, ભલે હુ ંમેશાં જિનેધાને એકલી નમસ્કારની ક્રિયા ન કરે.
શ્રી યા વિ૦ કૃત શ્રી નવપદ્રજીની પૂજામાં શ્રી રત્ન— શેખર સૂરિષ્કૃત “ઉત્પન્ન સન્નાણુ...” વાળી ગાથા પછી હવે શ્રી જ્ઞાનવિમલસૂરિષ્કૃત ભુજગપ્રયાત છંદમાં કાન્યા આવે છે.
તે “નમાડનત સતપ્રમાદ્ન પ્રદાન ”...થી શરૂ થાય છે, તેની હવે વિચારણા કરીએ.
Page #61
--------------------------------------------------------------------------
________________
૩૮
(ભુજંગપ્રયાત વ્રુત્તમ)
“ નમાડનત સંત પ્રમાદ પ્રદાન પ્રધાનાય ભવ્યાત્મને ભાસ્વતાય; થયા જેહના ધ્યાનથી સૌમ્યભાજા સદા સિદ્ધચક્રાય શ્રીપાલ રાજા”...(૨)
વૃત્તા–નમસ્કાર હો હમેશાં તે સિઝુચક્રને જે અનત સત્તાને આનă આપવામાં અથવા જે અનંત અને સત્-વાસ્તવિક આનંદ આપવામાં મુખ્ય છે, જે ભવ્યાત્માને પ્રકાશક છે અને જેના ધ્યાનથી શ્રીપાળ રાજા સુખને ભજવાવાળા થયા છે. (૧)
શાસનનું સસ્વઃ-શ્રીસિદ્ધચક્ર
શાસનનું સર્વસ્વ:-નવપદ
નવપદ પ્રકાશ
અનંત ઉપકારી શાસનદેવ ફરમાવે છે કે શાસનનું સર્વસ્વ નવપદ છે, અહિંંત-સિદ્ધ–આચાય –ઉપાધ્યાયસાધુ–દન–જ્ઞાન-ચારિત્ર-તપ આ નવપદ છે. આ શાસનનું સર્વસ્વ એટલા માટે કે ભગવાનનું શાસન તે પ્રવચન છે, અને દ્વાદશાંગી પ્રવચન પાંચ પર્મેષ્ઠિ અને દાન-જ્ઞાનચારિત્ર-તપ અંગે જ છે,
ભગવાને શાસન સ્થાપ્યું ને પ્રવચન આપ્યું, તે અથી આપ્યુ’; ગંણધર ભગવતે તે સૂત્રમાં ગૂંથ્યુ', તે પ્રવચનના સાર શા?
સયમ અને સચમી :
પ્રવચનના સાર સયમ છે, દન-જ્ઞાન-ચારિત્ર-તપ પૂર્વી પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના જ્ઞાનપૂર્વક આચરણ વાળું જે છે તે સંયમ ગણાય છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૩૯
દર્શન-જ્ઞાન–ચારિત્ર-તપને જીવાડનાર તે સયમ છે તે પ્રવચનનુ સર્વસ્વ છે. સચમને સાંગાપાંગ જીવનમાં ઉતારનાર અરિહં‘ત ભગવંત છે, સિદ્ધ ભગવંત છે. સયમની ઉચ્ચ આરાધના કરાર આચાર્ય, ઉપાધ્યાય, સાધુ છે. પંચ પરમેષ્ઠિ સયમી છે,
તેમનો ધર્મ છે સંયમ. તે ભગવાનના શાસનનું સર્વસ્વ છે. તેના ગુણગાન ગાવા માટે આ નવપટ્ટજીની પૂજા છે.
આ પૂજામાં નવપદ્મના અદ્ભુત ભાવાને ખેાલવામાં આવે છે. એના પર આત્માને જો ધ્યાન લાગી જાય, નવપદના ભાવ વિસ્તારથી સમજી લેવામાં આવે, પછી તે ભાવ પર ચિંતન કરવામાં આવે તે આત્માના કર્મોના ઘણા કચરા, માહના ઘણા કચરા સાફ થઈ જાય.
તે મહાન મહિમાને ગાતાં અહી શ્લાકમાં કવિ કહે છે કે નમાડનત સંત પ્રમાદ પ્રદાન પ્રધાનાય
નવપદ એટલે સિદ્ધચક્ર
સિદ્ધચક્ર તે ચક્રવતી : સિદ્ધપદ :
પ્ર.–અરિહંતાગ્નિ નવપદ્મને સિદ્ધચક્ર કેમ કહેવામાં આવેલ છે ? ઉ,-ચક્રવતી ને ચક્ર છે, તે છ ખંડનું સામ્રાજ્ય ચક્રથી સાધે છે, સિદ્ધચક્ર તે નવપદનુ ચક્ર છે, ચક્ર એવુંકે જેનાથી મેાક્ષનુ સામ્રાજ્ય સધાય છે, અર્થાત્ જે આત્માને સિદ્ધ મનાવે છે; પરંતુ સિદ્ધ મનવાનું મન તેને જ થાય જેને સંસારના થાક લાગ્યા હોય, અર્થાત્ સસારના અનંત પરિભ્રમણ પર કટાળો આવ્યા હાય, સંસાર શુ છે ?
સંસાર એટલે સ’સરણ અર્થાત્ પરિભ્રમણ, જ્યાં કોઈ
Page #63
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ
સ્થિરતા નથી. સંસારી અવસ્થામાં જીવને કર્મની પરવશતા
છે. તેથી જીવની કઈ Value નથી, | કર્મસત્તા ફૂટબોલની માફક જીવને ઉછાળે છે; એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે, કયાંય કે સ્થિરતા છે ખરી? ના, કેઈ શરીરમાં પણ સ્થિરતા નથી. માધાંતા પહેલવાનને પણ શરીર છોડી જવું પડે છે.
- મનુષ્ય શરીરને પાળી પોષીને સાચવ્યું, સરસ બનાવ્યું, પણ શરીર અંતે નાશવંત, એવું શરીર શું કામનું ? ભલે સે વર્ષ સારી રીતે સાચવો. છેવટે શું?
શેઠે હવેલી બંધાવી, હવેલી બંધાવતાં બાર વર્ષ લાગ્યા. શેઠ પિઈન્ટરને કહે: “એ રંગ લગાવજે કે સો વર્ષ સુધી તે જાય નહીં.”
પેઈન્ટર એવો તે કયો રંગ કે જે સે વર્ષ ટકા હશે ?
શેઠ: હવેલીને એકવાર રંગ લગાવ, પછી આરસથી રંગ ઘસી નાખ; ફરીથી રંગ લગાવ, ફરીથી ઘસી નાખ,
આમ સે કેટીંગ ચઢાવ, ભલે એમ કરતાં બાર મહિના લાગે, જે હવેલી બાંધતાં બાર વર્ષ લાગ્યા, તે રંગ લગાવતાં બાર મહિના જાય એ શું વધારે છે?
બસ, પછી નિરાતે તે હવેલીમાં આરામથી રહું,
આ વાત ચાલતી હતી, ત્યારે સાધુ મહારાજ ત્યાંથી પસાર થયા. તેઓ હસવા લાગ્યા. આ જોઈ શેઠને થયું ? મહારાજ કેમ હસ્યા હશે ? પૂછી તે જોઉં.
અવસર પામીને શેઠ સાધુ મહારાજને પૂછવા ગયા, શેઠ બોલ્યા: “મહારાજ સાહેબ! આપ હસ્યા કેમ?”
Page #64
--------------------------------------------------------------------------
________________
અરિહંત
સાધુ: ભાઈ, હવેલી બંધાવતાં બાર વર્ષ લાગ્યાં. હવે રંગાવતાં બાર મહિના લાગે, તે તું તે ભોગવી ક્યાં શકવાનો છે?
શેઠ: કેમ? સાધુ: આજથી સાતમે દિવસે તારુ મૃત્યુ છે, શેઠ: કેવી રીતે ?
સાધુ: તેની ખાતરી માટે ચેાથે દિવસે પેટમાં દુ:ખવાનું શરૂ થશે. ત્રણ દિવસ તે દુ:ખાવો સહવો પડશે, પછી મૃત્યુ! તું ચાલ્યા જવાને-ઉપડી જવાને શરીરની આ નધરતા જાણીને શેઠે આત્માના કલ્યાણ માટે ચારિત્ર લીધું,
ભલે સાત દિવસ તે સાત દિવસ એટલું તે કલ્યાણ સધાઈ જશે. અનંત કાળ થઈ ગયા, કે શરીરમાં કર્યું નથી, કોઈ જીવ સ્થિર રહ્યો નથી. અહીંથી ઉખડી જવું પડે.
આવો છે આ સંસાર! સંસાર એટલે પરિભ્રમણ !
એક પુદ્ગલ પરથી બીજા પુદ્ગલ પર, એમ એક કર્મના ઉદય પરથી બીજા કર્મના ઉદય પર. આજે યશ તે આવતી કાલે અપયશ. હમણું શાતા તે પછી અશાતા પ્ર-એક પુદગલ પરથી બીજા પુદગલ પર શી રીતે ?
ઉદા. ત. જમવા બેઠા...હાથમાં રેલીનું બચકું લીધું, તરત કુદ્યા દાળ પર...ત્યાંથી શાક પર...પછી ચટણી રાયતા પર...આમ એક પુલ પરથી બીજા પુદગલ પર જીવની કુદાકૂદ ચાલે છે. એમ સુખમાંથી દુ:ખ પર, દુ:ખમાંથી સુખ પર, એમ એક ભાવથી બીજા ભાવ પર, દા. ત. હમણાં ક્રોધ તે પછી અભિમાન, પછી વળી ઈર્ષ્યા, પછી દીનતા... એમ ભાવમાં કૂદાકૂદ ચાલે છે? ક્યાંય સ્થિરતા નહીં.
Page #65
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ
નિરતર પરિભ્રમણ પરિવર્તનમય સંસારને જેને થાક લાગ્યો હોય તે જ મુક્ત થવા તેમાંથી છૂટવા વિચારે -સંસારીમાંથી સિદ્ધ થવા વિચારે. સિદ્ધ થવું હોય તેને સિદ્ધચક સહાય કરે છે.
આ જગતને વિશે વાસ્તવિક આનંદદાતામાં સિદ્ધચક પ્રધાન છે. ઇન્દ્રનું ઇન્દ્રપણું કે ચક્રવતીનું ચક્રવતીપણું ગૌણ છે, એ એવા આનંદદાતા નથી, સિદ્ધચકની આરાધનાનો લાભ :
સિદ્ધચક્રની આરાધનાથી સ્વર્ગના-મોક્ષનાં સુખ મળે. સંસારની બધી પદવીઓ અને છેલ્લે પરમ પદથી એટલે મોક્ષ. એના દાતા તે સિદ્ધચક્ર છે. એવા દાતા ઇંદ્રપણું વગેરે નથી,
નમોહનંત સંત પ્રમોદ પ્રદાન પ્રધાનાય' કહીને અનંતા સંતોને પ્રમોદ આપનારમાં પ્રધાન એવા સિદ્ધચકને નમસ્કાર કરેલ છે. પ્ર-સંતપુરુષોને આનંદ શાથી? ઉસંત પુરુષને આનંદ સિદ્ધચકથી મળે છે. હે!
મને સંયમ મળ્યું ! શાસન મળ્યું ! મને અરિહંત મળ્યા! મને સિદ્ધ મળ્યા! મને આચાર્ય, ઉપાધ્યાય સાધુ મળ્યા !!! ધન્ય ઘડી, ધન્ય અવતાર! આ અનુમોદનાથી આનંદ છે,
દેવતાઈ ૯૯ પેટી જ ઉતરતી તેમાં શાલિભદ્રને જે આનંદ ન હતા, તે આનંદ ચારિત્ર લઈને કરાતી સિદ્ધચકની આરાધનામાં અને તેની અનુમોદના કરવામાં હતા.
Page #66
--------------------------------------------------------------------------
________________
અરિહંત - “કેવું આલંબન! કેવા પંચ પરમેષ્ઠિઓ ! કેવાં સમ્યગ દર્શન-જ્ઞાન-ચારિત્રાપ તેમનાં! કઈ કલ્પનામાં નહીં આવે, એવા પરમેષ્ઠિને એમના દર્શન-જ્ઞાન-ચારિત્ર તપમાં આ ચીજો વળી મને કયાંથી મળે? આમ અત્યંત આનંદ પ્રાપ્ત થાય? પ્ર.-સંતને તપને આનંદ કેવો?
હમણાં છઠનું પારણું કર્યું ને કહે: પ્રભુ! હવે અઠ્ઠમનું પચ્ચકખાણ આપો...હવે ચારનું આ પ...હવે આઠનું આપો...આમ ઉત્તરોત્તર આનંદ વધતો જાય...ના, ના, પંદરનું...અરે! માસક્ષમણનું પચ્ચકખાણ આપે...આ આનંદ!.. આ હર્ષ....આ ઉલાસ!
આનંદ વગર ફલાંગ મરાય? આ તપને આનંદ તે સિદ્ધચકને આનંદ, પ્રસિદ્ધચક્ર-નવપદ આરાધનામાં ફલાંગ શી રીતે માસ્તાં હશે? ઉ-શેરબજારનું કાર્ડ હોય–એરંડા બજારકેટન બજાર
વગેરેમાં કાર્ડ હેય-તે ઘડિયાળના કેરે દરેક જગ્યાએ ફરી વળવાનું લાગે ત્યારે કેવી રીતે મારે? અહીંથી ત્યાં, ત્યાંથી પણે, આ બજારમાંથી પેલા બજારમાં ! આટલી બધી ફલાંગ મારવાનું કારણ? ત્યાં આનંદ માન્યા છે,
એક ભાવ પરથી બીજા ભાવમાં ફલાંગ કયારે મરાય? હૈયામાં આનંદ હોય ત્યારે..
શાલિભ સંયમ, તપ અને ભાવનામાં ફલાંગ મારી. તે આનંદથી કરે છે, આનંદ પામે છે, ને મેળવે છે.
Page #67
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ
ખાવાપીવામાં જે આનંદ તેમને નથી આવતો, તેથી વધુ આનંદ ખાવાનું ત્યાગવામાં આવે છે.
અબુધ રહેવામાં આનંદ નથી, પણ ખરે આનંદ શાસ્ત્ર પઢવામાં છે, શાસ્ત્રમાં લયલીન થવામાં છે.
દુન્યવી વિષયોની જમજામાં જે આનંદ નથી, તે આનંદ વિષય-ત્યાગમાં છે. વિષયના ઉપભોગમાં નહિ પણ ત્યાગમાં આનંદનાં કારણ:
વિષયના ઉપભેગમાં નહિ, પરંતુ વિષયના ત્યાગમાં આનંદ એટલા માટે છે કે(૧) ભેગવટા પછી વિષયે વહેલામોડા નાશ પામે છે.
અને ઉપભોગ તો તરત જ નાશ પામે છે. એટલે એને આનંદ પણ નાશ પામે છે, જ્યારે વિષયને ત્યાગ ચિરસ્થાયી છે, અમર છે, તેથી તેને આનંદ ચિરસ્થાયી અમર બને છે, વિષયભોગના આનંદ પછી બીજે અધિક આનંદ મળતાં પૂર્વનાં આનંદ પર ખેદ થાય છે, જ્યારે ત્યાગના આનંદમાં હંમેશાં, અધિક ત્યાગ મળે તોપણ
પૂર્વ ત્યાગની અનુમોદના જ રહે છે. (૩) વિષયભોગમાં સર્વ હણાય છે, એવા સર્વનાશમાં
આનંદ છે ? દાત. ક્ષત્રિય બચ્ચે યુદ્ધમાં અડધેથી પાછા આવી જીવતા રહ્યાનો આનંદ માને, પરંતુ ક્ષાત્રવટ ગુમાવ્યાથી ખરેખર તો અંતરમાં ખેદ થાય છે, એમ અહીં સવ ગુમાવ્યાથી સાચો આનંદ નથી, તામસી આનંદ છે; જ્યારે ત્યાગમાં સત્ત્વને વિકાસ થાય છે અને એથી સાવિક આનંદ પ્રાપ્ત થાય છે,
Page #68
--------------------------------------------------------------------------
________________
૪૫
અરિહંત (૪) ભોગના આનંદમાં વિષયની પરાધીનતા છે, ગુલામી
છે. ગુલામને આનંદ છે? ત્યાગમાં સ્વાધીનતા છે, સ્વાધીનતા-સ્વતંત્રતા છે, ત્યાં જ ખરૂં સુખ, ખરે
આનંદ છે. (૫) વિષયભોગમાં અતિ અતિ મૂલ્યવંતા માનવસમયની
બરબાદી છે. તેની સામે ભોગને આનંદ શા હિસાબમાં? દા. ત. હજાર રૂપિયાની નોટમાં તમાકુવાળી સીગરેટ તરીકે કૂકે તો એને ખુમારીનો આનંદ તે આવે કે હું હજાર રૂપિયાની એક સીગરેટ પીનારે છું ! કેણુ માડી જાય આવી પીનારે છે? પરંતુ હજારની નુકસાની સામે એ આનંદ લેવો નરી મૂર્ખતા છે, એમ કોડાથી અધિક કિંમતના માનવસમયની નુકસાની સામે વિષયોનો આનંદ લે એ નરી મૂર્ખતા-મૂઢતા છે, ત્યારે ત્યાગમાં માનવસમયનું અભુત વળતર મળે છે, The most out of the least ત્યાગમાં વિષયાનંદ ગુમાવવાનો કેટલે? અલ્પ અને અને આત્માનંદ તથા પારલૌકિક આનંદ કમાવાનો કેટલે? હજારો-લાખો ગણે; જેમ શાલિભદ્રને ત્યાગથી તત્કાળ અનુત્તર વિમાનમાં સાગરેપમોને અનુપમ આનંદ મળે એમ ત્યાગમાં આ૫ માનવસમયને વ્યય અને પરલોકના દિવ્ય સુખને સમય કમાવવાને કેઈ ગુણુ !
અનંતા સત પુરુષ થઈ ગયા. તે બધાને આનંદ અપાવનાર તે સિદ્ધચક છે.
સનતકુમારચકવતાએ છ ખંડ જીત્યા, તેમનું આરોગ્ય પહેલાં સુંદર હતું, પણ એકાએક સોળ ભયંકર રોગ ફૂટી
Page #69
--------------------------------------------------------------------------
________________
**
નવપદ પ્રકાશ
નીકળતાં તરત સંયમ લીધું. સંયમ સ્વીકાર્યાં બાદ ૭૦૦ વ રાગાની દવા ન કરતાં તીવ્ર તપસ્યા કરી કરી શરીર સૂકવી નાખ્યું, તપ સયમની સાધનામાં ૭૦૦ વર્ષ તેમણે ગાળ્યા. તેમને એ સાધનામાં જે આનંદ હતા, તપમાં જે આનંદ હતા, તે ચક્રવર્તીના અપાર સુખમાં ન હતા. તેમને રોગ ઘેરી બન્યા હતા, છતાંય તેઓ ગામેગામ વિચરા, અકલ્પ્ય પરિષહુ સહન કરતા, ને તેમાં અવણ નીય આન માણતા.
પ્ર-તે આનંદ શાના હતા?
ઉ.અંતે આનંદ ત્યાગનેા હતેા. અનુભવ કરો ! તે આનૐ સમજાય, તે આનંદ મતાવી રકાતા નથી, ત્યાગના આનંદ ત્યાગી જ જાણે, ત્યાગના આનંદ ભોગી ન જાણે, દાનવીરને માનઃ કૃપણ ન જાણે.
તમે તેમને પૂછે : તમને શે। આનંદ આવે છે? અતાવા ને ?
શુ ખતાવે? શુ ધનના આનંદ ધનલુબ્ધને કદી સમજાવી શકાય ?
ત્યાગના આનંદનાં ઉદાહરણા :
પુત્રવતી માતાને પુત્ર પ્રાપ્તિનો જે આનંદ છે, તે વાંઝણી સ્ત્રીને શી રીતે સમજાવી શકાય?
દેશની ખાતર સર્વસ્વના ત્યાગ કરનારને જે આનદૈ છે, તે ધનના લાલિયાને કેમ સમજાવી શકાય ?
ભામાશાએ પ્રતાપ રાણાને આય સંસ્કૃતિની રક્ષા કરોડોનું ધન આપ્યું. એ ભામાશાના મહાન ત્યાગને
Page #70
--------------------------------------------------------------------------
________________
અહિ ત
૪૭
આનંદ પૈસા પર ફણીધર થઈને બેસનારને શી રીતે સમજાવી શકાય?
પિતાએ કૈકેયીને આપેલા વચનનુ પાલન અખંડ રહે એ માટે રામચંદ્રજીએ આનદ્રભર વનવાસ સ્વીકાર્યાં એ મહેલવાસના ત્યાગના આનંદ એ સ્વાર્થ રસિયા ભોગલધ જીવને શી રીતે સમજાવી શકાય?
સાને આનંદ આપનાર સિદ્ધચક્ર છે.
નમેાડ ન'ત સંત...પ્રમાદ પ્રદાન ’
અનતા સતાને અદ્દભુત આત્મિક આનદ આપવામાં જે પ્રધાનતા ભોગવે છે, તે સિદ્ધચક્રને વારવાર નમસ્કાર હો. ત્યાગના આ આત્મિક આનદ્ર ભોગમગ્ન દેવના પણ, ન અનુભવી શકે. ત્યાગનું એનું ગજું નહિ તેથી ત્યાગી વિરતિધરને નમસ્કાર કરીને-પ્રણામ કરીને કેંદ્ર સભામાં એસે છે.
ત્યાગમાં ખરો આનંદ કેવા?
ત્યાગીમુનિ કેંદ્ર અને ચક્રવતી કરતાં મહાન છે, આના ઉપરી શીખવા મળે છે કે બ્રહ્મચર્ય અને સ` વિરતિનુ અકલ્પ્ય માહત્મ્ય છે,
અનતા સતાને પ્રધાનપણે આનă આપનાર એ સિદ્ધચક્ર મહાન છે,
અહીં ‘સત ' શબ્દના ખીજો અર્થ સત-પારમાર્થિકવાસ્તવિક એવા લઈ શકાય. એટલે શ્રી સિદ્ધચક્ર જે પ્રમાદ આપે છે એ કેવા છે ? તા કે કાલ્પનિક નથી, સસારના વિષય સુખ જેવો માત્ર દુ:ખના ક્ષણિક પ્રતિકાર રૂપ નથી, નાશવંત નથી, પરાધીન નથી; કિંતુ વાસ્તવિક આત્માના
Page #71
--------------------------------------------------------------------------
________________
૪૮
નવપદ પ્રકાશ
ઘા છે, સ્વાધીન છે, અવિનાશી છે. તે વળી આનă અનત છે, એટલા જ માટે આવા વાસ્તવિક આનંદને આપવાની તાકાત જગતના કાઈ પટ્ટામાં નથી, તે તે। માત્ર અરિતાદિ નવપદ્મમય શ્રી સિદ્ધચક્રમાં છે, જે માક્ષના વાસ્તવિક અન’ત આનને આપે છે, એ આપવાના કારણે જ શ્રી સિદ્ધચક્ર પ્રધાન છે. સંસારી જીવને સાધવા ચાગ્ય ખરેખર પ્રધાન વસ્તુ કાઈ હોય તેા તે શ્રી સિદ્ધચક્ર છે. ...ભવ્યાત્મને ભાવતાય...
સિદ્ધચક્ર ને સૂર્ય :
શ્રી સિદ્ધચક્ર એ ભાવત્ અર્થાત્ સુ` સમાન છે, જેમ ધાર અધારી રાત્રિમાં અથડાતા જીવને કોઈ મોટા સમૃદ્ધ નગરમાં કેવા કેવા આન અને એન્ધના સ્થાનસાધના નગરમાં પડેલા છે, એ દેખાતા નથી–એને એની કલ્પના પણ નથી-એમ શ્રી સિદ્ધચક્ર યાને અરિહં તાર્દિ નવપદના આલખન વિના મહામહ, મિથ્યાત્વ, અજ્ઞાન વગેરેના અંધારામાં અથડાતા જીવને પાર્થિક આનંદ અને ક્ષમાદિ લધિ આદિના અશ્વયની કશી કલ્પના નથી, ત્યાં શ્રી સિદ્ધચક્ર એના ભવ્ય પ્રકાશ આપે છે. સૂરજ ઉગતાં દિવ્ય નગરની સમૃદ્ધિ પ્રગટ થાય, એમ શ્રી સિદ્ધ ચક્ર પ્રાપ્ત થતાં અનંતાનંત અને અધયનું ભાન થાય છે. અરિહંતના અન્વયના પ્રભાવ (i) ઇન્દ્રભૂતિ ગૌતમ
દા,ત, સિદ્ધચક્રમાં પહેલુ અરિહંત પદ્મ મળતાં ભવી જીવને આત્માના સાચા અને અનંત ઐધૈર્યનું ભાન થાય છે. ઇન્દ્રભૂતિ ગૌતમને ભગવાન શ્રી મહાવીર પરમાત્મા અરિસ્તુત તરીકે પ્રાપ્ત થતાં એમને આવા કાઈ આત્માના
Page #72
--------------------------------------------------------------------------
________________
આરે ત
૪૯
અનંત ઐયના પ્રકાશ મળ્યા હો ત્યારે જ એ સર્વસ્વ છેડી ત્યાં ને ત્યાં પ્રભુના ચણે પોતાના આત્માને સોંપી એસી ગયા હશે ને?
(ર) દેવપાલ નેાકર :
ધ્રુવપાલ નાકરને જંગલમાં રહુ તની માત્ર પ્રતિમા મળતાં અરિહંત પદના કાઈ અનેરો પ્રકાશ મળ્યા હશે, ત્યારે જ એની ભક્તિમાં લાગી જઈ, ભક્તિના બદલામાં ચકકેશ્વરીએ ગમે તે માગી લેવાની કરેલી માગણીને એણ ફૂંકરાવી દીધી હરો ને ?
સિદ્ધપદના પ્રભાવ (૧) પુરુષોત્તમ રાજા :
પુરુષાત્તમ રાજાને શ્રી સિદ્ધપદના ભવ્ય પ્રકાશ મળ્યો. એ રાજાએ એ પદની આરાધનામાં મેઢા સામ્રાજ્ય, ખજાના, અંત:પુરથી ખીલકુલ ન પ્રાપ્ત કરી શકાય તેવા અનુપમ આનદ ઐય શ્રી સિદ્ધપદમાં નિહાળ્યા ત્યારે જ તા મધુ છે।ડી શ્રી સિદ્ધપદનો આરાધનામાં તેઓ લાગી ગયા અને ‘મુનિપણે સમ્મેતશિખર પર સિદ્ધ અગવાનના દુ'નાદેિ ન કરૂં ત્યાંસુધી આહારપાણીત્યાગનો સકલ્પ કરી ચાલ્યા. કદાચ દિવસ-બે ચાર દિવસમાં ત્યાં પહેાંચી શકાય એમ હશે, છતાં દેવતાઈ પરીક્ષામાં બે માસ સુધી ભટકવુ પડ્યું, પરંતુ પારણું ન કર્યુ તે ન જ કર્યું, અને આત્માને આનંદ વધતા ચાલ્યા, એ આ સિદ્ધપદના અનંત ઐય ના કાઈ અદ્ભુત પ્રકાશ એમના હૃદયમાં સ્ફૂરી ઉઠયા હશેએ માનવું જ રહ્યું, દેવતાએ અંતે ક્ષમા માગી, એમને તરત શિખરજીની પાસે મૂકી દીધા.
*
૪
Page #73
--------------------------------------------------------------------------
________________
પ૦
નવપદ પ્રકાશ
* ત
મારા મનપા.
ના
.
(૩) શ્રેણિક અને ફિટકામારનાર:
મહારાજા શ્રેણિક મગધસમ્રાટ છતાં પુત્ર કેણિકના પ્રપંચથી જેલમાં મૂકાયા અને એક પામર કેદીની જેમ રોજના પચાસ ફટકા ખાય છે. એની વચ્ચે પણ એ સ્વયં દુ:ખ ન માનતાં ફટકા મારે જેલરને આશ્વાસન આપે છે કે
તું જરાય મૂંઝાઈશ ને, મને અમામાં કઈ દુ:ખ નથી, દુખ તો આ સંસારની અવની કેદમાં ફસાઈ રહ્યાનું છે. તારે તે નોકરીની વફાદારી બજાવવા રાજા કેણિકનો આદેશ પાળો રહ્યો ” શ્રેણિકની આ ધીરતા શાના ઉપર ? કહે, એમને શ્રી સિદ્ધચકના સમ્યગુદન પદને એ કોઈ અલૌકિક સૂર્યપ્રકાશ મળેલો કે જેમાં એમણે પૂર્વકમના નિર્ધારિત વિપાક, એ કર્મના ક્ષયે ઉઘાડતી આભાની દિવ્ય જયોત, અરિહંતના આલંબને હદયને મળતી અનેરી હુંફ, ચારિત્ર સાધનામાં જ માનવ પુરુષાર્થની સફળતા, વગેરે ભવ્ય વસ્તુ નિહાળી. એના પ્રતાપે આવા જેલવાસમાં પણ હૃદય બીલકુલ સ્વસ્થ અને ધીર, વીર રાખી શક્યા. (૪) ધન્ના અણગાર:
શ્રી સિદ્ધચકના કેવા અનેરા ભવ્ય પ્રકાશ કે એના તપદની આરાધનામાં એક વખતના ૩ર કોડ સોનૈયા અને દેવાંગના શી ૩ર રમણીઓના માલિક પણ હવે મુનિ બનેલા ધન્ના અણગારે દીક્ષા દિવસથી માંડીને જીવનભર માટે છઠ પર છઠ, અને પારણે આયંબિલને ઘોર અભિગ્રહ કરી આઠ માસમાં ગુલાબના દડા જેવી કાયાને સુકાવી નાખી હાડકાના પીજર સમાન બનાવી દીધી. અને અંતે નવમો માસ સંપૂર્ણ અનશન તથા સતત કાયોત્સર્ગમાં પસાર કરી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. શ્રી સિદ્ધચકના એવા
Page #74
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૫૧
કાઇક અનેરા અદ્ભુત પ્રકાશને પામ્યા વિના આ અશકય દુ:શકય જેવી સાધના શે અને?
તાપ, શ્રી સિદ્ધચક્ર ભવ વેાને માટે ભાસ્વસૂર્યસમાન છે, એવા અપૂર્વ પ્રકાશને એ આપે છે કે જે જીવે અનંતનત કાળમાં આ સંસારમાં ન જાયે! અને તેથી જ આત્માના ભવ્ય પરાક્રમ અને લા નહીં, આત્માના દેવ્ય પકાશ આપનાર માત્ર શ્રી સિદ્ધચક્ર છે.
શ્રી જિનશાસના સિદ્ધચક્રના પ્રકાશની મે ઈતર દર્શન ! કાઇ ભવ્ય પ્રકાશ આપી શકતુ નથી,
દા. ત. સિદ્ધદ્ભુના અરિહંત પદે બિરાજમાન ભગવાન શ્રી ઋષભદેવે, માટા પુત્ર ભરતના અન્યાયની ફરિયાદ લઈ આવેલા અને ક્રોધમાં લડી લેવા માટે ધમધમી રહેલા ૯૮ પુત્રોને ન્યાયની પણ લડાઈ લડવાને! ઉપદેશ ન આપ્યા, કેતુ વરાગ્યની દેશનાથી એવા હારી દીધા કે એ ૯૮ ત્યાં ને ત્યાં સંત સાધુ મહાત્મા બની ગયા અને અન્યાયી ભરતને ભારે પસ્તાવે કરવાના અવસર આવ્યો. ઈતર દશ નનું અજ્ઞાન:
ઈતર દેશનમાં આ કયાં જોવા મળે? ત્યાં તે! ભીષ્મ પિતામહ, વિદ્યાગુરુ દ્રોણાચાય, પિતરાઈ ભાઈ દુર્ગંધન વગેરે ભાઈએ, આ બધાની સામે લડીને રાજ્યના ટૂકડા મેળવવા એના કરતાં ભીખ માગીને રહેવું સારૂ-એમ વૈરાગ્ય પામેલા અજુ નને કૃષ્ણ ભગવાને ગીતાના ઉપદેશ કરી, એવા ઉત્તેજિત કર્યો કે કુરૂક્ષેત્રમાં ભીષણ સંગ્રામ મ’ડાયા, અનેક વિભૂતિઓ નાશ પામી, તેમજ અનહદ મનુષ્યહત્યાકાંડ નીપજ્યા.
Page #75
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ
સારાંશ, અહીં કૃષ્ણ ભગવાને વિરાગી અને શાંત અનેલાને ક્રોધમાં ધમધમાવ્યા, યકર નરસંહારની લીલા ખેલાવડાવી. ઇતર દનમાં પરમાત્મપદમાં આ મળે, ત્યારે જૈનદર્શનમાં ઉપર કહ્યું તેમ ક્રોધથી ધમધમતા અને યુદ્ધ કરવા સજ્જ ૯૮ દીકરાઓને ભગવાન શ્રી ઋષભદેવ પરમાત્માએ તત્ત્વદેશનાથી વૈરાગી અને વિરતિધર મુનિ મનાવી દીધા !
પર
કર્યાં શ્રી સિદ્ધચક્રમાંથી મળતા દિવ્ય પ્રકાશ અને કયાં તે વિના મચી રહેલુ ધાર અજ્ઞાનનું તાંડવ ? જૈનદર્શનના તપ અને ઈતરર્દેશનના તપ :
એમ દા. ત. શ્રી સિદ્રચક્રના તપપદ્મના પ્રકાશમાં કેવા કેવા નિર્દેષિ અને આત્મસ્વાતંત્ર્ય પ્રગટાવનાર વિવિધ તપની પ્રેરણા મળે છે, ત્યારે ઇતરદર્શનના એ પ્રકાશના પ્રભાવે તપના નામે ખાનપાનની લીલા ચાલે છે.
જેમકે અન્ય દનમાં એકાદશી આરાધવાની મતાવા. એમાં ઉપવાસને નામે ફળાહાર ચાલે, અરે ! ફળાહાર કરે ને તે વળી ઉપવાસમાં ખપે?
ત્યારે જૈનશાસનના સિદ્ધચક્ર તપપના એવા પ્રકાશ મતાવ્યા કે બીજ, પાંચમ, આઠમ વગેરે પવ તાથેઓમાં નિરાહાર ઉપવાસ યા તદ્દન રૂક્ષ આહારનુ આયÍબલ, ઉપરાંત બ્રહ્મચર્ય પામ વ્યક્તિ, દુન્યવી હિંસામય આરંભ સમારભાના ત્યાગ તથા વિષાવલામાના ત્યાગ વગેરે બતાવ્યું.
એટલું જ નહિ, પણ શ્રી સિદ્ધચક્રના પ્રકાશ ત્યાં સુધી અતાવે છે કે જેમ દેવાધિદેવ આરાધ્ય છે, ગુરુ આરાધ્ય
Page #76
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૫૩.
છે તો તેની આશાતના, વિરાધના અવગણના ન થાય. તેમ પવતિથિ પિતે આરાધ્ય છે, જ્ઞાન આરાધ્ય છે, તો તેની પણ આશાતના-અવગણના ન થાય અર્થાત બીજ, પાંચમ વગેરે પર્વતિથિની પ્રત્યે માન-સન્માનની દૃષ્ટિ રહેવી જોઈએ, પણ “આ પણ તિથિ એટલે દિવસ, અને એકમ, ત્રીજ, ચેાથ વગેરે પણ તિથિ એટલે દિવસ, પર્વ કે અપવ દિવસ બધા સરખા.—આ ભાવ પવૃતિથિ માટે ન લેવાય. એટલે ભાવ પણ એની આશાતના છે, અવગણના છે.
એમ જ્ઞાન પણ પૂજ્ય છે, તેથી એની પણ આરાધના કરવાની છે. એમાં ગમે તે જ્ઞાનનું પણ પુસ્તક એ અક્ષરજ્ઞાનને આધાર છે, તે એને પણ બગલમાં લગાવવું, માથા નીચે ઓશીકા તરીકે રખવું, એને પગ લગાડવોવગેરે આશાતના ન થાય. આ વિવેક ઈતર દર્શનમાં ક્યાં જોવા મળે? એ તો જિન શાસનના સિદ્ધચક્રના પ્રકાશથી વિવેક મળે.
અજ્ઞાનના અંધકારવાળાને નવપદને પ્રકાશ મળે તો તે અંધારું દૂર થાય. તે જે સિદ્ધચક દ્વારા આત્મામાં પ્રકાશ મળે એટલે ખબર પડે કે કર્તવ્ય શું છે? અકર્તવ્ય શું છે? હિત શું ? અહિત શું છે? સાર શું? અસાર શું છે?
સિદ્ધચકને પ્રકાશ ન મળે તો અવિવેક અને અજ્ઞાનતાનું અંધારૂં ને ટળે,
થયા જેહના છા થી સૌભાજ સદા સિદ્ધચકાય શ્રીપાલ રાજા,
Page #77
--------------------------------------------------------------------------
________________
પ૪
નવપદ પ્રકાશ સિદ્ધચકના પ્રકાશે મયણું ને શ્રીપાલના જીવનમાં પાથરેલ પ્રકાશ :
સિદ્ધચકનું ધ્યાન ધરતાં ધરતાં શ્રીપાલ રાજા સુખી થયા, કાકાના પ્રપંચથી શ્રીપાલે બાપ અને બાપનું રાજ્ય ગુમાવ્યું હતું તે વખતે તે બે વર્ષના હતા. એમની માતા એમને સાથે લઈ ભાગેલી. કેઢિયાના ટેળામાં તેમને સ્થાનરક્ષણ મળ્યું. કેઠિયા બન્યા--મયણાસુંદરી મળી બને ગુરુ પાસે ગયા. ગુરુએ નવપદ આધવાનો ઉપદેશ આપે, મયણાસુંદરીએ પાસે રહી શ્રીપાલ પાસે નવપદની આરાધના-સિદ્ધચકની આરાધના કરવી. ભવિ જીવ છે, ઊતરી ગયા આરાધના માં,ને આ ચમત્કાર દેખે,-નવપદની આરાધના કર્યા પછી નવપદના વહણ જળના અચિંત્ય પ્રભાવથી કેઢ ગયો-સાથેના બધા કેઢિયા કાઢમુક્ત બન્યા.
હવે જીવનમાં મમરાવવું હોય તો તે ફક્ત સિદ્ધચકએમ શ્રીપાલને લાગ્યું.
પૈસાને લેભી મનમાં પૈસા મમરાવ્યા કરે. રાતે ઊંઘમાં લીધાદીધાની લવરી ચાલુ હોય; એમ શ્રીપાલને નવપદની લગની લાગી. ઊઠતા-બેસતાં ક્યાંય સારૂં પરિણામ આવે છે તે સિદ્ધચકને પ્રભાવ માને છે. મયણા પણ એવી મળી–પરદેશ જતા શ્રીપાલને તે કહે છે :
પરદેશ જાય છે, પણ નવપદને ન ભૂલતા-” શ્રીપાલ તે સ્વીકારી લે છે,
તો શ્રીપાલે સિદ્ધચક્ર-નવપદનું ધ્યાન કેવું રાખ્યું ? કે ધવલ શેઠ વહાણમાંથી દરિયામાં ફેકે છે, ત્યારે પડતાં પડતાં “નમો નવપદાયઝ નમો નમશ્રી સિદ્ધચકાય બોલે છે !
Page #78
--------------------------------------------------------------------------
________________
અરિહંત
જુઓ, સિદ્ધચક્રનો પ્રભાવ !
ત્યાં મગરમચ્છ આવી ગયે. પીઠ પર શ્રીપાલને ઝીલી લીધા. તરાપ માફક શ્રીપાલને લઈને થાણું બંદરના કિનારે તે મૂકી દે છે !
ત્યાંય નવપદ છે દિલમાં, એટલે બધું ભલેને લૂંટાઈ જાય- તેની કેઈચિંતા નહિ, મારી પાસે શ્રી સિદ્ધચક છે ને ?
સમુદ્રકિનારે મગરમચ્છ ઉતાર્યા, ત્યાં આગળ ગયા ને વૃક્ષ દેખી નિશ્ચિત્તપણે વૃક્ષ નીચે આરામથી સૂઈ ગયા. શું કાંઈ ચિંતા નહીં હોય?
પિતાના વહાણનું અને એમાં રહેલ પિતાની પરિણીત બે રાજકુંવરીઓનું શું થયું હશે ?
ના. ચિંતા નહીં, કેમકે ચિંતા કરવા લાયક કઈ વસ્તુ હોય તો તે દ્ધિચક છે. તેની ચિંતા કરૂં તો બધી ચિંતા ભાગી જાય. સિદ્ધચકને મૂકીને બીજી ચિંતા કરૂં તો મારી કિંમતી ઉમર ભાગી જાય, અર્થાત એળે જાય અથવા કહો. ગમે તે પરિસ્થિતિમાં પાલ સદા, સૌખ્યભાજા–બીજી ત્રીજી ચિંતા કરે તો સુખ જાય. નવપદનું જ દયાન ધરવાનું, તેની જ ચિંતા કરવાની
- શ્રીપાલ સૂતા છે, ને એક ઘોડેસ્વાર આવીને ઊભો રહ્યો.
કેણ તું? ” શ્રીપાલે પૂછયું.
થાણું બંદરના મહારાજાએ આપને તેડવા આ છેડે મોકલ્યા છે. રાજાએ મને કહ્યું છે : “કિનારે ઝાડ નીચે સૂતેલાને જલદી લઈ આવ, તેને કુંવરી પરણાવવી છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
પ
નવપદ પ્રકાશ
શ્રીપાલ વિચારે છે : કાંઈ ઓળખાણ નહિ, પિછાણ નહિ, ને શી વાત કરે છે? આ પ્રભાવ તે નવપદને',
નવપદના ધ્યાનને કારણે શ્રીપાલ સદા સૌખ્ય ભાજા” એટલે સદા સુખ ભોગવનારા અન્યા. રાજાએ પાતાની દીકરી તેમને પરણાવી, શ્રીપાલને જમાઈ બનાવ્યા, પેાતાની પાસેના સિહાસન પર બેસાડયા.
ત્યાં તે ત્યાં આવી પહોંચ્યા ધવલરોડ, ને સાથે હતુ હુમતુ મેટુ ટાળુ ! ડુમ મધા ‘ મામા, મામા, કાકા, કાકા કહેતા વળગ્યા શ્રીપાલને...
રાજા વહેમાયા કે શ્રીપાલ ડુમ ?
શી વાત છે ? આ ડુમ છે ? ચંડાળ છે ? એમ વહેમાઈ રાજા ઊભો થઈ ગયા. શ્રીપાલને તે કહે છે: શું તમે ચંડાળ છે ? શું મને આગળથી કહ્યું પણ નહી? ખસ, તમને મારી નાખું”,
દીકરીએ પિતા રાજાના હાથ ઝાયા. “ ઊભા તા રહેા. તેમને પૂછે તે ખરા કે એ કાણુ છે ? અલલટપ્પુ કહે તે! તે શુ' માની લેવુ' ?” દીકરી એલી,
રાજા : તમે કોણ છે ?
શ્રીપાલ : હું કોણ છું તે મારી તલવાર બતાવશે.
નવપદના પ્રભાવે વિદ્યાઘર પાસેથી શ્રીપાલને એવી જડીબુટ્ટી મળેલી કે એને કાઇનુ શત્રુ વાગે નહિ, અને પેાતાનું શમ્ર ખીજાને વાગે. એથી પાતે નિશ્ચિત હતા. રાજા આથી અચંબો પામ્યા.
Page #80
--------------------------------------------------------------------------
________________
અરિહંત
પ૭ શ્રીપાલ : “તમે એકલા નહીં, આખા લશકર સાથે આવી જાવ, મને ઓળખવો હોય તો ઓળખી લે.”
ત્યારે રાજા ઠડે પડયો અને જોયું કે આ કેઈઅલૌકિક પુરુષ છે. એટલે બહુ નમ્ર બનીને શ્રીપાલને કહે છે : ના, ના, હું ભૂલે, તમારી ક્ષમા માંગું છું. મને તમારી ખરેખરી ઓળખ આપો”.
શ્રીપાલે કહ્યું : “જાવ દરિયા કિનારે ત્યાં વહાણ આવ્યું હશે. તેમાં રહેલી બે રાજકુંવરીઓને મારી ઓળખ પૂછી લો.”
તેથી રાજાએ બેને બોલાવી લીધી, તેમને પૂછયું. તેઓએ શ્રીપાલની ઓળખાણ આપી. તે સાંભળી રાજા ચેકી ઉઠ કે “અરે ! આ કેણુ? આ તે ચંપાદેશના રાજાના રાજકુંવર ! એટલે મારી બેનના દીકરા ! હવે શ્રીપાલને ત્યાં કઈ દુ:ખ નથી. શ્રીપાલ સદા સૌખ્યભાજા.
રાજાએ ધવલને મારવા લીધે તો પોપકારી શ્રીપાલે તેને છોડાવ્યું,
પ્ર–શ્રીપાલે ધવલશેઠને કેમ છોડાવ્યા ?
ઉo-શ્રીપાલ સુખી હતા, કારણ તેમના મનમાં નવપદ રમતા હતા. તે નવપદે શીખવ્યું છે, “વરને બદલે પ્રેમથી વળાય; ને એમાં જ આપણું મન ખરું સુખી.
શ્રીપાલ આવા સદા સૌ ભાજા છે. મૈત્રીભાવ તે આપણી વડાઇ ! આ દુનિયામાં વડાઈ પૈસાની નથી, પણ ગુણની છે.
Page #81
--------------------------------------------------------------------------
________________
૫૮
નવપદ પ્રકાશ
વડાઇ રંગરાગની નહિ, પણ ત્યાગની છે. વડાઈ સંયમની-સાધનાની-સુકૃતની છે,
પૈસાથી વટ પડે નહિ, સુકૃતથી વટ પડે. સુકૃત વિના એકલા પૈસાથી વટ પાડે તો તે ભૂખડી બારસ જેવા સમજવા
તારે વટ પાડવો હોય તો સિદ્ધચક પાસે પાડ કે આટલું દાન આપીશ. શિયળ પાળીશ, તપ કરીશ, સંયમ પાળીશ. સિદ્ધચક તો તે બધાના જ્ઞાતા છે. તે બધું જુએ છે.
સિદ્ધચકના ધ્યાનથી શ્રીપાલ ધવલને માફી આપવામાં વડાઈ માને છે. અપકારી પર ઉપકાર કરવામાં તે વટ માને છે,
સિદ્ધચક્રનું ધ્યાન છે એટલે શ્રીપાલ રાજા સલામતી શામાં માને છે ?
દુશમનને મારી નાખવામાં નહિ, પરંતુ દુશ્મનને જીવતો રાખી પોતાના દિલમાં એના પ્રત્યે નકરી મિત્રતા, સ્નેહભાવ બન્યો રહે, તેમાં શ્રીપાલ સલામતી માને છે. આત્માના ગુણોની સંપત્તિ કમાઈ લેવામાં તે સલામતી માને છે.
પ્ર–આત્માના મોટા ગુણ કયા ?
ઉ–આત્માના મોટા ગુણ : પરોપકાર, દયા ને ક્ષમા. ધવલને મારી નાખવા રાજા તૈયાર થાય છે, ત્યારે શ્રીપાલને થાય છે કે આ ધવલ દયાપાત્ર છે, હું જે વચમાં નહીં પડું તો ધવલને મરવું પડશે. દયાની કમાણી કરવાને આ સારો અવસર છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
અરિહંત
તેથી શ્રીપાલ જાને કહે છે : આમને છોડી દો, રાજા : કેમ ? શ્રીપાલ : આ મારા મોટા ઉપકારી છે. રાજા : કેવી રીતે ?
શ્રીપાલ : “એમના વહાણમાં એમણે મને મુસાફરી કરાવી છે?
મુસાફરી શ્રીપાલને કરવી હતી ને તે ધવલે કરાવી પણું ભાડું લઇને, અર્થાત્ શ્રીપાલે ભાડું આપીને મુસાફરી કરી હતી, છતાં ધવલને તે ઉપકારી માને છે, કારણ કે બીપાલ સિદ્ધચકને પ્રભાવે સદા સખ્યભાજા છે. શ્રીપાલના હૃદયમાં અંધારૂં ન હતું, પણ શ્રી સિદ્ધચકનું અજવાળું હતું. પણ ધવલના હૃદયમાં અંધારું હતું.
શ્રી સિદ્ધચને મહિમા હૃદયમાં વસાવી શ્રીપાલ રાજાની માફક જીવનમાં શ્રી સિદ્ધચકને મુખ્ય કરે અને શ્રીપાલની માફક શ્રી સિદ્ધચકના ભાવ જીવનમાં ઉતારો,
Page #83
--------------------------------------------------------------------------
________________
વાચના
મહા વદ ૯, ૨૦૩૬
૨૫-૧-૮૦
અરિહંત
નવપદના ધ્યાનનો પ્રભાવ ક કમ મમ ચકચૂર જેણે ભલાં ભવ્ય નવપદ ધ્યાનેન તેણે કરી પૂજના ભવ્યભાવે ત્રિકાળે, સદા વાસિયે આતમા તેણે કાળે”. જિકે તીર્થકર કમ ઉદયે કરીને, દીયે દેશના ભવ્યને હિત ધરીને; સદા આઠ મહાપાડિહારે સમેતા, સુરેશ નરેશે સ્તવ્યા બ્રહ્મપુતા. કર્યા ધાતિયાં કર્મ ચારે અલગ્ગા, ભાવોપગ્રહી ચાર જે છે વિલમ્મા; જગત પંચ કલ્યાણકે સૌખ્ય પામે,
નમો તેહ તીર્થકર મોક્ષકામે.” કાવ્યાW :
ઉત્તમ અને સુંદર નવપદના ધ્યાનથી જેમણે કમ ના અશુભ અનુબંધને નષ્ટ ભ્રષ્ટ કરી નાખ્યા છે અને ત્રણે
Page #84
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૬૧
કાળ જેમણે અદ્ભુત શુભ ભાવ વડે (નવપદેાની) પૂજા કરી છે અને હુંમેશાં તે કાળે પોતાના આત્માને નવપદ્મથી ભાવિત કર્યાં છે.”
“જેનાથી ઉપાર્જિત તીથ કર નામકેમ ના ઉદ્ભયના પ્રભાવે ભવ્ય જીવેાને કલ્યાણના અર્થે જેએ દેશના આપે છે, અને જેઓ સદા આઠ મહા પ્રાતિહાર્ય થી યુક્ત હેાય છે, અને બ્રહ્મચર્ય થી (પરમાત્મપણાથી) પવિત્ર થયેલા એવા જેમને સુરેન્દ્રોએ સ્તવેલા છે.”
“ જેમણે ચારે ઘાતી કર્મોને અળગા (દૂર) કરી દીધા છે અને ભવમાં પકડી રાખનાર (અઘાતી ક) ચાર હજુ જેમને ઉદ્દયમાં અને સત્તામાં વળગેલા છે, જેમના પાંચ કલ્યાણકો વખતે જગતના જીવો સુખનો અનુભવ કરે છે, તે તીર્થંકર ભગવાનને મેાક્ષની કામનાથી નમસ્કાર કરો.”
આગળના પહેલા શ્લાકમાં સિદ્ધચક્રને નમસ્કાર કર્યાં. પછી શ્રી સિદ્ધચક્રની વિશિષ્ટતા બતાવી, આ સિદ્ધચક્રના ઉપદેશ આપનાર તીર્થંકર ભગવાન છે.
પ્ર ત્યારે સવાલ થાય છે કે ઉપદેશ આપનાર એ તીર્થંકર ભગવાન અન્યા કેવી રીતે ?
કર્યા. ક દુમાં ચકચૂર જેણે, ભલા ભવ્ય નવપદ ધ્યાનેન તેણે ” નયસાર : જેતી કર થાય છે, તે નવપદ્મનું ભવ્યૂ ધ્યાન કરીતે થાય છે.
તીર્થંકર ભગવાનની પૂર્વ જન્માની સાધના જોઈ એ તે તેમાં નવપદની સાધના દેખાશે, સામાન્ય ગુણા દેખાય તે તે નવપદ્મ સાધનાના અંતર્ગત છે,
Page #85
--------------------------------------------------------------------------
________________
૬૨
નવપદ પ્રકાશ
દા. ત. નયસાર હજુ ધર્મ પામ્યા નથી, પરંતુ અતિથિ સત્કારની બુધ્ધિએ જાતે અતિથિને શેાધવા જતાં જંગલમાં મુનિ મળ્યા, મુનિ પ્રત્યે સહાનુભૂતિ બતાવી અને તેમના સત્કાર કર્યાં. મુનિપણાના ધર્મને અનુકૂળ રહીને મુનિની સરભરા કરી, ગેરી હેારાવી, ભેજન પત્યા બાદ એ મુનિએને જંગલમાં રસ્તે ચઢાવવા પોતે જાતે ચાલ્યા અને રાજમા આવી જતાં મુનિઓએ કહ્યું : ‘અમારે તને કાંઇક કહેવુ છે,’
મુનિપદનું મૂલ્યાંકન :
નયસાર : “ એÒા ! મારા અહેાભાગ્ય ! આપ કહેવા ઈચ્છા છે ? કાં હું નરાધમ ને કાં આપ મહાત્મા ! હું હલકા માણસ આપની મહેરબાનીને લાયક ક્યાંથી હેાઉ"? આપ જરૂર મને આપના નાનામાં નાના શિષ્ય જેવા સમજી મને સુખેથી કહો.”
આ બધું મુનિપદનું મૂલ્યાંકન છે.
સુનિ તેને કહે છે : “તે જે રસ્તા બતાવ્યા તે દ્રવ્ય માગ છે, પરંતુ ભાવ મા –મેાક્ષના માર્ગ પણ છે. એમ કહીને ભાવમાર્ગ સમ્યકૢજ્ઞાન-દર્શન-ચારિત્રની અને એ આપનાર સુદેવ-સુગુરુ સુધર્માંની એળખ કરાવી.
પ્ર-આત્મામાં ઉન્નતિ શી રીતે થાય છે ? ઉ–એનું આ પહેલું પથયું છે કે જે કાઈ પૂજ્ય છે, આરાધ્ય છે, આદીય છે તેનું મૂલ્યાંકન કરવું. દા. ત. આચાર્ય માટે પણ સાધુપદ આદરણીય છે તે પછી ભલે એમાં સૌથી નાના માલમુનિ પણ આવી જાય– આ એનું મૂલ્યાંકન છે.
Page #86
--------------------------------------------------------------------------
________________
અરિહંત
જ્ઞાનની આરાધના કરવી છે, તે જ્ઞાનનું સાધન-શ્રુતના આશ્રય પુસ્તક પણ આદરણીય છે, એનું મૂલ્યાંકન એ રીતે થાય કે પુસ્તક લઈ ને જ્ઞાન ભણવાનુ કરતાં પહેલાં પુસ્તકને હાથ જોડાય, જેમ ગુરુ જ્ઞાનદાતા છે, તે એમને પહેલાં હાથ જોડી નમસ્કાર્ કરાય છે, તેમ પુસ્તક પણ જ્ઞાનદાતા છે, તેને હાથ જોડી નમસ્કાર કરવાનું કેમ ચૂકાય ? એટલું જ નહિ, પણ પુસ્તકને ઊંચે આસને રાખવું જોઈએ એને અગલમાં ન મરાય, પણ મહુ માનપૂર્વક હાથમાં લઈને ચલાય—તે પણ પુસ્તકવાળા હાથ નાભીથી નીચે ન જવે જોઈ એ. વળી પુસ્તકને પેાથીમાં બાંધેલુ વ્યવસ્થિત રખાય. આવુ બધુ, પુસ્તકનું મૂલ્યાંકન નથી ... જ્ઞાન આત્મામાં પજળે નહિ-પારણમે નહિ–ઉપર ઉપર રહે, પછી ગમે તેટલુ ભણા
નયસારે મુનિના મૂલ્યાંકનનું એ કાર્ય કર્યું. પછી ઉત્તરત્તર ભાવમાં નવપદની સાધના કરતા ગયા; જ્યાં એ ચૂકયા તે નીચે ઉતર્યા; ને મૂલ્યાંકન કરતા ગયા તેા સાધના વધતી ચાલૌ.
૬૩
પ્ર૦–નવપનું ધ્યાન એટલે શુ?
ઉ-ભવ્ય એવા નવપના ધ્યાનથી જેમણે કર્માંના દુ
ને અર્થાત્ અશુભ અનુમાને ચકચૂર કરતા ગયા. તે અરિહંત-સિદ્ધ–આચાય ઉપાધ્યાય સાધુ-દર્શન-જ્ઞાન -ચારિત્ર-તપ-એ નવપદનું ધ્યાન, એકેએક પદની એકાગ્રતાથી સાધના-તે નવપદ્મનું ઉત્તમ ધ્યાન છે. પ્ર-ધ્યાન એટલે એકાગ્ર ચિંતન, એમાં સાધનાની ક્રિયા
કયાં આવી ?
Page #87
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ ઉ–ધ્યાન એટલે એકાગ્રતા પછી ચાહય તે મનની હે,
વચનની છે, તે કાયાની એકાગ્રતા હો, માટે તે કહેવાય છે કે – જ્ઞાન ધ્યાનમાં ઉજમાળ રહેજે.'
આમાં “જ્ઞાન એટલે સ્વાધ્યાય, અને “ધ્યાન એટલે ક્યિા. ધ્યાનને આ અર્થ શ્રી “બહત ક૯૫ માં આપેલો છે.
જ્ઞાન એટલે શ્રત ધર્મ, ધ્યાન એટલે ચારિત્ર ધર્મ,
જ્ઞાન-ધ્યાનમાં ઉજમાળ રહે, એમાં ધ્યાનમાં ઉજમાળ રહે એટલે ? ચારિત્ર ધર્મ–સાધુચર્યા–સાધુ સમાચારીસાધ્વાચાર તેમાં ઉજમાળ રહે!
અહીં શંકા થાય કે આ આચારપાલનમાં ધ્યાન કયાં આવ્યું?
તે એનું સમાધાન એ છે કે “તેમાં એકાકાર તન્મય બની જાવ તે ધ્યાન સારાંશ:
નવપદનું ઉત્તમ ધ્યાન એટલે તન્મયતા પૂર્વક નવપદની બધા પ્રકારની ઉત્તમ આરાધના નવપદની આરાધના એટલે દુર્ભમ કર્મને નાશ :
શ્રી સિદ્ધચક-નવપદની આવા સમગ્ર પ્રકારની એકાગ્ર આરાધનાથી કર્મના દુર્મમાં ચકચૂર થઈ જાય છે દુર્મમ એટલે દુ:ખદ મર્મસ્થાન અને તે છે એની અશુભાનુબંધ શક્તિ ,
દા. ત. અશાતા વેદનીય ભારે હોય, પરંતુ જે એ વખતે જીવને હાય ય નથી પણ સમાધિ છે. કર્મક્ષય કરવાને
Page #88
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૫
આ અપૂર્વ અવસર મળી ગયો સમજી આનંદ માન્યા તા એ કમના ઉદય નવાં અશુભ કર્મો ધાવનારા અનતા નથી, કેમ કે એનામાં દુ:ખદ અશુભ અનુબંધ શક્તિ નથી; પરંતુ ભલે સામાન્ય અશાતા વેદનીયના ઉદય છે, કિંતુ એ વખતે હાયવાય છે, ખેદ છે, ઉકળાટ છે, તો એ અશુભ કમ અધાવનાર અને છે. ત્યાં એ ભાગવતાં અશાતા વેદનીય કને અશુભાનુમ ધી અશુભ અનુષંધવાળાં કહેવાય, એટલે કે એ કર્મીમાં દુ` અને દુ:ખદ અશુભાનુમધશક્તિ છે.
નવપદની એકાગ્ર આરાધનાથી ઉત્તમ ધ્યાનથી કર્યાની દુ:ખદ મ યાને અશુભાનુબંધ શક્તિ તૂટી જાય છે, પછી ભલે પૂર્વ કમ નિકાચિત હાય અને તેથી એ અવશ્ય ભાગવાઇને જ જાય એવુ હાય પણ તપ વગેરેથી નાશ પામે એવુ હાય, તા એને ભાગવવુ પડશે, કિંતુ જો નવપદ ધ્યાનથી એની અશુભાનુમ ધ શક્તિઓ તોડી નાખી છે. હવે એ ક ભાગવાતાં હાયવેાય, કષાય, અશુભધ્યાન, અસમાધિ વગેરે બીલકુલ નહિ થાય.
સ્વાભાવિક છે કે આમ નવા અશુભ કર્માંધ અટકયા એટલે ભાગવાતું નિકાચિત પણ અશુભ કમ નિર્ધાર્સ મરી ગયુ એટલે કે એ સમૂળ છૂટી ગયું.
તીર્થંકર મનનાર આત્માએ પૂર્વ ભવામાં નવપદ્મ આરાધનાથી કના દુમ છેઢી નાખ્યા છે.
દા.ત, મહાવીર ભગવાન ત્રિપુષ્ઠ વાસુદેવના ૧૮મા ભવમાં તીવ્ર કષાયથી શય્યાપાલકના કાનમાં તપાવેલુ` સીસું
૫
Page #89
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ
રેડાવેલું, તીવ્ર અશુભ બંધવાળા ઘોર અશાતા વેદનીય વગેરે નિકાચિત કર્મ ઊભાં કરેલાં, પરંતુ પછીના રર મા ભવથી નવપદ આરાધના કરતા ગયા તો એ અશુભાનુબંધ તૂટતાં ચાલ્યાં, અલબત, એ કર્મ નિકાચિત હોઈ સાધનાથી ન તૂટતાં ઊભાં રહેલાં પરિણમે છેલા ભવમાં એ અવશિષ્ટ કર્મના ફળરૂપે કાનમાં ખીલા ઠોકવાની તીવ્ર વેદના આવી. પરંતુ એ કર્મના દુર્મ અર્થાત અશુભાનુબંધશક્તિ નષ્ટ કરી નખાવેલ હોવાથી એમને હયાય વગેરે કશુય થયું નહીં.
પાલકપાપીએ ૫૦૦ મુનિઓને ઘાણીમાં પીલ્યા પરંતુ એમાં અશુભાનુબંધ શક્તિ નષ્ટ કરી નાખેલ હેવાથી “હાય ન થયું, પણ “હાશ થયું. તે “હાશ એટલે કે સમતા ભાવ એટલો બધે જોરદાર ઊભું થયું કે ગુરુ પાસે રહેતાં જે કેવળજ્ઞાન નહેતું થયું તે અહીં પ્રગટ થઈ ગયું.
નવપદ ધ્યાનથી આત્મપ્રગતિ કેવી રીતે?
નવપદધ્યાનથી કર્મના આ દુર્મ ભેદાઈ જવાથી જીવને ઉત્તરોત્તર આત્મપ્રગતિ વધ્યા કરે છે. એનું કારણ, દુર્મમ એટલે અશુભ અનુબંધ છેદાઈ ગયા, તેથી હવે એ કર્મના ઉદયમાં દુબુદ્ધિ નહિ થવાની, કિંતુ સદ્દબુદ્ધિ થવાની, જેના પ્રતાપે વિશેષ ધર્મ આરાધના અને સગુણાનો અભ્યાસ સૂઝવાના, એમાં નવપદઆરાધના પણ આવશે. એ આવવાથી વળી કેઈ અશુભ અનુબંધે છેદાશે, એના પર વળી સદબુદ્ધિ થવાથી વિશેષ ધર્મ આરાધના-સદ્ગુણ-સાધના ચાલવાના,
Page #90
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૬૭
અસ, નવપદ્મધ્યાનથી આમ ઉત્તરોત્તર આત્મપ્રગતિ થવાની. નવપદ્મતું ધ્યાન આ કામ કરે છે. એ ધ્યાનમાં નવપદની આધી આરાધના આવે છે, એટલે પ્રાથમિક જીવને નવપદના કોઇ એક પણ પદ્મ પ્રત્યે માત્ર અહેાભાવ પણ આવે, તે એ પણ નવપદની આરાધના છે.
દા.ત. હે ! કેવા અનુપમ અરિહંત ભગવાન ! અહા ! કેવા સિદ્ધ ભગવાન ! એવા અહેાભાવ. ભલે વિશેષ આરધના આગળ પર આવશે છતાં પહેલે પએિ નવ ઢ પ્રત્યે અહેાભાવની આરાધના આવે, ત્યાંથી નવપનું ધ્યાન શરૂ થઈ ગયું, યાવત્ સમ્યગ્દર્શન પેાતાને પ્રાપ્ત ન પણ થયુ હોય, છતાં સમ્યગૂઢર્શન પ્રત્યે અહેાભાવ આવે, ત્યારથી એની આાધના શરૂ થઈ.
સફ્ત્વની શ્રેષ્ઠતા :
પ્ર૦-સમ્યગૂદનની આરાધના એટલે શું?
ઉ–સમ્યગૂદાનની આરાધના એટલે સર્વજ્ઞ જિનેશ્વર ભગવાને કહેલા તત્ત્વ ખ્ય ભારે વિશ્વાસ એવા વિશ્વાસ કે કોઈ મોટી કટોકટીના અવસરે પણ જિનેાકત તત્ત્વથી વિપરીત વિચારવાનું નહીં,
ચંદનમાળાની પ્રસન્નતા :
દા. ત. ચંદનબાળાને પાલકપિતા ધના શેઠને ત્યાં એમની પત્ની મૂળાએ ઈર્ષ્યાથી એનું માથું મુંડાવી નાખ્યું, ભોંયરામાં ઉતારી, પગમાં બેડીનાખી, બેડીને તાળુ લગાવી દીધું અને પેાતે ચાલી ગઈ, ધના રોડને ત્રણ દિવસે તેને પત્તો મળ્યા. ભવરામાં ઉતર્યાં, ચંદનાને જોઈ રડી પડયા.
Page #91
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ તે બેલી ઉઠે છે: અરે! આ તારી પાપિણી માએ શું કર્યું?
ચંદના બેલી : બાપુ! આમાં માને કેઈ વાંક નથી આ તે મારા કર્મના વાંકે થયું છે.
આ શું છે? ભગવાને કહેલા કર્મના અટલ સિદ્ધાંત પર હાડેહાડ શ્રદ્ધા છે. તે સમ્યગદર્શનની આરાધના છે.
ચંદના વધારામાં કહે છે : બાપુ! ખરેખર તો આમાં કશું ખોટું થયું નથી. આમ ખાનપાન, હરવું ફરવું, કેશ સમારવા, બીજા કામકાજમાં પડવું, વગેરેમાં મારા મહાવીર ભગવાનને વારે વારે ભૂલવાનું થાત; એના બદલે મુંડિત માથે અને પગમાં બેડીએ અહીં સ્થિરતા મળવામાં મારા પ્રભુને યાદ કર્યા કરવાને સરસ મોકો મળી ગયે!
આ પણ શું છે?
વીતરાગ પ્રભુ પરના અત્યંત નિર્દોષ રાગ રૂપી સમ્યગુ દશનની આરાધના છે. સમ્યગુદર્શન એટલે વીતરાગ પ્રભુ પર અથાગ રેગ-નિરાશંસ ભાવે રાગ.
એમ સુગુરુ, અને સુધર્મપર અથાગ રાગ એ પણ સમ્યગૂ દશન છે. મંત્રી બેલડીની સાત્ત્વિકતા :
ગુજરાતના રાજા વિરધવલના મહામંત્રી વસ્તુપાળે મંત્રીપદું સ્વીકારતાં પહેલાં કહી દીધેલું કે અમારી વફાદારી, આજ્ઞાંકિતતા પહેલા અમારે દેવાધિદેવ અરિહંત પરમાત્મા અને ગુરુ ત્યાગી મુનિવર પ્રત્યે રહેશે. તે પછી તમારી આજ્ઞા માન્ય રહેશે.
Page #92
--------------------------------------------------------------------------
________________
અરિહંત
રાજાએ જોયું કે જે પિતાના દેવગુરુ પ્રત્યે આટલા વફાદાર છે, તે કદાપિ મને બેવફા ન નીવડે. એમ માની એ શરતથી એમને મંત્રી તરીકે સ્વીકારી લીધેલા.
એક વારના પ્રસંગે રાજાના મામાએ સાધુની અવગણના કરી. એ વરૂપાલને ખબર પડતાં મામાની એમણે ખબર લઈ નાખી; પછી ભલે મામાએ રાજાને ભંભેરણી કરતાં રાજા વસ્તુપાલ પર કોપાયમાન થયો એની પરવા નહિ રાખી, શી વાત મારા ગુરુ ! મારા તારણહાર ! એમનું માન સાચવવા જરૂર પડયે હું ફના થઈ જઉં. ચિંતા નહિ, આ ગુરુ પ્રત્યે અથાગ રાગ એ સમ્યગદર્શનની આરાધના છે. ગુરુપ્રત્યે એ અથાગ રાગ અને અથાગ બહુમાનમાં નથી ને કદાચ સાધુ-સાધુ વાદવિવાદ કરતા દેખાયા તો ય એ રગડા પર દૃષ્ટિ જ નહિ, કિંતુ એમના મહાન સંસારત્યાગ ને સર્વ પાપત્યાગ પર જ દૃષ્ટિ, એમની ધર્મપદેશ દ્વારા ઉદ્ધારકતા પર જ દષ્ટિ, તેથી ગુરુ પર રાગ-બહુમાન લેશ પણ ઓછું થાય નહિ,
આ શું ? સમ્યગ્દર્શનની આરાધના, સિદ્ધચકની આરાધના છે.
વાત આ છે-તીર્થકર થનાર આત્માઓએ પૂર્વે શ્રી સિદ્ધચકની આરાધના કરી હોય છે, એ એકાગ્ર મનથી કરી હોય છે, તેથી એને સિદ્ધચકનું ધ્યાન કહેવાય, સિદ્ધચક્ર નવપદના ધ્યાનથી આગળ જતાં એ તીર્થકર બને છે.
અહીં સિદ્ધચકના ભવ્ય ધ્યાનથી કમરના દુર્ગમ ચકચૂર થવાનું લખ્યું એમાં “ભવ્ય ધ્યાન એટલે ધ્યાનમાં ભવ્યતા શી?
Page #93
--------------------------------------------------------------------------
________________
७०
ધ્યાન અને ભવ્યતા :
અહીં આપણે એ જોયું છે કે નવપદનુ` ધ્યાન એટલે માત્ર કારૂં ધ્યાન નહિ; કેમકે ધ્યાન સિવાયના કાળમાં નવપદની બીજી આરાધના ન હોય તા એની જગ્યાએ પાપારભો, વિષય-વિલાસા અને પ્રમાદના આચરણુ ચાલતાં હાય. ત્યાં પછી કારૂ ધ્યાન કેટલું કારગત થાય? એટલે જ એકાગ્રતા-તન્મયતા સાથેની નવપદ આરાધનાને જ ધ્યાન તરીકે લીધી છે. એ આરાધના ભવ્ય જોઈએ, અર્થાત્ યોગ્ય જોઈ એ; અને તે જિનેશ્વર ભગવાને કહેલી વિધિને બરાબર અનુસરવાથી આવે.
નવપદ પ્રકાશ
પ્ર-જિતાકત વિધિ સાચવી એટલામાં ભવ્યતા આવે ? ઉ–આત્માને તર્ત કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવે એવા સામ
યોગની પૂર્વ ભૂમિકામાં શાસ્રયોગની સાધના હોય છે. એની પૂર્વ ભૂમિકામાં ઇચ્છાયાગની જવલંત સાધના હાય છે. મહુધા જીવાને ઈચ્છા યાગની કક્ષાની સાધના હાય છે; પછી જ્યારે શ્રદ્ધામળ વધી જાય, એટલે કે સપ્રત્યયાત્મક અર્થાત્ સ્વાનુભવ જેવી શ્રદ્ધા ઊભી થાય, અને સાધના શાસ્ત્રોકત, સંપૂર્ણ, વિધિપૂર્વક સાધવામાં આવે, ત્યારે ઉપરની શાસ્ત્રયાગની કક્ષાની સાધના અસ્તિત્વમાં આવે છે. આ ભવ્ય કાટિની સાધના છે. ઈચ્છાયાગ કરતાં મહુ ઉમદા કેાટિની સાધના છે. આમાં જોઈ એ તા દેખાશે કે શાસ્રયાગમાં ભવ્યતા શુ છે?
૧, સપ્રત્યયાત્મક શ્રદ્ધા
૨. શાસ્રોકત વિધિનું સપૂર્ણ પાલન
નવપદ ધ્યાનમાં અર્થાત્ તન્મયતાવાળી નવપદ આરા
Page #94
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૭૧
ધનામાં પણ ભવ્યતા આ છે કે એ શાસ્ત્રોકત સપૂર્ણ વિધિપૂર્વક થતી હોય અને સાથે એ નવપદ અને એની આરાધના પર સપ્રત્યાયાત્મક શ્રદ્ધા હાય, એટલે કે સ્વાનુભવ જેવી અની ગયેલી એ શ્રટ્ઠા હોય.
વાત પણ સાચી છે કે “ ભાઈ, ભગવાને આ સાધના કહી છે, માટે કરા” એમ રાતડ શ્રદ્ધાથી આરાધના કરાય તા એનાથી કમ ના એવા દુ:ખદ મમ` ભેઢાય નહિ. એ તે। શ્રદ્ધાને સ્વાનુભવ જેવી બનાવી હોય, અર્થાત્ આરાધનાને કર્તવ્ય તરીકે બતાવનાર શાસુચન લિમાં એવું જચી ગયું હોય-આત્રેાત થઈ ગયુ હોય કે હુવે એ શ્રદ્ધાને પાતાના અનુભવમાં ઉતારે, અર્થાત્ ભગવાન કે શાસ્ત્ર કહે છે માટે જ નહિ પરત મને પેાતાને ય લાગે છે કે આરાધના વ્ય છે, આ જીવનમાં કરવા જેવું ને ગાભાભ કાંઈ હોય તા તે નવપદ આરાધના જ છે,’ એમ સ્વાનુભવ બેલે એટલુ' જ નહિ, પણ સૂની સહજ ગતિની જેમ પેાતાના જીવનની સહેજ ગતિ આરાધના બની જાય. આનુ નામ સપ્રત્યયાત્મકે શ્રદ્દા.
જ
એ આવે . અને આરાધના પણ શાસ્ત્રોકત સપૂર્ણ વિધિસરની ચાલે-એ ભવ્ય આરાધના છે, એ જ નવપદનુ ભવ્ય ધ્યાન છે.
પૂજામાં ‘ભલા ભવ્ય નવપદ ધ્યાનેન તેણે’ પછી કહે છે
“કરી પૂજના ભવ્ય ભાવે ત્રિકાળે’
વિશુદ્ધ પૂજન :
તીર્થંકર ભગવાન થનાર આત્માએ વળી નવપદની
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૨
નવપદ પ્રકાશ
સાધનામાં શું કરેલું ? તે કે ત્રિકાળ ભવ્યભાવથી નવપદનાં પૂજન કરેલાં, “પૂજન એટલે ભક્તિ કરેલી. ભક્તિના અનેક પ્રકાર છે: દર્શન, વંદન, સ્તુતિ, દ્રવ્યપૂજા, ભાવપૂજા, યાવત્ શ્રદ્ધા, આજ્ઞાસ્વીકાર, આજ્ઞાપ્રવૃત્તિ, વગેરે વગેરે. આ પૂજન ભવ્ય ભાવથી કર્યો. પ્ર—ભવ્ય ભાવથી એટલે કેવા ભાવથી? ઉ–ભવ્ય ભાવથી એટલે વિશુદ્ધ ભાવથી, પ્ર–વિશુદ્ધ ભાવ લાવવા શું જોઈએ? ઉo–આના માટે શ્રી ગદષ્ટ સમુચ્ચય શાસ્ત્ર કહે છે.
उपादेयधियात्यन्त सज्ञाविष्कम्भणान्वितम् ।
फलाभिसन्धिरहित संशुद्ध ह्येतदीदृशम् ॥ અર્થાત
૧. જે પૂજન અત્યંત ઉપાદેય બુદ્ધિથી કરાતું હોય ૨, જે આહારાદિ દશ સંજ્ઞાઓના અટકાયત સહિત
૩. જે ફળની આશંસા વિનાનું હોય
એવું પૂજન વિશુદ્ધ પૂજન છે. ભવ્યભાવથી પૂજા એટલે કે “કેઈ પણ ક્રિયા અત્યંત ઉપાદેય બુદ્ધિથી કરાતી પૂજા અર્થાત આ અત્યંત કર્તવ્ય છે. એને કર્યા વિના ચાલે જ નહિ, તે ઉત્તમ કોટિનું કર્તવ્ય છે. આની તોલે જગતનું કઈ કર્તવ્ય નથી, કેઈ કિયા નથી, કેઈ પૂજા નથી એવું સમજીને કરાતી પૂજા તે ભવ્ય ભાવથી કરી કહેવાય,
Page #96
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૭૩ મોટો ચક્રવતી ઘરે આવે ને ઠાઠમાઠથી તેની આરતી ઉતારી, તેની કિંમત નથી, પણ નવપદની આરતી ઉતારે, તેની કિંમત છે.
પૂજા વખતે આહાર-વિષયકષાય વગેરે દશ સંજ્ઞાને -એકેને ત્યાં ન ઊઠવા દે, ત્યારે ભવ્ય ભાવ આવે.
દા. ત. પૂજન ચાલુ વખતે ભેજનો સમય થયે છે' એવી બહાર સંજ્ઞા ન ઊઠવા દે.
પરેઢિયે પ્રતિકમણ કરતી વખતે “પ્રતિક્રમણ કરી જલદી સૂઈ જઉ એવી નિદ્રા-સંજ્ઞા ન ઊઠવા દે; કારણ કે આહાર સંજ્ઞા જ પૂજનને ડહેન્યા કરે, નિદ્રા સંજ્ઞા પ્રતિકમણને ડહેન્યા કરે, તે એ પૂજનક્રિયા વિશુદ્ધ ન ગણાય,
જેને અત્યંત કર્તવ્ય માને તે ભવ્ય. શ્રેણિકની ત્રિકાળ પૂજા :
રાજા શ્રેણિક ત્રિકાળ પૂજા કરતાં, ચોખાને સાથિયો નહિ, પરંતુ સેનાના જવલાને સાથિ ને વળી તે તાજા જવલાને; ગઈકાલે સાંજે બનાવેલ, સવારે તે હાજર બપોરે જોઈએ તે સવારમાં તૈયાર કરેલ ચકચકિત નવાં સોનાનાં-સાંજની પૂજા વખતે બપોરે બનાવેલ હોય, એકદમ તાજાં ને તાજાં જવલાં જોઈતાં હતાં. સેની ને મુનિ:
આ જવલના નિર્માણના પ્રસંગમાં મેતારજ મુનિને સેની તરફથી ઉપસર્ગ આવેલ. મધ્યાહૂને મુનિ સોનીને ત્યાં ગોચરીએ આવ્યા. સોની જવલાં ઘડતે ઊઠ ને
Page #97
--------------------------------------------------------------------------
________________
૭૪
નવપદ પ્રકાશ
ભાવથી વહેારાવવા જતાં પક્ષી જવલાં ચણી ઝાડ પર એસી ગયું, પાછા વળતાં જવલાં ન દેખી સાનીને ગભરા મણ થઇ કે ‘રાજાને, સમયસર જવલાં હાજર ન હાય તે, વામ શુ' ? '
એના મનને મુનિએ જવલાં ઉઠાવ્યાની શકા થઈ, મુનિને પૂછતાં મુનિએ પક્ષીની હત્યા થવાના ભયથી મૌન નાખ્યું. પેલાની શંકા વધુ જોર કરી ગઈ અને જવલાં કઢાવવા મુનિને માથે વાધર વીંટી તડકે ઊભા રાખ્યા; એમ સમજીને કે હમણાં જરા માથુ ખેચાશે એટલે જવલાં આપી દેશે. મુનિ તા એમાં કેવળજ્ઞાન પામી કાળ કરી મેક્ષે ગયા.
ભવ્ય ભાવ માટે ત્રીજી શરત : સાધનામાં ફળની આશસા ન જોઈએ. સાધનાથી દુન્યવી ફળ મળે એવા વિચાર નહિ, અર્થાત પૌલિક આરાસા ન જોઈએ.
‘આ સાધના કરૂં ને આ દુન્યવી ફળ મળે?
એ ફળની આશસા છે, એટલું જ નહિ; પણ સાધના વખતે મને લોકોત્તર ફળ મળે એવા વિચાર પણ નહિ લાવવાના, કેમકે એમ કરતાં સાધનાના જોશ-વેગ માળેા પડે. સાધના એટલે સાધના. ખસ, એના જ ભાવમાં લયલીન થઈ જવાનું સાધના જેટલી જોરદાર એટલી સાધ્યસિદ્ધિ વહેલી નિકટ,
અણિકા પુત્ર
દા. ત. કેવળજ્ઞાની પુષ્પચૂલા સાધ્વીજી મહારાજે અણિ કાપુત્ર આચાર્ય મહારાજને કહ્યું : 'આપને માટે હું ગોચરી વરસાદના અચિત્ત પાણીમાંથી લાવી છું.”
અચિત્ત શી રીતે જાણ્યુ?
Page #98
--------------------------------------------------------------------------
________________
અરિહંત
કેવળજ્ઞાનથી ?
ત્યારે તેમને થયું કે “અરેરે ! કેવળજ્ઞાની પાસે મેં સેવા કરાવી ? ?
આચાર્ય પૂછે છે : હવે મારે કેટલા ભવ કરવા પડશે? આવા મેટા જ્ઞાની પૂજ્યની પાસે સેવા કરાવીએ તે ઘણું ભવ કરવા પડે એમ આચાર્ય મહારાજ સમજે છે.
આથી તેમને પારાવાર ખેદ થય ને પૂછ્યું: “મારે કેટલા ભવ?
તે સાધ્વીજી મહારાજ કહે, “ચિંતા ન કરશો. આ તમારે છેલ્લે ભવ છે, તમને કેવળજ્ઞાન થશે.”
કયારે કેવળજ્ઞાન થશે? ) ગંગા પાર કરતાં
આમાં સમય તે કહો નથી તે જે હમણાં જ પાર કરે તો સારું. તરત કેવળજ્ઞાન મળે, એમ વિચારી તેઓ ઊઠ્યા, નાવમાં બેઠા, વેરી દવે નાવડું ડેલં ડેલ કર્યું, અને લેકોને ભાસ કરાવ્યો કે “આ માથામુંડિયા મુનિ અપશુકન છે.”
મુનિને લેકેએ બંડલની જેમ ઊંચકી નદી પર ફેંકયા: “જાવ, નદીમાં પડે.”
ફેંક્યા તે કયા પણ ઉપરથી પડતા હતા, ત્યારે તેમને વરી દેવે ભાલામાં ઝીલ્યા.
અહીં કેવળજ્ઞાન યાદ ન આવે ?
“સાધ્વીજીએ તે કેવળજ્ઞાન કહ્યું, પણ અહીં ભાલાજ્ઞાન મળ્યું આવું યાદ આવે કે નહિ ?
ના, સાધના વિશુદ્ધ હતી. સાધનામાં ફળને વિચાર નહિ કરવાને, સાધનાને જ વિચાર રાખવાને ત્યાં સાધના મુખ્ય હતી: અહિંસા-સંયમની.
Page #99
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ આચાર્યને થયું: “અરે! આ વિચારે ભાલો ભેંકનારે મારા શરીરના નિમિત્તે પાપ કરી રહ્યો છે! મારે શરીર છે, તો જ તેને ભાલે ભોંકવાનું મળ્યું ને? મારું શરીર તેને પાપમાં નિમિત્ત બન્યું છે તેની ભાવહિંસા કરનારું બન્યું ! બિચારાનું પરભવે શું થશે? દુર્ગતિના દુ:ખ પામશે!
વળી નીચે લેહી ટપક્યું હતું પાણી ઉપર. “અરેરે! નીચે અપકાયના અસંખ્ય જીવને આ લેહી મરણાંત દુ:ખ આપી રહેલ છે! મારું શરીર અરેરે ! એમની હિંસા કરી રહ્યું છે.'
બસ, આમ અહિંસા-સંયમ-સાધનાને જ વિચાર કર્યો, સાધનાના ફળ રૂપ કેવળજ્ઞાનને નહિ, સાધનામાં એવું જોશ આવ્યું, ને એવા સ્થિર થઈ ગયા છે ત્યાં જ કેવળજ્ઞાન-ત્યાં જ મોક્ષ પામી ગયા!
પછી દેવતાએ મડદું ફેંકી દીધું. માછલાં મડદુ ખાઈ ગયા, ખોપરી બચી. ખોપરી તરતાં તરતાં કઈ ખરાબામાં ભરાઈ. તેના ઉપર ચંદનનું ઝાડ ઉગ્યું. પછી? શ્રેણિક મરી ગયા, પછી કેણિકને ખેદ છે. આ રાજગૃહી રાજધાનીમાં ગમતું નથી તે તેણે તે કાઢી નાખી અને ચંપાનગરીને રાજધાની બનાવી.
પાટલીપુત્ર:
વળી કેણિક મરી ગયે ને તેને પુત્ર ઉદાયી રાજા થશે. કેણિક મરી જતાં ઉદાયીને અરેરે ! આ રાજધાની ? નથી ગમતી. તેને નવી રાજધાની બનાવવી હતી. યોગ્ય સ્થળની તપાસ કરવા માણસોને મોકલ્યા. આ પરીપર જ્યાં
Page #100
--------------------------------------------------------------------------
________________
અરિહંત
ચંદનનું વૃક્ષ ઉગ્યું હતું, તે સ્થળ શુભ શુકનવાળું ગમ્યું. તે રળિયામણું લાગ્યું, અનુકૂળ લાગ્યું, ત્યાં નગરી વસાવી.
ચંદનને સંસ્કૃતમાં પાટલ' કહે છે.
પાટલ પરથી નગરીનું નામ પાટલીપુત્ર થયું. ફળને વિચાર સાધનાને ન ડહાળે, તે જ સાધનામાં મજા આવે-તન્મયતા આવે-જેશ આવે, નાગકેતુ :
એમ સાધના વખતે વિષયસંગાદિ ન ઉઠવા જોઈએ. નાગકેતુને પુષ્પપૂજા કરતાં કરતાં કેવળજ્ઞાન થયું. પુષ્પપૂજા કરતાં ? હા,
પુષ્પપૂજા કરતાં કરડિયામાં નાગ કરડે, ઝણઝણાટી થઈ પણ કૂલપૂજાનું કામ શરીર મમતાની સંજ્ઞાનો વિચાર કર્યા વિના અધિક ભાવોલ્લાસથી કરતા રહ્યા, પ્રભુ સાથે એકાકાર બની ગયા. એ સાધનાથી કેવળજ્ઞાન થયું.
તીર્થકર બનનારે પૂર્વે નવપદની ત્રિકાળ એવા ભવ્ય ભાવથી પૂજા કરી. પ્ર—આ પૂજા કરી કરીને શું કરતા ગયા? ઉo–પિતાના આત્માને નવપદના ભાવથી વાસિત કર્યો–ભાવિત
કરતા ગયા. (વાસિત એટલે ભાવિત) ભાવિતતા :
ભાવિત (વાસિત) એટલે શું ?
Page #101
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ
ઉદાહરણ : કસ્તુરીના દામડામાં દાતણ રાખી મૂકેલ હાય. સવારે દાતણ કાઢી ચાવવા માંડે તે આખુય ચાવી જાય તોય તે સુવાસિત લાગશે, આખા દાતણના અણુએ અણુમાં કસ્તુરીની સુવાસ બેઠી. દાતણ કસ્તુરીથી વાસિતભાવિત થઈ ગયું.
૭૮
નવપદની પૂજા કરીએ, તેમતેમ આત્માના અણુએ અણુમાં નવપદ્મની સુવાસ પ્રસરી રહે. આ વાસિત કર્યાં કહેવાય.
વાસિત કયારે કર્યા ?
“તેને હારું” તે જ વખતે.
પૂજા કરતી વખતે આત્મામાં નવપદ્મના ભાવ ઊતારતા ગયા, આત્મા નવપદથી રંગાતા ગયા, આત્માના પરિણામપરિણતિ નવપદમય અનતી ગઈ. એનાથી તીથ કરપણાનુ પુણ્ય ઉપાખ્યુ, પછી શુ થયુ ?
તા પૂજામાં કહે છે :
જિકે તીથ કર કમ ઉદયે કરીને દીચે દેશના ભવ્યને હિત ધરીને;
આ બધુ કરતાં કરતાં “નવપનું ધ્યાન એટલે કે નવપદની એકાગ્ર આરાધનાથી અને નવપદ્મની પૂજાભક્તિથી આત્માને વાસિત કરતા ગયા. તેથી તેના ફળમાં તીર્થંકર નામક કમાયા.
પ્ર—આ બધી સાધનાએ કામ શુંક ? ઉ—તેણે સમ્યગ્ દર્શન અત્યતવિશુદ્ધ કરી આપ્યુ, તીર્થંકરનામ કર્મ આંધવા માટેનાં સેાપાન : પ્રતીર્થંકર નામકેમ બાંધવા શું જોઈ એ ?
Page #102
--------------------------------------------------------------------------
________________
અરિહંત
હલ ઉ(૧) અત્યંત વિશુદ્ધ સમ્યગૂ દર્શન
(૨) વીશ સ્થાનકની આરાધના (૩) જીવમાત્રની ભાવકરૂણા
આ ત્રણ ચીજ તીર્થકર નામકર્મ બાંધવા માટે જઈએ. પ્ર–સમ્યગુદર્શનની અત્યંત વિશુદ્ધિ કયાંથી લાવવી? ઉ –તે આવે છે નવપદની ભવ્ય સાધનાથી
તો નવપદની સાધના, નવપદની પૂજા, અને નવપદથી વાસિતતા: આ ત્રણ વસ્તુ સમ્યગ્દર્શનની વિશુદ્ધિ કરી આપે, ને તે કરવાપૂર્વક તીર્થકરનામકર્મ બંધાવી આપે, પ્ર—સાધના કહી તે પછી પૂજા કેમ બતાવી?
સાધનામાં પૂજા ન આવી જાય ?
ત્રિકાળ પૂજા જુદી કેમ બતાવી? ઉત્રિકાળ પૂજા એટલા માટે બતાવી કે પૂજા એટલે ઉચ્ચ કોટિનું પ્રભુનું બહુમાન-ગૌરવ છે. સાધના અને પૂજા :
કેટલાક સાધના તો કરે. ગુરુની સેવામાં ૨૪ કલાક ખડે પગે રહે, પણ ગુરુ માટે બહુમાન ન હોય, પરંતુ બહુમાન ભાઈબંધ સાધુનું કરે, ગુરુ આગળ મેહું દિવેલ પીધા જેવું કરે ! આ ગુરુનું બહુમાન કર્યું ન કહેવાય,
નવપદની સાધના સાથે ગૌરવની જરૂર છે, અર્થાત નવપદ પ્રત્યે હૃદયમાં ભારે ગૌરવ ને અત્યંત બહુમાન જોઈએ, શી વાત નવપદ! ” એમ થવું જોઈએ, શાસ્ત્રમાં આવે છે કે
Page #103
--------------------------------------------------------------------------
________________
८०
નવપદ પ્રકાશ
સાધુ વંદન તો કરે, પણ તે કહીને કરે : “ જો હું આ વંદન કરું છું, લખી લેજો, પાછા ન કહેતાં કે વદન
તે
કરવા ન આવ્યા ! ”
આમાં વજ્જૈન ખરું, પણ બહુમાન નહિ. તે વદન મહુમાન વગરનું છે, તેથી નવપદની સાધના ઉપરાંત નવપદની પૂજા દ્વારા બહુમાન જરૂરી છે, માટે પૂજા બતાવી;
પ્રસાધના અને પૂજામહુમાનથી ન પત્યું? વળી ભાવિત કરવાનું કેમ બતાવ્યું ?
ઉસાધના-પૂજના ઉપરાંત આત્માને ભાવિત ન કરે હા તે અધૂરું સમજવું, માટે ભાવિત કરવાનું બતાવ્યુ,
મહુમાન કરે, ગૌરવ સાચવે, છતાં આત્માને ભાવિત ન કરે, ત્યાં સુધી આત્મામાં નવપદની એકાકાર પર્ણત નથી થતી. તે તે વિના ખીજી આસક્તિ ન છૂટ, અનાસક્તયોગ ન આવે, કેવળજ્ઞાન ન થાય. પ્ર—શું આ બધુ, સાધના-પૂજના આત્માને ભાવિત ન કરે ?
ઉના, ભાવિત કરે જ એવા નિયમ નહિ. દુન્યવી ફળની લાલસાથી નવપદની સાધના કરે-પૂજન કરે તેા એમાં કાંઈ આત્મા નવપદ્મથી ભાવિત ન થાય.
‘ચાકરી કરીશું. તા ભાખરી પામીશું! નવપદની આટલી ચાકરી અહીં કરતાં પરલાકમાં ભાખરી અર્થાત્ સુખે ખાવા પીવાનુ` મળો,' આમાં લક્ષ્ય ભાખરી મળવા પર ગયું. ત્યાં નવપદથી ભાવિત કેમ બને ?
Page #104
--------------------------------------------------------------------------
________________
અરિહંત
માટે ત્રીજી વાત ભાવિતતા મૂકી છે.
આત્માને સદા વાસિત-ભાવિત કરતા રહેવું, નવપદની સાધના, પૂજા અને ભાવિતતા એ નવપદને આત્મામાં ખેંચી લાવે છે. જેમકે દૂર મોક્ષમાં બેઠેલા પરમાત્માને આપણી ભક્તિ આપણું દિલમાં ખેંચી લાવે છે. મોક્ષમાં આપણાથી અળગા થઈ બેઠેલ પરમાત્માને કવિ કહે છે કે : અળગા કીધે કહે કિમ સરશે? ભક્તિ ભલી આકષી લેશે.
ગગને ઉડે દૂર પડાઈ દોરી બળે હાથે રહે આઈ. (રાજસ્થાની-કચ્છી ભાષામાં પતંગ ને પડાઈકહે છે). પતંગ અને ભાવિતતા:
પતંગ આકાશમાં હોય, પણ દોરી બાંધી હેય-તેથી ધારીએ તે તેને નીચે લાવી શકાય,
તેમ નવપદ ક્યાંય દૂરે ઊડે છે, પરંતુ ભાવિતતાની દોરા તેને આપણા આત્મામાં ખેંચી લાવે છે.
સમ્યગૂ દર્શન કયાંય આકાશમાં ઊડે છે, પણ ભાવિન તતાથી હૃદયસ્થ બનેલ નવપદ દોરી જેવા છે તે સમ્યગુ દર્શનને આત્મામાં ખેંચી લાવે છે,
તેમ તીર્થકર નામકર્મ આકાશમાં ઊડે છે, પણ આ વિશુદ્ધ સમ્યગ દર્શનરૂપી દોરી એને આત્મામાં ખેંચી લાવે છે.
કૃષ્ણ મહારાજાએ એમનાથ પાસે ભીખ ન માગી, પરંતુ પોતાના આત્માને નેમનાથ ભગવાનની ભક્તિ અને
Page #105
--------------------------------------------------------------------------
________________
૨
નવપદ પ્રકાશ ઉત્કટ બહુમાનથી નેમનાથ પ્રભુથી ભાવિત કર્યો અને એ ભાવિતતાથી હૃદયસ્થ બનેલા ને મનાથ સમ્યગુદશનેને ખેંચી લાવ્યા. સમ્યગ્ગદશનની જોરદાર આરાધના હતી, ઉપરાંત વીસસ્થાનકમાંના “અરિહંત પદ-સ્થાનક પર મુસ્તાક હતા ને તેમને સર્વ જીવો પર ભાવયા હતી. આકાશમાં ઊડતા તીર્થંકર નામકર્મને લાવનાર આ ત્રણ નવપદ આરાધના-પૂજના-ભાવિતતાથી વિશુદ્ધ બનેલ તેમણે જે તીર્થંકરનામકર્મ બાંધ્યું, તે છેલ્લા ભવમાં ઉદય આવ્યું,
વિશે જેનાથી
પૂજાથી ભાવિત થાય એટલે સમ્યગુદર્શન વિશુદ્ધ થાય. તેનાથી તીર્થંકરનામ કમ ઉત્પન્ન થયું અને તેને ઉદય થયો, ત્યારે ભગવાન “દીયે દેશના ભવ્યને હિત ધરીને; દેશનાનું કારણ : પ્ર–ભગવાન કેવળજ્ઞાન પામી ગયા. હવે ધર્મ કરવાની શી
ઉo-તેઓ હવે નક્કી મોક્ષે જવાના છે, છતાંય ભગવાન
ચાલ્યા એક ગામથી બીજે ગામ. ચાલીને પગ થાકે ને? છતાં ગામે ગામે વિચારી દેશના દે છે. શા માટે ?
ભગવાનને કેવળજ્ઞાન થયું. બધું પાર પડી ગયું છતાં વિચરે, ત્રણ ત્રણ કલાક સમવસરણુમાં બેસે ને દેશનાની ધારે વર્ષાવે. શા સારુ ? તો કે ભવ્ય જીવોના હિતને માટે.
ભગવાન વાતવાતમાં આરામ કરતા જીવોને જાણે કહે છે. “પ્રમાદ ન કરે. આરામ છેડે, કામ સંભાળો,
Page #106
--------------------------------------------------------------------------
________________
{
અરિહંત
૮૩
એ માટે અમારા સામે જુએ. અમે કૃતકૃત્ય થઇ ગયા છીએ, છતાં વિહાર કરીએ છીએ, દેશના ઈએ છીએ” આ કોણ સાંભળે ? પ્રભુ વિચરતા રહેતા, કામ કરતા રહેતા, જ્યારે આપણે કેવા ? ઉડ્ડયન કવિ પ્રભુને કહે છે. તે સમકિતથી અધુરા ! તું તો સકલ પદારથે પૂરા
9
પ્રભુ ! મારામાં સમકિતનું ઠેકાણુ નથી, ત્યારે તું અનાસકિત, નિર્વિકારતા, વીતરાગતા, યથાખ્યાત ચારિત્ર, કેવળજ્ઞાન વગેરે સમસ્ત ઉત્કૃષ્ટ આત્મ-સમૃદ્ધિના પદાર્થોથી ભરપૂર છે.
તીર્થંકરનામકર્મ થી હિત ધરીને દેશના દે છે, હિત ધરીને એટલે જીવાના કલ્યાણ માટે; જીવાનુ` કલ્યાણ વિચારીને એમ નહિ; કારણ, ભગવાનને કેવળજ્ઞાન હેાય એટલે કલ્યાણ વિચારવાનું હોતુ નથી. જીવાના કલ્યાણ માટે દેશના આપે છે, પાતે કૃતકૃત્ય છે, છતાં વા પર્ મહાન ઉપકાર કરે છે. પ્ર૦-શુ' એવા વિચાર ન કરી શકાય કે તેમને કમ ખપાવવા
છે તેથી દેશના આપી?
ઉ—આવા વિચાર કોણ કરે ? નિષ્ઠુર, નિમકહુરામ આવા વિચાર કરે, પરંતુ નિમકહલાલ તે કહે, ‘અમારા પર પ્રભુકલ્યાણના ઉપકાર કરે છે. અમારા હિતને માટે જ પ્રભુ દેશના આપે છે.”
પૂજામાં વળી કહે છે, પ્રભુ કેવા છે ?
સદા આઠ મહાપાડિહારે સમેતા, સુરેશે નરેશે સ્તવ્યા બ્રહ્મવૃતા. (૪)
Page #107
--------------------------------------------------------------------------
________________
૮૪
નવપદ પ્રકાશ વિહાર અને સ્થિરતા વખતે પ્રાતિહાર્ય:
પ્રભુ હમેશાં આઠ પ્રાતિહાર્યથી યુક્ત છે. સમવસણમાં પ્રાતિહાર્ય આઠ હેય અને વિચરતાં પ્રાતિહાર્ય પાંચ હેય જેમકે પ્રભુને ચાલતાં
૧. અશેકવૃક્ષ આકાશમાં સાથે ન હોય, ૨. દિવ્યવનિ થયા ન કરે. ૩. પુષ્પવૃષ્ટિ ઝરમર ઝરમર થતી ન હોય;
પરંતુ પ્રભુ જ્યાં સ્થિરતા કરે, ત્યાં ઉપર અશેકવૃક્ષ હેય, સમવસરણમાં આઠેય પ્રાતિહાર્ય હેય.
આ આઠ પ્રાતિહાર્ય છે. તેના પર ઊડે વિચાર કરીએ તે ઊંડા રહસ્ય દેખાય; માટે આ પ્રાતિહાર્યને અરિહંતના બાર ગુણ પૈકી આઠ ગુણ કહ્યા. પ્ર–જ્ઞાનાતિશય, વચનાતિશય વગેરે તે ગુણે છે, પણ
ચામર, ભામંડલ વગેરે તો પ્રભુની શોભા છે. એ ગુણ
શી રીતે ? ઉ–પહેલો ગુણ તે આ: આઠ પ્રાતિહાર્યનું ધ્યાન ધરીએ
એટલે આપણામાં તેવા તેવા ગુણ પ્રગટ થવા માંડે છે.
મનથી એકલા ભામંડલ સાથે ભગવાનને જોવામાં આવે અથવા એકલા ચામર સાથે ભગવાનને જોવામાં આવે. દા. ત. લોગસ્સ બેલતાં ચોવીસ ભગવાનનું એકેકનું નામ આવે, ત્યાં દરેક ભગવાનની બને બાજુ બે ચામશે અથવા મુખ પાછળ ભામંડલ સાથે ભગવાનને જેવામાં આવે, તો આપણું આત્મામાં વિશિષ્ટ ગુણ ઉત્પન્ન થતા અનુભવાય છે,
Page #108
--------------------------------------------------------------------------
________________
અરિહંત
દા. ત. સફેદ ચામર સાથે પ્રભુની મુખમુદ્રા ઉપર ચક્ષુમાં નિર્વિકારિતા જોતાં જોતાં આપણું આત્મામાં પ્રલભનની સામે પણ અંશે અંશે નિર્વિકારતાને અનુભવ થતે દેખાય છે. એમ મુખની આસપાસ ઝગારા મારતા ભામંડલ સાથે પ્રભુનું વદન જોતાં જોતાં આપણામાં મોહની લાગણીઓને દબાવનાર એક પ્રકારને પ્રતાપ-આભ તેજ પ્રગટતું દેખાય છે.
મતલબ, આવા મહાન ગુણને ઉત્પન્ન કરનાર પ્રાતિહાર્ય એ ગુણરૂપ જ કહેવાય.
એમ એકલા અશોકવૃક્ષ સાથે પ્રભુને જોઈએ, ત્યાં અશોકવૃક્ષ લીલું કલહાર દેખાય. તે જોઈએ તે આંખનું તેજ વધે, મનથી જેવું હોય, ત્યારે આંખ બંધ રાખવાની પછી અંદરનું દેખાય. તે વખતે અશોકવૃક્ષ સહિત પ્રભુ દેખાય, ખૂબ ભાવથી એ વારંવાર જોતાં જોતાં લીલા કલહાર અશોક વૃક્ષમાં કઈ ઉગ્રતા નથી, સૌમ્યતા છે, એટલે આપણું હૃદયમાં સૌમ્યતા ગુણ પ્રગટવા માંડે, આ ગુણના હિસાબે પ્રાતિહાર્ય અશોકવૃક્ષ એ પ્રભુને ગુણ બને છે.
આઠ પ્રાતિહાર્ય સમેત છે, કુદરતની તે બક્ષીસ છે, રહસ્ય છે, કુદરત કેઈને આ રીતે નવાજતી નથી, પ્ર–તે કુદરત પ્રભુના આટલા બધા ઊંચા સન્માન કેમ
ઉ –કારણ એ છે કે પ્રભુએ પૂર્વભવમાં કુદરતના બાળકરૂપ
સમસ્ત જીની કરુણ ચિંતવી છે. સમસ્ત જીવોના ઉદ્ધારની બ્રીફ લીધી છે, એ હિસાબે કુદરત પોતાના
Page #109
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ અનંત બાળકની કરુણા ચિંતવનાર મોટા પુત્ર તીર્થકર જીવના ઊંચા સન્માન કેમ ન કરે ? કુદરતની પ્રભુ પર હજુ વધારે મહેર જુઓ :
દેવતાઓ સમવસરણું બનાવે તે ફક્ત ભગવન માટે જ, પિતાના માલિક ઈન્દ્ર માટે પણ નહિ ! વળી વિશેષ કુદરતના સન્માનમાં પૂર્વે કહ્યું તેમ વિહારમાં પગ મૂકવા નવ સ્વર્ણ કમળ, પંખેર પ્રદક્ષિણા દે, ઝાડ નમતાં જાય, હંમેશાં જઘન્યથી એક કરોડ દેવ સેવામાં હેય, વગેરે વગેરે પ્રભુનાં સન્માન કુદરત કરે છે. પ્રભુની અગાધ કરુણા :
પ્રભુની સર્વજીવકરુણા અને કુદરતના તની યથાર્થ શ્રદ્ધારૂપ સમ્યગદર્શનની અંતર્ગત જિનાજ્ઞા–પ્રતિબદ્ધતાના બળ ઉપર કુદરત એવા અલૌકિક સન્માન કરે છે, એ જોતાં આપણે ધડ લેવા જેવો છે અને દુ:ખિત કે પાપી જી પર લેશમાત્ર દ્વેષ કે કઠેરતા વિના નીતરતો કરુણ ભાવ અને સક્રિય દયા કરવા જેવી છે, તેમજ જિનાજ્ઞાપ્રતિબદ્ધતાને ખૂબ જ વિકસાવવા જેવી છે.
વળી તીર્થકર બનનારને જગતના મોટા ઇંદ્રાદિ કેવા નવાજે છે એ કહે છે –
સુરેશે નરેશે સ્તવ્યા બ્રહ્મપૂતા અર્થાત બ્રહ્મચર્ય-શુદ્ધ આત્મસ્વરૂપથી પવિત્ર એવા પ્રભુને સુરેન્દ્રો-નરેન્દ્રોએ સ્તવ્યા છે, એમની સ્તુતિઓ ખૂબ ભાવ ભરેલી હોય છે. સ્તુતિનું સામર્થ્ય :
આપણું જીવનમાં એ સ્તુતિ લાવવા ને વિકસાવવા માટે એક ઉપાય “અરિહંત પરમાત્માની અનેકાનેક પ્રકારની
Page #110
--------------------------------------------------------------------------
________________
DI:
અરિહંત સ્તુતિઓને વારંવાર અભ્યાસ કરે જોઈએ એ છે. એ માટે વિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્રમાં કેવી કેવી ને કેટકેટલીય સ્તુતિઓ કરવામાં આવી છે, તે જોવા જેવી છે, એમાં ઈન્દોએ કરેલ સ્તુતિઓ છે, ગણુએ કરેલ સ્તુતિઓ છે, રાજાઓ વગેરેએ કરેલ સ્તુતિઓ છે. એના સારા અભ્યાસથી પ્રભુ પ્રત્યે ભારે ભક્તિભાવ વધે છે, અને પ્રભુની સહજભાવે આપણી ભાષામાં સ્તુતિ કરવાની શક્તિ આવે છે. તેમજ જીવોની કરુણા અને જિનાજ્ઞાપ્રતિબદ્ધતા- આ બે મહાન ગુણ કેળવવાની ઊર્મિ જાગે છે. પ્ર–ભગવાન તે આપણા દિલના ભાવ જાણે છે, તો સ્તુતિ કરવાની શી જરૂર ?
ભગવાન, તમે મહા ઉપકારી છે ” આ કહી બતાવવાનું શું કામ ? શું ગુરુને કહેવાનું હોય કે “તમે મારા
ઉપકારી છે, આવા આવા ગુણવાળા છો ? ઉ૦-હા. ઈતિમાં કહ્યું છે કે
પ્રત્યક્ષે ગુરવ: સ્તુત્યા.
પક્ષે મિત્ર બાન્ધવા: અર્થાત ગુરુની સમક્ષમાં એમની સ્તુતિ કરવી જ જોઈએ. ન કરીએ તો ગુનેગાર ઠરીએ. સ્તુતિ કરવાથી આપણું દિલના ભાવ વધે છે. તેમજ આપણું દિલમાં સારા સારા ગુણોની આશંસા દૃઢ થાય છે એમ જ
સાહેબ! તમારે બહુ ઉપકાર !” “પ્રભુ! તું ત્રિભુવનનો ગુરુ ! એટલે મારે પણ ગુરુ છે ? આ બોલતાં કૃતજ્ઞભાવ વધે છે, આમ બોલતાં આપણું હૈયામાં શુભભાવ વધે છે, “હે જગતદયાળુ ! આટલું બોલતાં પણ પ્રભુ પર બહુમાન વધે છે.
Page #111
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ
આમ સ્તુતિથી આપણા દિલમાં સારી વસ્તુની આશંસા ને ભગવાન પર આદર-મહુમાન તથા આપણા દિલમાં પ્રભુ પ્રત્યે કૃતજ્ઞતા વધે છે. પછી એવા મહાન ગુણાને જન્મ આપનારી સ્તુતિ નકામી કેમ ગણાય ?
te
બ્રહ્મપૂતા
6 બ્રહ્મપુતાના બે અર્થ :
6
સુરેન્દ્રો નરેન્દ્રોએ પ્રભુને કેમ સ્તવ્યા ? એના ઉત્તર રૂપે કહે છે કે પ્રભુ બ્રહ્મપૂતા' છે. અહીં બ્રહ્મ એટલે અત્યંત નિળ બ્રહ્મચ, એનાથી ભગવાન ‘ પૂત” એટલે પવિત્ર છે. તીર્થંકર ભગવાનની આગળ ઈન્દ્રાણીઓ ટહેલતી હાય છે, રભા-ઉર્વશી પ્રભુને જોઈ જોઈ, અને સાંભળી સાંભળી ઉત્સાહમાં આવી જઈ નૃત્ય કરવા મંડી પડે છે; તેમજ પ્રભુને કેવળજ્ઞાનની ચક્ષુથી દેવભવન કે ધ્રુવિવમાનમાં દેવ દેવી ર્ંગરાગ ખેલતાં પ્રત્યક્ષ દેખાય છે. આ બધું છતાં પ્રભુને રૂંવાડેય લેશમાત્ર વિકાર નથી, એટલું અધુ ઊંચું એમનુ નિર્માળ બ્રહ્મચર્ય છે. આવા બ્રહ્માચય થી પવિત્ર પરમાત્માને વિષય રંગરાગની ગુલામી ભોગવતા સુરેન્દ્રો--નરેન્દ્રો કેમ સ્તવવા ન લાગે ?
'
અથવા ‘બ્રહ્મ’ એટલે ‘ શુદ્ધ આત્મા,’ અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપ, એનાથી પવિત્ર છે તીથકર ભગવાન. આ શુદ્ધ સ્વરૂપની સામે સુરેન્દ્રો-નરેન્દ્રો પોતાના આત્માની મેાહુ અને જ્ઞાનાવરણાદિ કર્માંથી મહા મલીનતા–ગુલામીને જોતા હૈાય એટલે એવા પિવત્ર પરમાત્માને જોઈ એમના પર કેમ આવારી ન જાય? અને કેમ પેટ ભરીને સ્તુતિ ન કરે ?
Page #112
--------------------------------------------------------------------------
________________
મલાડ પૂર્વ
વાચના (સવાર) મહા વદ ૧૦, ૨૦૧૬ ૨૬-૧-૮૦
અરિહંત ક્ય ઘાતિયાં કર્મ ચારે અલગ્ગા, ભવોપગ્રહી ચાર જે છે વિલમ્મા, જગત પંચ કલ્યાણકે સૌખ્ય પામે, નમે તેહ તીર્થકરા મોક્ષ કામે, (પ)
જેમણે ચાર ઘાતી કર્મોને અળગા (દૂર) કરી દીધા છે અને ભવમાં પકડી રાખનાર (અઘાતી) ચાર હજુ જેમને ઉદયમાં ને સત્તામાં વળગેલા છે, જેમનાં પાંચ કલ્યાણકે વખતે જગતના જીવો સુખને અનુભવ કરે છે તે તીર્થકર ભગવંતને મોક્ષની કામનાથી નમસ્કાર કરે. ઘાતી ને અઘાતી કર્મ: પ્રવે-ભગવાન અરિહંત કેવા છે? ઉ–અરિહંત ભગવાને ચાર ઘાતી કર્મોને આત્માથી અળગા
કર્યા છે, તે કર્મ આત્મા પરથી છૂટા પડી ગયા છે. પ્ર—ઘાતા કર્મ એટલે શું?
Page #113
--------------------------------------------------------------------------
________________
૯૦
નવપદ પ્રકાશ
ઉ-આત્માના પરમાત્મ-સ્વરૂપને ઘાત કરે તે ઘાતકર્મ
આત્માના ગુણને ઘાત કરે તે ઘાતી” એ-વ્યાખ્યા બરાબર નથી, કારણ કે અનંત સુખ પણ આત્માને ગુણ છે, છતાં એને ઘાતક એટલે એને અટકાવનાર શાતા-અશાતા વેદનીય કર્મ એ કાંઈ ઘાતી કર્મ તરીકે
ગણાતું નથી. એ તે અઘાતી કર્મ છે. પ્ર–પરમાત્માને કેવળજ્ઞાન પ્રગટયું છે, એનાથી પોતાનું
અનંત સુખ પ્રત્યક્ષ જુએ છે તો તેને સંવેદે કેમ નહિ? ઉ–તાવવાળે ધન્વતરી વૈદ્ય હેય, “આરોગ્ય શું છે ? તેને
જાણે, પણ તેને તે વેદી ન શકે; તેવી રીતે કેવળજ્ઞાની અનંત સુખ શું છે તે જુએ, પણ વેદો ન શકે, જ્યાં સુધી શાતા અશાતાના અનુભવરૂપ તાવ છે ત્યાં સુધી.
ઘાતી તો આમાના પરમાત્મ-સ્વરૂપને ઘાત કરે છે. શુદ્ધ પરમાત્મ સ્વરૂપ વીતરાગ, સર્વજ્ઞતા અને અનંતવીર્ય છે, તે પરમાત્મ-સ્વરૂપને ઘાત કરે તે ઘાતીકમ, બાકીના ચારકર્મ પરમાત્મ સ્વરૂપને ઘાત ન કરે. તેથી તે અઘાતી કર્મ છે,
પાલક પાપીની ઘાણીમાં પીલાતા મુનિ જીવંત અવસ્થામાં જ કેવળજ્ઞાન પામ્યા. એટલે કે વીતરાગ, સર્વસ, પરમાત્મા બન્યા, જે કે એ વખતે અશાતા વેદનીય ભોગવી રહ્યા હતા, છતાં એ કર્મથી પરમાત્મા સ્વરૂપને ઘાત થયો નહીં.
એ સૂચવે છે કે વેદનીય એ અઘાતી કર્મ છે,
એમ ખુદ તીર્થકર ભગવાન વીતરાગ, સર્વજ્ઞ, પરમાત્મા, બન્યા પછી, પણ ઠેઠ જીવનના અંત સુધી શાતા વેદનીયા
Page #114
--------------------------------------------------------------------------
________________
અદ્ભુિત
૯૧
ભોગવે છે, છતાં એમના પરમાત્મસ્વરૂપને કશી આંચ આવતી નથી.
મુક્તિ અને પર્માત્મા :
મુખ્ય વાત આ છે કે જેમ મુક્તિ એ પ્રકારે : ૧, કેવળજ્ઞાન થાય ત્યારે સદેહમુક્તિ અને ૨. સર્વ ક`ના અંત કરી શરીર રહિત બની સિદ્ધ બને ત્યારે વિદેહમુક્તિ
કહેવાય.
એવી રીતે પરમાત્મા એ પ્રકારે : ૧. કુંવળજ્ઞાન પામી, વીતરાગ સજ્ઞ બની હજી જીવંત હાય, શરીરધારીહાય, ત્યારે એ સદેહ પરમાત્મા કહેવાય, અને સ ક તથા શરીરથી સર્વથા મુક્ત અને ત્યારે વિદેહ પરમાત્મા કહેવાય.
એ બતાવે છે કે સદેહે પરમાત્માને શાતા અશાતા વેદનીય કમ અને તેના વિપાક ચાલુ છતાં, એ પરમાત્મા જ છે. ભવાપગ્રહી ચાર જે છે વિલગ્ગા
ભવાપગાહીપણું' :
ભગવાન તીર્થંકર અનવા છતાં એમને ચાર ભવાપગ્રહી અથવા ભવાપગ્રાહી એટલે કે અથાતી ક હુષ્ટ વળગેલા છે. પ્ર-અઘાતી કર્મોને ભવાપગ્રહી કેમ કહે છે ? –અઘાતી ક જીવના પરમાત્મ સ્વરૂપના ઘાત ન કરવા છતાં જીવને ભવ એટલે કે સસામાં પકડી રાખનારા છે, માટે તે ભવાપગ્રહી કહેવાય,
ચાર્ક :
પ્ર૦-વેઢનીય વગેરે કમ કેમ ભવાપગ્રહી ભવમાં પકડી રાખે છે ? ઉ–શાતા અશાતા વેદનીય શરીરથી જ ભોગવવાની છે, અને શરીર છે, ત્યાં સુધી ભવ એટલે કે સ સાર
Page #115
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ
અવસ્થા છે, તેથી અવશ્ય ભોગવવાના એ વેદનીય કર્મ જીવને શરીર દ્વારા ભવમાં પકડી રાખે એ સહજ છે, એમ આયુષ્ય કમ એ શરીરને ને આત્માના પ્રદેશને ક્ષીરનીરની જેમ અથવા લોહઅગ્નિની જેમ એકમેક રાખે છે, તેથી સહજ છે કે આયુષ્ય કર્મ હોય, ત્યાં સુધી શરીર પ્રદેશમાં આમ પ્રદેશને પકડાયા રહેવું પડે, એટલે આયુષ્ય કર્મ પણ સંસારમાં ભાવમાં પકડી રાખનારું કહેવાય,
નામકમ એ પણ શરીરને તત્સંબદ્ધ ત્રસપણું, પ્રત્યેકપણું, યશ-અપયશ, વગેરેના અનુભવ કરાવે છે,
એટલે નામ કમનો ભોગવટો હોય ત્યાં સુધી આ અનુભવરૂપ ભવમાં પકડાયા રહેવું પડે. માટે નામ કર્મ પણ ભોપથહી છે.
ગેત્રકમ પણું શરીરધારી આત્માને આ ઊંચા કુળના, આ નીચા કુળના, એમ વ્યવહાર આપે છે, એટલે એ હેય ત્યાં સુધી આત્માને શરીરમાં પકડાયા રહેવું પડે, અને તેથી ભવમાં પકડાયા રહેવું પડે, માટે ગોત્રકમ પણ ભવોપગ્રહી કર્મ છે, ખેદ અને અસમાધિ: પ્રમાણસને કુબડું શરીર હોય તો અગર માથામાં શૂળ
ઉપડે તો એને ખેદ થાય છે, અસમાધિ થાય છે, અને એ ખેદ-અસમાધિ પરમાત્મ સ્વરૂપના ઘાતક છે, તે આ કુબડું શરીર આપનાર નામ કર્મ તેમજ શૂળ આપનાર અશાતા વેદનીય કર્મઘાતી કેમ નહિ ?
Page #116
--------------------------------------------------------------------------
________________
અરિહંત ઉ–ખેદ અને અસમાધિ થાય છે, તે કૂબડરૂપ અને શૂળ
વેદનાને લીધે નહિ, પણ મેહનીય કર્મના લીધે થાય છે. ખેદ-અસમાધિ એ મેહનીય કર્મને ઉદય છે, જે મેહનીય કર્મ ઉદયમાં ન આવવા દે, તે કશે ખેદઅસમાધિ થાય નહીં, પછી ભલે શરીર કુબડું હોય કે માથામાં શૂળ હાય, મહાત્માઓ પણ એવી અવસ્થામાં જરાયે ખેદ કે અસમાધિ કરતા નથી તો કઈ તેવા
બડા શરીરવાળા યા શરીર પીડાવાળા પણ પરમાત્માવીતરાગ-સર્વરા બનેલાને ખેદ-અસમાધિ શાની હોય?
સારાંશ : ખેદઅસમાધિ મેહનીય કર્મના ઘરના છે, પરંતુ નામ કર્મ કે વેદનીય કર્મના ઘરના નહીં. પછી અજ્ઞાન મૂઢ જીવ ખેદ કે અસમાધિમાં અજ્ઞાનતા-મૂઢતાને કારણે કૂબડા શરીર કે શરીર પીડાને નિમિત્ત બનાવે એ જુદી વાત. ખરેખર તો એમાં મોહનીય કર્મ જ કારણ છે.
પરમાત્માને અઘાતી કર્મને નાશ, ભગવાઈને જ થાય છે, કિંતુ કોઈ તપ, ધ્યાન વગેરે સાધનાથી નહિ, સાધનાથી ઘાતી કર્મોના નાશ થાય છે, એટલે સમસ્ત ઘાતી કમેને નાશ થતાં સાધના અને સાધક અવસ્થા પૂરી થાય છે. હવે સદેહ સિદ્ધ અવસ્થા ઊભી થાય છે. એમાં અઘાતી ભોગવીને જ પૂરાં કરવાં પડે છે; તો ઘાતી કર્મ અળગાં કર્યા તે સાધનાના પુરુષાર્થથી કર્યા,
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચાર ઘાતી કર્મ છે.
Page #117
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ
આ ચારને નાશ સમ્યગ્દર્શન, સભ્ય જ્ઞાન અને સમ્યકુચારિત્રની સાધનાના પુરુષાર્થથી કર્યો, અથવા અહિંસા-સંયમ–તપની સાધનાના પુરુષાર્થથી કર્યો, અઘાતી કર્મનાશના ઉપાય : પ્ર–અઘાતી કર્મને નાશ કેવી રીતે કર્યો? ઉઅઘાતી કર્મને નાશ તેનું વદન કરીને વિપાક ભોગ
વીને કર્યો.
કર્મનો નાશ બે રીતે થાય. नत्थि कम्माण मोक्खो अवेयइत्ता तवसा वा झोसइत्ता।
અર્થાત કર્મને ભગવ્યા વિના અથવા તપ (અહિંસાસંયમ-ત૫)થી કર્મને ખપાવ્યા વિના આત્મા પરથી કર્મને છૂટકારે નથી. કર્મને છૂટકારો આત્મા પરથી વેદન કર્યા વિના અથવા તપસ્યાથી ખપાવ્યા વિના થતા નથી, એટલે કે વેદન કર્યા વગર કે તપથી ક્ષય કર્યા વગર કર્મને નાશ થતો નથી.
બાંધેલાં કમ છેડવાં છે?
તો કાં તો ભોગવી લે અથવા તપથી ઉડાવો. પ્ર—આપણે પુરુષાર્થ કઈ વસ્તુને કરવાને? ઉ–ઘાતી કર્મને ઉડાવવાને પુરુષાર્થ કરવાનું છે, પણ
અઘાતીની ચિંતા નહિ કરવાની,
દા. ત. જ્ઞાનાવરણીય નડે છે, તો ગાથા નથી આવહતી, તે ત્યાં પુરુષાર્થ કરવાનો. ગાથા ગોખ-ગેખ કરવાની
Page #118
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૯૫
ઉદાહરણ : એક મહારાજને શ્રીઉત્તરાધ્યયન સૂત્રના ૪થા અધ્યયનની માત્ર ૧૩ ગાથા, તે ગાખતાં ૧૨ વ લાગ્યાં. ગાખવા ગાખવાના પુરુષા માં પૂર્વે અંધાયેલ ઘાતી કઈ ઊખડી ગયા. તેર ગાથાના આવરણ તો ઊખડયાં, પણ વધારામાં ઘાતી ક્રમ બધાંય ઊખડી ગયાં.
અરિહંતે ચાર ઘાતીક
અઘાતી હજી તેમને વળગેલાં છે,
અળગા કર્યાં છે અને ચાર
46
'જગત્ પંચ ક્લ્યાણકે સૌખ્ય પામે.”
કલ્યાણકથી કલ્યાણ :
વળી પ્રભુ કેવા છે ?
તે જેમનાં પાંચ કલ્યાણકથી જગત સુખનો અનુભવ કરે છે,
પાંચ કલ્યાણક : ચ્યવન કલ્યાણક, જન્મ, દીક્ષા, નાણુ, અને નિર્વાણ કલ્યાણક, ચ્યવન, પ્રભુ દેવલાકમાંથી ચ્યવીને માતાના ઉદ્દેશ્માં આવે, પછી જન્મ લે, દીક્ષા લે, કેવળજ્ઞાન પામે, તે મેક્ષ પામે. આ પાંચે પ્રસંગે અધા જીવાને સુખ થાય. નાર્કોને પણ થાય. નિગેાદના જીવાને વ્યક્ત ચેતના નથી, તેથી ‘હારા’ ન કરી શકે, છતાં એનેય સુખ થાય, ‘હાશ” કરવાના અનુભવ મીજાને થાય.
દુનિયામાં કાઈ ખીજી શક્તિ, કોઈ સત્તા કે વસ્તુ નથી કે જે જીવમાત્રને સુખ આપે. તે ફક્ત તીર્થંકર ભગવાનના પાંચ કલ્યાણક જ છે, અતસુ હૂંત સુખ આપે, માટે તે કલ્યાણક કહેવાય છે.
જ્ય એટલે સુખ, સળ એટલે એલાવવુ
Page #119
--------------------------------------------------------------------------
________________
૯૬
સુખને ખેલાવે તેનું નામ કલ્યાણ તેને લાગ્યા એટલે ચાળા' અન્ય ૨મ વાલ્યાનામ્ ।ગળત્તિ' એટલે ‘થતિ’.
સુખને કહેઃ ‘આવ અહી
:
પ્ર૦-તી "કર ભગવાનના કલ્યાણક થાય છે, તે શાના પર થાય છે?
-ભગવાને સર્વ જ્વાની કરુણા વિચારી છે, કરુણા ભાવી છે, તે એવી ભાવી છે કે તે ભાવની નોંધ કુદરત લે છે.
નવપદ પ્રકાશ
‘અ’ પ્રત્યય અતિ કૃતિ
જ્યારે ભગવાનના આ પ્રસંગ (કલ્યાણકના) આવે, ત્યારે પૂર્વની ભાવેલી અનુકંપાના પડધા પડે છે.
તીર્થંકર ભગવાનનુ ચ્યવન થાય તો સુખ. તીર્થંકર ભગવાનના જન્મ થાય તે સુખ, તીર્થંકર ભગવાન દીક્ષા લે તે સુખ. તીર્થંકર ભગવાનને કેવળજ્ઞાન થાય તે સુખ, તીર્થંકર ભગવાન નિર્વાણ પામે તો સુખ.
નમવાપણું ને ગમવાપણું :
નમા તેહ તીકરા માક્ષકામે
અરિહંતપદની આ પૂજા છે, એટલે નવપદની સાધનાથી એ કેવી રીતે અરિહંત બન્યા એ અહી સુધીના કાવ્યથી બતાવીને હવે કહે છે કે એવા તીથકર ભગવાનને નમસ્કાર કરો. નમા તેહ તીથ કરા મેક્ષકામે’
Page #120
--------------------------------------------------------------------------
________________
૭
બરિહંત
“નમે એ સહુને ગમે તે તીર્થકર ભગવાન જેવા લકત્તર પુરુષને તો નમનાર જરૂર ગમે. પ્ર-નમનારે પ્રભુને ગમે એમ કહો છો તો શું વીતરાગ
પ્રભુને એના પર રાગ થાય? ઉ –નમનારે ગમે એટલે નમનારા પર રાગ થાય, એ તો
ઉપલકિય પદાર્થ છે. ખરેખર તે નમનારે ગમે એટલે નમનારાનું મૂલ્યાંકન થાય, એ ગમવાની ખરી વસ્તુ છે, માટે તો સારી નોકરી ભરનાર નોકર શેઠને ગમે એટલે કે શેઠે એના પર રાગ કર્યો, શેઠ રાજી થયા, એટલો અર્થ નથી કેમકે જે શેઠ એનું મૂલ્યાંકન નથી કરતા અને બીજા ગરબડિયા પણ “મારતે મિંયા નેકરનું અવસરે બક્ષિસ વગેરેથી મૂલ્યાંકન કરે છે, તે કેશુ કહેશે કે પેલે સારે નોકર શેઠને ગમે?”
સારાંશ: ગમવું એટલે ખરું મૂલ્યાંકન કરવું. પ્રસ્તુતમાં જે નમે, તે પ્રભુને ગમે ને અર્થ એ છે કે તે નમનારનું પ્રભુ સારું મૂલ્યાંકન કરે છે. પ્રભુનું ઊંચું મૂલ્યાંકન એટલે પ્રભુના જ્ઞાનમાં સારા વિષય તરીકે સ્થાન પામવું. પ્રભુ પહેલાં એ નમનારાને કેવળજ્ઞાનમાં અહંકારી વગેરે તરીકે જેતા હતા, તે હવે નમનથી એને વિનમ્ર સારા જીવ તરીકે એટલે કે આત્મન્નતિના પગથિયા ચઢનાર તરીકે જુએ છે.
જો કેવળજ્ઞાનીનું આ પ્રમાણપત્રક મળતું હોય તે આત્માનું કેટલું મોટું સૌભાગ્ય ગણાય? તીર્થકરને નમન કરતાં એ ભગવાનને કેવા સરસ ગ ગણાય?
Page #121
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ
યુવા શ્રેણિકની બુદ્ધિમત્તા:
ગામવાને આ ભાવ શ્રેણિકના કુમારજીવનમાં જોવા મળે છે. વાત એ હતી કે એના પિતાને અનેક પુત્રોમાંથી ભવિષ્યમાં કોને રાજ્યધુરા સોંપવી એ પ્રશ્ન હતો. એમાં શ્રેણિકની હોશિયારી પ્રસંગ પ્રસંગમાં દેખાઈ આવતી હતી,
વધુ ચકાસણી માટે એક વાર કુમારને એક ઓરડામાં ભેગા બેસાડી એક પેક મિઠાઈને કરંડિયે આપી કહ્યું :
આને બોલ્યા વિના કે બહારમાં કાણું પાડ્યા વિના તમારે આમાંથી મિઠાઈ ખાવાની છે. બીજા કુમારે મુંઝવણમાં પડયા, પણ શ્રેણિકે કરંડિયાને એક કપડાં પર ખૂબ હલાવી હલાવ કર્યો એટલે મિઠાઈને ભૂકે કરંડિયા ના છિદ્રોમાંથી બહાર આવ્યું, તે ભેગા કરી ખાધે, બાપ આ જાણ એની વિશિષ્ટ હોશિયારી સમજી ગયા,
બીજી વારના પ્રસંગમાં કુમારને જમવા બેસાડીને ત્યાં કૂતરા છોડી મૂક્યા કૂતર કુમારને ભાણામાં મોટું ઘાલવા જતાં બીજા કુમારે ઊઠી ગયા, પરંતુ શ્રેણિકે હોંશિયારી કરી, ડાબા હાથે બાજુવાળાના ભાણામાંથી કૂતરાને ખાવાનું ફેંકતે ગયે, એટલે કૂતરા એ ખાવામાં પડવાથી શ્રેણિકના ભાણ પર ન આવ્યા, શ્રેણિકે જમણે હાથે નિરાંતે ખાઈ લીધું,
હવે પિતાને શ્રેણિકની જ રાજા બનવાની યોગ્યતા નિશ્ચિત થઈ ગઈ, પરંતુ હવે જે એથી શ્રેણિક પર બહાથી વધુ પ્રેમ દેખાડે તો રાજ્ય ખટપટમાં બીજા કેઈ કુમાર સમજી જાય કે “પિતા અને રાજ બનાવવાના લાગે છે માટે આનું કાટલું કાઢી નાખે.' એમ કદાચ શ્રેણિક પર મરણાત કષ્ટ આવે; તેથી પિતા રાજાએ શ્રેણિક પર બહારથી પ્રેમ ન દેખાડતાં ઉલ્ટ કઈ વાર રીસ-અપમાન જેવું
Page #122
--------------------------------------------------------------------------
________________
અરિહંત
દેખાડતા રહ્યા; તે બીજા કુમાર પર પ્રેમ દેખાડતા રહ્યા.
કહે, આમાં શ્રેણિક પિતાને ગમતા હતા ? દેખીતુ દેખાય કે ગમવાના કરા ઢેખાવ ન હતા; છતાં પિતાના મનને શ્રેણિક માટે પાતાના હૃશ્યમાં ભારે મૂલ્યાંકન હતું, અર્થાત્ પેાતાના જ્ઞાનમાં,-પીતાની સમજમાં ‘શ્રેણિક એક એ જ રાજા અનવાને ખરેખરો યાગ્ય છે” એમ આવેલ હતું અને એ મૂલ્યાંકનથી શ્રેણિક પેાતાના પિતાને ખરેખરા ગમતા હતા એમ કહેવાય, માટે જ અવસર આવતાં શ્રેણિકને રાજા બનાવી દીધા. નમન તે આત્માનંતિ :
બસ, આ જ રીતે તી કરને ભાવથી નમન કરનારે એ તીર્થંકર ભગવાનના કેવળ જ્ઞાનમાં આત્માન્નતિનુ પગથિયું માંડનારે ને તેથી ખરેખરો મુાગ્ય દેખાય છે, એ પ્રભુના જ્ઞાનમાં નમન કરનારનું ઊંચું મૂલ્યાંકન છે ને એથી એ પ્રભુને ખરેખશે ગમતા કહેવાય.
તમે...... મેાક્ષ કામે ”
અહીં તીર્થંકર ભગવાનને નમન કરવાનું તે મેાક્ષની કામનાથી નમવાનું કહ્યું, અર્થાત્ મીજી કોઈ કામનાથી નમન નહિ. એનુ કારણ એ છે કે મેાક્ષની હરોળમાં જગતમાં કોઈ ઊ ચામાં ઊંચી પણ વસ્તુ, પદવી કે પ્રતિષ્ઠા નથી, ત્રણ ભુવનને વૈભવ કે માટી ઈન્દ્રપદવી યા જગતવ્યાપી પ્રતિષ્ઠા પણ મળ્યા પછી માત ઊભું રહે છે, ભવભ્રમણ ઊભું રહે છે, કર્મીની બેડીઓની જકડામણ ઊભી રહે છે, વગેરે વગેરે કેટલીયે આપદાઓ ઊભી રહે છે;
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૦
નવપદ પ્રકાશ
જ્યારે મેાક્ષપદ પ્રાપ્ત થતાં આવી બધી સમગ્ર આપદાઓનો અંત આવી જાય છે, જ્યારે તીર્થંકરને નમસ્કાર કરવાથી આવુ ઊંચામાં ઊંચું મોક્ષપદે મળતુ હોય તો એ મૂકીને નીચેની હુલકી વસ્તુઓ કાણુ માગે? માગનારો મૂર્ખ ગણાય.
બીજી વાત એ છે કે જો મેાક્ષની કામના ન રાખવામાં આવે અને દુનિયાની યશ-સત્તા-સૌંપત્તિ વગેરેની કામના રાખી પરમાત્મ-નમન વગેરે ધર્મઆરાધના કરાય, તા તે વિષક્રિયા અને છે, જેનું ફળ સંસારની વૃદ્ધિરૂપ આવે છે, તેનું કારણ શ્રીજી કામનામાં આત્મામાં માહના સંસ્કાર દૃઢ થાય છે, ધર્મક્રિયાથી ઊભા થતા પુણ્યમાં શ્રીજી કામનાના લીધે અશુભ અનુષધ નખાય છે, જેના લીધે એ પુણ્યના ઉદ્દય વખતે પાપમુદ્ધિ અને પાષિષ્ઠતા રહે છે. વીતરાગ-અરિહંત પરમાત્માને નમસ્કાર જેવી ઉત્તમ ધક્રિયા કરવી અને ફળમાં પાપમુદ્ધિ, પાપિઠ આચરણ અને સંસાર વૃદ્ધિ જેવા ભયંકર અપાય–અનથ નાંતરવા; એ કેટલી માટી મૂર્ખાઈ થાય ?
માટે પણ તીર્થંકર ભગવાનને નમન માત્ર મેાક્ષકામનાથી જ કરાવા જોઈ એ.
એક વસ્તુ એ પણ છે કે જો કે અરિહંત પાત્માને પ્રારંભિક કક્ષાના નમસ્કાર એ નાનીશી ધર્મક્રિયા છે, છતાં જો એને શુદ્ધ મેાક્ષકામનાથી કરીએ છીએ, તેા મહાન સચમ અને તપ તથા ઉગ્ન પરિષહ-ઉપસર્ગ સહન કરનારા મહાત્માઓના મેાક્ષકામનાના ઉદ્દેશની જેમ આપણા પણ એ જ ઉદ્દેશ રહે છે, તેથી નાની પણ ધમક્રિયા દ્વારા
Page #124
--------------------------------------------------------------------------
________________
ન
અરિહંત
૧૦૧ ઉદેશની સમાનતાથી એ મહાપુરુષોના પગલે પગલે ચાલવાને લાભ મળે છે. મનને આશ્વાસન રહે છે કે “ધન્ય જીવન મારું કે સમાન ઉદ્દેશથી મહાન પૂર્ણ પુરુષોને યત્કિંચિત વાર જીવનમાં ઉતારી રહ્યો છું.” માટે પણ પરમાત્મામન માત્ર મોક્ષકામનાથી જ કરાવા જોઈએ,
વાત પણ સાચી છે કે ધર્મક્યિા મોટી હેય, દા. ત. સંયમ પૂર્ણ બ્રહ્મચર્ય, લાખના ખર્ચની સંઘયાત્રા યા જિનમંદિર નિર્માણ વગેરે; છતાં જો ઉદ્દેશ મેક્ષિકામનાથી બીજે દુન્યવી મલિન કામનાને હોય તો એમાં મહા પુરુષોને યત્કિંચિત પણ વાર સ્વીકારાય નથી.
શ્રી નવપદ પૂજામાં શ્રી જ્ઞાન વિમળ સૂરિત કાવ્ય પછી હવે શ્રી દેવચંદ્રજી કૃત કાવ્ય રજૂ થાય છે.
(દેવચંદ્રજીકૃત ઉલાલા) તીથપતિ અરિહા નમું ધમ ધુરંધર ધીરેજી દેશના અમૃત વરસતા નિજ વીર જ વડવીરેજી. અર્થ :
તીર્થકર શ્રી અરિહંત ભગવાનને હું નમસ્કાર કરૂં છું, જે ધર્મની ધુરાને ધારણ કરનારા અર્થાત ધર્મના અગ્રણી છે, તેમજ ધીરયાને ધૈર્યવાળા છે, દેશનાને અમૃત વરસાદ વરસાવનારા છે, સ્વશક્તિ પર નિર્ભર શ્રેષ્ઠ વીર પુરુષ છે.
આવા તીર્થકર ભગવાન જે અરિહંત છે, તેમને હું નમસ્કાર કરું છું,
એવા તીર્થપતિ ભગવાન-તીર્થકર ભગવાન–શાસનપતિ
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૨
નવપદ પ્રકાશ અરિહા અર્થાત આઠ મહાપ્રાતિહાર્યની પૂજાને યોગ્ય છે, તેને નમસ્કાર કરું . . ધર્મધુરંધર :
..અરિહા નમું ધર્મ ધુરંધર ધીરેજી અરિહંતને કેમ નમું છું?
ભગવાન ધર્મ ધુરંધર ધર્મની ધુરાને ધારણ કરનારા છે માટે ધર્મના અગ્રણી છે, કેમકે એ સ્વયં ગુરુના ઉપદેશવિના ઉત્કૃષ્ટ ધર્મનું પાલન કરી, સંપૂર્ણ જ્ઞાની બની, ધર્મનીધર્મશાસનની સ્થાપના કરે છે.
ધર્મનું નામ લેવું એટલે પહેલાં નામ અરિહંતનું નામ લેવું. કારણ? તે ધર્મને પ્રારંભ કરનાર છે, એટલે તે ધર્મધુરંધર છે, ધર્મ આપનારા ઉપકારી છે, અને ઉપકારીનું નામ લેવું એ કૃતજ્ઞતા છે. કૃતજ્ઞતા એ ધર્મને પાયે છે. ધર્મની ઈમારત રચવી હોય તે પાયે માંડવો જ જોઈએ ને ?
ધર્મ તે આપણને જોઈએ જ છે એટલે ધર્મધુરધરને નમીએ તો ધર્મ મળે; ગુરુને નમીએ તે ધર્મ મળે નમવાનું એટલા માટે કે એ આપણું ઉપકારી છે, ધર્મના દાતા છે, ધર્મના દેશક છે. દ્રવ્યની ઉપકારિતા અને નિયતિવાદ : પ્ર–શું એક દ્રવ્ય બીજ દ્રવ્યને કામ આવે ? બીજા દ્રવ્ય
પર ઉપકાર કરે ? અરિહંત દ્રવ્યને ઉપકાર આપણું આભ દ્રવ્ય ઉપર કેમ બને ? કારણ કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય પર અસર કરતું નથી. દરેક દ્રવ્યના પિતાના સ્વતંત્ર પર્યાય છે અને તે નિયત થઈ ગયેલા હેવાથી સ્વતઃ બનતા આવે છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૧૦૩ ઉ–આવી વાચાળતા કરનાર ભૂખ છે. " કેમકે આ ચેખે એકાંત નિયતિવાદ છે કે “દરેક દ્રવ્યના કમિક પર્યાયો નિયત થઈ ગયેલા છે અને તે કાલકને
સ્વત: બનતા આવે છે, એમાં કોઈની લેશમાત્ર ડખલગીરી કામ આવતી નથી તેમજ કઈ એમાં નિમિત્ત કારણભૂત બનતું નથી. પરંતુ આ એકાંત નિયતિવાદ ગોશાળાને મત છે; કિંતુ પ્રભુ મહાવીરને મત નહિ, જૈન મત નહિ, જૈનમતમાં તો પર્યાય-સજનમાં નિયતિ ઉપરાંત બીજાં નિમિત્તકારણો પણ કામ કરે છે.
દા. ત. અરિહંતે ધર્મ જ ન સ્થાપે હેત તે આ ધર્મ મળ્યા વિના ધર્મના નામે જેમ તેમ બેલવાનું કયાંથી થાત? નિયતિવાદ તે કુતર્કતા :
ભગવાને ધર્મશાસન અને તવ વ્યવસ્થા સમજાવી, તે જ તેના પર કતક ચલાવાય છે. સેનગઢવાળ કાનજીમત કહે છે કે “એક દ્રવ્ય બીજા દ્રવ્યને સહાયક ન થાય, ગુરને શિષ્ય પર ઉપકાર નથી! ઘડે કુંભારથી ઉત્પન્ન થાય છે એમ નહીં, પરંતુ માટીને એ પર્યાય સ્વત: જન્મ છે એવું તે શીખવાડે છે. “ઉપાદાન દ્રવ્ય પોતે પોતાને પર્યાય સ્વત: સજે છે. તેમ તે કહે છે. આમ કહેવું એ શેના જેવું છે? “મારી મા વાંઝણી છે.”
મારી મા એમ કહ્યું, એટલે મા પુત્રવતી સ્વીકારી
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૪
નવપદ પ્રકાશ લીધી. હવે પુત્રીવતી માતાને વાંઝણ કહેવી, તે વદતે
વ્યાઘાત છે; એવી રીતે નિયતિવાદને બેલનાર પિતે પદ્રવ્ય તરીકે ભાષાવગણના દ્રવ્યોના તેમજ જીભના સહારાથી જ બોલી શકે છે. હવે કહેવું : “બોલનાર મારું આત્મદ્રવ્ય સ્વતંત્ર છે, એને પરદ્રવ્યના સહારાની કઈ જરૂર નથી” શું એ વદતિ વ્યાઘાત નથી?
ભગવાન ધર્મધુરંધર છે ને ધીર છે. પ્ર–ભગવાનને કેમ નમીએ છીએ? ઉo-ભગવાન ધર્મના આગેવાન છે, ભગવાન ધર્મ દેખાડનાર
છે, ભગવાન ઉપકારી છે, સાથે વીર છે, માટે તેને
આપણે નમીએ છીએ. ધીરતા : પ્ર-પ્રભુ ધીર હોવાથી આપણને શું ? ઉ–એવા ધીર પ્રભુ આપણને અવ્વલ કેનુિં આલંબન
બને છે. ધર્મ તે તે દેખાડે છે, પણ ઉત્કૃષ્ટ કેટિને ધર્મ સ્વયં આચરીને તે બતાવે છે, એ જોતાં આપણને વિશેષ ચિટ લાગે છે કે “હે આવા જ્ઞાની! અને તીર્થકર ભગવાને પણ અહિંસાદિધર્મ, ક્ષમાદિધર્મ ઉગ્ર તપ ધર્મ વગેરે આચરેલા !”
ગુરુ ઘરબારીને ચેલા બ્રહ્મચારી –એવું અન્ય સંપ્રદાય જેવું અહીં નથી. ભગવાન પોતે એવી ઉત્કૃષ્ટ રીતે સ્વયં ધર્મ પાળે છે કે એમાં ગમે તેવા ભયંકર ઉપસર્ગ-ઉપદ્રવ આવે, તે પણ સાધનામાંથી લેશ પણ મનથીય ચલિત થતા નથી; એટલા બધા પૈર્યવાળા યાને ધીર છે.
www
Page #128
--------------------------------------------------------------------------
________________
અરિહંત
ચડકોશિકની ધીરા :
મહાવીર પ્રભુના દાખલા લઈએ તા : મહાવીર ભગવાન એકવાર વિહારમાં જતા હતા, તે તરફ ભયંકર ઝેરીસાપ ચંડકાશિયાના વાસ હતા. લોકોએ કહ્યું: “રસ્તા ટૂંકો છે, પણ ત્યાં ભારિ`ગ છે. તે જીવતાનાં મડદાં પાડે છે; માટે સ્વામી ! મહેરબાની કરીને આ રસ્તે ન જાવ.”
આવી ભીષણ બીક ભગવાનને અટકાવી ન શકી. ભગવાન તે ચાલ્યા : કારણ ? ભગવાન ધીર હતા.
ધીર એટલે? ગમે તેવા ભયંકર ઉપદ્રવ આવે તાપણુ સાધનામાં અડગ. ભગવાનની સાધના ઉત્કૃષ્ટ કોટિની હતી, થૈ વાળી ને સ્થય વાળી અત્યન્ત દૃઢ હતી, એનુ નામ ધીરા. આવી દૃઢ સાધનાવાળા ભગવાને જંગત પર એવા ઉપકાર કર્મા : એક તા મા અતાવ્યા ન ખીજુ પાતાનું દૃષ્ટાંત મતાવ્યું.
૧૦૫
માર્ગ બતાવ્યો તેા જ આપણને લાગે છે કે ‘તે કરવા જેવું છે,' અને સાથે પાતે સાધીને પાતાનુ દૃષ્ટાંત આપ્યું તા તેથી આપણને જોમ આપ્યું,
જોમ આ રીતે: “ ભગવાને સંગમને ક્ષમા આપી, તે હું કેમ ન આપું ” ? “ ભગવાને ઊભા ઊભા તપશ્ચર્યા કરી, તે હું પ્રતિક્રમણ સવારે ઊભા ઊભા કેમ ન કરી શકું? દેશનામૃત:
64
દેશના અમૃત વરસાવતા
તીર્થંકર ભગવાન ધીર, ધર્મધુરધર બન્યા પણ મનીને પેાતાના સ્વાર્થ સિદ્ધ થઈ ગયા અર્થાત પાતે વીતરાગસજ્ઞતાનું પર્માત્મપણુ પામી ગયા પછી હવે અઘાતી
""
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦૬
નવપદ પ્રકાશ
કર્યાં પૂર્ણ નાશ થવાની અને મેાક્ષ પામવાની રાહ જોતાં એસી ન રહ્યા, કિંતુ પરાકરણ માટે પડેલાં જેવા ઉઘત બની ગયા, અને ધર્માંતીની તથા ચતુર્વિધ સંઘની સ્થાપના કરીને ગામેગામ વિચરી, ધર્માંતીનો ભવ્યાત્મામાં પ્રચાર-પ્રસાર થાય એ માટે ઉપદેશના ધોધ વહેવડાવવા
લાગ્યા :
એ વાત કવિ અહીં આ શબ્દોમાં કહે છે કે
<
,,
“ દેશનાઅમૃત વરસાવતા ” અર્થાત્ વીતરાગ–સજ્ઞતીર્થંકર ભગવાન ધર્મ અને તત્ત્વની દેશનાનુ અમૃત વર્ષાવતા હાય છે, ખરેખર વિચરતા ભગવાનની દેશના જેને સાંભળવા મળે છે, એને જ એને અનુભવ થાય છે કે અમૃત તા શું...? કિંતુ અમૃત કરતાંય કેઈ ગુણી ચઢીયાતી એ કેવી અલૌકિક વીતરાગવાણી હાય છે ! કારણ અમૃતપાનમાં એ શક્તિ નથી કે લગાતાર છ મહિના સુધી સળંગ પીવા મળે, તા એમાં ભૂખ ન લાગે ! તરસ ન લાગે ! થાક ન લાગે! ક્ષણ પણ ઊંઘ કે ઝોકુંય ન આવે! મનના બધા સંશયા કુંડી નાખે ! અનંતકાળ ભવમાં ભટકાવનારૂ મિથ્યાત્વ આકાવી નાખે ! સમ્યક્ત્વ, દેશવિરતિ, સ વિરતિ જેવા અનંત કલ્યાણ સધાવી આપે ! વગેરે વગેરે. આ તાકાત અમૃતપાનમાં નથી, જ્યારે ભગવાનની દેશનાના પાનમાં આ સમસ્ત તાકાત છે. વચનામૃત ને ડોસી :
ડાસી જંગલમાંથી લાકડાના ભારા માથે મૂકીને આવતી હતી. એટલામાં અહીં નગરની બહાર સમવસરણ મડાચું. એના ઉપર તીર્થંકર ભગવાને દેશના વસાવવી શરૂ કરેલી, એની નજીકમાં ડામી આવી પહેાંચતાં માથેના
Page #130
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૧૦૭ ભારામાંથી એક લાકડું નીચે પડી ગયું, તે લેવા એક હાથે માથે ભારે પકડી રાખીને નીચી વળી, બીજા હાથે નીચેનું લાકડું લેવા જાય છે, એટલામાં પ્રભુની અતિ મધુર સંગીતમય વાણીના અક્ષર તેના કાન પર પડયા. એ એને એટલા બધા મધુર ને પ્રિય લાગ્યા કે પોતાના શરીરની અડધી વળેલી સ્થિતિનું ભાન ભૂલી જઈ એમ જ વાંકી ને વાંકી રહીને દેશના પાનના ઘુટ ઘુંટ કાનથી પીવા લાગી, કદાચ આમ છ માસ ચાલેને, તોય શરીર વન્યાને એને થાક ન લાગે, ઊભી ને ઊભી રહ્યાને શ્રમ ન લાગે, ઊંઘનું એક ઝોય ન આવે,
ત્યારે વિચાર થાય કે ક્યાં દિવ્ય આ દેશના? અને કયાં તુચ્છ સ્વર્ગનું પણ અમૃત ? પ્રોતો પછી કવિએ દેશનાને અમૃતની ઉપમા કેમ આપી? ઉ–ભાઈ! શું કરે? જગતમાં શ્રેષ્ઠ પાન તરીકે અમૃતથી વધીને કેઈ બીજી વસ્તુ મળતી નથી. એટલે પછી છેવટે અમૃતની ઉપમા બાળ જીવોને સમજાવવા માટે આપવી પડે છે. બાકી તો જિનની દેશના એ દેશના જ છે. એની આગળ અમૃત કાંઈ વિસાતમાં નથી.
અલબત જેમ અમૃત એ સંજીવની છે, મરેલા જેવાને જીવતાં કરે છે, એમ પ્રભુની દેશના એ મહા સંજીવની છે, એ મિથ્યાત્વ આદિથી મૃત:પ્રાય ભવ્યાત્માઓને એવા જીવંત કરે છે કે જેથી એ જી જાગ્રત રહીને સમ્યક પ્રવૃત્તિ કરી શકે. કેવળજ્ઞાની અને દેશનામૃત: - પ્રભુની આ અમૃતદેશનાને આપણા પર અજબ
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૦૮
નવપદ પ્રકા રા ગજબને ઉપકાર છે. દેશનાના દીવાથી જ આપણા હૃદયમાં ધર્મ અને તત્ત્વનાં અજવાળાં પથરાયાં છે. પ્રભુ તે કેવળજ્ઞાન પામીને કૃતકૃત્ય બનેલા હોઈ એમને શા સારૂ દીર્ધકાળ સુધી ગામ ગામ વિચરવું પડે અને રોજ સવાર સાંજ છે કલાક કે એક ટાઈમ ત્રણ કલાક દેશના માટે ગળું ખેંચવું પડે ?
રષભદેવ ભગવાનને કેવળજ્ઞાન થયા પછી લગભગ એક લાખ પૂર્વનું આયુષ્ય બાકી છે.
એક પૂર્વ એટલે ૭૦૫૬૦ અબજ વર્ષ. આવાં ૧–૨૦ પૂર્વ નહિ, ૧૦૦-૨૦૦ પૂર્વ નહિ, ૧૦૦૦–૨૦oo પૂર્વ નહિ, કિંતુ ૧૦૦ હજાર પૂર્વ અર્થાત્ ૧ લાખ પૂર્વ જીવવાનું બાકી છે, તે કેવળજ્ઞાન થયા બાદ એ ભરતચીના ઘરે જઈ ન બેઠા, ઘરે જઈ એમ ન કહ્યું : “વત્સ ભરત! જે મારે કેવળજ્ઞાન થઈ ગયું છે, સાધના પૂર્ણ થઈ છે, હવે જે અઘાતી કર્મ બાકી છે, તે ભોગવીને જ પૂરાં કરવાનાં છે, તે આ હું અહીં આવ્યો છું. અહીં નિરાંતે એક લાખ પૂર્વ વર્ષ સુધી ઠરીઠામ બેસીશ.”
આમ ભગવાન શ્રી કષભદેવ ભગવાન ભરતને ઘેર જઈ ન બેઠા, કિન્તુ લગભગ એક લાખ પૂર્વ વર્ષ સુધી ગામ ગામ વિચર્યા અને દેશનાઅમૃતના ધોધ વરસાવ્યા
આપણુ પર પ્રભુના આટલા બધા અગાધ ઉપકારની આપણે શી કદર કરીએ છીએ ? દેશનાનો અમલ તો પછી, પણ પહેલાં તે જગતના કેઈપણ ખાનપાન, હીરા માણેકનાં નિધાન, સ્વર્ગનાં વિમાન અને જનતાના ઉચ્ચ સ્વાગતસન્માન કરતાં કઈ અતિ ઉચ્ચ કેનુિં પ્રભુની દેશના રૂપી મહાનિધાન મળ્યું; એની કદર પણ ક્યાં કરીએ છીએ ?
Page #132
--------------------------------------------------------------------------
________________
અરિહું ત
૧૦૯
કદર કરતા હાઈ એ તે જિનવાણી સાંભળવા, વાંચવા, અને ભણવા માટે જીવનના સર્વ કાર્યોમાં પહેલા નરે એની તાલાવેલી અને અતિ રસભર્યાં પુરુષાથ અવશ્ય થાય. પ્રભુ તે કરુણાથી દેશનામૃત વસાવી મેાક્ષે પધારી ગયા. પરંતુ આપણા જેવા અભાગિયાને શાસ્ત્રકારોએ શાસ્રોમાં ગૂંથેલી એ અમૃત સમી જિનવાણીના જીવનમાં મુખ્યપણે ફ્રુટ ઘુટપણે પી લેવાની અને મગજમાં એ જ મમરાવવાની ગરજ નથી.
દેશના અમૃત વરસતા ” વળી ભગવાન કેવા ? ભગવાન અમૃત જેવી દેશના વર્સાવનારા છે, અમૃત જેવી દેશનાને વસાવનાર ભગવાન કેવા હતા ? વડવીર. એટલે સૌથી મેાટાવીર. જગતમાં જેટલા વીર ગણાય છે, તે અધા કરતાં પ્રભુ મેટાવીર ચાને વડવીર છે. દુનિયાના વીર્ પુરુષોમાં વીરતા મર્યાદિત હતી. દુનિયાના વીરની વીરતા બીજાને ક્રમવાની હોય છે, તે! ભગવાનમાં વીરતા અમર્યાદિત હતી. ભગવાનની વીરતા પાતાના આત્માને ક્રમવાની હતી. કેમકે આખી દુનિયાને ક્રમનારો અનતાનત કાળથી કામક્રોધાદિથી ઉચ્છ ખલ અનેલ પેાતાના આત્મા દ્રુમી શકાતા નથી, તે કામ પ્રભુએ કર્યુ.
"
શકર કે વિષ્ણુએ આક્રમક અન્યને ક્રમવાની વીરતા તાવી, ત્યારે મહાવીર ભગવાને આક્રમક સંગમ પર આંસુ સાર્યા; પરંતુ છતી શક્તિએ એને દમવાનુ’ન કરતાં પાતાનાં ફ્રાધ અભિમાન આદિ આંતરશત્રુને દમવાનું કરી વડવીરતા સિદ્ધ કરી.
ભગવાન પાતાનું શુદ્ધ વીર્ય પ્રગટાવવામાં વડવીર હતા શ્રેષ્ઠ સુભટ હતા.
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૦
નવપદ પ્રકાશ,
પ્ર-એમ તે દુનિયાના મહારથી માણસ ખૂનખાર લડાઈ
કરી દુમનને જીતે કે ખતમ કરે, એમાં શું અખૂટ વીર્ય પ્રગટ કરનારા ન કહેવાય? જેમકે ત્રિપૃષ્ઠ વાસુદેવે જંગલમાં માત્ર બાહુબળથી ફાળ મારી આવતા મોટા સિંહના બે જડબાં પકડી ઊભો ચીર્યો. શું આમાં પિતાનું અગાધ વીય પ્રગટ ન કર્યું? ઉ0-ના. આમાં તે વીર્ય કરતાં પોતાના ઉત્કટ કષાયને પ્રગટ કર્યા અથવા કહે, પોતાના અશુદ્ધ કષાય વીર્ય તથા મલિન વેગ વીર્યને પ્રગટ કર્યું; જ્યારે પ્રભુએ ગોવાળ કાનમાં ખીલા ઠોકવા આવ્યો, તો જન્મતાં લાખ જેજનના ઊંચા મેરૂ પર્વતને ડોલાવવાની તાકાતવાળા છતાં તેને સામને કરવા મલિન વીર્ય ન પ્રગટાવ્યું નહિતર, એમની એક લાતે ગવાળિયે ગોઠંબડા ખાઈ ગયો હોત. પરંતુ આ ભયંકર કષ્ટ માત્ર સહી લેવા નહિ, કિંતુ આવકારી લેવા માટે એવું શુદ્ધ વીર્ય પ્રગટાવ્યું કે પોતાના મસ્તકને સ્થિર રાખ્યું, જેથી ગોવાળિયો એકલે છતાં કાનમાં ખીલે ઠેકતી વખતે બીજી બાજુમાં પ્રભુના માથાને કઈ મજબુત પકડી રાખનાર ન હતું, છતાં ખીલે ઠેકી ઠોકીને આ સાનીથી કાનને વીધી અંદરમાં ખાસી શકાય. આ હતું નિજ વીર જ અર્થાત પિતાનું શુદ્ધ વીર્ય પ્રગટાવવામાં વડવીર બન્યા.
સારાંશ : દુનિયાને માણસ કષાય અને દુષ્કૃત વિકસાવવામાં વીર યુદ્ધસંગ્રામ કે સામનો કરવાની વીરતા બતાવે છે, ત્યારે પ્રભુ ક્ષમા-સમતા-સહિષ્ણુતાસુકૃત આદિનું શુદ્ધ વીર્ય વિકસાવવામાં વીરતા દાખવે છે. એ જ એમની વડવીરતા છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
વાયના
મહા વદ ૧૦, ૨૦૩૬
(બપોર) ૨૬-૧-૮૦
અરિહંત
(દેવકૃત ત્રોટક).
વર અક્ષય નિર્મળ જ્ઞાન ભાસન, સવભાવ પ્રકાશતા, નિજ શુદ્ધ શ્રદ્ધા આત્મભાવે ચરણથિરતા વાસતા. ૧ જિનનામક પ્રભાવ અતિશય પ્રતિહાર જ શોભતા, જગજંતુ કરુણાવંત ભગવંત, ભવિક જનને થોભતા. ૨
અર્થ : શ્રેષ્ઠ, અવિનાશી, નિર્મળ એવા કેવળ-જ્ઞાનના પ્રકાશથી જે પ્રભુ જગતના સર્વ ભાવોને પ્રકાશ કરનાર છે, (અને એ પ્રકાશ આપવા વડે જગતના જીવોને) નિજ આત્મભાવે ' અર્થાત્ પિતાની આત્મપરિણિતિમાં શુદ્ધ શ્રદ્ધાને તથા ચારિત્ર સ્થિરતાને વાસિત–ભાવિત કરનારા છે. વળી જેમને તીર્થકર નામકર્મના પ્રભાવથી ૩૪ અતિશય અને અષ્ટ પ્રાતિહાય શોભી રહ્યા છે તેમજ જગતના જીવમાત્ર ઉપર કરૂણાવાળા તે ભગવાન (મિથ્યાદાષ્ટ પણ) ભવ્ય જીવોને (આ ૩૪ અતિશય, ૮ પ્રાતિહાર્યના દશનથી) સ્તબ્ધ કરી દે છે.
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૨
અક્ષયનમ ળ જ્ઞાન : ભગવાન કેવા છે ?
ભગવાન શ્રેષ્ઠ, અક્ષય, નિમળ જ્ઞાનના પ્રકાશથી જગતમાં સર્વ ભાવાના પ્રકાશ કરનારા છે. આ જ્ઞાન શ્રેષ્ઠ એટલા માટે કે એ સમસ્ત જ્ઞાનાવરણના ક્ષયથી ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાન છે.
નવપદ પ્રકાશ
પ્ર–નિમળ જ્ઞાન પ્રગટ થયું છે, તે જ્ઞાન નિČળ કેમ ? ઉમલિન જ્ઞાન એટલે રાગદ્વેષ મેહથી લેપાયેલુ જ્ઞાન,
અને તે વસ્તુને યથાર્થ પ્રકાશ નથી. દા. ત. હીરો દેખતાં જ રાગથી ‘આ બહુ કિંમતી હીરા,' એમ રાગ-મિશ્રિત જ્ઞાન કર્યું, તેમાં વસ્તુના યથાર્થ પ્રકાશ નથી; કેમકે ખરેખર તા હીરા આવા સિક્લષ્ટ રાગ કરાવી નર્ક સુધીનાં ઉગ્ર પાપ અાવે છે; માટે એમાં કિંમતી ને સારાપણાનું જ્ઞાન યથા ન કહેવાય, જ્યારે નિર્મળ જ્ઞાન એને કહેવાય, જે વસ્તુસ્વરૂપના યથાથ પ્રકાશ કરે, જે આત્માને ઘાતક ન અને. ત્યારે હીરાનું નિર્મળ જ્ઞાન કેવુ હોય ? આવુ, ૫૦ લાખના હીરો કેવા ?
તા કે ઉત્કૃષ્ટ રાગદ્વેષ કરાવે ને દુતિને અપાવે એવા. શકા : પણ હીરા પર રાગ ન કરી હીરાને પોતાના ન માને તે?
સમાધાન : હીરાને જો પોતાના ન માને તે પછી સાચવી રાખવાની લાલસા હાય ખરી? હીરા પોતાના ન
Page #136
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૧૧૩ પણ હેય છતાં “ભાઈ ! હીરે બહુ કિંમતી !' એમ ચમકારે થાય ખરે?
દા. ત. સાધુ થયા. કેઈએ કહ્યું: ફલાણું ભાઈને એક લાખને હીરે ૫૦ હજારમાં મળે, તો ત્યાં સાધુની આંખ ચમકે કે હે ?” તે એ ચમકારે હીરાના રાગને છે.
એ જે જ્ઞાન છે, તે નિર્મળ નથી.
જેટલો વધારે કિંમતી, એટલે વધારે રાગ, માટે વધુ કિંમતી–વધારે રાગ કરાવનારે છે.
મેટર બંગલા કેવા? શું એ નિર્મળ જ્ઞાનવાળાને સારા લાગે!
નહિ, તે તો રઝળપાટ કરાવનાર હોવાથી સારા તે શું, પણ બળદગાડી ને ઘર કરતાંય વધુ નુકસાન કરનારા લાગે, માટે મોટર બંગલાના દર્શન પર ચમકારે જરાય ન થાય, તો તે રાગમિશ્રિત નહિ; કિન્તુ ઉદાસીન ભાવવાળું દર્શન થાય, આવું ભગવાનને નિર્મળ જ્ઞાન હતું, તે અક્ષય હતું; આવેલું જ્ઞાન તે જવાનું નામ નહિ, જે આવ્યું તે આવ્યું, જવાનું નામ નહિ. અર્થાત શાવત,
માતર એટલે પ્રકાશ, તેનાથી સર્વ ભાવ પ્રકાશતા, તે જ્ઞાન તેટલું જોરદાર છે કે તેનાથી ત્રણે કાળના જડ, ચેતન સમસ્ત દ્રવ્યો અને તેના સમસ્ત અનંતાનંત પર્યાય અર્થાત સર્વ ભાવેને પ્રકાશ કરનારું છે. પુદ્ગલને પ્રભાવ : પ્રજ્ઞાન નિર્મળ અર્થાત રાગદ્વેષાદિથી નહિ ખરડાયેલું
કેવી રીતે રહે? ઉ–પદાર્થના પૂર્વોત્તર પર્યાય તરફ નજર રહે તે મમતા
ન રહે. મિષ્ટાન્નના પુદગલ એ વિષ્ટાના પુદ્ગલ બને
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૪
નવપદ પ્રકાશ છે અને ખેતરના ખાતરના વિઝાના પુદ્ગલ એ અનાજના પુદગલ બને છે. ઉકરડાના પુદગલ તે હીરાના પુદ્ગલ બને છે, એ નજર સામે રહે તે મોહ કે દ્વેષ નહિ થાય. દા. ત. એક માણસ જ હતો. કેઈએ ઉપરથી વિષ્ટા ફેંકી. તેના તેને છાંટા ઉડયા. તેણે કહ્યું : “આંધળા છો? આમ ફેંકાય? ” ત્યાં પડેશીઓ આવ્યા ને રસ્તે જનારા ભેગા થઈ ગયા ને ગાળેની લડાઈ ચાલવા માંડી.
ત્યાંથી ફકીર નીકળ્યો, એક ઓટલા પર ચઢી તે બોલવા લાગ્યા : “ફરિયાદ છે, ફરિયાદ...તો બધા શાંત થઈ તે બાજુ વળ્યા.
શાની ફરિયાદ છે?
“ફરિયાદ છે બરફીબાઈની.” પછી તેણે ફરિયાદ જુ કરી.
બરફી કહે : “જુઓ, કેટલી મહેનતે હું બની? એટલે ગાય ભટકતી હતી, શેરીના છોકરા જાજરૂ ગયા હતા. વિષ્ટા તેના પિટમાં ગઈ. પેટમાં દૂધના પુદ્ગલ થયા. તે છૂટા પડ્યા. બહાર દૂધ આવ્યું. સુખડિયો તે લઈ ગયો, તેની બરફી બનાવી, ગ્રાહક આબે, ઘરે તે લઈ ગયે, તે કબાટમાં મૂકી. છેકરે આવ્યો ને તે ખાઈ ગયે ને મારું વિષ્ટામાં રૂપાંતર કર્યું.
તો પછી આવી બરફી મોઢામાં નાખતાં શરમ ન આવી? ને તે જરા કપડે લાગી તેમાં આટલો બધો ઝગડે? 9 એ સાંભળીને લેકની પર્યાય સામે નજર ગઈ એટલે ઝગડો શાંત થઈ ગયો.
Page #138
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૧૧૫ ભગવાન નિર્મળ જ્ઞાનથી જાણીને જગતના પદાર્થો, તેના ભાવે, તેના પર્યાયને પ્રકાશિત કરે છે. ભગવાન ત્રિકાળ પર્યાય-વર્તમાન કાળના, ભૂતકાળના ને ભવિષ્યના પ્રકાશે છે; તેથી શું પરિણામ આવે છે?
"ભગવાન જે પ્રકાશે છે, તે સાંભળતાં જીવોને તેની પર શુદ્ધ શ્રદ્ધા થાય છે, શુદ્ધ શ્રદ્ધા :
આ શુદ્ધ શ્રદ્ધા ઉપર ઉપરની નહિ, કિંતુ નિ જ આત્મભાવે. અર્થાત પિતાની આત્મ પરિણતિમાં વણાયેલી શ્રદ્ધા થાય છે.
ભગવાને છ દ્રવ્યો કહ્યા, તેના પર્યાયે કહ્યા તે સાચા છે. નવતરવ-તેના ભેદ બતાવ્યા તે બરાબર સાચા છે. તે પર આમ પરિણતિમાં ઉતરેલી શ્રદ્ધા થાય તો તે આત્માને શુદ્ધ શ્રદ્ધાથી વાસિત કરે છે–ભાવિત કરે છે; અર્થાત અંતર આત્મા એ શ્રદ્ધાથી રંગાઈ જાય છે. તેથી હવે જ્યારે એ શ્રદ્ધાવાન શ્રોતા જગતને કઈ પણ પદાર્થ દેખશે, ત્યારે એ શ્રદ્ધાના રંગના પ્રમાણે તેને નિહાળશે, અને પોતે વસ્તુના ખોટા રાગ દ્વેષથી રંગાશે નહિ. એમાં પિતાના આત્મા પરની પણ સાચી શ્રદ્ધાને રંગ લાગશે, એટલે જશે
સ, ચિદાનંદ, સત અનંતજ્ઞાન, અનંત સુખવાળે હું કોણ? નિરંજનનિરાકાર, પણ નહિ કે ચંબુજીચપ્પણિયાવાળે,
શરીર–પેટ એ ચબુ જેવું. તે પાંચ ઈન્દ્રિ રૂપી ચપ્પણિયાથી ભીખ માગતે ફરે છે. આંખથી રૂપની ભીખ માગે છે: “રૂપ! તું આવીને મારી આંખના ચણિયામાં.” એમ જીભથી રસની ભીખ માગે.. દુનિયામાં વિષયની
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧૬
નવપદ્મ પ્રકાશ
ભીખ માંગતા ફરે છે; પરંતુ હવે શુદ્ધ શ્રદ્ધા થવાથી લાગે છે કે હું એટલે ચંબુ શરીર-પેટ નહિ. t શુદ્ધ શ્રદ્ધા કોની ? 5
પેાતાના આત્માની-નવતત્ત્વની શ્રદ્ધા કરવાની, પણ તે શ્રદ્ધા આત્મપિિતમાં ઉતારવાની આભામાં ઠરાવવાની, આત્મામાં ન ઉતારે ને કારો પતિ થાય, પરંતુ તે આશ્રવ સવરની વાતા તા મેાટી કરે, પણ એને પૂછે, કે
66 તારા આત્મામાં કાંઈ લાગુ પડે છે કે નહિ ?” જવાબમાં ના. આવા શ્રદ્ધા વિનાના શ્રોતા વ્યાખ્યાન સાંભળશે, એમાં એ જ જોશે કે “આ તા લલ્લુભાઈ પર કહ્યું,” “ આ નથ્થુભાઈ પર કહ્યું પણ એને પેાતાને કાંઈ લાગુ પડશે નહિ!”
ભગવાનનુ કહેવુ પોતાને લાગુ પડે એવું દર્શન થાયશ્રદ્ધા થાય તેા તેનાથી પેાતાના આત્મા વાસિત થયા ગણાય --તત્ત્વથી રંગાયેલા થયા.
પ્ર–શ્રદ્ધાથી વાસિત કર્યા પછી શુ` કરવાનું ? ઉ-ચરણીથરતા વાસતા' અર્થાત્ આત્મામાં ચરણ-ચારિત્ર
ઉતારવાનું અને આત્મ પ્રતિમાં એ ચારિત્ર ચ ચળ નહી” અર્થાત્ ‘ હુમણાં આવ્યા અને પછી પાછા ઉડી ગયા,' એમ નહિ, કિંતુ સ્થિર કરવાના--દૃઢ બનાવવાના. એવા દૃઢ ચારિત્ર ભાવથી અંતરઆત્માની પરિણતિ રગી નાખે. આ વસ્તુ ભગવાનના ઉપદેશથી અને ભગવાનના આલમનથી અને છે. માટે ભગવાન પાતે વેામાં આ શ્રદ્ધાભાવ તથા ચારિત્ર સ્થિતાને અના આત્મામાં વાસિત કરનારા કહેવાય.
Page #140
--------------------------------------------------------------------------
________________
વાચના
મલાડ (પૂર્વ) મહા વદ ૧૧
૨૭-૧-૮૦
અરિહંત
જે અંતર-આત્માને નિષ્કામ ચારિત્ર-સંયમના ભાવથી વાસિત ન કરે અને બાહથી કડક ચારિત્ર પાળે તો તે વ્યવહાર ચારિત્ર છે, અને આંતરિક સંયમ પ્રગટાવે તે નિશ્ચય ચારિત્ર છે, જીવ જ્યારે માત્ર દેવતાઈ સુખની લાલસાથી ચારિત્ર પાળે છે, ત્યારે એનામાં આંતરિક સંયમ વાસિતતા દેતી નથી. ત્યાં પરિષહ-ઉપસર્ગ સહન કરશે. દેવલોકના સુખની તીવ્ર કામના હોઈ અરિહંત બધું સહન કરી લે છે, સમજે છે, કે “ગણતરીના વરસ ચારિત્ર આવી રીતે પાળીએ અને પરિષહ ને ઉપસર્ગમાં ડગ્યા નહિ, તો ઉપડયા દેવલોકમાં, થોડું સહન કરવાનું છે, તે અસંખ્ય વર્ષોના દિવ્ય સુખ માટે છે, તો આ ભાવમાં કઈ ખોટું નથી,
નિશ્ચય ચારિત્ર-ત્રીજા કષાયની ચાકડીને ક્ષયપશામ થાય તે છે. ચારિત્રથી વાસિત થાય છે, એટલે નિશ્ચય ચારિત્ર મળે છે એટલે કે છઠા સાતમા ગુણસ્થાનનું ચારિત્ર મળે છે
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૧૮
મારું વહેવારની આવશ્યકતા : પ્ર–ગુણસ્થાનક આંતરિક પરિણામ પર છે, તે શું ખાણુ વ્યવહાર નકામે ?
ઉના. આત્માના પરિણામ રૂપ સમ્યગ્ દર્શન તથા સમ્યક્ ચારિત્રને લાવનાર છે. મારું વ્યવહાર. આ સમ્યગ્દર્શન-ચારિત્રના વ્યવહારથી એટલી બધી અગત્ય છે કે અસદ્ વ્યવહારમાં પડયા તે આંર્તાક પરિણામ આવ્યા હશે તેાય તે ભાગી જશે.
નવપદ પ્રકાશ
[
વર્તમાનમાં એક ભાઈ બનાવટી નિશ્ચયના પંથે ચઢી ગયા અને માહ્ય કાયાના વહેવારને આત્માના આંતરિક પરિણામ સાથે કોઈ સંબંધ નથી, કેમકે કાયાની પ્રવ્રુત્તિ એ જડ દ્રવ્યના પર્યાય છે. એ કાંઈ મીજા દ્રવ્યરૂપ આત્માના પર્યાય પર અસર કરે નહિ, એવુ માની તે પાતે વિધુર હતા અને ઘરમાં પોતાની વિધવા પુત્રી રાંધી આપતી. તે પુત્રી સાથે દુરાચારમાં પડી ગયા; છતાં માનતા રહ્યા કે મારા આત્માના શુદ્ધિ પરિણામને કા ખાધ નથી પહોંચતા કેટલું ભયંકર અજ્ઞાન ?
વાસ્તવમાં સદ્વ્યવહાર એ સદ્ પરિણામને જગાડે છે ટકાવે છે ને વધારે છે ને કે વીતરાગતાની પરાકાષ્ટાએ પહેોંચાડે છે, તે બધુ અરિહંતના ઉપદેશ ને આલંબનથી થાય છે. માટે અરિહંત જીવામાં એ પરિણામ વાસનારા કહેવાય.
જિન નામ કૈક પ્રભાવ અતિશય પ્રાતિહાર જ શાભતા” વળી ‘ભગવાન કેવા છે?”
તા કે તે તીર્થંકર નામક ના પ્રભાવે. ૩૪ અતિશય અને ૮ પ્રાતિહાયથી શાભતા છે.
Page #142
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૧૧૦ આ પહેલાં સમવસરણ વખતે આઠ પ્રાતિહાર્યની વાત કરી હતી-બાકી પાંચની વાત કરી હતી. તેમાં મતાંતર આવે છે.
પ્રવચનસારોદ્ધાર માં લખ્યું છે. કે
ભગવાન જ્યાં બિરાજે, ત્યાં “અશોકવૃક્ષ ઉપસ્થિત થઈ જાય તેથી ભાવ એવો થાય કે ચાલતી વખતે અશોકવૃક્ષ સાથે ન હોય “દિવ્યધ્વનિ અંગે મતમતાંતર :
દિવ્યધ્વનિ માટે મતમતાંતર મળે છે. દિવ્યધ્વનિની એક વ્યાખ્યા કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે એવી કરી છે કે “ભગવાનની જે વાણી છે, તે દિવ્યધ્વનિ છે, કેમકે તે અતિશયથી જોજન સુધી વિસ્તરે છે.”
દિવ્યધ્વનિ માટે બીજો મત એ છે કે “ભગવાન જે બોલે છે, તેમાં ભગવાનના રાગમાં દેવો બંસરીથી સૂર પૂરે છે સૂયડાંગ સૂત્રમાં આ અતિશય બતાવ્યું છે. ગશાસ્ત્રમાં પણ બતાવેલ છે. લોક પ્રકાશમાં પણ છે.
આઠ પ્રાતિહાર્યમાં “ભામંડળ એ કર્મક્ષયકૃત છે અને બાકીના સાત દેવકૃત છે. કર્મક્ષયકૃત અતિશય :
સમવસરણની ભૂમિ પર કરોડ ગમે દેવ સમાય તે કર્મક્ષયકૃત અતિશય છે પ્ર-જેજન ભૂમિમાં કરોડ દેવો કેવી રીતે સમાય? ઉ –અતિશય એટલે અચિંત્ય વસ્તુ તેમાં સવાલ ન ઉઠાવાય
કે આમ કેમ ?
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૦
નવપદ પ્રકાશ
સમવસરણમાં પ્રભુ દેશના આપે, ત્યારે દરેક પ્રાણી, અનાય, મલેચ્છ, ખિલાડી, ઉંદર, હાથી, ધેડા, સૌ કોઈ પોતપાતાની ભાષામાં સમજી શકે, તે કમક્ષયકૃત અતિશય છે. કક્ષયકૃત અતિશય ૧૧ છે :
(૧) ભામડલ (૨) જોજનભૂમિમાં દેવા કરોડગમે સમાય, (૩) જોજન ગામિની વાણી (૪) પાતપાતાની ભાષામાં ભગવાનની વાણી સમજાય અને અન્ય સાત અતિશય મૂષકાદિ ઉપદ્રાદિ હોવા અંગેના છે. સાત ઉપદ્રવ :
ભગવાન પધારે, ત્યાં આજુમાજુ સવાસા જોજન સુધીમાં (૧) તીવ્રશંગ, (૨) મારી; મર્કી ન રહે (૩) તીડ ઉંદરના ઉપદ્રવ ન હોય (૪) અતિવૃષ્ટિ નહિ (૫) અનાવૃષ્ટિ નહિ (૬) દુભિક્ષ ન થાય (૭) સ્વચક્ર એટલે સ્વ રાજ્યની સેના (તાંરિક મળવા) તે પચક્ર-પર રાજ્યની સેના (પર્ રાજાના હુલ્લા) ના ઉપદ્રવ ન હોય ભામલ ચાર ઘાતી કર્મોના નાશથી થતું એટલે કે કમ ક્ષય કૃત છે, તેથી મુખની ચારે બાજુ પ્રભાના પુજ સ્ફુ
રાયમાન થઈ જાય.
૩૪ અતિશય માઢે રાખવા માટે
“ ચાર અતિશય મૂળથી, ઓગણીસ દેવના કીધ, ક ખપ્યાથી અગિયાર, ચાત્રીસ મિ અતિશયા સમવાયાંગે પ્રસિદ્ધ.
Page #144
--------------------------------------------------------------------------
________________
અરિહ ત
૪ અતિશય મૂળથી...જન્મથી ૧૧ અતિશય કમ ક્ષયથી થતા ૧૯ દેવકૃત અતિશય
૩૪
મૂળથી ૪ અતિશય ૧. અનુપમ àકાંતિ ૨. નીરાગીતા ને અમીભત્સતા રૂધિર, સાંસ ૩. શ્ર્વાસાન્ધાસ કમલવત્ સુધી ૪. આહારનિહાર વિવધ અદૃશ્ય
૩૪ અતિશય
૧૧ કક્ષય કૃત
I
૧. ભામંડલ
૨. જોજન ભૂમિમાં કરોડો ગમે દેવા
સમાય.
૩. વાણી જોજન ગામિની
૪. વાણી સૌને
સ્વ-સ્વભાષામાં
સમજાય
૧૩૧
૧, વેર વિરાધ
શમન
૩.
ર. તીવ્ર રોગ શાંત મારી-મરકી
શાંત
૪. તીડ ઉદા ઉપદ્રવ નહિ
૫. અતિ વૃષ્ટિ નહિ ૬, અનાવૃષ્ટિ (દુભિ ક્ષ) નહિ ૭. સ્વચક્રનેપર ચક્રણય નહિ
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૧
દેવકૃત ૧૯ અતિશા
(૬) ૧ સિહાસન ૨ ચામર ૩ ત્રત્રી
(૩ છત્ર) ૪ ચૈત્યવૃક્ષ સહિત અશોકવૃક્ષ પ ધ્રુવ દુંદુભિ ૬ પુષ્પવૃષ્ટિ
આ ક
પ્રાતિહા છે
૧ સુગંધિત જલવૃષ્ટિ ૨ સમવસરણ ૩ ધચક્ર ૪ પૂર્વ સિવાયની ત્રણ
દિશામાં પ્રભુનાંઅિ (જીવત જેવા)
:
આ સાત સમવસરણ અંગેના છે
નવપદ પ્રકાશ
(૬)
૧ નવ સુવર્ણ
કમળ
૨ કાંટા ઊધા થઈ જાય ૩ વ્રુક્ષ નમે ૪ ૫ખૈરાં પ્રદક્ષિણા દે પ છ ઋતુ
અનુકૂળ
૫ અનુકૂળવાયુ ૬ જઘન્યથી ૬ રનધ્વજ ૭ કેશ-રામનખ વધે
નહિ
એક ક્રોડ
દેવતા હંમેશાં પ્રભુની સાથે
રહે
જિનનામકર્મના પ્રભાવે ૩૪
સારાંશ : ભગવાન અતિશયાથી ને આઠ પ્રાતિહાર્યાંથી શાભતા છે “જગજ તુ કરુ ણાવંત ભગવ ́ત ભવિકજનને થાભતા” ભગવાન જગતના જીવમાત્ર પર કરુણા કરે છે. એકેન્દ્રિય જીવપર ભગવાનની કરુણા : પ્ર–એકેન્દ્રિય જીવ અનંતા દુ:ખમાં સહયા કરે છે, તેના પર ભગવાને શા ઉપકાર કર્યાં ? શી કરુણા કરી? ઉ–ભગવાને જગતને ષટ્કાય જીવાનું પૂરું જ્ઞાન કરાવ્યું અને અભયદાન શીખવ્યું, તે અભયદાનના જ્ઞાનથી
આ છ વિહાર અંગેના છે
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૨૩
અરિહંત ભવ્ય જીવો એકેન્દ્રિય જીવની રક્ષા કરે છે; માટે ભગવાને
એકેન્દ્રિય જીવો પર કરુણા કરી ગણાય, પ્ર–પણ એકેન્દ્રિયનું પોતાનું શું કલ્યાણ કરે? ઉo–એકેન્દ્રિયનું હિતરૂપ એટલા માટે કે ભગવાન એકેન્દ્રિય
આદિ લોકનું યથાર્થ પ્રતિપાદન કરનાર છે. જેમકે તમે ફૂંક મારે તે તે એકેન્દ્રિયને શસ્ત્ર સમાન બને છે. પાણીને અડવાથી તેને કંપ થાય તેથી કેટલાય અપકાય જીવ ખલાસ થાય છે, આવું વસ્તુનું યથાર્થ નિરુપણુ ભગવાન કરે છે અને ત્યાં વસ્તુનું યથાર્થ નિરુપણ એ પારમાર્થિક દૃષ્ટિએ વસ્તુનું હિત છે
એમ “નમુત્થણું ના “લેગહિઆણં' પદની લલિતવિસ્તરા ટીકામાં લખ્યું છે. તેથી વળી બીજા છો તેને અભયદાન આપે છે: એ બીજું હિત થયું. બીજા કેઈ આ જોઈ શકતા નથી, તે તેમનું અજ્ઞાન જીવઘાતમાં પરિણમે છે, માટે તે પ્રવર્તક સકલ જીવ કરુણાવંત નહિ. દા. ત. એમને ત્યાં ધર્મવાળા-ધર્મ પ્રવર્તક “આવી એકાદશી કરે” ઉપવાસમાં ફળાહાર, બટાટાની કાતરી પણ ચાલે. આવું બીજા ધર્મમાં છે. તેમાં તે અનંતા અનંત કાય જીવોનો ખોડો નીકળી જાય છે.
ત્યારે આપણને થાય કે અહેહે ! અનંતકાય જેની ઓળખ કરાવનાર કેવા ભગવાન આપણને મળ્યા ! હે ? આવા કરુણાવંત ભગવાન માન્યા ! અહેહે !” આવો અહેભાવ થાય, એટલે અરિહંત પ્રભુ પર અથાગ રાગબહુમાન વધી જાય અને તેથી એમની તત્વવાણી પર જવલંત શ્રદ્ધા થવાથી ઘણી પૌગલિક પરિણુતિ ઓછી થાય છે,
Page #147
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ
ભગવાનની કરુણા કેવી કે આપણને તપની મહાન પ્રેરણા મળે. આવા મારાર્ વ ધાર તપ કરવાવાળા આવા મહાવીર ભગવાન મળ્યા ? આવા કરુણાવત ! આવા અતિશયવાળા !
૧૧૪
આમ અહેાભાવ થાય : કેવા ભગવાન ! કેવા ભગવાન ! તેથી પ્રભુપર અત્યંત અહુમાન થઈ, પ્રભુના પગલેપગલે પૌદ્ગલિક પરિણતિ ઓછી થઈ જાય છે. વીતરાગ પર અહા! અહા !' આવા અહેાભાવ પૌદ્ગલિક પરિણતિ આછું કરવાનું મહાન સાધન છે,
6
આવી પુદ્ગલ પરણિત ઓછી થાય, પ્રભુ પર હૈયું વારેવારે આવારી થાય પછી મફતિયા વિકા, પાપવિકા આછા થાય-મફતિયા જિજ્ઞાસા-આતુરતા ઓછી થાય. મન
સ્વસ્થ થાય.
ખબર છે મન કેવુ છે? શેરીમાં ભટકતા ગાય ભેંસ જેવુ મન છે, જ્યાં ત્યાં કચરા વિામાં માહુ ઘાલે તેમ આપણું મન એવું છે કે જે તે કચરાપટી વિચાર કર્યા કરે. તે આછા કરવા માટે આ વિચાર છે કે ‘આવા કરુણાવત
ભગવાન છ
ભગવાન જગતના જીવમાત્ર પર્ કરુણાવાળા છે, કારણ કે ભગવાન યથા નિરુપક છે, એટલા માટે ગમે તે જીવ ભગવાનનુ' આલઅન કરે પાપીમાં પાપી કે ગમે તેવા મિથ્યાત્વી જીવ પણ ભગવાનનું આલખન કરે, તેના પર ભગવાનની કૃપા ઉતરી સમજવી.
અર્જુન માળી જેવા અઠંગ ખૂનીએ અને રાણિયા જેવા અઠંગ ચારે ભગવાનનું આલંબન કર્યુ. તે તેમના
Page #148
--------------------------------------------------------------------------
________________
અહિં ત
૧રપ
પર ભગવાનની કૃપા ઉતરી તેા અભય કુમારે મુનિ રાણિયાને હાથ જોડયા : “તમે તેા ચારમાંથી સાધુ બન્યા ને અમે ? શાહુકાર ! છતાં જલ્દી ભગવાનને શરણે નથી જતા, તમારા પર કેટલી ધી ભગવાનની કરુણા ઉતરી ? ”
અરિહંતની કરુણાનું દર્શન:
અરિહંત ભગવાન કરુણાવત છે, એટલે કે સ શુભ કાર્યામાં યાવત્ એક શુભ અધ્યવસાયમાં પણ પ્રભુના અચિંત્ય પ્રભાવ કામ કરે છે, કારણ કે એ શુભ અધ્યવસાય અને શુભ વાણી વિચાર-વર્તાવ પ્રભુનાં વચન અનુસારે જગતમાં ચાલ્યા છે. માટે એનું મુખ્ય અસાધારણ કારણ પ્રભુ છે. અરિહંતના જ પ્રરૂપેલ શુભ ભાવ, શુભ વાણી વિચાર-વર્તાવને આદરો તો જ ઉચ્ચકોટિના ફળ મળે, એટલે એમાં મુખ્ય કારણ અરિહંતના પ્રભાવ થયા, આ પ્રભાવ કહે, અનુગ્રહ કહા, કરુણા કહેા,–એક જ
ચીજ છે.
વળી અરિહંતના દર્શન કરાય, વંદન કરાય, પૂજા— ભક્તિ કરાય, સ્તુતિ ગુણગાન કરાય. જાપ-સ્મરણ, ધ્યાન કરાય, પ્રાર્થના કરાય, પ્રભુના મંદિર મનાવાય, પ્રભુને કિંમતી આભૂષણ ચઢાવાય, પ્રભુના યાત્રાસંઘ કઢાય, ઉત્સવ-મહેાત્સવ કરાય : આ અધુ અરિહંત પ્રભુનુ કરાય તે જ ઉત્તમાત્તમ કેટિના લાભ મળે છે. ત્યારે જો એમના અદ્દલે કાઈ સરાગી દેવદેવી કે દુન્યવી રાજા મહારાજાનું એ બધું કરાય તો લાભ ાસસિયા, એ સૂચવે છે કે એ દૃનાદિ વીતરાગ અરિહંત પ્રભુના આલમને ચવાથી મહાલાભ કરનારા હાઈ આ આલેખનનુ દનાદિ ક્રિયા કરતાં ઊંચું મહત્ત્વ છે, અરિહંત પ્રભુ અરિહંત બનેલા
Page #149
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ
છે, માટે એ ઊચ્ચ આલંબન આપે છે. એ ભગવાનની અસાધારણ કરુણા છે.
બાકી ભગવાનની કરુણાની શી વાત કરવી?
ચંડકેશિયા જેવા અતિ ક્રૂર અને ભગવાનના ચરણે વંશ મારનારા સાપને ભૂઝવી શાંત કર્યો અને અનશન તથા સર્વ પાપત્યાગ કરાવી સેંકડો હજારો કીડીઓના શરીર-આરપાર અત્યંત વેદનાદાયી પરિષહ સમાધિપૂર્વક સહાવી આઠમા દેવલોકન દેવ બનાવ્ય, એ શું ચંડલિયા પર પ્રભુની જેવી તેવી કરુણ છે? ભગવાનની મહાકરુણાની ભેટો:
શ્રી તીર્થકર ભગવાને (૧) જે સૂક્ષ્મ જીવવિજ્ઞાન આપ્યું છે, (૨) માટે એમણે જ જે સૂક્ષ્મ અહિંસા આપી છે.
(૩) “કરે તે ભરે–એમ નહીં, પણ “વરે તે ભરે એ સિદ્ધાંત પર પાપને વરેલાપણું હઠાવવા જે અનન્ય વિરતિમાર્ગ (પ્રતિજ્ઞાપૂર્વક પાપ ત્યાગ) દેખાડે છે.
() જે અનન્ય અને યથાર્થ સ્વાદુવાદ સિદ્ધાંત પ્રરૂપ છે.
(પ) બંધન-સંક્રમણ-ઉદય-ઉદીરણા-ઉદ્વર્તના-અપવર્તાના-નિધત્તિ-નિકાચન-ઉપશમના-ક્ષપણા-વગેરે કારણોથી ભરચક તથા પ્રકૃતિ-સ્થિતિ અનુભાગ (રસ)–પ્રદેશની વ્યવસ્થાથી અલંકૃત જે અદ્દભુત અને અનન્ય કર્મ સિદ્ધાંત આપે છે.
Page #150
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૧૨૭ (૬) ૧૪ રાજલોકમય વિશ્વની જે નરકાદિ સ્થાનની યથાસ્થિત વિસ્તૃત માહિતી સહિત ભવ્ય ઓળખ આપી છે.
(૭) જે યોગ-ધ્યાન-અધ્યાત્મ વગેરેના આગવા અને સાટ સ્વરૂપ બતાવ્યાં છે,
(૮) જે પરમાત્માના સાચા સ્વરૂપને વિસ્તારથી પરિચય આપે છે.
(૯) જે આત્માની કમિક ઉત્ક્રાંતિ દર્શાવતા ૧૪ ગુણસ્થાનકને ભવ્ય ખ્યાલ આપે છે
(૧૦) જે સૂક્ષ્મ પાપોની ઓળખ અને એના પ્રાયશ્ચિત્તોને મહાન વિસ્તાર દર્શાવ્યું છે,
(૧૧) જે પવિત્ર પંચાચારની આગવી અને અનન્ય લભ્ય ઉત્સર્ગ–અપવાદથી ભરચક વ્યવસ્થા બતાવી છે,
(૧૨) જે વિશ્વના કોઈ ધર્મના ઈતિહાસમાં ન મળે એવા વિભૂતિરૂપ સ્થૂલભદ્ર, શાલિભદ્ર, બાહુબલજી વગેરે વગેરે મહાન પુરુષોનાં ચરિત્ર ઉપદેશ્યાં છે.
(૧૩) જે અનન્ય કેટિને પાપથી પ્રતિક્રમણને માર્ગ દર્શાવ્યું છે.
(૧૪) જે સમ્યક્ત્વનો ૬૭ વ્યવહાર, શ્રાવકના બાર વ્રત, સાધુના પંચ મહાવ્રત, તથા ચરણ સિત્તરી-કરણ સિત્તરી (eo મૂળ ગુણ+૭૦ ઉત્તર ગુણ) વગેરેની આરાધના બતાવી છે.
(૧૫) પરમાત્માની વિવેકવાળી અને સાત્વિક ભક્તિના જે અનેક રીત-પ્રકારે બતાવ્યા છે...
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૨૨
નવપદ પ્રકાશ
વગેરે વગેરે જે અનન્ય બક્ષિસા તીર્થંકર ભગવાને વિશ્વને આપી છે, એ પ્રભુની કરુણા અનંત અપરંપાર છે. આવા કરુણાવત અરિહંત પ્રભુ ભગવંત” છે, ભગવંતનું મારું આકષ ણ :
• ભગવત ઃ
અને ભગવતમાં ‘ ભગ ’=અધય
ભગવાન આત્મિક અવયવાળા છે, આંતર, ખાદ્ય એથય વાળા છે.
આંતર અધય એટલે વીતરાગતા-કેવળજ્ઞાન તથા વીર્યાદિ લબ્ધિઓ; અને અધય એટલે સમવસરણ વગેરે આઠ પ્રાતિહાર્યાં.
પ્રભગવાનને આવા સમવસરણ આઢિ વૈભવ તથા અશક વૃક્ષાદિ પ્રાતિહાર્યો તે પૌલિક વસ્તુ છે, તેનુ શુ મહુ મહુવ? સમંત ભદ્ર જેવા તાર્કિક શિરોર્માણ દાનિક પણ કહે છે કે ‘હે પ્રભુ! તમને આવા પ્રાતિહાય છે, આવું સમવસરણ છે, તેથી અમે તમને નથી ભજતા, પણ અમે તમને ભજીએ છીએ એ તમારા યુક્તિ યુક્ત શાસનને લીધે એટલે પૌલિક સમયસરદિ શાભાનું શું મહત્ત્વ ? ઉઆ સમવસરણ અને પ્રાતિહાય આદિનું મહત્ત્વ એ છે કે જગતમાં સમતભદ્ર જેવા તાર્કિક શિરામણ દાર્શનિક તત્ત્વજ્ઞ કેટલા ? લાખે એક નહિ, તે બાકીના ખાલવાનું શું?
માટે કહેા, માલવાના આકર્ષણ માટે આ પ્રાતિહા અને સમવસરણનું મહત્ત્વ છે, તે માલવાને ભગવાન
Page #152
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૧૨૯ તરફ આકર્ષવામાં અગત્યનો ભાગ ભજવે છે.
અહે! પ્રભુને ઝાડ પણ નમન કરે છે? હે? પક્ષીઓ પ્રદક્ષિણું દે છે ?'
આમ બાલ જીવો ચમત્કાર પામે ને આકર્ષાય. આવા બાલજી આવા આકર્ષણથી આકર્ષાઇ અરિહંત પાસે આવે, પછી ભગવાન પાસેથી સાંભળશે, તો વિશ્વના સત્ય તરો અને મોક્ષમાર્ગને બેધ પામશે. તેથી તેની તાત્વિક શ્રદ્ધા અને સમ્યક્ આચરણમાં એ આવશે,
બાહ્ય એશ્વર્યનું બીજું મહત્ત્વ એ છે કે એ અતિ અસાધારણ કેટિના નિર્માણ સૂચવે છે કે એની પાછળ પ્રભુની કેટલી ગજબ તપસ્યા, દયાન તથા ઉચ્ચ આમપરિણતિ કામ કરતી હશે કે તપ-ધ્યાન-પરિણતિ બીજા જીમાં ન આવે? એવા એ કરણવંત ઐશ્વર્યવાળા ભગવાન “ભાવિક જનને ભતા એટલે ભાવિક જનને ચમત્કાર પમાડતા
અહે અહે!” “ આવા અજબ ગજબના સ્વરૂપવાળા અરિહંત ભગવાન! ” આમ ભવ્ય જીવોને ગદ્દ કરી દેતા :
ભાવિક જનને થોભતા એટલે પાપમાંથી બહાર નીકળ્યા તે નીકળ્યા, હવે ધર્મમાગમાં એમને સ્થિર કરી દીધા.
(અહીં દેવચંદ્રજી મ.ની રચના પૂર્ણ થઈ)
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૦
નવપદ પ્રારા
ઉપાડ થશે વિજયજીકૃત પૂજાની દાળ. ત્રીજે ભવ વરસ્થાનક તપ કરી, જેણે બાંધ્યું જિનનામ, ચોસઠ ઇ પૂજિત જે જિન, કીજે તાસ પ્રણામ; રે ભવિક! સિદ્ધચક ૫દ વંદે, જિમ ચિરકાળ નંદો.
અર્થ: છેલ્લા ભવના પૂર્વમાં ત્રીજા ભવે જેમણે શ્રેષ્ઠ વીસ સ્થાનને તપ કરીને તીર્થકર નામકર્મનું પુન્ય ઉપાર્જન કર્યું છે અને જે ૬૪ ઈન્દોથી પૂજાયેલા છે, એવા જિનેશ્વર ભગવાનને પ્રણામ કરે.
હે ભવ્ય જન! સિદ્ધચક્રના પદને વંદો.
શ્રી નવપદ પૂજામાં હવે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની રચેલી ઢાળ શરુ થાય છે.
અહીં પહેલાં નવપદ સિદ્ધચકના પ્રથમ પદ અરિહંત પદની સ્તવના કરવામાં આવે છે. એમાં અરિહંત શી રીતે બને છે?
ત્રીજે ભવ વરસ્થાનક તપ કરી. વીસ વરસ્થાનકે:
અરિહંતના ભવના પૂર્વના ત્રીજા ભવે શ્રેષ્ઠ એવા ૨૦ સ્થાનકને તપ અર્થાત આરાધના કરી નામ કર્મનું પુણ્ય જેમણે બાંધ્યું છે એવા તે તીર્થકર ભગવાન ૬૪ ઈન્દ્રથી પૂજિત બને છે. એવા એ ભગવાનને પ્રણામ કરે. એમ પહેલી ગાથામાં બતાવ્યું છે.
શ્રી જૈન શાસનમાં શાસનના પ્રણેતા અને દેવાધિદેવ તરીકે આરાધ્ય વીતરાગ સર્વજ્ઞ શ્રી તીર્થકર ભગવાન છે. એ અરિહંત પરમાત્મા તરીકે પણ ઓળખાય છે,
Page #154
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૧૩૧
અરિહંત, મીજા ધર્મવાળા પરમાત્માને માને છે તેમ, અનાદિ સિદ્ધ નથી હાતા, કિંતુ જેમનામાં મેાક્ષ પામવાની અનાદિ સિદ્ધ વૈયક્તિક વિશિષ્ટ ચાગ્યતા યાને વિશિષ્ટ તથાભવ્યત્વ હોય છે, એ શ્રદ્ધા અને પુરુષા ના મળે અરિહંત પરમાત્મા અને છે, તેવા જીવા મૂળ તે અનાદિ કાળથી અવ્યવહારરાશિ સૂક્ષ્મ નિર્ગાદમાં અનંતાનંત પુદ્ગલ પરાવત્ત કાળ પસાર કરે છે, તે પછી મીજા સામાન્ય વાની જેમ ભવિતવ્યતાના મળે એમાંથી મહાર આવી ખાદર વનસ્પતિકાય, પૃથ્વીકાય વગેરે જુદા જુદા વ્યવહારના અર્થાત્ વ્યવહાર રાશિમાં આવે છે.
એમાં પણ અનંત કાળ એકેન્દ્રિયથી પચેન્દ્રિય જાતિ સુધીમાં અનંતે ભવ પસાર કરે છે. એમ કરતાં છેલ્લા પુદ્ગલ પરાવત્ત કાળમાં ( ચરાવમાં ) આવી મેાક્ષષ્ટિ પામે છે, આત્માનું ભાન થાય છે, ભવ વૈરાગ્ય જાગે છે, અને ત્યારે એ હિરાત્મા મટી અંતરાત્મા અને છે. પછી એમાં જ્યારે પૂર્વના અરિહંત ભગવાનથી સ્થાપિત શ્રી જિનશાસનની પ્રાપ્તિ કરે છે, ત્યારે એમને શુદ્ધ ધર્મની સ્પના થાય છે, અને સમ્યગ્ દર્શન (સમ્યક્ત્વ-સમકિત) પ્રાપ્ત કરે છે.
અતિ મનવાના ભવની પ્રક્રિયા :
અહીથી એમને અરિહંત બનવાના ભવની ગણતરી થાય છે કે આટલામા ભવે એ અરિહંત અનરો, આ પૂર્વના અરિહ’ત પ્રભુના શાસનની પ્રાપ્તિ થવાથી બને છે ને અંતે પછી પાતે અરિહંત થાય છે; માટે શાસ્ત્રમાં આવે છે,
6 अरिहा अरिह पुव्विया '
Page #155
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ
‘અર્હિંત અહિં તપૂર્વક થાય છે.' આ જ હિસાબે ભવિષ્યમાં અરિહંત થનાર આ વિશિષ્ઠ યોગ્યતાવાળા ભવ્યાત્મા સદ્ગુરુ અને અરિહંતનું શાસન પામીને સમ્યક્ત્વ પ્રાપ્તિથી માંડી ઉચ્ચ ઉચ્ચ કોટિના દાનાદિ ધર્માં, વિનયાદિ સગુણા તથા વિરતિ માની આરાધના વિકસાવે જાય છે, એમ કરતાં અહિત થવાના છેલ્લા ભવની પૂર્વના ત્રીજા ભવમાં વિશુદ્ધ જ્વલંત સમ્યગ્દર્શન તથા સર્વ જીવ કરુણા ભાવની સાથે અરિહંત, સિદ્ધ વગેરે ૨૦ પદ અથવા ઓછાની ભવ્ય આરાધના કરે છે.
૧૩૨
આ બધી અહિરાત્મ ભાવમાંથી બહાર નીકળી અતરાત્મ ભાવની આરાધના છે. અને તે અરિહંત પરમાત્મભાવને ખેંચી લાવનાર તીર્થંકરપણાનું ઉત્કૃષ્ટ પુણ્ય ઊભું કરી આપે છે.
અહી
ત્રીજે ભવ વસ્થાનકે તપ કરી ” એમાં
3
વર
” અર્થાત્ શ્રેષ્ઠ સ્થાનક કહ્યું, અહીં ‘ સ્થાનક શબ્દ છે. શ્રી જિનશાસનમાં અનેક રીતે સ્થાનક અતાવેલા છે :
6
દા. ત. ૧૮ પાપ સ્થાનક સામે ધર્મસ્થાનક, ૧૪ ગુણ સ્થાનક, તીર્થંકર બનવાના ૨૦ સ્થાનક, વગેરે. આમાં ૨૦ સ્થાનક શ્રેષ્ઠ સ્થાનક છે, કેમકે એ અરિહંત મનાવી જગતના ઉદ્ધાર કરાવવા દ્વારા મેક્ષ અપાવે છે.
૨૦ સ્થાનક એટલે ૨૦ પદ પણ કહેવાય છે.
૨૦ પદની સરળ સ્મરણુ ગણતરી
૨૦ પદ્મ યાને ૨૦ સ્થાનકનાં નામ ચાઢ રાખવાં સહેલાં છે :
Page #156
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૧૩૩ | નવ પદનાં નામ જાણીએ છીએ. એમાં બીજા સિદ્ધ પદ પછી ત્રીજું પ્રવચન પદ મૂકવાનું, કેમકે અરિહંત અને સિદ્ધ પ્રવચનના આધારે થયા. આચાર્ય પદ પછી સ્થવિર પદ મૂકવાનું; કેમ કે ગ૭ સંભાળનાર આચાર્યની પાસે એ જમણા હાથ જેવા છે.
આમ અરિહંત-સિદ્ધા-પ્રવચન-આચાર્ય-સ્થવિર - ઉપાધ્યાય,-સાધુપદ એમ ૭ પદ થયા.
એ પછી જ્ઞાન-દર્શન-વિનય,-ચારિત્રપદ એમ ૪ પદ આવે છે. એમાં દર્શન પછી વિનય એ ધર્મનું મૂળ હેવાથી ચારિત્ર ધર્મની પહેલાં વિનય પદ મૂકયું. અહીં સુધી કુલ ૧૧ પદ થયા,
એ પછી શીલ-ક્રિયા,-તપ-ગૌતમ (દાન) પદ એમ ૪ પદ છે. એમાં પૂર્વોક્ત ૧૧ મા ચારિત્ર પદમાં (૧) શીલ -બ્રહ્મચર્ય તો મુખ્ય જ હોય. એની સાથે (૨) સાવાચારની પવિત્ર યિાઓ પણ જોઈએ જ, જેથી મન એમાં
કાયેલું રહી, મફતિયા પાપ-વિકલ્પોથી બચીને પવિત્ર -પ્રસન્ન–શાંત બની રહે. એની સાથે (૩) મનની જેમ કાયાને પણ પવિત્ર રાખવા અર્થાત વિષયની જાલિમ ખજેથી બચાવી લેવા છ-છ બાહ્ય-અત્યંતર તપ પણ જોઈએ. આની સાથે (૪) એલી સ્વાર્થ રસિકતા નષાય એ માટે સારી પરાર્થ પ્રવૃત્તિ એટલે કે શ્રેયસેવા વગેરેના દાન પણ જોઈએ. આમ શીલ-ફ્લિા-તપ-દાન એ ચાર પદ કહ્યા, એથી અહીં સુધી કુલ ૧૫ પદ થયા,
૧૫ મું પદ ગૌતમ પદ પણ એટલા માટે કહેવાય છે કે દાન તે પિતાની પાસે વસ્તુ હોય એનું થઈ શકે, પરંતુ ગણધર ગૌતમ સ્વામીજી મહારાજે પોતાની પાસે નહિ
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૪
નવપદ પ્રકાશ
એવા કેવળજ્ઞાનનું દાન પેાતાના ૫૦ હજાર શિષ્યાને કર્યું, માટે ગૌતમ જેવા કોઈ દાનેધરી નહિ. એમની સચાટ આરાધના કરતાં કરતાં આપણામાં કમમાં કેમ આપણી પાસે હોય તે ધન, જ્ઞાન, શ્રમ, બુદ્ધિ, સલાહુ વગેરેનું દાન કરવામાં હંમેશાં ઉજમાળ રહીએ.
હવે જિન-સંયમ ( સમાધિ) અભિનવજ્ઞાન–શ્રુત-તી;
એ પાંચ પદ છે,
સહજ છે કે ગૌતમસ્વામીને એમના સર્વાંગીણ ગુણા સાથે મુખ્યપણે લક્ષમાં રાખીને દાન અર્થાત્ વિશિષ્ટ પરાર્થ પ્રવૃત્તિની ઉચ્ચ કોટિની આરાધના કરે એટલે તેા તીર્થંકરની એક મુખ્ય વિશેષતા-સ્વાર્થ ગૌણતા અને પરા મુખ્યતા જીવનમાં ઉતાથી એમાં અંશે જિનની આરાધના આવે; માટે ૧૫ મા દાન પછી ૧૬ મું જિનપદ્મ સૂક
જિન બનવાનું અનન્ય અને ઉત્કૃષ્ટ સયમ-સમાધિ --સાધનાથી જ મની શકે, અથવા જિન મનવા માટે પહેલાં ઉત્કૃષ્ટ સયમની સાધના અવશ્ય કરવી રહે છે, તેથી ૧૬ મા જિનપદ પછી ૧૭મું સયમ પ મૂકયુ. સયમ ૧૭ પ્રકારે હાય છે. એ હિસાબે પણ ૧૭મું પદ્મ સથમ પદ છે, એ યાદ રાખવું સહેલુ છે.
ચારિત્ર પદ્મ ને સંયમ પદ્મ :
પ્ર૦-૧૬મા ચારિત્રપદમાં સંયમની આરાધના તે આવી જાય છે, તેા પછી સયમનું ૧૭મુ સ્વતંત્ર પદ્મ કેમ સૂકર્યું ?
૯૦–૧, એક સમાધાન એ છે કે ૧૧મા ચારિત્રપટ્ઠમાં ખાસ કરીને આવશ્યક ક્રિયાઓની આરાધના આવે. એથી ૧૧મા પદ્મ તરીકે આવશ્યક પદ પણ કહેવાય છે એટલે
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૩૫
આરિહંત
પછી ૧૭મા સંયમ પદમાં સંયમના ૧૭ ગુણોની
આરાધના થાય એ સ્વતંત્ર વસ્તુ બની. દ્રવ્ય સમાધિ અને ભાવ સમાધિ : ૨. બીજુ સમાધાન એ છે કે ૧૭મું પદ ખરેખર
સંઘ-સમાધિ પદ છે. અને આ વસ્તુ ૨૦ સ્થાનકની પૂજાની સત્તરમી પૂજાને જોતાં સ્પષ્ટ થાય છે એટલે આ પદમાં શ્રી સંઘની સાધમિકને દ્રવ્યસમાધિ અને ભાવસમાધિ આપવાની આરાધના કરવાની રહે છે. દ્રવ્યસમાધિમાં કોઈના કુસંપ, વૈર વિરોધ, અંટસ, વગેરે નિપટાવી બાહ્યથી સમાધાન કરવાનું હોય છે.
ભાવસમાધિમાં આંતરિક આર્તધ્યાન: ખેદ, શોક, આકુળ વ્યાકુળતા-સમતા વગેરેને સમાવવાની અને અંતરથી સમાધિ પ્રાપ્ત કરાવવાની હોય છે. - ઉપરોક્ત સત્તરેય પદની આરાધનાને નવનવો ઉલ્લાસ બ રાખવા માટે શાસન પર સદા બહુમાન-શ્રદ્ધા વધતી રહેવી જોઈએ. શાસન પરનું એ બહુમાન રેજ વધતું જ રહે તે જે શાસનની રોજ નવનવી વિશેષતા જણાતી રહે. આ માટે રોજ નવું નવું મળતું શાસ્ત્રજ્ઞાન અદભુત કામ કરે છે, અભિનવ જ્ઞાનપદ :
સહજ છે કે શાસનનું -શાસ્ત્રનું નવું નવું જાણે એટલે એના પરનું બહુમાન વધતું જાય. એટલે સહેજે શાસને કહેલા વીસ સ્થાનકની આરાધનામાં રેજ ન ન ઉલ્લાસ બન્યો રહે. આ હિસાબે ૧૮મું અભિનવજ્ઞાન પદ મૂકયું.
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૬
શ્રુતપ :
આ નવું નવું જ્ઞાન શ્રુત અર્થાત્ આગમશાસ્ત્રથી મળે છે, માટે ૧૯મા પદ્મમાં શ્રુત પદ મૂકયું અને શ્રુતના આધાર તીથ છે, માટે ૨૦મું પદ તી પદ રખાયું છે, અથવા શ્રુતપદ સહિત ઉપરોક્ત બધા પદ્માની આરાધના દીપ્તિમાન કરવા માટે ખાસ કરીને શત્રુંજય, સમ્મેતશિખર આદિ સ્થાવર તીર્થોની અને સાધુ સાધ્વી સ્વરૂપ જંગમ તીર્થોની ભક્તિ ખૂબ જ કરવી જોઈએ. તેા જ હૃદય દૈવ ગુરુ પ્રત્યે અત્યંત નમ્ર તથા અતિશય ગૌરવવાળુ મને, એવું જ દિલ ૨૦ સ્થાનકની ઉચ્ચકોટિની આરાધના કરી શકે.
અહીં આવા પ્રશ્ન ઊઠવા સભવિત છે કે—
પ્ર૦-જો વીસ સ્થાનકની આરાધનાથી તીર્થંકર નામકર્મ અકાય છે, તેા પછી અહીં ‘ વસ્થાનક તપ કરી ? કેમ કહ્યું ? શું ફક્ત ૨૦ સ્થાનકના એકલા તપ કરવાથી તીર્થંકર નાસક ન ખવાય? એકલા ૨૦×૨૦=૪૦૦ ઉપવાસ કરી આપીએ તે ન ચાલે ? કોઈ કહે : ‘અરિહંત’ના ૨૦ ઉપવાસ કરી દઈશ. એક વીસી નહિ, ૨૦ વીસી કરી દઈશ. પછી ?
આરાધના સાથે તપની મહત્તા :
C
—તા જવાબ એ છે કે અહીં તપ” શબ્દ આરાધનાના અમાં છે. તપ સાથે અરિહં‘ત પદની આરાધના જરૂર જોઈએ. આરાધનામાં અરિહંતની દર્શન-પૂજન-વંદન આદિભક્તિ, અરિહ'તના ગુણગાન, ધ્યાન-જાપ-સ્મરણ-પ્રાથના, અરિહંતની પ્રશંસા-અરિહંતની પ્રભાવના
નવપદ પ્રકાશ
Page #160
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૧૩૭ વગેરે આવે. અરિહંતની પ્રભાવનાથી બીજા જીવાને અરિહંત પ્રત્યે સન્માન-સદ્દભાવ-આકષ ણ ઊભાં થાય.
આથી અર્હિંત ભક્તિના પ્રભાવક આયેાજનમાં કેટલા અધા જોડાય? શ્રીપાળનગરમાં મહાપૂજા રચાઈ હતી, ત્યારે ડેકોરેશનના ઠાઠમાઠ એવા કે લાખેક માણસ દાનાથે આવ્યું હશે, એમાં જૈનેતશે પણ ખરા.
૧૯૯૭માં કોલ્હાપુરમાં અંજનશલાકા મહાત્સવ થા ત્યારે ઈતર લાકા બેાલતા થઈ ગયા :
કારણ ત્યાં
“પહા, વના ચાંમા કાઢે? 5 આયેાજન, રચના અને ઉજવણી અદ્દભુત હતી. અરિહંત પદની જીવનમાં વ્યાપકતા : અરિહંત પદની આરાધનામાં અરિહંતના જાપ, ધ્યાન વગેરે હોય; ઉપરાંત વધામણી દાન દા. ત. અરિહંત પદની આરાધનામાં વિચારતાં અરિહંત શ્રી મહાવીર પ્રભુની સુખશાતાના સમાચાર લઈ આવનારને શ્રેણિક મહારાજાએ ન્યાલ કરી દીધા, અરિહંત પટ્ટની આરાધના કરે; તેમાં અરિહંતના સિદો ગામેગામ ઊભા કરે, હિતની સઘયાત્રા લઈ જાય.
અરિહંતને હાલતાં ચાલતાં યાદ કરીએ.
બેઠા હાઈ એ તે ઊભા થઈ એ તે ‘નમે અરિહંતાણં’ ઊભા હાઈ એ તે એસીએ તે ‘નમા અરિહંતાણં, ડગલું ભર્યું તેા નમા અરિહંતાણં,’ પાણી વાપર્યું” તો ‘નમે અરિહંતાણં’ છીંક આવી તે નમા અરિહંતાણં
ઉધર્સ આવી તા ‘નમા અરિહંતાણ’
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૩૮
નવપદ પ્રકાશ
અરિહંતાણંને યાદ કરીએ. એટલું જ નહિ પણ કાંઈક આપણને ઈષ્ટ અનુકૂળ બની આવે ત્યાં પ્રભુને કહેવાય; Thenk You. તમારો આભાર માનુ છું. આ તમા
ઉપકાર છે.
અરિહંત પદની આરાધના એટલે જીવનના વિવિધ પ્રસગામાં અરિહંતને વ્યાપી દેવા, અને વિચારસરણીમાં વચ્ચે વચ્ચે અરિહંતને લાવવા. જેમકે શી શી ઉપાસના કરવી જોઈએ? તે કેમ થઈ શકે ? તેને વિચાર સતત કરતાં અરિહંતમય મન થઈ જાય.
દા. ત. કન્યાને મનગમતા પતિ મળ્યા હોય તે ઘામ કરતાં, વાત કરતાં બધે જ બસ તે પતિને યાદ કર્યાં કરે છે, તે પતિની અનુકૂળતા વિચારે છે. રસાઇ કરતાં આ એમને ભાવશે ' એમ વિચારે છે. કચરો કાઢતાં '' આ સ્વચ્છતા તેમને ગમશે. આ ગાદી તેમને ફાવશે.”
6
માક્ષાથી જીવને મેક્ષ પર કેટલી લગન હેાય તેના દૃષ્ટાંતમાં કવિ કહે છે :
“ મન મહિલાનુ વહાલા ઉપરે ઘરના કામ કરત ” નવાઢા પત્ની ઘરના કામ કરતાં દરેકે દરેક વાતમાં મનમાં પતિને લઇ આવે છે, તેમ અરિહંતની ઉપાસના કરવી.
તીર્થંકર બનવા માટે અરિહત સાથે લગ્ન કરવા પડે, કરી પરણે ને મગજમાં ફક્ત પતિના જ ચમકારા યા કરે છે, તેમ આપણને મનમાં અરિહંતના જ ચમકારા (વિચાર) થયા કરે.
અરિહંત પદની આરાધનાની જેમ બીજા દરેકે દરેક વીસ સ્થાનકપદ અંગે સમજવાનું છે.
Page #162
--------------------------------------------------------------------------
________________
અરિહંત
' જલત પતગ દીપકે માંહી.’
દિવા પાછળ પત ંગિયું ગુલતાન થાય, તેમ જે પદની આરાધના કરવી હાય તે પાછળ ગુલતાન થવુ.
દા. ત. ૧૮મુ પદ્મ અભિનવજ્ઞાન પદ છે, એટલે જ્યાં જ્યાં નવું જ્ઞાન પ્રસારી શકાતું હોય, ત્યાં ત્યાં પાડેાશીપાઠશાળામાં વગેરેમાં તેની પાછળ મંડી પડે,
૧૩૯
બીજાને તેવી પ્રણા કરતા જાય. “નવું નવું ગેાખા, તમારૂં કામ હું કરી દઈશ ” અથવા ઈનામ પ્રોત્સાહન વગેરે કરે.
' ‘નવું જ્ઞાન મને મળે અને જગતને મળે ” તેના રસ્તા વિચારે, આમ અભિનવજ્ઞાનના વેપારી બનવુ.
૨૦ સ્થાનકના વીસે વીસ કે આછા કે એક પદની આરાધના કરી, તો તીર્થંકરનામક નું પુણ્ય ધાય. તેવીશ સ્થાનકમાં એકે એક પદ્મ ઉત્તમ છે, માટે “ શબ્દ મૂકેલ છે.
વર્ ઝ
“ વર સ્થાનક તપ કરી ક
ઉત્તમ એવા ૨૦ સ્થાનક, તેના તપ એટલે આરાધના કરીને તીર્થંકર નામકર્મનુ પુણ્ય બાંધ્યું.
તપ અને આરાધના :
પ્ર૦૧પના અર્થ આરાધના શી રીતે ?
ઉતપના અર્થ આરાધના છે, કેમકે બાહ્ય-આભ્યંતર તપમાં અનેક પ્રકારની આરાધનાઓ આવે છે, શાસુમાં તપ ૧૨ પ્રકારના કહ્યા છે : હું બાહ્ય અને ૬ આભ્યંતર,
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૦
નવપદ પ્રકાશ તપમાં શું નથી આવતું ? તપમાં બધું આવે છે. કેમકે “જે તપાવે તે તપ ખાનપાનના ટંકના ત્યાગ, ઉપવાસ, એકાસણા, ઉદરી તપ, વૃત્તિ સંક્ષેપ-તે વાપરવાના દ્રવ્યની સંખ્યાનો સંક્ષેપ, ખાવાની વૃત્તિની જેમ બીજી વૃત્તિઓમાં સંપ; કાયકલેશ-લેચાદિક, કાય-ઈન્દ્રિવાણી વગેરેની સંલીનતા, અંગોપાંગ સ્થિર રાખવા, જેમ બને તેમ હલાવવાં ચલાવવાં નહીં. એમ બહારમાં આંખો ફેરવ્યા ન કરે, વાણીથી મૌન રાખવું વગેરે આ બધી આરાધના એ તપ જ છે.
અરિહંત પદ લઈને ઘુમે, “તેને અજબ પ્રભાવ છે.” અનેકને આવું કહે તે પણ કાયકષ્ટ છે, તે તપ છે.
શું નથી તપમાં? ઘણું ઘણું છે, સંલીનતા-બીજી બધી વાતોને સંકેચ કરે, ફક્ત અરિહંતની વાત કરે, બીજી વાતો જ નહીં. અરિહંત સિવાય બીજો વિચાર કરે નહિ. બીજે વિચાર ઘૂસી જાય તો તેને અરિહંતમાં ફેરવી દે. પરિષહ-પ્રેમી ભગવાન ઋષભદેવ:
જમતી વખતે અરિહંતનો વિચાર કરે. ભૂખના પરિષહ વખતે અરિહંતને વિચાર કરે, શ્રી કષભદેવ ભગવાને કેટલા દિવસ ન વાપર્યું ? ભગવાને દીક્ષા લીધી, પછી પારણે ગોચરમાં ખાવાપીવાનું ન મળ્યું; કેમકે ગોચરી શું વહેરાવવી કે તે જાણતા ન હતા. કઈ કન્યા વહોરા, કઈ હીરા-માણેક-હાથી-રન આપે, ત્યારે પ્રભુએ તૈયાર ભજનના ભાજન તરફ ઈશારો પણ નહિ કરવાને,
આમ ગોચરી ન મળતાં ૧૩ માસ વીતી ગયા, ફાગણ વદ ૮ થી બીજા વર્ષની ચેત્ર વદ ૮ સુધી. તે પછી વૈશાખ સુદ બીજ આવી, ત્યાં સુધી હજુ લેશ માત્ર ગોચરી પાણી
Page #164
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૧૪૧ મળ્યાં નથી. વૈશાખ સુદ ૩ પઢિયે પ્રપૌત્ર શ્રેયાંસકુમારને જાતિસ્મરણ થયું.
એમાં મુનિભવ યાદ આવ્યો; એટલે જોયું કે આમને તો શુદ્ધ ગોચરી ખપે. શેરડીના રસના ઘડા તૈયાર હતા. “પધારે, પધારો, બાપુ!” કહીને પ્રભુને બોલાવ્યા ને ૧૦૮ ઘડા પ્રભુની અંજલિમાં ઠાલવી દીધા, એટલી ઉપર ઉપર શિખા વધી; છતાં એક ટીપું ઢઢ્યું નહીં. ભેજન વખતે આમ અરિહંત યાદ કરાય તે અરિહંતની આરાધના, પ્ર-વર્ષીતપના પારણુ વખતે પ્રક્ષાલમાં શેરડીનો રસ કેમ
વપરાય છે? ઉ–તે પ્રભુજીનું સ્મરણ કરવા માટે. અહેહે ! આ ઈશ્નરસ : આ રસથી ભગવાને પારણું કર્યું ! ઉછરંગ છે ભગવાનની સ્મૃતિમાં, અથવા પ્રભુને ઈક્ષરસ વહેરાવવાની કલ્પના હોય; પરંતુ એમાં ઈલ્ફરસ પ્રભુની અંજલિમાં રેડ જોઈએ.
તપ એટલે આરાધના. બાર પ્રકારને તપ છે : છબાહ્ય, છ આત્યંતર, શ્રી સિદ્ધચક સ્તવનમાં કહે છે :
બાહ્ય-આત્યંતર તપ તે સંવર, સમતા, નિર્જરહેતુજી!
બાર પ્રકારને તપ તે સંવર છે, સમતા છે, નિર્જરનું કારણ છે.
સંવર સ્વરૂપ દશ પ્રકારના યતિ ધર્મમાં એક પ્રકાર તપ આવે છે, માટે તપ તે સંવર પણ છે, સંવરનું કારણ છે. એમ સમતા ને નિર્જરામાં કારણ છે. મતલબ, દરેક પદની સર્વ પ્રકારની આરાધના તે વાસ સ્થાનક તપ છે.
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૨
જિન નામક
કારણ :
તપથી ત્રીજે ભવે તીર્થંકરપદ મળે,
"
( વર શબ્દ અતાવે છે કે વીસે વીસ સ્થાનક મીજા સ્થાનકો કરતાં ઉત્તમ છે, બધા તીર્થંકર ભગવતે અધા વીસે વીસ સ્થાનકની અથવા અમુક સ્થાનકની આરાધના કરી છે; માટે તે સ્થાનક ‘ વર્તે છે.
“ જેણે આંધ્યુ જિન નામ”
એટલે અરિહંત કેવા છે ?
નવપદ પ્રકાશ
આવા ઉત્તમ સ્થાનકની આરાધના કરી, તેમણે જિન નામકમ માંધ્યું છે.
આ ૨૦ સ્થાનકને કાયમ માટે યાદ રાખી લેવા નીચે અતાવ્યા પ્રમાણે પાંચ પાંચ નામની એકેક લીટી એમ ચાર લીટી યાદ રાખી લેવી.
અરિહંત-સિદ્ધ--પ્રવચન-આચાર્ય સ્થવિર ઉપાધ્યાય-સાધુ–જ્ઞાન-દાન-વિનય
ચારિત્ર-શીલ-ક્રિયા-તપ-ગૌતમજિન-સમાધિ–અભિનવજ્ઞાન–શ્રુત-તી,
વ
આમ છેલ્લેથી પૂર્વના ત્રીજા ભવમાં જેમણે સ્થાનક ” એટલે કે શ્રેષ્ઠ સ્થાનક-વીસ સ્થાનકના તપ યાને આરાધના કરીને તીર્થંકર નામકર્માનું પુણ્ય ઉપાખ્યુ છે, તે પછી અંતિમ ભવમાં ચારિત્ર લઈ અહિં’સા-તપસંયમની આરાધના કરીને, કેવળજ્ઞાન પામી અરિહંત અને છે; ત્યાં બાંધેલા તીર્થંકર નામકમના વિપાકાય થાય છે, એ વખતે એમનું શું અને છે, તે બતાવતાં કહે છે :
'
Page #166
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૧૪૩
“સઠ ઈ પૂજિત જે જિન, કીજે તાસ પ્રણામ રે.
આ જગતમાં અરિહંત પદ એવું છે કે અરિહંતપદ પ્રાપ્ત થતાં તે તીર્થકરની ૬૪ ઈન્દ્રો પૂજા કરે છે,
તપ કરે એટલે તપથી અશુભ અધ્યવસાયે મેળા પડે અને શુભ અધ્યવસાયો ઊભા થાય, એનું કારણ એ છે કે બાર પ્રકારનો તપ કરતાં કરતાં દેહાધ્યાસ યાને દેહમમતા, આહારાધ્યાસ-આહારસંશા, સુખશીલતાધ્યાસ, વિષયાધ્યાસ વગેરે મમતાએ મોળી પડતી આવે છે. આ મમતાઓના યેગે જ દેહ વગેરેના અશુભ અધ્યવસાય ચાલે છે, એ અધ્યવસાય મોળા પડતાં અશુભ અટકીને, શુભ અધ્યવસાય જાગતા થઈ જાય છે.
દા. ત. “બધાં કામ કરીશું, પણ મરીને નહિ થાય.” શરીર સુખી તો આપણે સુખી –તો આ દેહાધ્યાસ છે, દેહ મમતા છે.
“શરીર રૂપાળું તે આપણે રૂપાળા ” એ વિષયાધ્યાસ છે. “શરીરથી આપણે રૂપાળ નહીં, પણ આપણાથી શરીર રૂપાળું છે. આપણે તે ગુણથી રૂપાળા છીએ. બાકી શરીર તે અંદરમાં જીવ છે ત્યાં સુધી જ રૂપાળું, જીવ નીકળી ગયા પછી શરીર શોભા ગઈ. શરીર ગંદવાડ ન ફેલાવે માટે બાળી નાખવા લાયક. આ ભાવનાથી દેહાધ્યાસવિષયાવ્યાસ ઓછા થાય, આનાથી ઊંધી ભાવના હેય તે શરીરની ટાપટીપમાં શરીર–વિષયની મમતા વધે. સમાધિસુખ:
કામ બધું કરીશ પણ પછી; પહેલાં બરાબર ઊંઘી લેવા દે.. આ નિદ્રાધ્યાસ છે.
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૪
નવપદ પ્રકાશ આ બધા અધ્યાસ ચિત્તને અસમાધિ કરાવનારા છે. તપથી એ અધ્યાસે મોળા પડતાં અસમાધિ દૂર થાય છે, ને સમાધિ મળે છે. એટલે સમાધિનું કારણ તપ છે, ને એ સમાધિ એ ઉત્તમ સુખ છે.
સમાધિ સમ સુખ નહીં, સમતા સમ નહીં ધન, તપ કરે છે, તેને સમાધિ છે. ત્યાગ જિંદગીભરને કરે તે ખરેખર સુખી છે.
અહીં તપ દ્વારા ઉત્પન્ન થતી સમાધિના ઉચ્ચ સુખને નહિ સમજી શકનાર બૌદ્ધોએ તપને ઉડા, તેથી ઉપા શ્રી યશોવિજયજી મહારાજ “જ્ઞાનસારમાં કહે છે કે બૌદ્ધોની બુદ્ધિ હણાઈ ગઈ છે : “વદ્ધાના નિદતા યુદ્ધિ પ્ર-બૌદ્ધો કહે છે; તપ કરીએ તો મન ખાવામાં જાય
પછી ધ્યાન શું કરે? ઉo-અલબત્ત, પ્રારંભ પ્રારંભમાં તપ વખતે ખાવાના વિચાર
આવે, છતાં તપપ્રતિજ્ઞાને લઈને ખાવાનું તો નહીં જ કરે. તપ નથી એને તો ખાવાના વિચારને ખાવાની પ્રવૃત્તિ ચાલુ જ છે; જ્યારે તપની પેઠે પડી જતાં ખાવાના વિચાર અટકી જાય છે, પછી આગળ વધતાં
ઊઠતા જ થથી, તેથી ખરેખરું ધ્યાન લાગે છે. સિદ્ધચક વંદનનું ફળ: ભવિકા ! સિદ્ધચક પદ વંદે, જિમ ચિરકાળ નંદે. વંદીને આનંદ નાવે ભવભયદો, ટાળે દુરિતહ દંદ સેવે ચોસઠ ઈદો. ઉપશમરસને કદ, જિમ ચિરકાળ નંદા, ભવિકા ! સિદ્ધચક્ર પદ વંદો.
Page #168
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૧૪૫ સિદ્ધચકના દરેક પદ વંઘ છે, તેને વંદન કરવાથી જીવ ચિરકાળ-લાંબાકાળ સુધી આનંદ પામે છે. આમ સિદ્ધચક પદને વંદન કરતા રહેશે, તો દીર્ઘકાળ સુધી આનંદ રહેશે, તેથી તે તે પદની વિશિષ્ટ આરાધના અર્થે હૃદયને તે પદથી ભાવિત કરીને વંદન કરે, - દિલને ભાવિત કરીને વંદો, જેને સુરનર વંદે છે, જેનાથી ભવભયના ફંદા ન આવે, એટલે સંસારમાં ભવભ્રમણને ભય જાય,
ભવ ભય એટલે સંસારમાં ભવભપ્રણાને ભય.
ફેદ ફાસ–પાશ. સંસારમાં ભમવાને ભય તે પાશ છે, તે તૂટી જાય છે,
દુરિતહ દંદ : સિદ્ધચક પદ દુરિતના કંઠને ટાળે છેનાશ કરે છે.
દુરિતના પાપના. દંદ કંઢ-પાપનાં જોડકાં,
પાપનાં જોડકાં ક્યાં?— આંધળે બહેરે, લૂલેલંગડે, ભૂખ-તરસ, રોગ-પરાધીન, શેક-દુર્ભાગ્ય, શાકસંતાપ, અપમાન-તિરસ્કાર, વગેરે પાપનાં હૃદ્ધ છે.
સિદ્ધચકને વંદો તો જગતના આ દ્વન્દ્રો ચાલ્યો જાય, એવાને ચેસઠ ઈદ્રો સેવે છે.
સિદ્ધચકની ઉપાસના કરતા ઈન્દ્ર પ્ર૦-૬૪ ઇદ્રસિદ્ધચકને સેવવા કયાં જાય? ઈન્દ્રો સિદ્ધચકને
સેવે એટલે શું? ઉસિદ્ધચકના નવ પદ છે. તે પદના પ્રસંગે પ્રસંગે ઈન્દ્રો
ઉપાસના-પ્રશંસા-સન્માન–બહુમાન કરે છે. ઈન્દ્રો
૧૦
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૬
નવપદ પ્રકાશ
આરિહંતની કલ્યાણકની ઉજવણી વગેરેથી ઉપાસના કરે છે, એ પ્રસિદ્ધ છે.
કઈ મહાત્મા સિદ્ધ થાય, તે ત્યાં ઈન્દ્ર સ્મારક-પુષ્પવૃષ્ટિ વગેરેથી મહાત્માને મહિમા વધારે છે. એ સિદ્ધપદની ઉપાસના છે. અથવા સિદ્ધપદના આરાધકની પ્રશંસા કરવા દ્વારા પણ ઈન્દ્ર સિદ્ધપદના ઉપાસક ગણાય.
દા. ત. વીશ સ્થાનકના બીજા પદની કથામાં આવે છે કે પુરુષોત્તમ રાજા સિદ્ધપદને ઉપાસક બન્ય, યાવત ચારિત્ર લઈ, એ ઉપાસના વિશેષ વધારી, એમાં ભારે દઢતા ખીલવી અને ઈ દેવસભામાં એની ભારે પ્રશંસા કરી તો આ ઈન્દ્રની પણ સિદ્ધપદની ઉપાસના ગણાય.
આચાર્યપદની ઉપાસના. દા. ત. વજસ્વામીજી મહારાજ રથાવત્ત ગિરિ પર અનશન કરી સ્વર્ગે પહોંચ્યા, ત્યાં ઇન્દ્ર સ્થથી પ્રદક્ષિણા કરી. એટલા માટે તે ગિરિનું નામ થાવત્ત તરીકે પ્રસિદ્ધ થયું. આ આચાર્યપદની ઉપાસનાનું દ્રષ્ટાંત છે.
સાધુપદની ઉપાસના : દા. ત. દશાર્ણભદ્ર રાજાને પોતાને મહાવીર પ્રભુને વંદન અનન્ય ભકિત-ઉત્સવ કર્યાનેગર્વ થયે, પરંતુ એમાં જાણે અત્યાર સુધી અરિહંત પ્રભુને એવા ભક્તિઉત્સવથી વંદના કરનાર કેઈ મળે જ ન હતે, એમ અરિહંતની આશાતના દેખી ઇન્ડે એના કાળા ૫૦૦ હાથીની સામે આકાશમાં રૂના ગાભલા જેવા વિશાળ ૬૪ooo હાથી વિમુવી ઈન્દ્ર વંદન કરવા ઉતરી રહેલ છે; એ દરેકે દરેક હાથી પાછા કેવા?
Page #170
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૧૭ દરેકને ૮ સુંઠ, દરેક સુંઢને ૮ જંતુશળ, દરેક દંતુશળ ઉપર ૮-૮ વાવડી, દરેક વાવડીમાં ૮-૮ કમળ, દરેક કમળને લાખ-લાખ પાંખડી, દરેક પાંખડી પર દેવદેવી નૃત્ય, અને વચલી કર્ણિકા પર વંદન કરતાં ઈન્દ્રનું રૂપ
આમ દરેક હાથીના દતુશળ પર ૪૦૯૬ ઈન્દ્રોની વિફર્વણ એવી ૬૪ હજાર હાથી પર ઈન્દ્ર વિફર્વણું-આ જોતાં જ દશાર્ણભદ્રને મદ ગળી ગયે, પરંતુ સંકલ્પ પાર પાડવા પ્રભુ પાસે પહોંચી ઉત્કૃષ્ટભક્તિરૂપ સાધુપણું લઈ પછી પ્રભુને વંદન કર્યું અને અનન્ય ભક્તિથી વંદન કરવાને સંક૯પ સચવાયાનો સંતોષ માન્ય, ત્યાં ઈન્દ્ર નમી પડે છે અને એમના ત્યાગની, એમની સાધુતાની ભાભાર પ્રશંસા કરે છે.
ઈન્દ્રની સમ્યગુદર્શન પદની ઉપાસના : દા. ત. મલ્લીનાથ ભગવાનના કાળમાં અહંનત શ્રાવકની ઈન્દ્ર સભામાં દેવોથી પણ અચલાયમાન એવા દઢ સમ્યક્ત્વને ધારણ કરનાર તરીકે પ્રશંસા કરી, એમ સુલસા શ્રાવિકાના દઢ સમ્યકત્વ અને ધર્મસત્ત્વની પ્રશંસા કરી.
સમ્યગુરાન પદની ઉપાસના :
ઈન્દ્ર એ રીતે કરી કે દા. ત. ભરત ચક્રવતી, પૃથ્વીચંદ્ર રાજા કેવળજ્ઞાન પામતાં, ઈન્ડે તરત ઝનન ઝનનન સંગીત વાજિંત્ર દેવ-દેવી પરિવાર સાથે આવી સાધુવેશ આપી વંદનાદિ ઠાઠ જમાવ્યું. એમ ઈન્ડે સીમંધર ભગવાન પાસે નિગોદનું સ્વરૂપ જેવું સાંભળ્યું, તેવું અહીં ભરતક્ષેત્રમાં કાલિકસૂરિ મહારાજ પાસે આબેહૂબ સાંભળી એવા જ્ઞાનીની ખૂબ સ્તુતિ કરી, અને પાછળથી મુનિઓને એની જાણ થઈ, શ્રદ્ધા વધે, એટલા માટે મુકામનો દરવાજો ફેરવી નાખે,
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૪૮
નવપદ પ્રકાશ
સમ્યગ ચારિત્રની ઉપાસનામાં દા. ત. ઈન્દ્રો તીર્થકર ભગવાનના ચારિત્રગ્રહણને ઉત્સવ કરે છે. પ્રભુના દીક્ષાવરઘોડામાં પ્રભુની શિબિકાની બાહ પોતાના ખભા પર લે છે. ઉપરોક્ત દશાર્ણભદ્રના ચારિત્રના ભારેભાર ગુણ ગાય છે,
સમ્યફ તપ પદની ઉપાસના-ઈન્ડે આ રીતે કરી.
દા. ત. નાગકેતુએ જન્મતાં જ અઠઠમ કર્યો, અને એમાં એ નિશ્ચન્ટ મૃત જેવા થઈ જવાથી માતાપિતાએ એમને જંગલમાં ખાડે કરી એમાં મૂકી દીધા. ત્યાં નાગકુમાર દેવલોકના ઈન્દ્ર ધરણેન્દ્ર આવી અમૃત છાંટી સચેત કર્યો અને ત્યાં રાજાની સમક્ષ નાગકેતુના અઠમને પરિચય આપી એને ભારે ગુણ ગાયા,
સારાંશ, આ રીતે ઈન્દ્રો પણ સિદ્ધચક્રની સેવાઉપાસના કરે છે-એ હકીકત છે, પણ સિદ્ધચકના ખાલી પ્રશંસાવાક્ય નહીં, ઉપશમસાગરસિદ્ધચક :
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ વગેરેની પ્રશંસાદિને તે મોકો આવે, ત્યારે ઈન્દ્ર ઝૂકી પડે.
સિદ્ધચક ઉપશમ રસને કંદો છે. (કંદોપાતાળ-સેર)
સિદ્ધચકને મનમાં રાખો-નવપદને મનમાં રાખો, તે તેનાથી ઉપશમ રસ ઝર્યા કરશે. જમીન ફોડે, જમીનમાં પાણીની સેર ચાલતી હોય તે ઉપર આવે, ૨૪ કલાક ફવારે ચાલે, ઊંડું ખાવું હોય તે ત્યાંથી ભૂંગળા વાટે પાણી ઉછળે; તેમ નવપદની પાતાળ સેર રાખે તો ઉપશમ
Page #172
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૧૪૯
રસ નીકળ્યા કરે; કારણ કે એકેક પદને સંબંધ ઉપશમ સાથે છે, કવિએ પાર્થપ્રભુના સ્તવનમાં ગાયું – ક્રોધાદિક સી શત્ર-વિનાશી, તેણે ઓળખાવ્ય તુજને
ધાદિ વગેરે આંતર શત્રુને વિનાશ કર્યો. તેણે તારી એાળખાણ કરાવી. અરિહંતની ઓળખ : પ્રઓળખાણ એથે ગુણઠાણે થાય, અને ક્રોધાદિ બધાનો
નાશ દશમે ગુણઠાણે થાય, તો પ્રભુની ઓળખાણ
કરવા શું પહેલાં દશમે ગુણઠાણે જવાનું? ઉના, કોધાદિ દરેક કષાય અનંતાનુબંધી, અપ્રત્યાખાનીય,
પ્રત્યાખ્યાનાવરણ તથા સંજવલન-એ ચાર કક્ષાના હેય, એમાં અનંતાનુબંધી કષાય એ સમ્યફવના ઘાતક છે, માટે એને ઉડાવીએ, તે જ સમ્યક્ત થાય, અને એમાં દેવગુરુની સાચી ઓળખ થાય, એટલે અનંતાનુબંધીના ઘરના ક્રોધ, માન, માયા, લોભ, રાગ-દ્વેષ, મદ, મત્સર, અસૂયા, વેર-ઝેર બધા ઊડે, ત્યારે અરિહંતની ઓળખાણ થાય કે “અરિહંત કેવા છે? : અરિહંત એટલે ૧૮ દોષ રહિત ૧૨ ગુણવાળાવીતરાગ-સર્વ, પ્ર-ચોથા ગુણસ્થાનક પહેલાં અરિહંતની ઓળખ કેમ
થાય? આપણને કેઈ અરિહંતનું સ્વરૂપ સમજાવે કે “એ ૧૮ દોષ રહિત અને ૧૨ ગુણ સહિત હેય છે, એટલે ઓળખાણ તે થઈને ? એમાં કોધાદિ શત્રનો વિનાશ કરે એટલે કે અનંતાનુબંધીરૂપ ક્રોધાદિને વિનાશ કરે તે જ અરિહંતની ઓળખાણ થાય. એમ શાથી?
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૦
નવપદ પ્રકાશ ઉ–ઓળખ એનું નામ કે વસ્તુ જેવા સ્વરૂપે હોય, તેવા
સ્વરૂપે સમજી એને તેવા તરીકે સ્વીકારી લેવાય. આ હિસાબે અરિહંત સ્વયં રાગાદિ શત્રુને હણનારા છે, તથા વિષય-રાગાદિ ત્યાજ્ય જ કહે છે, વિષયને પણ વિષ જેવા કહી ત્યાજ્ય કહે છે, અને માટે જ આ મહાન છે, ભક્તોને માટે સર્વસ્વ છે, એવા એમના સ્વરૂપની ઓળખ થઈ તો જ ગણાય કે જે એમને એવા તરીકે સ્વીકારી લેવાય, પરંતુ જેને સમ્યકત્વ નથી, જેણે અનંતાનુબંધી રાગાદિને નાશ નથી કર્યો, માટે જ જે જડ વિષયોને જ સર્વસ્વ માને છે, એણે
અરિહંતને ઓળખ્યા શી રીતે કહેવાય? જડ વિષયના રાગને કારણે આત્માની હીનતા : પ્ર-અનંતાનુબંધીના કોધાદિ એટલે રાગદ્વેષને નાશ નથી
કર્યો ને તે ઊભા છે, તો એવા આત્માની કયી દશા છે? ઉ–એવા આત્માની એ દશા છે કે જડ વિષયેના જે રાગ
છે, એ રાગ નિભીક રાગ છે, અર્થાત આ રાગથી મારે હજી કેટલા ભવભ્રમણ થશે? એવા ભય વિનાને રાગ છે, અફસી વિનાનો રાગ છે. પ્ર–જડને રાગ થાય તેમાં ખોટું શું છે? વસ્તુ-એનું
ચાંદીહીરા માણેક વિષયે મજાના મળ્યા હોય ને તેમાં રાગ થાય તે તેમાં શું વાંધો ? ઉ –એમાં મતભ્રમ છે. એ વિષય સદ્દબુદ્ધિને નાશ
કરનાર અને નરકાદિ દુ:ખ દેનારા હોવાથી મજાના છે જ નહિ, ઝેરના લાડને મજાને કાણુ માને ? છતાં વિષયે મજાના છે એમ કહેવું છે તો એમ કહેવાને અર્થ એ છે કે તે જડ વિષયોને સર્વસ્વ માને છે.
Page #174
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૧૫૧
સર્વસ્વ એટલે . જગતમાં આ સારભુત વસ્તુ છેમહત્ત્વની વસ્તુ છે,' તે એમ જ્યારે જગતના જડ પદાર્થોને જે અત્યંત મહત્ત્વ આપે છે તેની પાસે અરિહંતનું ગમે તેટલું વર્ણન કરો, તાય તે અરિહંતને મહત્ત્વ નહિ આપે, એને અરિહંત પાસેથી કાંઈ પોતાના રાગના નાશ કરાવવા જ નથી, રાગ ખરાબ માને તા રાગના નાશ ગમે ને? અહીં તે! અરિહંત વીતરાગ છે, જડ વસ્તુના રાગના નાશ કરનાર છે, એટલું જ નહિ, પણ જગતને તે રાગના નારા કરાવનાર છે.
“ જિણાણુ... જાવગાડું' અર્થાત્ સ્વયં રાાતિને જિતનાર જિન, અને બીજાને જિન બનાવનાર,
આ રાગ ભૂંડા છે, તે ફૂલહાર નથી પણ સાપના
ભારા છે,
અરિહંહનું સ્વરૂપ એ છે કે તે જડ વસ્તુને ભૂંડા કહેનારા છે, તે જેને હુંયે ન બેસે, તેને અરિહંતનું સ્વરૂપ ન આળખાય,
જ્યાં સુધી પેાતાને જડનેા આંધળા રાગ છે, ત્યાં સુધી જડને જ મહાન માને છે એટલે અરિહંતને એવા મહાન માનતા જ નથી, તે એમાં અરિહંતની ઓળખ શી થઈ? અરિહંતની ઓળખ થવા માટે અરિહંત મહાન લાગવા જોઈ એ
Page #175
--------------------------------------------------------------------------
________________
મલાડ ( પૂર્વ )
મહા વઢે ૧૩
૨૯-૧-૨૦
વાચના
ઊં
અરિહંત
“ ભવિકા ! સિદ્ધચક્ર પદ વંદે, જિમ ચિરકાળ નદી રે. ક
હે ભળ્યે ! સિદ્ધચક્રના પને વંદન કરો, જેથી ઢી કાળ આનંદ મળે.
અરિહંત એ સિદ્ધચક્રનું એક પદ્મ છે. તેને વંદન કાથી ચિાળ આનંદ મળે છે.
અરિહંત વંદન તે ચિરકાળ આનંદ :
પ્ર-અરિહંત પદને વંદન કરવાથી ચિરકાળ આનંદ કેમ મળે ?
ઉ-અરિહંત પદ એટલે અરિહંત પદવી, અરિહંતપણુ, અરિહંતપણાને પામેલા અનંતા અરિહંતાના ગણ તેથી અરિહંત પદને વંદન કરીએ તે સકલ અરિહંતને
વન થાય.
વટ્ટુનની મહત્તા :
Page #176
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૧૫૩
પ્રએ વંદન કરવાથી ચિરકાળ આનંદ થાય તે શી રીતે? ઉo-વંદન શું છે?
(૧) પિતાના અપકર્ષને-પોતાની હીનતાને અને અરિહંતની ઉત્કૃષ્ટતાને બતાવનારી કિયા તે વંદન કહેવાય.
ગુરુને વંદન એટલે એક એવી નમન ક્રિયા કે જ્યાં પિતાની હીનતા ને ગુરુની ઉત્કૃષ્ટતા દેખાય, ગુરુ ચઢીયાતા લાગે, પોતે ઊતરતો જણાય; તેમ અહીં વંદનમાં અરિહંત ચઢિયાતા લાગે, સર્વ સંગત્યાગ અને વીતરાગથી ચઢિયાતા લાગે. એમની સામે પોતે મોટો સમ્રાટ હેય કે ધનકૂબેરે હોય, તોય અરિહંતની સામે પોતાને પોતાની જાત તુચ્છ લાગે.
અરિહંત વંદનાની ક્રિયા કરીએ તો અરિહંત ઉત્કૃષ્ટ મનાવાથી તે “શરણ્ય” શરણ કરવા ગ્ય લાગે, ' હે પ્રભુ ! તમે ઊંચા છે, હું નીચો છું. તમે ઊંચા એટલે મારે માટે શરણ્ય છે. અને શરણ કરવા યોગ્ય લાગે એને અર્થ એ કે જગતની વસ્તુઓ શરણરૂપ નહિ, તેથી એ એછી મળ્યાની અફસોસી નહિ અને મહાન કિંમતી અરિહંત મળ્યાથી પરમ નિરાંત થાય-શાંતિ થાયતૃપ્તિ થાય, કે “હે ? મને પરમનિધાનરૂપ પરમ શરણભૂત અરિહંત મળ્યા ? હવે મારે શું ખામી છે? કઈ જ ખામી નથી, અરિહંત-પ્રાપ્તિની આગળ ગરીબી, રોગ, અપમાન કઈ ચીજ નથી, જડની ખામી તે ખામી નથી, દુનિયાનાં દુખ તે દુખ નથી,
કેહીનુર હીરાની થેલી મળી, પછી પૈસા વગેરે ઓછા મળ્યાનું કેઈ દુ:ખ ન લાગે, બકે હીરા મળ્યાને પરમ આનંદ થાય, હીરે મળ્યા પછી કેણ એ છે કે “મને
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૪
નવપદ પ્રકારા
કેહીનુર હીરે તો મળે, પણ પેલા કાચના ટૂકડા જરા સરખા ન મળ્યા ને ? વાંકાચૂંકા મળ્યા એ ખામી છે.” આવું હીરાનું મૂલ્ય સમજનારે રેણું ન કરે.
એમ કહીનૂર જેવા અરિહંત મળ્યાના પરમ આનંદથી જડની બીજી ખામી પર દીનતા ન લાગે, પરંતુ દીર્ધકાળ સુધી આનંદ આનંદ માણ્યા કરે.
ઉદાહરણ: શ્રેણિકને જેલમાં કેરડા પડતા હતા. કેરડા મારનાર સિપાઈના હાથ ધ્રુજતા હતા, કેમકે તેમનું અન્ન પહેલાં ખાધું હતું. તેથી હાથ ચાલતો ન હતો. છતાં શ્રેણિક દુ:ખી ન હતા, કેમકે અરિહંત મળ્યાનો તેમને પરમ આનંદ હતો, એટલા જ માટે સિપાઈને શ્રેણિક કહેતા હતા: “તું શું કામ ગભરાય છે? તારે તારી ફરજ બજાવવાની છે. મને આનું દુ:ખ થાય છે તેમ ન માનીશ મને ભગવાન મહાવીર પ્રભુ મળ્યા છે મારે શું દુ:ખ છે? કશું જ દુ:ખ નહિ, ને દુ:ખ હોય તો એ વાતનું દુખ છે, કે ચારિત્ર વગર મારું જીવન ગયું ! મને મહાવીર ભગવાન મળ્યા છતાં ચારિત્ર ન લઈ શકે? > વંદનના બે પ્રકાર :
વંદન એટલે “નમન.” નમન બે પ્રકારે છે: (૧) દ્રવ્ય સંકોચ નમન અને (૨) ભાવ સંકોચ નમન
(૧) દ્રવ્ય સંકોચમાં હાથ, પગ, મસ્તકની ગમે તેવી સ્થિતિને સંકેચ કરી એને વ્યવસ્થિત અંજાલબદ્ધ મુદ્રામાં અથવા પંચાંગ પ્રણિપાત મુદ્રામાં લાવીને વ્યવસ્થિત કરવા તે
(૨) ભાવ સંકેચમાં મનના-હૃદયના ગમે તેવા ભાવને
Page #178
--------------------------------------------------------------------------
________________
અરિહંત સંકેચ કરી, અરિહંત પદ પ્રત્યેના અત્યંત રાગ–બહુમાન વગેરે શુભ અધ્યવસાયમાં મનને, હૃદયને વ્યવસ્થિત કરવું તે.
આ રીતે વંદનમાં દ્રવ્યસંકેચ કરી, નમનની મુદ્રા લાવીને હૃદયમાં અરિહંત પદ પ્રત્યે ખૂબ જ ભાવોલ્લાસ સાથે ઉછળતું રાગ-ભક્તિ-બહુમાન ઊભું કરવાથી એ અને આત્મિક આનંદ અનુભવાય છે કે એ દુન્યવી ગમે તેટલા ઊંચા વિષય સુખના ઉત્પાદભર્યા આનંદ કરતાં કેઈ ગુણો ચઢિયાતો લાગે છે, અને એના તીવ્ર શુભ સંસ્કાર વારેવારે અરિહંત પદનું અને અનુભવેલા એ આનંદનું
સ્મરણ કરાવી કરાવી દુનિયાનું બધું લૂખું દેખાડે છે. તેમજ વારંવારના આ નમન અને સંસ્મરણ આત્મિક આનંદની એવી પરંપરા સજે છે કે ચિરકાળ સુધી આત્માને એ આનંદને અનુભવ થાય છે.
એ અરિહંત પદ કેવું છે ? જેહના હેર કલ્યાણક દિવસે નરકે પણ અજવાળું કયાણકનો પ્રભાવ :
અરિહંતના કલ્યાણક પ્રસંગે નરકમાં જ્યાં ઘોર અંધકાર હોય છે, ત્યાં અજવાળું--ત્યાં પ્રકાશ થાય છે. એટલો બધો પ્રભાવ અરિહંત પદને છે. આત્માની આવી ઉન્નત સ્થિતિ છે કે તેને આ પ્રભાવ પડે છે, હજુ તીર્થકર થયા નથી, છતાંય તીર્થંકર નામકર્મ નિકાચિત કરી લીધું છે. તેને પ્રભાવ પડે છે.
સકળ અધિક ગુણ અતિશયધારી તે જિન-નમી અઘ ટાળું રે !
તે અરિહંત કેવા છે? સકળ અધિક ગુણ અતિશયધારી સૌના કરતાં અધિક ગુણવાળા છે.
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫૬
નવપદપ્રકાશ
ગતના જીના ગુણ : કેઈ ક્ષમા, કેઈ નમ્રતા, કઈ વૈરાગ્ય વગેરે સામાન્ય ગણાય તેના કરતાં અરિહંતમાં ઘણી ઉચ્ચ કોટિની ક્ષમા, ઉચ્ચ કોટિની નમ્રતા, અને ઉચ્ચ કેટિની વીતરાગતા તેમજ બીજે ન મળે એવા અતિશયવાળા છે.
અતિશય એટલે એવી વિશેષતા કે જેને જગતમાં જોટો ન હોય એવી ચઢિયાતી-ભાવતી વસ્તુ, એ બીજા સંસારી પાસે ન હેય.
દા. ત. (૧) ભગવાન પધારતાં પહેલાં–કાંઈ ન હોય ને પધારે કે એકાએક સમવસરણ રચાઈ જાય, એ અતિશય કહેવાય,
(૨) એમ એજનના વિસ્તારમાં કરોડ દેવ સમાઈ જાય, એ અતિશય,
અતિશય એટલે જગત કરતાં ચઢિયાતા બતાવનારી વિશેષતા. એવી બાહ્ય ૩૪ વિશેષતાઓ તો છે જ, પરંતુ આત્યંતર વિશેષતાઓ પણ અજબ ગજબ કોટિની હેય છે, અરિહંતના ગુણગાનથી અસર :
આવા અરિહંતના ગુણગાન ગાતાં ગાતાં આપણું હૈયામાં ભગવાન પ્રત્યે સભાવ-બહુમાન વધતાં જાય કે
અહો ! અહે! ભગવાનમાં આવા આવા ઉચ્ચ કેટિના ગુણો છે ! બીજાને ટપી જાય તેવા ભગવાનમાં ગુણો છે !
પ્રભુની આત્યંતર વિશેષતાના એક દાખલામાંતીર્થકર ભગવાન ચારિત્ર લઈ નીકળે, ત્યારે એમના ચારિત્રપાલનમાં બીજા સકલ જીવ કરતાં અધિક એક મહાન ગુણ
Page #180
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૧પ૭ એ છે કે એમને સ્થિર તત્વચિંતનની ધારે એવી આંતરા વિના સતત ચાલે છે કે બીજા કેઈ વિકલ્પને ત્યાં સ્થાન જ નથી.
તત્ત્વનું ચિંતન ચાલ્યું એટલે તત્ત્વનું જ ચિંતન, પછી વચમાં ભલે કે ઉપદ્રવ આવે તો પણ કેઈ બીજે વિચાર જ નહિ. તત્ત્વ વિચારધારા અખલિત ચાલુ ! આ શું ઓછા સકલ અધિકગુણ અતિશય છે? સંગમ :
દા. ત. સંગમે પ્રભુને જાલિમ ત્રાસ આપીને પણ ડગાવવાને ભેખ લીધો હતો. તેણે છ માસ સુધી ભગવાનને હેરાન પરેશાન કર્યા. આ સંગમ સામાનિક દેવ હ. ઈન્દ્રના જેવી સમૃદ્ધિવાળે હતે. સભામાં ઈન્દ્રના મુખે પ્રભુના નિશ્ચલ સત્વના ગુણગાન સાંભળી, તેને અભિમાન ચઢયું, કે “ઈન્દ્ર શી વાચાળતા કરે છે ? દેવતા આગળ મનુષ્ય એટલે મચ્છરે ! તેને તો આમચપટીમાં ચાળી નાખું ! ” આ અભિમાનથી તે ભગવાનની પૂંઠે પડ હતો.
ભગવાન કાઉસ્સગ્નમાં ઊભા હેય, તો સંગમદેવ એક બાજુથી આખલે દોડાવે; બીજીબાજુથી ગોવાળિયા ડાંગ લઈને જાણે મારવા દોડતા આવે, ચારેકોરથી ત્રાસની પરિસ્થિતિ છતાં ભગવાનના આ તત્ત્વવિચારગુણની સ્થિરતા એવી દેખાય કે જાણે આખેલો હમણાં શીંગડાં મારશે! ગોવાળિયાઓ ડાંગ મારશે ! છતાં તેને વિચાર પણ નહિ. તેમજ બીજા પણ કેઈ ભય, શંકા, ખેદ, હરખ આદિના વિચાર નહિ. એમ તવ વિચારમાં ડૂબી ગયા પછી ઉપર આવવાનું નહિ, પ્ર–આખી નદી પાર કરી જઈએ છીએ ને અંગૂઠોય ને
ભીંજાયે, આ બને ખરું ?
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૫૮
નવપદ પ્રકાશ ઉહા, બને. નદી પરના પૂલ પરથી ચાલ્યા, તેથી નદી
પાર થઈ ગઈને અંગૂઠો ભીંજાય નહિ! તેમ આપણે તનું ચિંતન કરીએ, વાચના સાંભળીએ, છતાં તથી ભીંજાતા નથી. આ તત્ત્વના પૂલ ઉપરથી ચાલીએ છીએ, આપણે અંદર તત્ત્વમાં ડૂબતા નથી, પણ પ્રભુ એવા એટલા બધા ડૂબેલા કે ઉપદ્રવના ત્રાસમાં પણ એને વિચાર નહીં. આ પ્રભુને નાને સૂને અતિશય છે?
બધા સંકલજીવો કરતાં ચઢિયાતા ગુણ સ્વરૂપ અતિશયવાળા ભગવાન છે અથવા ચઢિયાતા ગુણવાળા અને અતિશયવાળા છે,
આવા સર્વકરતાં ઉત્કૃષ્ટ ગુણ ને અતિશયવાળા ભગવાનને પામીને આપણે શું ? આપણને શું લાભ ?
તે કે એમને નમસ્કાર કરવાથી આપણું પાપ ટળે છે. એ મહત્ત્વ છે, માટે કહ્યું: છે તે જિન નમી અઘ ટાળું રે...ભવિકા” પ્રભુને નમવાથી પાપ કયારે ટળે?
પ્રભુપર અત્યંત ભક્તિરસ ભર્યું, તેમજ સર્વોત્કૃષ્ટ બહુમાન આપણું દિલમાં ઉછળતું હોય ને એ માટે જ “સકલ અધિક ગુણ અતિશયધારી તરીકે પ્રભુને ઓળખાવ્યા છે, એ મન પર લઈએ તે અવશ્ય આપણું દિલમાં એવું બહુમાન ઉછળવા લાગે કારણ કે ભગવાન તે ભગવાન છે.
આ રીતે ભગવાનની ઓળખ કરીએ, સ્તવના કરીએ, એટલે ભગવાન પર સદ્દભાવ વધી જાય બહુમાન વધી જાય.
Page #182
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૧૫૯ પ્રભુ ! આ વડાઈ આપની? હેહે! ” આવા અહંભાવથી ભગવાન પ્રત્યે બહુમાન વધી જાય. એટલા માટે અરિહંતના ગુણ ગાવાના છે કે તેથી અરિહંત પર બહુમાન વધે.
દેવવંદનમાં એકવાર નમુત્થણે કહ્યા પછી એમાં જ ફરીથી “નમુત્થણું ” કેમ બોલવાનું?
તે પહેલું “નમુત્થણું માં જે બહુમાન હતું, ફરીથી આમાને તે બહુમાનને પાર ચઢાવવો છે. ફરી પા છે એ જ “દેવવંદનમાં બહુમાનનો પારે વધારવા માટે ફરીથી નમુત્થણું એમ પાંચ વાર નમુત્થણું બોલવાનું હોય છે. તે પાર ક્યારે વધે ? અરિહંતના ગુણ વારંવાર દિલથી ગાઈ એ ત્યારે અઘહર અરિહંત :
આવા અરિહંત સકળ અધિક ગુણ અતિશય ધારી છે. એવા પ્રભુ મને મળ્યા છે, તેમને નમીને હું મારા અઘ ટાળું. (“અઘ” એટલે પાપ ટળું.)
સુપાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં બતાવ્યું છે કે પ્રભુ અઘહર છે, અઘમોચન છે ?
(૧) અઘહર એટલે અઘએટલે પાપ, એ બે જાતના કર્મ: ૧, પપસ્થાનક, ૨, અશુભકમ
હિંસાદિ-રાગાદિ પાપસ્થાનકને હરનારા, દૂર કરનારા
(૨) અઘમેચન એટલે પૂર્વના બાંધેલા અશુભ કર્મરૂપી પાપને દૂર કરનારા, પાપથી મુકત કરનાર,
આવા અઘહર અને અવમોચન અરિહંતને નમીને મારે પાપ ટાળું
એમ આ પરથી ફલિત થાય છે.
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૦
નવપદ પ્રકાશ પ્ર–અરિહંત નમસ્કારનું ફળ શું ? ઉ૦-પાપને ત્યાગ, પાપનાશ. બેલાય જ છે: અરિહંત નમુક્કારે, સવ્વપાવપણાસણ,
જે અરિહંતને ખરેખર નમીએ છીએ, તો આપણે પાપને ટાળવા જોઈએ, પાપ ટાળવાનું મન થાય જ. પાપ ટાળીએ તો ટળે.
દા. ત. “હું ભગવાનને નમનારે છું, હવે મારાથી આ પાપ ન થાય,
શંકા : ભગવાનને નમ્યા, એટલા માત્રથી પાપ ટળે?
સમાધાન: હા, અહીં સમજવાનું છે કે જેમ કહ્યું તેમ, પાપના પ્રકાર :
પાપ બે પ્રકારે :
(૧) રાગદ્વેષાદિ કષાય ને હિંસાદિ દુષ્કૃતો એ પણ પાપ કહેવાય છે,
(૨) આત્માને ચિટકેલાં અશુભ કર્મો એ પણ પાપ છે.
આ બન્ને પ્રકારનાં પાપ ભગવાનને નમવાથી ટળે. એનું કારણ એ છે કે મનને એમ થાય કે–“ભગવાન એ કાંઈ સામાન્ય વ્યક્તિ નથી. તે ઉત્તમોત્તમ પુરુષ છે, એવા પુરુષનો સંપર્ક મળ્યા પછી મારે પાપ એમજ ઊભા રાખવા છે? ને છોડવા નથી? તો તે મારી પિઠાઈ છે - નિષ્ફરતા છે, નઠોરતા છે. ભગવાનની મને ઓળખ જ નથી ? આમ વિચારતાં જાગૃતિ આવે અને જીવનમાંથી પાપ ઓછાં કરાય,
Page #184
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૧૬૧
દુનિયામાં સંત પુરુષ મળે છે, એનેય એમ થાય છે કે “અહા ! આવા સંત મળ્યા ? લાવ, જીવનમાંથી કાંઈક પાપ ટાળું, સંતની પાસેથી એવા કોઈ નિયમ લઉં, જીવનમાંથી મેઢાં પાપ તા જરૂર મૂકી દઉં” ”
તે પછી પ્રભુ તેા પદ્મસંત, એે મળ્યા એમને ભાવથી વદન કરીએ ને પાપ છેડવાની પ્રે! ન થાય ? અરિહંત વંદન શી નાની ચિનગારી.
પ્ર-અરિહ`ત ભગવાનને નમસ્કાર જેવી નાની ક્રિયા કરવાથી રાગાદિ કષાયા અને દુષ્કૃત્યા ટળે અવે! રા હિંસામ છે ? કેમકે આ પાયેા અનંતકાળથી આત્મામાં જડ ઘાલી બેઠેલા ભારેખમ છે.
ઉનાની પણ આગની ચિનગારી મોટી ઘાસની ગંજીને સાફ કરી નાખે છે, એમ અહીં અરિહંતને નમસ્કારના ભાવ આગની ચિનગારી જેવા છે; કેમકે અરિહંત પાતે રાગાદિ કષાયા અને હિં’સાદિ દુષ્કૃત્યેાના પાપાને પ્રચ’ડ પુરુષાથી સર્વથા ફગાવી દેનારા અન્યા છે, એ જો આપણા મન પર એ રૂપે આવે, તેા મનને માટે એક પ્રચંડ શક્તિ રૂપ અને છે; તેથી જેમ વનમાં કેસરી સિંહ પ્રવેશ કરે, ગર્જના કરે, અને વનમાંથી મેટા મદાન્મત્ત હાથી સુધીનાં પ્રાણી ભાગી જવાની દોડાદોડ કરે છે, એવી રીતે મનમાં એવા પ્રચંડ શક્તિરૂપ અરિહંતના પ્રવેશ થતાં રાગાદિ પાપા ભાગવા માંડે, એમાં કાંઈ આશ્ચય નથી.
વાત આ છે : અરિહંતને એવી પ્રચંડ શક્તિરૂપે મનમાં દાખલ કરો.
11
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૨
નવપદ પ્રકાશ ચંદનના વનમાં ઝાડની શાખાઓને વીંટળાઈ આરામથી રહેલા સાપના ઝુંડ ત્યાં વનમાં પેઠેલા એક મોરના એક ટહૂકાર પર ઢીલા ઘેંસ બની નીચે પડીને ભાગી જાય છે. એવી રીતે આ “આ અરિહંત પિતાના ગાદિ દોષ અને અહિંસાદિ પાપોને પ્રચંડ પુરુષાર્થથી નષ્ટભ્રષ્ટ કરી દેનાર છે, તે કરી દઈ, તેનાથી સંપૂર્ણ મુક્ત બનેલા છે.” એવું સચેટ આપણા મનમાં લાવીએ, તો એ દોષ અને પાપો ઢીલા ઘેંસ બની જાય અને આપણે એને ધક્કે ચઢાવી દઈએ, એમાં કશું અશક્ય નથી.
રાગાદિ પાપ ભલે જુગજનાં છતા આપણી ઈચ્છાથી આપણા મનમાં ઊભા કરેલાં છે. હવે જો અરિહંત મળ્યાથી આપણી એ ઈચ્છા જ મરી ગઈ કેમકે એ રાગાદિમાં આપણે ભયંકરતા દેખી તે પછી એ રાગાદિનું જોર લગભગ નષ્ટ થઈ ગયું. મન અને ઈચ્છાના જોર પર જ ઊભા થઈ શકનાર રાગાદિ ગમે તેટલા જૂના છતાં ઈચ્છા અને મન મરી જતાં એ એક ક્ષણમાં મરે એ સહજ છે,
અરિહંતને ભાવથી નમસ્કાર કરવામાં, મનમાં આવેલ અરિહંત, રાગાદિ ભાવોનું મન અને ઈચ્છા તોડી નાખે છે એટલે ઈચ્છા પર જ ઊભા થતા રાગાદિને તૂટતાં વાર લાગતી નથી, અરિહંતવંદન ને નિકાચિત કર્મ : પ્ર–ઠીક, પણ આવા જિનેશ્વર ભગવાનને નમવા માત્રથી પૂર્વનાં બંધાયેલ અશુભ કર્મરૂપી પાપ શી રીતે ટળે?
“પાપ” શબ્દને આ બીજો અર્થ અશુભ કર્યો, તે નિકાચિત અને અનિકાચિત-એમ બે પ્રકારના હોય છે. એમાં નિકાચિત તો ભેગાવ્યા વિના અરિહંત નમનથી તૂટે જ શાના ?
Page #186
--------------------------------------------------------------------------
________________
અરિહંત
ઉ-વાત સાચી છે, નિકાચિત કર્મ ભેગવ્યા વિના, અરિહંતનમસ્કાર, અરિહંતધ્યાન માત્રથી ન તૂટે; પરંતુ એ નિકાચિત કર્મમાં રહેલ પાપ(અશુભ) અનુબંધે તૂટી જાય છે. એનું કારણ અશુભ અનુબંધ એ કર્મોમાં રહેલ જાણે બીજશક્તિ છે, એટલે કે મોહની પરિણતિરૂપ છે, જે પાપબુદ્ધિ જગાડી જીવને પાપિઠ જ બનાવે છે, આ અશુભ અનુબંધ સ્વરૂપ મોહપરિણતિ નિર્મોહી અરિહંત તરફના ઝકાવની આત્મપરિણતિથી નષ્ટ થાય એ સહજ છે.
આમ અરિહંતનમસ્કારથી નિકાચિત કર્મમાં રહેલ પાપાનુબંધ તૂટ્યા એટલે પછીથી નિરનુબંધ નિકાચિત કર્મ ઊભા રહી ગયા ખરા, પરંતુ હવે સાનુબંધને બદલે નિરાનુબંધ બનેલા એ નિકાચિત કર્મ ઉદય પામશે, ત્યારે માત્ર શારીરિક કષ્ટ દેખાશે, કિંતુ આમાનું કશું જ બગાડી શકશે નહિ, આત્માના શુભ ભાવને બગાડી નહિ શકે. એટલે પછી અરિહંતનમસ્કારથી નિકાચિત કર્મ તૂટવા જેવા જ છે એમ કહી શકાય,
દા. ત. ૫oo મુનિઓને પાલક પાપીની ઘાણીમાં પલાઈ ભયંકર વેદના ભોગવવાના નિકાચિત કમ હતાં, કિંતુ એ નિરનુબંધ હતાં,
પૂર્વ જન્મમાં અને અહીં અરિહંતનમસ્કાર, દુકૃતગહ આદિથી એ કમેના અનુબંધો તોડી નાખેલા. એટલે હવે અહીં એ કર્મોએ શરીરને જાલિમ વેદના આપવા સિવાય આત્માનું શું બગાડયું? ઉર્દ એ કર્મો હટી જતાં એની સાથે એના સાગ્રીત જેવાં ઘાતી કર્મો સમસ્ત ઊડ્યાં અને ક્ષણમાં કેવળજ્ઞાન પામ્યા. કદાચ એ મુનિઓ મુનિ
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૪
નવપદ પ્રકાશ
સુવ્રત ભગવાન પાસે જ રહ્યા હોત તો કદાચ આટલું જલદી કેવળજ્ઞાન અને મોક્ષ ન મળતે એમ પરિસ્થિતિ જોઈને આપણને લાગે. ત્યારે નિરનુબંધ નિકાચિત કર્મોના “અવશ્યભાવી ઉદયને શ્રાપ આપવા? કે આશીર્વાદ આપવો ?
સારાંશ, અરિહંત-નમસ્કાર ભલે નિકાચિત કર્મોને ન તોડી શકે, કંતુ એના પાપાનુબંધોને તોડે છે, એ એક ચમત્કારી જેવું કાર્ય છે, અને એથી ઈષ્ટ સિદ્ધ થાય છે. પ્રવઠીક છે, પરંતુ આરહંત-નમસ્કાર માત્રથી અનિકાચિત
પાપકમોનાં ઝુંડ સાફ થાય એ કેમ બને? કારણ કે એ કર્મો દીર્ઘકાળના મિથ્યાત્વ, અવિરતિ, કષાયો તથા અહિંસાદ પાપયોગોથી ઊભા થયેલા હોય છે, અને નાશ કરવા માટે તો એવા પ્રચંડ સમ્યકત્વ આદિની દીર્ઘકાળની આરાધના જોઈએ. પ્રભુને નમસ્કાર માત્રથી
એ કેમ તૂટે? ઉ–(૧) આરહંત ભગવાનને નમસ્કારનો ભાવ જ ચગાવતાં
આવડે તો એમાં પ્રભુ પ્રત્યે અનન્ય શ્રદ્ધાને
ભાવ હોવાથી જવલંત સમ્યફવને ભાવ છે, (૨) વીતરાગ અરિહંત તરફના હયાના અનહદ ઝુકાવી વિષયો પ્રત્યેની આસક્તિ તૂટી જતાં વાર ન લાગે. મહાન વિરતિને ભાવ આવી શકે છે.
(૩) ઉપશમ રસથી ખચ ભરેલા અરિહંત તરફ ધ્યાન જતાં મન એવા ઉપશમ ભરેલા અરિહંતમાં ઠરી જવાથી સ્વયં ઉપશમને અનુભવ કરે એ પણ સહજ છે.
Page #188
--------------------------------------------------------------------------
________________
અરિહંત
(૪) અરિહંતને નમસ્કાર એ એવો મહાન પવિત્ર ધર્મગ છે, કે જેમાં હિંસા, અસત્ય, વગેરે કોઈ જ પાપગ નથી, અને એ એકાંતે શુભ ગ છે. - આ ચાર એ અરિહંતનમસ્કારમાં જીવંત જાગ્રત રહેવાથી અશુભ કર્મોના હેર ઉખેડી નાખે એ સહજ છે.
આ અરિહંત સંતોના સંત, પરમસંત છે, તો તેમના સંપર્કથી આપણાં કેટલાંય પાપ કેમ ન ટળે? ટાળવાનું મન કેમ ન થાય? જે પાપ ટાળવાનું મન થતું નથી તે એને અર્થ એ કે આપણે એ પરમસંતને ઓળખ્યા નથી, જો તે ખરેખર એળખાઈ જાય તે એમને નમીએ, તેથી પાપ ધ્રુજી ઉઠે. ઢાળની ત્રીજી ગાથા :
જે તિર્થગા નાણ સમગ્ગ ઉપના, ભેગ કરમથી ક્ષીણ જાણી.
જે ત્રણે જ્ઞાન કરીને સહિત ઉત્પન્ન થાય છે એટલે માતાના ગર્ભમાં ઉદરમાં ભગવાન આવે છે, ત્યારે શરીર કેવું હેય? ઝીણામાં ઝીણું ટીપું તે શરીર! છતાં એમાં રહેલ ભગવાન મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન એ ત્રણેય જ્ઞાને કરીને સહિત હેય છે; એટલે જ જગતમાં એ કેઈ ઈશ્વર નથી કે જે આમની તુલનામાં ઊભા રહી શકે. બીજામાં આ વિશિષ્ટતા નથી. નાનપ્રધાન પ્રભુ :
ચ્યવન વખતથી અર્થાત માતાના ઉદરમાં આવે ત્યારથી તે આત્માને અવધિજ્ઞાન હોય છે એટલે જન્મીને મેટા થયે અવધિજ્ઞાન તો ખરું જ. એમાં અતીન્દ્રિય દર્શન કરી શકે.
Page #189
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ
દા. ત. પાર્થકુમારે કમઠના લાકડામાં બળતો સર્ષ અવધિજ્ઞાનથી જે તે જ એને બહાર કઢાવી નવકાર અપાવી, એને સ્વર્ગ ભેગે કરાવ્યું.
ઈતિરોએ માનેલા પરમાત્મામાં આવું દિવ્યજ્ઞાન-અવધિજ્ઞાન નહિ, તેથી જુએ: એમણે માનેલા ભગવાન શ્રીકૃષ્ણને ખબર નથી કે સુભદ્રા કયાં છે ? તે તપાસ કરવા નીકળ્યા ! જગતમાં ઈશ્વર તરીકે પંકાયા છતાં અવધિજ્ઞાનનાં ફાંફાં છે!
ભેગ કરમ ક્ષીણ જાણી લેઈ દીક્ષા શિક્ષા દીયે જનને
તે નમિ જિન જાણીરે.” અવધિજ્ઞાન ને ભેગાવલિ કમ:
ત્રણ જ્ઞાન કરીને સહિત અરિહંત પ્રભુ છે, તે અવધિજ્ઞાનનો શે ઉપયોગ કરે છે? ભગવાન અવધિજ્ઞાનથી જાણે છે કે “મારૂં ભેગાવલી કર્મ હવે ખપી ગયું છે, હવે ચક્રવતીના સિંહાસન પર બેસી રહેવાની જરૂર નથી.”
લેઈ દીક્ષા શિક્ષા દીયે જનને પછી તે દીક્ષા અંગીકાર કરે છે.
અરિહંતની શી બલિહારી? પરણે છે ખરે, રાજ્યગાદી પર બેસે છે ખરા, પણ જીવન જ્ઞાનપ્રધાન છે, માટે જ અનાસકત જીવન હોય છે. પ્ર-નિર્મળ અવધિજ્ઞાનવાળું જીવન શી પરિસ્થિતિ જુએ છે? ઉ આ મારૂં જે રાજ્ય ભેગવવાનું કર્મ, સંસાર ભાગ
વવાનાં કર્મ છે, આ બધાં કર્મો નીચ દુમને છે. નીચ દુશ્મનને કાઢવા હોય તો ભેગરૂપી નીચ ઉપાય
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૬૭
અરિહંત
કરવા પડે. રાજગાદી પર બેસીને રાજા કહેવડાવવું તે કર્મ કાઢવાને નીચ ઉપાય છે.
કમ જવાના બે રસ્તા: વેગ ને ભેગ. ગિસાધનાથી અનિકાચિત કર્મ જાય તે યોગ ઉત્તમ ઉપાય,
ભેગ અનુભવીને જ નિકાચિત ભેગાવલિ કર્મ જાય એવા હોય તે માટે ભેગવવા પડતા ભેગ એ હલકે ઉપાય.
પ્રભુ જુએ છે કે મારે ભેગાવલિ કર્મ નિકાચિત છે કે અનિકાચિત? અનિકાચિત કર્મો યોગથી ક્ષય પામી જશે, પરંતુ નિકાચિત કર્મ ભેગથી જ નાશ પામશે. આમ જોઈને જ પ્રભુ જે લગ્નજીવન ને રાજવી જીવન જીવે છે, તો ત્યાં કર્મનું દબાણ જ સમજે છે, પરંતુ પોતાની કઈ આસક્તિ નથી,
આ એના જેવું છે કે માણસ જમીને ઊયા પછી ઘરવાળા પાડેશમાંથી આવેલ વસ્તુ ખાવાનો આગ્રહ કરે, તે એ દબાણથી ખાવી પડે છે, પરંતુ પિતાને એને કશે રસ નથી તેથી નિવિણપણે ખાય છે. એમ પ્રભુને ભેગજીવનમાં નિર્વિણુ-વિરકત-અનાસકત દશા હેય છે. આનું કારણ સ્પષ્ટ છે -
ભગવાન જ્ઞાનથી પરખનારા હોય છે, તેથી તેમનું જીવન જ્ઞાનપ્રધાન હોય છે. અર્થાત બેગ ભેગવવા છતાં નિલેષપણે માત્ર જ્ઞાતાદષ્ટ બનીને ભોગ પસાર કરે છે.
આના પરથી કઈ અનુકરણ કરે કે “ભગવાન તે પરહ્યા હતા. ભગવાને રાજ્ય કર્યું હતું, માટે આપણે પણ તેમ કરી કર્મ ખપાવો. તે તે મૂર્ખતા છે; કેમકે ભગવાનના દૃષ્ટાંતથી “આપણે તેમ કરે એવી ખુશખુશાલ
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૬૮
નવપદ પ્રકાશ દષ્ટિ એ જ સલેપ દષ્ટિ છે, આસકત દૃષ્ટિ છે, જ્યારે પ્રભુ નિલે પ–અનાસકત દષ્ટિવાળા અર્થાત જ્ઞાનપ્રધાન હતા જેમને રાજ્યગાદીનું કમ નથી તો રાજગાદી લેવાની જરૂર નથી, એમ માનીને વિના રાજા બન્ય, સંસાર ત્યાગ કરી ચારિત્ર લઈ લે છે. ત્યાં અખતરા કરવા નથી રહેતા કે “ભલે ભેગાવલિ નથી, છતાં લગ્ન કરું, રાજા થાઉં પણ અનાસકત રહીશ.”
જેમને અનિકાચિત ભોગાવલિ અર્થાત ચારિત્ર મોહનીય કર્મ સત્તાગત હતા, પરંતુ નિકાચિત ભેગાવલિ ન હતા, એમણે ન લગ્ન કર્યા, ન રાજ્યગાદી સ્વીકારી; એ તે એવા અનિકાચિત કર્મોને વેગથી-અહિંસા-સંયમ–તપના ગથી જ એમણે ખતમ કરવાનું રાખ્યું
આ હેય છે તીર્થકર ભગવાનની જ્ઞાન-પ્રધાનતા.
જ્ઞાન-પ્રધાન જીવન એટલે જીવનમાં શુદ્ધ જ્ઞાનના બળ પર અવસરચિત કર્તવ્ય બજાવી લે, દૃષ્ટિ આત્માની, આત્મા પર; પરંતુ દિલમાં મેહની કઈ ગાંઠ નહીં રખાય દા. ત. પાર્શ્વનાથ અને પ્રભાવનીના પ્રસંગમાં પ્રભાવતીના પિતા પર મ્લેચ્છ રાજાની તવાઈઉતરી. તેમણે અશ્વસેન રાજાને સહાયમાં બોલાવ્યા અને પિતાને બદલે પુત્ર પાર્થકમાર ગયા. તેમને યુદ્ધમાં મોકલવા રાજા તૈયાર ન હતા, કહે છે - પાકમારનું ભેગાવલિ કર્મ:
અરે રાજકુમાર ! તમને મોકલાય? તમે આનંદ મંગલ કે, તેમાં અમને આનંદ. તમે શ્રમ લે, તેમાં દુ:ખ પણ આગ્રહ કરીને પુત્રકર્તવ્ય બજાવવા પાશ્વકુમાર ગયા. મ્લેચ્છ રાજાને આ રીતે છતી આવ્યા, લડાઈ કરવી નહતી પડી,
Page #192
--------------------------------------------------------------------------
________________
અહિં ત
૧૬૯
લશ્કર લઈને ગયા. મ્લેચ્છ રાજાને હિંદુ દિવાન હતા, તેને પાર્શ્વકુમારની શક્તિની ખબર હતી. તેણે મ્લેચ્છ રાજાને ખથ્થર આપી : “ મહારાજા, સધિ કરશે. આ પરમાત્માને અવતાર છે. એમનાથી સખ્ત હાર ખાવી પડશે, માટે કહેવડાવા : તમારી સાથે મિત્રતા કરવી છે. લડાઈ નથી કરવી.”
તે મ્લેચ્છ રાજા અભિમાનથી મેલ્યા : “ જોયા ! ઈશ્વરના અવતાર ! આમ ચપટીમાં ચાળી નાખું' તે ઊભા ઊભા વાત કરતા હતા, એટલામાં જ ઘરૃ કરતા ઇન્દ્રના માટ રથ આકાશમાંથી ઉતરી રહ્યો છે.
મ્લેચ્છ રાજા : અરે ! આ શું!
દિવાન : ઉપરથી રથ ઉતરે છે.
રાજાને થયુ' : સીધા માથા પર જ આવડો મેટા થ ઉતરે તેા? મારો તા રેઢલા કરી નાખે ! જંગી મેાટા રથ ! મજાલ છે હવે મ્લેચ્છ ભાયડાની અભિમાન રાખવની ? દિવાન કહે : જાવ, આ કુહાડા ખભે લઈને તેમની પાસે અને તે મૂકો તેમની સામે, અને વિનંતી કરશે : “ જીવાડા કે મારા, તમારે શરણે છીએ.”
મ્લેચ્છ રાજાને એવા તે રેચ લાગી ગયા કે તે ગયે પાકુમાર પાસે ખભે કુહાડા લઈને, ને કુહાડા નીચે મૂકે છે.
પાર્શ્વ કુમાર મ્લેચ્છ રાજાને પગે પડવા ન દેતાં કહે છે : ' પગે પડવાની કોઇ જરૂર નથી,’
પાર્શ્વ કુમાર અવસરોચિત કવ્ય મજાવવા પૂરતા જ આવેલા પેાતાની અનંત શક્તિ છતાં મ્લેચ્છ સાથે
Page #193
--------------------------------------------------------------------------
________________
૧eo
નવપદ પ્રકાશ લડાઈમાં તેમને રસ ન હતો તેથી જ સ્વેચ્છના અભિમાન ઉપર એમણે શિકસ્ત આપવાની ગાંઠ વાળી ન હતી. એટલા બધા પ્રભુ નિલેપ, અનાસક્ત ને જ્ઞાનપ્રધાન જીવનવાળા હતા. માનવતા :
પ્લેચ્છ રાજાને શિખામણ જરૂર આપી, “આપણું જીવન જનાવર કરતા ઊંચું છે. આપણે ઊંચે માનવ જન્મ છે, તો આપણાથી જે નીચે હોય તેને સહાયતા કરવાની –એના પર અનુગ્રહ-કૃપા કરવાની એ આપણે ધર્મ છે; આપણું ઊંચું કૃત્ય છે, કિંતુ નીચાને કચડવાને ધર્મ નહિ; નીચાને –દુબળાને કચડવો એ હલકું કૃત્ય છે, પિશાચી કૃત્ય છે, પાશવી કૃત્ય છે. ઊંચું કૃત્ય તો નીચાને-નબળાને સહાય કરવાનું છે, તેનું નામ છે માનવતા ! ”
આટલું અનાસક્ત જીવન હતુ પાર્શ્વકુમારનું. ૩૦ વર્ષના થયા એટલે તેમણે દીક્ષા લેવાની વાત કરી,
પિતા ના કહે છે, પરંતુ ત્રણ જ્ઞાનથી પ્રભુ જુએ છે કે “હવે ભેગાવલી કર્મ ક્ષીણ થઈ ગયું છે, હવે ભગ કર્મ રહ્યા નથી, તેથી પાપ અને ઉન્માદભર્યા સંસારમાં બેસી રહેવાય જ નહિ. એટલે માતાપિતા ને પત્નીને દીક્ષા માટે સમજાવી લે છે.
પ્રભુનું જ્ઞાન પ્રધાન જીવન હતું, તેથી જ્ઞાનથી જેનારા હતા.
જ્ઞાનનો ઉપયોગ વિષયોથી ઉભગવા માટે હોય. સંસારના રંગરાગ, વિષયેની ઉજાણી ને પ્રમાદના આચરણના ભારમાંથી બહાર નીકળવા માટે હોય; કષાયોને નામશેષ કરી નાખવા માટે હેય.
Page #194
--------------------------------------------------------------------------
________________
અરિહંત
આવું સમ્યકૢ જ્ઞાન છે કે : સ'સાર ખાટા, મેક્ષ મેટા. સયમ સારા, સંસાર ખારા. આરંભ સમારભ ખાટા, વિરતિ સારી,
આ જ્ઞાન છે; પછી ભલેને શાસ્ત્રો ન ભણેલ હોય, છતાં મુમુક્ષુને જ્ઞાન થયું છે કે ‘સંસાર ખોટા છે, કેમકે તે ભાગના ઉન્માદ અને પાપકર્મથી ભરપૂર છે, તેથી જ સચમ-જીવન સારભૂત છે;' તે! એ જ્ઞાની છે. જ્ઞાનીને સદા આ વિવેક જાગ્રત હાય કે આવી સારી સ્થિતિ-સાણ ભવમાં પાપકર્મો કરવાના હેાય? કે છેડવાના હોય ? ભાગના ઉન્માદ રાખવાના દાય? કે એ છેડી ત્યાગની સ્વસ્થતા રાખવાની હાય ?
૧૭૨
તીથકર ભગવાનને નિકાચિત ક` ભાગવવાનાં જ હાય । તેમને સંસારમાં એટલા પૂરતું ઊભા રહેવુ પડે; જેમકે પાર્શ્વ કુમારને, પ્રભાવતીને પરણ્યા પછી પાતાની ૩૦ વર્ષની ઉમર સુધી સસારમાં ઊભા રહેવુ પડયુ., ૩૦ વર્ષની વયે ભાગાવલી કમ ક્ષીણ થયાં જાણીને ભગવાન દીક્ષા લે છે.
Page #195
--------------------------------------------------------------------------
________________
મલાડ પૂર્વ
વાચના મહા વદ ૧૩, ૨૦૩૬ ૩૦-૧-૮૦
અરિહંત (ગાથા ત્રીજી ચાલુ)
લેઈ દીક્ષા શિક્ષા દીયે જનને. તે નમીએ જિન નાણી રે.
ભ૦ સિ...૩ અરિહંત સંસારને ત્યાગ કરે છે, દીક્ષા લે છે, સંસાર ત્યાગ કરીને સંયમ સાધના કરતાં કરતાં કેવળજ્ઞાન પામે છે, અનંત રાની બનીને શિક્ષા દયે જનને લોકોને આત્માનું, આત્માના કલ્યાણનું શિક્ષણ આપે છે. આત્માનું કલ્યાણ છે મોક્ષમાર્ગની આરાધનામાં, ભગવાન અથી જીવોને મોક્ષમાર્ગને ઉપદેશ આપે છે. ભગવાને પહેલા ભવથી મોક્ષમાર્ગની શરૂઆત કરી–તે આરાધનામાં જ્યારે પરાકાષ્ઠાએ પહોંચ્યા, ત્યારે વીતરાગ બન્યા-કેવળજ્ઞાની બન્યા ને પછીથી મોક્ષમાર્ગ બતાવવાનું એને ઉપદેશ આપવાનું કામ કર્યું. એ છે કે પ્રભુની શિક્ષા–તે છે જીવનનું એકમાત્ર કર્તવ્ય, તેની શિક્ષા એટલે શિક્ષણઉપદેશ આપનાર અનંત જ્ઞાની એ જિનેશ્વર ભગવાનને આપણે નમીએ.
Page #196
--------------------------------------------------------------------------
________________
અરિહત
તે નમીએ જિન નાણીરે.
ગાથા ચાથી :
ભગવાન તીર્થંકર અન્યા એટલે કેવા અન્યા
ગુણભડાર ભગવાન :
“મહાગા મહામાતુણુ કહીએ, નિર્યામકે સત્ત્વવાહ” મહાગેાપ એટલે મહાન ગોવાળયા.
૧૭૩
ગાવાળિયા ગાયા ભેંસાને જંગલમાં ચરાવવા લઈ જાય, ત્યાં તેમનું રક્ષણ કરે છે. પાષણ કરે છે, ને ઘર તરફ પાછી લઇ આવે છે, તેમ ભગવાન જગતના જીવાતુ રક્ષણ, તેમના આત્મગુણાનુ રક્ષણ-પાષણ કરનારા છે અને આત્મઘરમાં પાછા લઈ આવનારા છે.
પેલા સામાન્ય ગાય છે, ભગવાન મહાન ગેપ છે. પ્ર–ભગવાન જીવાનુ રક્ષણ શી રીતે કરે ? ઉભગવાન જીલાને પાપોથી તે દુર્ગાતથી બચાવે એ વાનું રક્ષણ છે, પ્રભુ પાપની ઓળખ કરાવે છે, પાપના ત્યાગ કરાવ છે. તેથી જવાને દુર્ગાતિમાં પડતા અટકાવે છે, સંસારના જંગલમાં જીવા ખાવાઈ ન જાય તેથી અહિનિવાર્ણ કરવા દ્વારા તેમનું રક્ષણ કરે છે, દુર્ગતિથી બચાવી સદ્ગતિમાં ધરી રાખે છે, પ્રભગવાન વાતુ પાંપણ શી રીતે કરે છે? ઉગાવાળિયા ઢારાને ચારો ચરાવે છે, તેમ ભગવાન
વાને પંચાચારપાલનના ચારો ચરાવે છે, તેના પાલનથી, ચારાથી ઢારાની ષ્ટિ-પુષ્ટિની જેમ જીવાની તુષ્ટિ ને પુષ્ટિ કરે છે. તેથી વાના ઢંકાઇ ગયેલા શુભ પર્યાયો પ્રગટ થાય છે; એટલી જીવાની સમૃદ્ધિ વધે છે,
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૪
નવપદ પ્રકાશ
આપણામાં જ્ઞાન-દન-ચારિત્ર-તપ-વી જેટલા પ્રમાણમાં વધતાં જાય, હેટલા પ્રમાણમાં તુષ્ટિ-પુષ્ટિ થઈ કહેવાય. એ પંચાચારના પાલનથી થાય. અનંતજ્ઞાન માટે જ્ઞાનની સમૃદ્ધિ છે, ને તે માટે જ્ઞાનાચારનું પાલન છે,
અનાહારી પદ માટે તપની સમૃદ્ધિ છે, ને તે માટે તપાચારોનું પાલન છે.
અનંત ચારિત્ર માટે ચારિત્રની સમૃદ્ધિ છે, ને તે સારુ ચારિત્રાચારાનુ પાલન છે.
અનંત વી સુધી પહોંચવુ છે, તે વીયની સમૃદ્ધિ જોઈએ, તે વીર્યાચારના જવલત પાલનથી આવે.
વીર્યાચાર હૈ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર ને તપાચારમાં તુષ્ટિ-પુષ્ટિ કરનાર, અલ-વીય-જોમ-ઉત્સાહ દાખવવા-વધારવા એ છે,
વીર્યંચારનું વિશિષ્ટ પરાક્રમ : વીર્યાચાર એટલે આ
જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપના આચારોમાં વધતા ઉલ્લાસ, વધતો ઉત્સાહ, વધતા જોશ ને વધતુ પરાક્રમ, પ્ર–વીયોચામાં નવું પાળવાનું શુ` આવ્યું ! જ્ઞાનાચાર
વગેરેના જે પ્રકારો છે, તે જ વીર્યાચારના પ્રકાર તરીકે ગણેલા છે, કિન્તુ જ્ઞાનાચારદ્ધિ દરેકમાં એના અવાંતર સ્વતંત્ર પ્રકારો છે, એવું વીર્યાચારમાં એના સ્વતંત્ર પ્રકારો નથી, તે પછી વીચારને કેમ સ્વતંત્ર પાંચમા આચાર કહ્યો?
ઉ-જ્ઞાનાચાર આદિ દરેકના સ્વતંત્ર પ્રર્કાર બતાવો, આાધકને માથે એને સ્વતંત્ર આરાધવાના ભાર મૂકયા છે, એવી રીતે વીચારને પણ સ્વતંત્ર આરાધવાના ભાર
Page #198
--------------------------------------------------------------------------
________________
અરિહત
૧૭૫
મૂકવા માટે એને અલગ પાંચમા આચાર તરીકે ગણવામાં આવ્યા. છે, અને અને આરાધવા માટે જ્ઞાનાચારાદિમાં જોમ-ઉત્સાહ વગેરે વધારવાના છે, એ વીર્યાચાર તરીકે નવું સ્વતંત્ર પાળવાનું આવ્યું જ ને ?
જ્ઞાનાચારમાં વીર્યાચાર :
પ્ર-જ્ઞાનાચાર આદિનું સ્વતંત્ર વિધાન કર્યું... તે આચરવા માટે જ કર્યુ છે, તા શું એમાં પુરુષાવી જોમ લગાવવાનું વિધાન ન આવી ગયુ? જો પુરુષાર્થનુ વિધાન ન આવ્યું હાય, ા પછી આચાર શુ આચરવા માટે નહિ, પણ માત્ર જાણવા માટે જ કહ્યા છે ? અને જો આચા માટે પણ છે તે એમાં પુરુષાર્થનુ વિધાન । હાય જ; એટલે કે જ્ઞાનાચાર આદિનાં વિધાનથી એમાં પુરુષાર્થનું વિધાન આવી જ ગયું, પછી મતિયા વીર્યાચાર અલગ મતાવવાનું શું કામ ? ઉ-વાત ડહાપણભરી છે, પરંતુ અહીં વિવેક પૂર્વક સમજવાનુ છે કે જ્ઞાનાચારાદિના વિધાનમાં અલખત્ એના પુરુષા નુ વિધાન આવી જાય છે, કિન્તુ તે તો ચાલુ પુરુષા ખાયા કરાય હોય જ્ઞાનાચારઢિ પાળ્યા ગણાય. એટલે એમ પાળીને મન સમજશે કે જ્ઞાનાદિ પહેવાનુ કર્તવ્ય પૂરું થયું, જ્યારે ખરેખર તો દિનપ્રતિદિન પુરુષા ના વેગ વધારવાના છે, જોમ-ઉત્સાહ-ઉલ્લાસ -તન્મયતા વગેરે વધારતા રહેવાનુ છે, એ વીર્યાચારના સ્વતંત્ર આચારનેા ભાર્ માથે આવે તો જ અની શકે : પ્ર–એમ શા માટે? જ્ઞાનાચારદિનુ વિધાન અધિકાધિક જોમ-ઉત્સાહ-ઉલ્લાસ સાથેનું જ હોય તા તા પછી
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૭૬
નવપદ પ્રકાશ
વિધાનથી જ વધતા જેમ-ઉલ્લાસવાળા જ્ઞાનાચાર આદિ સેવવાનો ભાર આભાને માથે આવી જ જશે. પછી વાર્યાચારના સ્વતંત્ર વિધાનની શી જરૂર ? ઉo–એમ તો ચાર આચારને પણ જુદા બતાવવાની શી
જરૂર છે ?–એવા સવાલ થઈ શકશે; કેમકે એકલા જ્ઞાનાચારનું જ વિધાન એવી રીતનું કરે કે દર્શનાચાર આદિના જે પ્રકારે છે, તે સહિત જ જ્ઞાનાચારનું પાલન કરવું એટલે પછી આચાર કેટલા? તે કે એક -જ્ઞાનાચાર, અમ જ આચાર બતાવવો પડે; કિન્તુ એમ નથી ચાલી શકતું, કારણ કે જેકે વિદ્વાન પુરુષ તો એક જ આચારના આ જાતના વિધાનથી બીજા આચાર પાળવાનું સમજી શકે, પણ જન-સામાન્ય બાળજી એ રીતે સમજી ન શકે. એ તો બિચારા એમ જ સમજી બેસે કે આપણે મુખ્ય પાળવાને આચાર એક માત્ર જ્ઞાનાચાર જ, તેથી દશનાચાર: ચારિત્રાચાર વગેરે પર સ્વતંત્રભાર આપવાનું નહિ કરે ને એથી દર્શનાચાર આદિ એને મન ગૌણ થઈ જશે ને એમ થાય તે ખોટું છે; કેમકે જેટલું જ્ઞાનાચારનું મહત્ત્વ છે, તેટલું જ દર્શાનાચારનું; તેટલું જ ચારિત્રાચારનું ને એટલું જ તપાચારનું મહત્ત્વ છે. બાળજીવને આ દરેકનું મહત્વ બરાબર ખ્યાલમાં આવે એ માટે એ દરેક આચારના સ્વતંત્ર વિધાન કરવા જોઈએ.
બસ, જો આ સમજાઈ જાય તે હવે વીચારનું સ્વતંત્ર મહત્વ કેમ? તે સમજાઈ જશે; કારણ કે પૂર્વે કલ્પના કરી તેમ, વધતા જેમ-ઉલ્લાસ સાથે જ્ઞાનાચાર આદિ ચારના પ્રકારે સેવવાનું વિધાન કરવામાં આવે તો
Page #200
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૧૭૭ બાળજીવનું મન એ જ્ઞાનાચારાદિના પ્રકારોને જ મહત્ત્વ આપશે, અને વધતા જોમ-ઉલ્લાસ વગેરે એને મન ગૌણ થઈ જશે; જ્યારે વીર્યાચારને એક સ્વતંત્ર આચાર બતાવ્યો, તે અથી બાળજીવો વિચાર તરીકે અથાગ જેમ, અથાગ ઉલ્લાસ, અથાગ ઉસાહ વગેરેને સ્વતંત્ર કર્તવ્ય સમજશે.
એટલે પછી જેમ જ્ઞાનાચાર આદિનો પુરુષાર્થ એ સ્વતંત્ર કર્તવ્ય છે, અને તેમાં જોમ-ઉલ્લાસ-ઉત્સાહ વધારવાનું કર્તવ્ય એ પણ સ્વતંત્ર કર્તવ્ય છે, એમ બાળજીવ સમજી શકશે. એટલા જ માટે, વીર્યાચારનું પાંચમા આચાર તરીકે સ્વતંત્ર વિધાન કર્યું, અને એમાં કરવાનું આકે જ્ઞાનાચાર આદિના ૩૬ પ્રકારોમાંના દરેકે દરેક પ્રકારને આચરવાનો તો ખરો જ, પરંતુ આ પાંચમા આચાર-વિમર્યાચારના વિધાનની રૂએ એ દરેક પ્રકારમાં સહેજ પણ શક્તિ ન ગોપવવી, તેમજ એ આચાર પાલનમાં નિત્ય નો ઉલ્લાસ, નવો ઉત્સાહ, નેવો ઉછરંગ, નવું પરાક્રમ-જેમ-એકાકારતા -તન્મયતા વગેરે પણ વધતા રાખવાના એ સ્વતંત્ર વીર્યાચારનું પાલન થયું
આ જે ધ્યાનમાં રહે તો જ્ઞાનાચારના પાલન તરીકે જ્ઞાન “ભણવાનું તે ભણી કાઢવાનું.” એમ મુડદાલગીરીથી, તથા વચમાં ડાળિયાં ને બીજા વિચાર સાથે ભણીએ, એટલેથી બસ થઈ જાય, કિન્તુ, એમાં જેર–પરાક્રમ-ઉત્સાહ -ઉલ્લાસ-વગેરે વધતા રાખવાનું ભાન નહિ રહે. એ તો
સ્વતંત્ર વિચારનું પાલન પણ માથે છે, એવું મનને રહે તે જ વીર્યાચારના પાલન તરીકે એ જેમ–ઉત્સાહ વગેરેને દરેક આચારના પાલનમાં વધાર્યા કરાય.
૧૨
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૭૮
નવપદ પ્રકાશ અર્થાત જ્ઞાન ભણવામાં નિત્ય નવો ઉત્સાહ, અધિક ઉલાસ તથા અધિકાધિક એકાકારતા-તન્મયતા લાવ્યે જવાની,
એમ વીતરાગ પ્રભુનું દર્શન કરાય, એ સમ્ય દર્શનની કરણી છે. એમાં સ્વતંત્ર વિયચારના પાલનનો ખ્યાલ રાખીને જ એ કરાય તે દર્શનમાં જેમ-ભાલ્લાસ વગેરે વધારતા રખાય,
એમ ઉપવાસ કર્યો, એ તપાચાર તે પાળ્યો, પરંતુ જે વીર્યાચાર પાલનને અતિ જરૂરી કર્તવ્ય તરીકે ભાર માથે નથી, તો ઉપવાસ મુડદાલગીરીથી પૂરે થશે. હજુ તો સવારે દશ વાગ્યા હશે, ત્યાં વ્યાખ્યાનમાં મોટું દિવેલ પીધા જેવું કરી લમણે હાથ પર ટેકાવી માથું નીચું ઘાલીને બેસશે, એને પૂછે, “કેમ ભાઈ ! આમ ? કાંઈ બિમાર છે ? ” તે રોતડગીરીથી કહેશે : “આજ મારે ઉપવાસ છે.” અલ્યા અત્યારમાં ઉપવાસ ? સાંજ પડયે મનની નબળાઈ ભારે વધી જશે, એટલે ઉપવાસના જાણે હકની રૂએ આખું પ્રતિકમણ બેઠો બેઠો કરશે. અલબત, આમાં તપાચાર તો પાળે, પરંતુ તેમાં ભલીવાર નહિ, કારણ કે વીર્યચારના પાલનની ખામી રહી,
જો તપાચારની જેમ વીર્યાચારને પણ માથે ભાર હેત તો સવારથી જ “અનાદિની પિધેલી અને ભવના ફેરા વધારનારી પાપિણી આહારસંશાને કચડવાને આજે ખરેખ મોકો મળ્યો છે, ધન્ય અવતાર! ધન્ય શાસન ! ” એમ માનીને ઉપવાસમાં વધતું વીર્ય જેમ-ઉત્સાહ દાખવવા પ્રયત્ન ચાલુ રહેશે. એમ વિચારી વીર્યાચારના પાલન તરીકે ઉપવાસમાં ભારે ઉત્સાહ-ઉછરંગ વગેરે જરૂર રખાશે.
Page #202
--------------------------------------------------------------------------
________________
અહિ ત
૧૭૯
જો આ ઉલ્લાસ-ઉત્સાહવૃદ્ધિ ન રખાય તે ઉપવાસ આદિ કરવા છતાં વીર્યાચારના ભંગ કર્યો કહેવાય; અને વીર્યાચારના ભંગથી વીર્યંતરાય કમ બંધાય.
આ કેવી કમનસીબી કે જ્ઞાનાચાર આદિના આચારો પાળવા છતાં, એમાં જોમ (પરાક્રમ)-ઉલ્લાસ-ઉત્સાહ ન રાખવા-ન વધારવાના કારણે વીર્યાચારના ભગ થવાથી વીર્યંતરાય ક પણ સાથે માંધતા રહે !
દેશનાચારમાં વીર્યાચાર :
એવી રીતે દનાચારમાં પહેલેા નિ:શકિત આચાર પાળવાના એટલે ભગવાનના વચનમાં લેશમાત્ર શંકા હિ કરવાની. હવે જો એને પૂછે, ‘કેમ ભાઈ ! શાસ્ત્રની આ વાત તમને મગજમાં બેસે છે ?? તે જો વીર્માંચાર પાલનના ભાર માથે નહી હોય તે રાતડની જેમ કહેશે : ‘ ભાઈ ! . શું કરીએ ? બેસતી તેા નથી, પણ હવે ભગવાનના વચનમાં શંકા તેા ન કરાય, એટલે માની લેવાનું,” એમ મુડદાલગીરીથી નિ:શકિત આચાર પાળશે.
+
ખરેખર, જો ત્યાં વીર્યાચાર સાથે રાખ્યા હોય તે જવાબમાં કહેશે, “અરે! તમે આ શું ખેલ્યા- એસે છે ?' સજ્ઞ ભગવાનનાં વચન એટલે ત્રિકાલાષાધ્ય સત્ય; એમાં મીનમેખ ફેરફાર નીકળે નહિ મારી ને તમારી બુદ્ધિ કેટલી કે એવા અનંતજ્ઞાનીના વચન પર તર્ક-વિતર્ક કરવા નીકળી પડીએ ? ” આમ આવા નિ:શકિત આચાર ખૂબ જોમ-ઉત્સાહ અને વધતા ઉલ્લાસથી પળાય. તેા એ લેખે લાગે. એ માટે દશનાચાર સાથે વીર્યાચારનુ પાલન જોઈ એ.
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૦
નવપદ પ્રકાશ ચારિત્રાચારમાં વીર્યાચાર :
એમ ચારિત્રાચારમાં દાખલા તરીકે ગમનાગમન વિધિમાં નીચું જોઈને તે ચાલશે, પરંતુ સાથે વીચારને એટલે વધતા, ઊછળતા ઉત્સાહ-ઉલ્લાસને અમલ નહીં હાય : તે “પરાણે પ્રીતની જેમ નીચું જોતો રહેશે. કોઈ પૂછે : “કેમ ભાઈ, નીચું જોઈને ચાલો છે ? તો કહેશે
ભાઈ! સાધુ થયા એટલે એમ જ ચાલવું પડે, નહીંતર પાપ લાગે ત્યાં જે વીર્યાચાર ભાર માથે હશે. તો સાથે એટલે બધે ઉલાસ-ઉત્સાહ હશે કે ઉપરોક્ત પ્રશ્નના જવાબમાં તે કહેશે “અરે! આપણું અહોભાગ્ય કે આપણને જિન શાસન મળ્યું, જેણે જીવરક્ષા માટે ઈર્યાસમિતિ (નીચું જોઈને ચાલવું) વગેરે ઉચ્ચ કેટિના ધર્મ બતાવ્યા
એથી એમાં જીવદયાને પરિણામ વધતો જાય તેમજ ભગવાને બતાવેલ ક્રિયામાં અહેભાવ વધતો જાય. આ બધું સ્વતંત્ર વીચાર્યના પાલનને ભારે માથે રખાય તે જ બને, કેમકે એ વીર્યાચારના પાલનમાં જોમ વધારવાનું છે એટલે માનસિક પરાક્રમ અર્થાત અત્યંત ઉપાદેયભાવના વિચાર સાથે મનની એકાકારતા-તન્મયતા વધારવાની છે, ને સાથે મનનો ઉછરંગ-ઉત્સાહ પણ ખૂબ જ વધારવાના છે.
આવા સ્વતંત્ર વીચારપાલનના મહત્વના હિસાબે જ જ્ઞાનાચારાદિના એકેક પ્રકારનું આચરણ જેમ--વેગforce-પાવરવાળું બને છે, કે જે અવસર આવ્યે વીતરાગસર્વજ્ઞ બનાવી દે છે.
દા. ત. વિકલચીરી રાજકુમાર મૂળ તાપસકુમાર, અવસ્થાના ભાંડાનું વીર્યાચારની પ્રબળતા સાથે પડિલેહણ કરતાં કરતાં કેવળજ્ઞાન પામી ગયા,
Page #204
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૧૮૧ ભરત ચક્રવતી અનિત્યતાની ભાવના પર ધ્યાન નામના તપાચારમાં ચડયા ત્યાં સાથે વીર્યાચારનો વેગ આપતા ગયા ને કેવળજ્ઞાન પામ્યા.
આમ જ્ઞાનાચારના ૮ ભેદ, દશનાચારના ૮ ભેદ, ચારિત્રાચારના ૮ ભેદ, તપાચારના ૧૨ ભેદ મળી ૩૬ ભેદ તે વિચારના ૩૬ ભેદ છે, અને એ દરેકમાં પ્રબળ વીર્ય ફેરવવાનું છે,
જ્ઞાનાચાર વગેરે દરેકમાં વીચાર મેળવવાનો છે, તેથી તન્મયતા વધતાં ઉત્સાહ વધતું હોય છે, જેમ વધતું હેય છે, પછી સાધના થાય તે આત્મસાત થાય.
તપાચારમાં વીચાર :
દા. ત., અનશન ઉપવાસ કરે. એમાં વધતું જેમ હોય, એટલે ઉપવાસમાં Power આવે, ઉત્સાહ વધતો જાય, સાંજ પડતાં પડતાંમાં એટલો ઉત્સાહ વધી જાય કે એને થાય કે આવતી કાલે ઉપવાસ કરી લઉં. ” આ વિચાર -આવો ભાવ થાય. પ્રતો બીજે દિવસે તેવો ભાવ-વિચાર કેમ નથી કરતો? ઉ –બીજે દિવસે સવારે તે ભાવના ભાવે જ છે કે“ભગવાને
છમાસી તપ કહ્યો છે, તે સંયમ-યોગ સાધીને હું કરી શકીશ? સંયમ અને યોગને સલામત રાખીને તપ કરવાનું છે,
આમાં “સંયમ એટલે જીવજતના-જીવરક્ષણ તથા ઈન્દ્રિય સંયમ વગેરે. “ગ” એટલે સાધવાચાર–સાધુપણાને આચાર. તેમાં આવશ્યક ક્રિયા, સ્વાધ્યાય, સેવા, વૈયાવચ્ચે એ પ્રધાન આચાર છે,
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૨
નવપદ પ્રકાશ પ્ર-આવશ્યક ક્રિયા પ્રધાન કેમ ? ઉ –એનાથી પાપનાશ અને સમભાવની સાધના થાય છે, પ્રવે-સ્વાધ્યાય પ્રધાન કેમ? ઉo-એનાથી સમ્યકતવબોધ, તત્ત્વ રમણતા વધતી
જઈ પાપવિકોથી બચાય છે, ને શુભ ભાવ અખંડ
વૈયાવચ્ચની પ્રધાનતા: પ્ર-સેવા ને વૈયાવચ્ચ પ્રધાન કેમ? ઉo-તે એટલા માટે કે સેવા ને વૈયાવચ્ચ સ્વાર્થને ખાસ
કરે છે, નાશ કરે છે, જેને સેવા વૈયાવચ્ચ ખપતા નથી, તેનામાં સ્વાર્થબુદ્ધિ વિસ્તાર પામે છે, સ્વાર્થ બુદ્ધિ પોષાયેલી રહે છે; અને તે જે હોય ને બીજુ તપ, સ્વાધ્યાય વગેરે ઘણુંય કરે, તો પણ સ્વાર્થ વૃત્તિના હિસાબે, મનની સંકુચિતતાથી ગુણસ્થાનની પરિણતિ વધતી નથી. આ સંયમ ને યોગ એ એકલા તપનાં આચરણ કરતાં મહાન વસ્તુ છે, તેથી સવારે તપભાવનામાં મનને થાય છે કે બીજે ઉપવાસ લઈશ, તો આ સંયમ–આ યુગ નહિ સચવાય-સીદાશે, માટે અધિક મહત્વના સંયમ-જેમ સાચવી લઈ બીજે દિવસે તપભાવના વધવા છતાં જતો કરવો પડે છે,
કયાં એકલા તપની પરિણતિ? ને કયાં અતિમહાન સંયમ યોગેની પરિણતિ? પરિણતિનો વિચાર નથી કરતા તેથી બાહ્યમાં ભૂલા પડીએ છીએ કે સંયમ યોગે ભલે સીદાય, ઉપવાસ કરવાનો; તે સૂતા રહીને કરીએ તો ચાલે.'
Page #206
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૧૮૩ અસ્તુ. વાત એ છે કે દરેક આચારમાં વીચારપાલન તરીકે જેમ ઉસાહ ખૂબ ભેળવવા જોઈએ, તે જ આત્માની શુદ્ધ પરિકૃતિ વધતી ચાલે. ધ્યાનમાં રહે કે એ પરિણતિ એ વાસ્તવ ધર્મસ્વરૂપ હેઈ, બાહ્યધર્મ બધે કરીને સરવાળે આંતરિક પરિણતિ અવશ્ય ઘડવાની જગવવાની છે. તે જ એ ધર્મરૂપ બને,
કઈ પૂછે : પ્ર—ધર્મ શું છે? ઉ –ધર્મ એ આંતરિક પરિણતિ છે. હાલમાં લખ્યું
છે કે “ધર્મ શ્ચિત્ત-પ્રભ ધર્મ તે ચિત્તમાં જન્મનારો છે. એમ કહેતા નહિ, કેપ્ર-ધર્મ જે આત્મ-પરિણતિ રૂપ છે તો બાહ્ય
ધર્માચારની શી જરૂર છે? ઉ –બાહ્ય ધમ તો આંતરિક પરિણુતિને પ્રગટ કરનાર
છે, પુષ્ટ કરનાર છે, માટે જરૂરી છે. જે બાહ્ય ધર્મ આચરણ નહિ હોય તે પાપાચરણ ચાલુ રહેવાનાં, ને એથી કોઈ અંતરમાં ધર્મપરિણતિ ન જાગે, ત્યાં તો પાપપરિણતિ જ પોષાયા કરવાની, રોજ આફસના રસ ને ચીરિયાં ઉડાવવાં છે, ને અંતરમાં વીતરાગભાવની પરિણતિ તરફ લઈ જતી વિરક્તતાની પરિણતિનો દાવો રાખવો છે, એ ઢોંગ ધતુરે છે. એ તો બાહ્યથી થોડો પણ આંબાનો ત્યાગ –ધર્મ પાળે તો જ અંતરમાં કંઈક પણ વિરક્તાની પરિણતિ જાગે,
સારાંશ:-બાહ્યધર્મ આંતરિક પરિણતિ માટે ખૂબ જ જરૂરી છે. અલબત એટલુ ધ્યાનમાં રહે કે જે બાહ્યધર્મ
Page #207
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ સેવવા છતાં આંતરિક પરિણતિ ન થતી હોય, તે બાહ્યધર્મ નકામો ગયો સમજી સાવધાન થઈ જવાનું, અને બાહ્યધર્મ કરવા સાથે આંતરિક પરિણતિ ઘડતા રહેવાનું. એમાં ચૂકવાનું નહિ, સાધક આત્મા વારેવારે પોતાની આંતરિક પરિણતિને તપાસે, એ તપાસનાર ઘણું અપાયોથી-નુકસાનથી બચી જાય છે.
દા. ત. કોઈ સાધુની પરિણતિ સંયમની ચાલી રહી છે; હવે કેઈએ એની ચીજ આઘીપાછી કરી, કે કાંઈક કઈ એને ભારે બોલી ગયે, તેમાં જો એણે ગુસ્સો કર્યો, તે એની ધર્મપરિણતિ ગઈ! પરંતુ “ નુકસાન કરનારને બેવડું વાત્સલ્ય! એમ કરે તો ધર્મ પરિણતિ વધે, પરિણતિને જે આ ખ્યાલ હય, તે ઘણી રીતે બચી જવાય.
એમ દેરાસરે ગયા. ત્યાં સી નજરમાં આવી. ભગવાનના દર્શન કરતા હોઈએ, અને આપણી પરિણતિનો ખ્યાલ હોય તે તેનાથી બચવા તરત આંખ મીચી દેવાય; ને ભગવાન આબેહૂબ જતા રહેવાય, કેમકે આ જેવા જઉં તો વીતરાગ ભૂલાય. એટલું જ નહિ, પણ વીતરાગની જિજ્ઞાસાય ખલાસ થઈ જાય એ ભય છે, એ ખ્યાલ છે, ને એમ આંતરિક પરિણતિ બગડવા દેવી નથી.
વીતરાગ દર્શનની ઈચ્છા-જિજ્ઞાસા એ ગુણ છે. તે જિજ્ઞાસા, સીદશન કરે, તે મરી જાય, ત્યાં દર્શનની પરિણતિ ઊભી કરવી છે, તે ત્યાં સ્ત્રી તરફ આંખ મીંચાઈ જ જાય, અથવા નીચી પડી જ જાય. સ્ત્રી આજના જમાનાની, એટલે માથાં ઊઘાડાં હેય, આપણી નજરમાં આવે ત્યાં આપણે આપણી સલામતો જોવાની.
Page #208
--------------------------------------------------------------------------
________________
આરિહંત
૧૮૫ પિતાની પરિણતિ પર સખ્ત ચકી રાખે તે જ આ તોફાની જગતમાં બચી શકે.
વાત આ છે કે બાહ્ય શુભ આચાર પણ એટલા જ જરૂરી છે, ને આંતરિક શુભ પરિણતિ પણ એટલી જ જરૂરી છે.
ભગવાન જીવોને વીર્યાચાર સહિત જ્ઞાનાચાર આદિ પાંચ આચારનું પાલન અને એ આચારોને અનુરૂપ આંતરિક પરિણતિનું ઘડતર આપી જીવોનું રક્ષણ અને તુષ્ટિપુષ્ટિ કરે છે.
જેમ ગોવાળિયે ગાય-ભેંસોને સીમમાં ચરાવે છે, અને શિકારી પશુથી તેનું રક્ષણ કરે છે, તેમજ જંગલમાં ભટકી પડતી બચાવે છે, એવી રીતે તીર્થકર ભગવાન ભવ્ય જીવોને સંસારમાં દુષ્ટ ભાવોથી બચાવે છે. દર્શનજ્ઞાન-ચારિત્ર-તપ-વીર્યને ચાર ચરાવે છે, ધર્મ પરિણતિનું પિોષણ કરે છે, તેમજ સંસારની ચારે ગતિમાં ભટકી પડતા બચાવે છે, એ કામ દુનિયાના ગોવાળિયા-ગોપ નથી કરી શકતા, માટે ભગવાન મહાગોપ કહેવાય છે.
એવા પ્રભુ વળી કેવા કેવા બિરુદ ધરાવે છે તે હવે કહે છે:
મહામહ કહીએ, નિમક સત્યવાહ? ભગવાન મહામાહણ છે અરિહંત અને માહણ:
માહણ” શબ્દ ચક્રવતી ભરત મહારાજાના વખતથી ચાલુ થયું છે. એમના રસોડે જમતા લાખે સાધમિક શ્રાવકને આ એક કર્તવ્ય સંપેલું કે “તમારે હું રાજ
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮૬
નવપદ પ્રકાશ
દરબારમાં બેસું, ત્યારે મને “તિ માર્, વર્ષાંતે, મા દળ ના દૂ”—આ શબ્દ રાજ સંભળાવવા, તેના અર્થ “તમે ( આંતરશત્રુ રાગ દ્વેષાદ્રિથી ) જીતાઈ ગયેલા છે, (તેથી તમારે ભવભ્રમણના) ભય વધે છે, (માટે અમે તમને ભારપૂર્વક કહીએ છીએ કે) ‘તમે તમારા આત્માની ને જ્વાની હિંસા ન કરો, હિંસા ન કરો.”
ભરત મહારાજા પાતાની આંતરજાતિ માટે સાધત્રિકા પાસેથી રાજ આ ઉપદેશ સાંભળતા. એટલે જેમ એ સાધન કો ભરત ચક્રવતી ને જીવ- અહિં‘સા, અને આત્મ અહિંસાના ઉપદેશ કરતા હોવાથી એ સાધિમ કા--માહુણ કહેવાયા. એવી રીતે ભગવાન જગતના ભવ્ય વાને સથા પર જીવ–અહિંસા અને આત્મા અહિંસાના ઉપદેશ કરતા હેાવાથી સ્વપર ઉભય પ્રત્યે સર્વે સર્વા અહિંસક બન્યા; એટલે ભગવાન મહામાતણ કહેવાય છે. સ્વ અહિંસા અને પર અહિંસા
જૈન શાસનની આ સ્વ-અહિંસા અને પર-અહિંસા આહુિતાશ્રી એ ખૂબ સમજવા જેવી છે,
દ્રવ્યરાવ :
પ્રભુએ પ–અહિં’સા એ રીતે સમજાવી કે વાને માટે છરી, તલવાર, ભાલા જેમ શસ્ત્ર છે, એમ યાવત્ મીઠાજલના થવા માટે ખારૂં જલ, ગામ મહારની મિશ્ર પૃથ્વીકાયિક વોની રજ માટે નગરની અચિત્ત રજ, બહારના સજીવ વાયુ માટે સુખની ફૂંકના અચિત્ત વાયુ, શરૂપ અને છે...ઈત્યાદ્રિ શીખવીને એ શસ્રોના ઉપયોગ ન કરી એવા એકેન્દ્રિય સુધીના વોની અહિંસાના મહાન ધમ શીખવ્યા. પ્રભુના આ ઉપદેશ શ્રી આચારાંગ સૂત્રના ‘શરિજ્ઞા’ નામના પહેલા અધ્યયનમાં કંડારાયેલ છે,
Page #210
--------------------------------------------------------------------------
________________
અરિહંત
१८७
ભાવશa :
એવી રીતે તીર્થકર શ્રી મહાવીર ભગવાને પોતાના આત્માની હિંસાનો પણ ઉપદેશ શ્રી આચારાંગ સૂત્રના
વિષય” નામના બીજા અધ્યયનમાં એ રીતે આ કે શુ તે મૂઢ અર્થાત જે ગુણ એટલે કે કામગુણ શબ્દાદિ વિષયો છે, તે સંસારના મૂળરૂપ રાગદ્વેષાદિકષાયેનું સ્થાન છે, આશ્રય છે. અર્થાત શબ્દાદિ વિષયોના કારણે રાગાદિ કષાયે ઊઠે છે અને એના પર સંસારરૂપી વૃક્ષ ઊગે છે, વધે છે, જેમાં આ વિષયમાં આસકિત થઈ, રાગાદિ કષાય કરનાર જીવને ભારે દુ:ખ સહન કરવો પડે છે. આ જે જીવની પિતાની હિંસા થાય છે, એમાં મૂળ કારણભૂત, વિષયો અને રાગાદિ કષા થયા, માટે એ વિષયે ને રાગાદિ કષાયો જીવને માટે શાસ્ત્રરૂપ બને. એને ભાવશસ્ત્ર કહેવાય.
પ્રભુ ભવ્ય જીવોને આ પણ ઉપદેશ કરે છે કે “તમે શબ્દાદિ વિષયો અને રાગાદિ કષાયોરૂપી ભાવશસ્ત્રોને પ્રયોગ ન કરો અને એ રીતે તમારા પિતાના આત્માની હિંસાને અટકાવી, દુર્ગતિ દુ:ખોથી બચાવે, સ્વાભ-અહિંસા પાળે” “મા હણ, મા હણ એવો ભરત મહારાજાને સાધમિકેને ઉપદેશ આ ભાવથી પણ ભરેલો છે. કે તમે રાગાદિ જે આંતર શત્રુથી જિતાયેલા છે તેને હટાવીને તમારા પિતાના આત્માની પણ હિંસા ટાળે, સાધમિકેના આ ઉપદેશની પાછળ ખરેખર શ્રી ઋષભદેવ ભગવાનનો જ ઉપરોક્ત ઉપદેશ કામ કરી રહ્યો હતો, માટે ભગવાન મહા-માહણ” કહેવાયા.
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૮૮
નવપદ પ્રકાશ
ઉત્કૃષ્ટ અહિંસા-સૂક્ષ્મમાં સૂક્ષ્મ અહિંસાનો ઉપદેશ કરનાર આ ભગવાન છે.
એમ તો અહિંસા બધા કહે છે, પણ તે જીવોને પૂરેપૂરા ઓળખાવ્યા વગર કહે છે. ભગવાને પચેન્દ્રિયથી એકેન્દ્રિય સુધીના સમસ્ત જીવોની ઓળખાણ કરાવી છે, અને ભગવાન પછી કહે છે : “આમની રક્ષા કરો એટલે સર્વ જીવોની અહિંસા ઉપદેશના પ્રભુ સાચા મહામાહણ છે.
ભગવાન નિર્ધામક છે' અરિહંત અને નિર્ધામક
સંસાર એક સમુદ્ર છે. જો તેમાં ફસાયેલા છે, એમાં એકેન્દ્રિયથી અસંsી પંચેન્દ્રિય સુધીના જીવો સમુદ્રની અંદર ડૂબાડૂબ છે. તેથી એમને “હું ઊંચું છું, નીચે છું” એવું કશું ભાન નથી. સંજ્ઞી પંચેન્દ્રિય જીવો સમુદ્રની સપાટી પર છે, એમને બીજા જીવો કરતાં ઊંચે હેવાનું ભાન થઈ શકે છે. એમને સામે કિનારે દેખી શકાય છે, તેમ જ કિનારે પહોંચવા માટે ચારિત્ર ધર્મનું જહાજ દેખાય છે. માત્ર મનુષ્યને એ જહાજ મળી શકે છે. એ જહાજને ચલાવનાર મુખ્ય નિર્યામક-સુકાની તીર્થકર ભગવાન છે. એ મનુષ્યોને ચારિત્ર ધર્મના જહાજમાં બેસાડે અને એનું સંચાલન કરી મોક્ષના કિનારે ઉતારે, અર્થાત સમ્યક્ દશનપૂર્વકના ચારિત્ર ધર્મનું દાન કરે છે, અને એના વિધિ વિધાન બતાવી પાલન કરાવે છે, ને કમશ: મોક્ષ પ્રાપ્ત કરાવે છે. માટે ભગવાન નિર્ધામક છે.
Page #212
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૧૮૯ ભગવાન સાર્થવાહ છે. અરિહંત અને સાર્થવાહ :
સાર્થવાહ સાર્થને-કાફલાને અટવીમાંથી સમૃદ્ધ નગર તરફ લઈ જાય છે. લઈ જતાં પહેલાં ટહેલ પાડે છે,
દા. ત. “અહીંથી વસંતપુર નગરે સાર્થ જાય છે. જેને ત્યાં જવું હોય તે સાર્થમાં ખુશીથી જોડાઈ જાવ, અટવીમાં રક્ષણ મળશે, જેને સાધન સામગ્રી નહિ હોય તેને તે પણ મળશે.'
અર્થાત વચમાં અટવીમાં ચાર, હિંસક પશુનો ભય હોય, તેમાંથી રક્ષણ આપવાની, તેમજ અટવીમાં મુકામ કરવા હોય તો સાધન વિનાને-ખાવાપીવાની જવાબદારી સાર્થવાહ માથે લે છે.
ભગવાન સાર્થવાહ છે, “સાર્થ” એટલે મોક્ષે જનારે ચતુર્વિધ સંઘ, પ્રભુએ શાસન સ્થાપીને સંઘ સ્થાપે છે. સંઘના પિોતે અધિપતિ સાર્થવાહ બન્યા છે. સંસાર અટવી પાર કરી, મોક્ષ નગરીએ તે સંઘને પહોંચાડવાનો રાખ્યો છે. જેમ સાથે ગામે ગામ કર્યો. “ આવે. જેડાઓ... ગામે ગામથી લેકે જેડાતા જાય છે. નીકળ્યા ત્યારે પoo હતા ને પહોંચતાં ૧૫૦૦ થઈ જાય, એમ ભગવાન પણ ગામે ગામથી સંઘ વધારે છે, તેથી ભગવાન સાર્થવાહ છે.
નિમક અને સાર્થવાહ વચ્ચે ફરક : પ્ર–ભગવાન નિર્ધામક અને સાર્થવાહ છે, તો તે બન્ને
વચ્ચે શું ફરક? ઉગ્નનિર્ધામક તત્ત્વ દર્શન કરાવે, સાર્થવાહ માર્ગદર્શન
કરાવે.
(૧) નિર્ધામક તે સમુદ્ર-પ્રવાસ માટે હોય અને સાથ. વાહ ભૂમિ-પ્રવાસ માટે હેય, સંસારને સમુદ્ર કહીએ
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૦
નવપદ પ્રકાશ ત્યારે પ્રભુ નિર્યામક, ને સંસારને અટવી કહીએ ત્યારે પ્રભુ સાર્થવાહ, (આને વિચાર પછીથી કરીએ) અથવા
ભગવાન આત્માદિ તત્વને અને મોક્ષના માર્ગને બતાવનાર છે. જગતને આટલું જોઈએ છે: ૧, તત્ત્વનો પ્રકાશ અને ૨, માર્ગની ઓળખ, આ બેની ઓળખ થાય પછી પિતે સડસડાટ સાધનાની ગાડી ચલાવે, ત્યાં તવ તે આત્માનું તત્ત્વ જાણ્યું. અને ધર્મ તે સમ્યક પરિણતિ અને તદનુકૂળ સમ્યફ આચરણ એ માર્ગ જાણે,
વાત્માન ક્ષ, વાત્મા મરા પોતાના આત્માનું રક્ષણ કર;” ને “પિતાના આત્માને ભજ, અર્થાત પિતાના આત્માને આશ્રય લે, આત્માને ઉદ્દેશીને જ સારું કર, બાકીનાને ભજીશ નહિ. અને તેની જે શુભ પરિણતિ, સપરિણતિ-ધર્મપરિણતિ, તેને વધાર,
આમાં પૈસા ટકાની જરૂર નથી, સંવર પરિણતિ અને ચિલાતી પુત્ર :
ચિલાતી પુત્ર ખૂની ચોર હતો. તેને મહાત્મા મળી ગયા. તે ધ્યાનમાં ઊભા હતા જંગલમાં, તલવાર ઉગામી તે કહે છે: “બેલ, શું સમજે છે ? – મહાત્મા બોલ્યા: “ઉપશમ, વિવેક, સંવર તે બોલીને મહાત્મા આકાશમાં ઊડી ગયા; કેમકે તે વિદ્યાઘર ચારણ મુનિ હતા.
તવની ઓળખ ઉપશમ અને વિવેકથી મળી ગઈ ને ભાન થયું અને માર્ગની ઓળખ સંવરથી થઈ–માર્ગ તે આંતરિક સંવર-પરિણતિ, સર્વ આશ્રવનિધ; અને બાહ્યથી સર્વસંગને ત્યાગ, યાવત પિતાની કાયાની પણ સુખાકારિતા નહિ જોવાની. તાત્પર્ય, કાત્સર્ગ. બસ,
Page #214
--------------------------------------------------------------------------
________________
અહિં ત
૧૯૧
ચિલાતીપુત્ર ત્યાં જ મધુ વાસિરાવી કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભો રહી ગયા, શરીર કીડીઓએ વીધી નાખ્યું, છતાં ‘અપાણ વાસિરામિ’. તે ચિલાતી પુત્ર ખૂની મટી, મહાત્મા અન્યા, તેનું કારણ તત્ત્વદર્શીન અને પરિણિત હતું. આત્મ-પરિણતિ અને ચંડકાશિક નાગ :
ચડકાશિયા ઝેરી નાગ મટી. ચડકાશિક મહાત્મા અન્યા. ભગવાને આત્માની તેને આળખ કરાવી. તેણે આત્માને ઓળખ્યા, કીડીએ ચટક ચટક ચટકા દે છે, ત્યારે વિચારે છે : “ દેવા દેને. આ ચટકા શરીરને છે, આત્માને નથી. આત્મા કાચાતા નથી, આત્મા અખંડ છે. વળી ચટકાથી અચવા હાલું તા કીડીઓ બિચારી મરે. હવે તા હિંસા લીધી તે લીધી,”
ભગવાને એને તત્ત્વ-દ્દન ને પરિતિ આપી : “ મુજઝ ! ભુજઝ, ! ચંડકાસિયા ! એધ પામ, ોધ પામ ” આ શુ કહે છે ? એ જ, “ મહારને જોવાનુ શુ ? શુ શું? આવેશ શા માટે કરે છે? એધ પામ, દર્ સ્વાત્માને જો, ” ચડાશિયાને જાતિસ્મરણ થયું, એણે દરમાં જોયુ ફાડાના પાવર--power ઊતરી ગયા ! વિરતિ કરી, પંદર દિવસના ઉપશમ સંવર સહિત ધ્યાનમાં રહેતાં વર્ષોનાં પાપના કુર્ચા ઉડાવી દીધા !ઢારાને, માણસાને, પક્ષીઓને મારી નાખવાનું પાપ તે પંદર દિવસમાં ફૂંફ્રૂટ્ સ્વાહા કરી નાખ્યુ ! મરીને આઠમા દેવલાકે સમ્યગ્દષ્ટિ દેવ થયા. આ છે ભગવાનનું તત્ત્વ-દાન અને આત્મપરિણતિનુ
•
દાન.
ભગવાન નિર્માંચક તે સાગર એળગાવે, સાથે વાહ તે અટવી આળગાવે, એટલે શુ?
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૨
નવપદ પ્રકાશ ભગવાન નિયામક બની મિથ્યાદર્શનમાંથી સમ્યગદર્શનમાં લાવે છે, અને સાર્થવાહ બની અસત પ્રવૃત્તિમાંથી સમ્યફ ચારિત્રમાં લાવે છે.
નિર્ધામકમાં શું ?
જહાજમાં બેસી જવાનું, પછી જહાજ બધું કરે, તેમ સમ્યકુદર્શનમાં બેસી જવાનું પછી એ જ બધું કરે.
સાર્થવાહમાં શું ?
સાર્થમાં ચાલવું પડે, પાછળ પાછળ ચાલ્યા આવે, ગભરાતા નહિ એટલે પ્રભુના ચારિત્રને જોતાં જોતાં ચારિત્ર
પાળે.
ઉપમા એહવી જેહને છાજે. તે જિન નમીએ ઉત્સાહ આવી મહાગોપ વગેરે ઉપમાઓ જે ભગવાનને ભે છે, તેવા ભગવાનને ઉત્સાહ પૂર્વક નમીએ,
ઉત્સાહ પૂર્વક એટલે? નિત્ય નો સંગ એટલે કે પ્રભુને રાગ વધારીને નમીએ.
અહે! નમે જિણાણું નામ જણાવ્યું
આમ અંદર Power વધતો જાય, અહોભાવનો ઉત્સાહ, ઉલ્લાસ વધતો જાય,
આરહંત તત્ત્વ આજે મળ્યું છે તે મળ્યું ! કાલે તે રહેશે કે કેમ? કદાચ જીવતે રહું ને મગજની શક્તિ કુંઠિત થઈ જાય તો? ત્યારે ભગવાન મગજમાં નથી આવતા, પણ અત્યારે મળી ગયા છે.”
તે સંવેગ છે, સંવેગ એટલે વધતા ઊછળતા રાગબહુમાન, તેથી આંતરિક શુભ ભાવ વધતા જાય છે.
Page #216
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
અરિહંત આઠ પ્રાતિહાર્યના દર્શનથી થતું અહોભાવ: પ્ર–આઠ પ્રતિહાર્યો જોઈને પ્રભુ પર રાગ કેમ વધે? ઉ૦-દા. ત. કેઈ આચાર્ય મહારાજ આવતા હોય અને
એમની બે બાજુ જો ચામર વીંજાતા દેખાય, તે પણ અમુક સમય પૂરતું પણ તે માત્ર ચામરો જોતાં અહે! ઓહ! થઈ જાય, ત્યાં ટેળે ટોળાં જેવા ઊલટે, ત્યાં પછી જે આઠ પ્રાતિહાર્યો જોવા મળે છે તો કેટલે બધે અભાવ થાય?
જોજનના વિસ્તારવાળું અશોકવૃક્ષ, સતત ઝરમર પુષ્પવૃષ્ટિ, અદ્ધર આકાશમાં દેવ દુંદુભિ, ઝગારા મારતું સમવસરણ, જેજન ગામિની પ્રભુની વાણી, વગેરે અતિશય પ્રત્યક્ષ જોતાં અક્કલ કામ ન કરે. વળી ૩પ અતિશયવાળી વાણી, એક વાકય બોલાય, ત્યાં હજારે શ્રોતાઓના સંશય ફેડાય; વાણીની મીઠાશ એવી કે જે વાણી સતત છ મહિના ચાલે, તોય ભૂખ તરસ ન લાગે. વાણી દેવ, મનુષ્ય, તિર્યંચ સૌને પોતાની ભાષામાં સમજાય..વગેરે વાણીના ૩૫ અતિશયે નજરે જોતાં ભલભલા મિથ્યાદષ્ટિ છે પ્રભુ પર ઓવારી જાય, અને અહો ! અહા ! પ્રભુ! આ તમારે કે અચિંત્ય પ્રભાવ! જગતમાં ખરેખર ઈશ્વર હેય તે તે તમે જ છે, તમારાથી જ જીવોને મોક્ષ થાય, એવો હાર્દિક ભાવ જાગીને બેલાઈ જાય,
રૂપ અતિશયયુક્ત પ્રભુની વાણી પ્રભુની વાણીના ૩૫ ગુણે નીચે મુજબના હોય છે૧ માલકોશ રાગવાળી ૨ મેઘવત ગંભીર ૩ પડઘો પડે તેવી
૪ નેહાળ-મધુર
૧ ૩
Page #217
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રાશ
૫ ખેદ-અજનક,
૬ હૃદય -શાહી ૭ પ્રશંસનીય
૮ સાહસિક ૯ સંસ્કૃતાદિ લક્ષણયુક્ત ૧૦ વર્ણપદ વાકયથી સ્પષ્ટ ૧૧ કર્તા-કાલ–લિંગ- ૧૨ સંશય રહિત
વચનાદિના દોષથી રહિત ૧૩ પરસ્પર સાપેક્ષ
૧૪ વિશેષણથી વિશિષ્ટ ૧૫ ધર્મ અને અર્થની બેધક ૧૬ બહદુ અથયુક્ત ૧૭ અથને અનેક રીતે ૧૮ સિદ્ધાન્તાનુસારી
સમજાવનારી ૧૯ પ્રતિપાદ્ય વસ્તુના સ્વરૂપને ૨૦ વિવક્ષિત વસ્તુના અનુસરતી
સ્વરૂપને અનુસરતી ૨૧ વિવક્ષિત વસ્તુસિદ્ધિના ૨૨ પૂવપર-અવિરુદ્ધ
પ્રમાણયુક્ત ૨૩ દેશકાળ ઉચિત
૨૪ અતિ વિલંબ રહિત ૨૫ અસંબદ્ધ-અતિ વિસ્તાર ૨૬ વકતૃમાનસિક દોષ રહિત
રહિત ૨૭ સ્વપ્રશંસા પરનિંદા-રહિત ૨૮ અન્યને દૂષણ
આપવાથી રહિત ૨૯ અન્યના મર્મના અનુદ્દઘાટક ૩૦ અગામઠી ૩૧ આશ્ચર્યકારી
૩૨ એશ્વર્યયુકત ૩૩ ઉચ્ચ
૩૪ ઉદારતાયુક્ત ૩૫ સરળ
ઉપસંહાર :
આવા વધતા સંગ-સંભ્રમ સાથે અરિહંત ભગવાનને નમસ્કાર કરીએ,
Page #218
--------------------------------------------------------------------------
________________
મલાડ પૂર્વ
વાચના મહા વદ ૧૪, ૨૦૩૬ ૩૧-૧-૮૦
અરિહંત
દુહા [ અરિહંત પદ યાતે થક, દવહ ગુણ પજજાય રે, ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે વીર. (૧) વીર જિનેશ્વર ઉપદિશે, સાંભળજે ચિત્ત લાઈ રે, આતમ ધ્યાને આતમ-દદ્ધિ મળે સવિઆઈ રે. વીર.(ર)
દ્રવ્ય, ગુણ અને પર્યાય વડે અરિહંત પદનું ધ્યાન કરતો આમા ભેદનો છેદ કરી અરિહંતસ્વરૂપ થાય છે. (૧)
એમ વીર જિનેશ્વર ઉપદેશ કરે છે, તે તમે સાવધાનીથી સાંભળજે આત્માના ધ્યાનથી આત્માની (ભૂલાયેલી) સર્વ સંપત્તિ (તેને પિતાને) આવીને મળે છે. (૨) ] અરિહંત સ્વરૂપ પામવાને ઉપાય
અરિહંત-પંદનું ધ્યાન કરતાં અરિહંત સ્વરૂપ થવાય છે. પ્ર -આ તે મજા જ થઈ જાયને? “અરિહંત, અરિહંત,
ધ્યાન ધરતા રહીએ, લાડવા પેંડા ખાતા રહીએ, તળાઈમાં સૂતા રહીએ ને અરિહંત સ્વરૂપ થવાતું હોય તો અરિહંતનું ધ્યાન કેણ ન કરે?
અરિહંતાપનું કઈ નયને જ ખાતા હોય
Page #219
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ
અરિહંતનું માત્ર ધ્યાન કરતાં કરતાં અર્હિંત સ્વરૂપી કેમ થવાય ?
૧૯૬
ઉ−તેનું અહીં સાધન બતાવ્યું:–અરિહંત સાથે આપણા આત્માના ભેદ છે, કેમકે આપણને લાગે છે કે આપણે જુદા, ને અરિહંત જુદા; આપણે અરિહંત નહિ, અરિહંતથી ભિન્ન આ જે ભેદ છે, તેને છિન્નભિન્ન કરી નખાય, એટલે તે અભેદ થઈ જાય છે. તે આપણે અરિહ'ત બની જઈએ છીએ. ‘હુ” ની ભિન્નાભિન્નતા :
66
અરિહંતનું એવું ધ્યાન ધરવાનું છે કે ‘ અરિહંત જુદા ને હું જુદા' આ ભાન ભૂલી જવાય, હું અહિત ક એવું અભેદ પ્રણિધાન થાય, કોઈ પૂછે:પ્ર૦ કેમ અરિહંત જુદા ! ને હું જુદા ?
ઉ-અરિહંત રાગદ્વેષથી ભરેલ નથી, વીતરાગ છે, હું રાગદ્વેષથી પૂણ છું. અરિહુ તમાં લેશ માત્ર અજ્ઞાનતા નથી, સ`જ્ઞતા છે, હુંઅજ્ઞાનતાથી ભરેલા છું,... માટે હું અરિહંતથી જુદા છું, એ ભેદના છેદ થઈ જાય તો અહિત સ્વરૂપ થવાય.
પ્ર-તા ભેદને છેદ્ય કરવા કેવી રીતે ? -અરિહંતનુ ધ્યાન ધરીને ભેદને ઈંદ્ર થાય. અથવા કહેા: જેનાથી ભેદના છેદ થાય, તેવુ... અરિહંતનુ ધ્યાન કરાવુ જોઈએ.
અરિહંતનુ ધ્યાન એ પ્રકારે થાય : ૧, સ`ભેદ પ્રણિધાનથી. ૨. અભેદ પ્રણિધાનથી.
Page #220
--------------------------------------------------------------------------
________________
અરિહંત
પ્રણિધાન એટલે ધ્યાન ૧. સંભેદ પ્રણિધાન એટલે અરિહંત આવા ગુણ, આવા લાયક, આવા સ્વરૂપવાળા છે, એમ અરિહંતને પોતાનાથી ભિન્ન તરીકે મનની સામે લાવીને ધાવવા એ, આમાં ધ્યાતા પિત, પેય અરિહંત, અને ધ્યાન એ ચિંતનક્રિયા: ત્રણેય ભિન્ન ભિન્ન છે.
ધ્યાતા એટલે ધ્યાન કરનાર આપણે પિત; દશેય એટલે ધ્યાનનો વિષય તે અરિહંતને બતાવ્યા, તે આપણી સામે છે, અરિહંત આવા સ્વરૂપે છે. તેનું એકાગ્ર ચિંતન કરીએ તે અરિહંતનું સંભેદ પ્રણિધાન થયું કહેવાય,
આમાં ધાતા આપણે છીએ. અરિહંત આપણાથી જુદા છે. આપણાથી ભિન્ન સ્વરૂપવાળા અને ભિન્ન
વ્યક્તિને અરિહંતને સમજીને ધ્યાન ધરીએ છીએ કે “અરિહંત આવા પૂર્ણ સ્વરૂપ છે, ને હું એવો નથી. ૨. અભેદ પ્રણિધાનઃ
ધ્યાન એટલે ધ્યાન, ત્યાં બીજે કઇ વિચાર નહીં, બીજી કઈ પ્રવૃત્તિ નહીં, બીજુ કોઈ કામ નહીં. એકતાર, એકતાન, એકાકાર ! આ ધ્યાનમાં અરિહંત અષ્ટ પ્રાતિહાર્યથી ભતા દેખાય, મહાપ દેખાય, મહામાહણ દેખાય, મહાનિર્ધામક ને મહાસાર્થવાહ દેખાય. આવાં અરિહંતનું તન્મય ધ્યાન કરાય, એ સંભેદ પ્રણિધાન, એ તન્મય ધ્યાન કરતાં કરતાં ઉત્કૃષ્ટ તન્મયતા થાય કે કેવા અરિહંત વીતરાગ: સર્વજ્ઞ! અલભી ! નિર્મોહી! અક્રોધી! એમાં જ્યારે ઉત્કૃષ્ટ તન્મયતા થઈ જાય, ત્યારે આ સંભેદ પ્રણિધાન તે અભેદ પ્રણિધાન થઈ જાય છે. ત્યારે પછી પોતે દયેય
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૯૮
નવપદ પ્રકાશ
અરિહંતથી ભિન્ન ધ્યાતા છે, તેવા ભેદ ભૂલાઇ જવાય છે, પરંતુ પાતે અરિહંત વીતરાગ છે, તેવો ભાસ થાય છે,
દા. ત. ઇયળ આગળ ભમરી ગૂજે છે. પહેલાં તા તેને આ ભમરીના ગુજારવની ધૂન લાગે છે; પછી ઈયળને એમાં તન્મયતા લાગી જાય છે. તન્મયતા એવી લાગે, એવી લાગે, કે તન્મય અનેલ ઇયળ પોતે ભમરી છે. એમ ભાસ થઈને પોતે ભમરી અની જાય છે.
તેમ અરિહંતનું ધ્યાન ધરતાં, ધ્યાનમાં તન્મય થઈ આત્મા પાતે વીતરાગ પરમાત્મરૂપ બની જાય છે. ત્રણ રીતે અદ્ભુિત ધ્યાન :
પ્ર-અરિહંત પદ્મનું ધ્યાન કેવી રીતે કરવાનું ? ઉ—અરિહંતપદનું ધ્યાન દ્રવ્ય, ગુણ અને પર્યાયથી
કરવાનુ છે, અરિહંતના દ્રવ્યો, ચુણા ને પર્યાયા વિચારતા રહેવાય, એમાં વિચારણાની એકાગ્રતા આવે, દ્રવ્યથી, ગુણથી તે પર્યાયથી,એ અરિહંતનું ધ્યાન થાય. કોઈ પણ વિચારણા કરવી હાય તે દ્રવ્ય, ગુણ તે પર્યાયથી થાય.
પ્ર૦ અહિ તની વિચારણા દ્રવ્ય, ગુણ અને પર્યાયથી કેવી રીતે કરવી ?
દ્રવ્ય અરિહુ તનુ દ્રવ્ય એટલે કે અદ્ભુિતના આત્મા. એને વિચાર કરવાના દા. ત. રિહંતના આત્મા અનાદિકાળથી વિશિષ્ઠ તથાભવ્યત્વવાળા છે, માટે બીજા આત્મા કરતાં ખાણુમાં પડેલા રત્નની જેમ ઉત્તમ, તે વિચારવાનું.
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૯૮
મરિહંત ચરમાળ હે ચરમકરણ તથાભવપરિણતિ પરિપાક, દેષ ટળવળી દષ્ટિ ખૂલે ભલી, પ્રાપતિ પ્રવચન વાક' ભવ્યત્વ :
ભવમાંથી મુકત થવાને યોગ્ય હોય તેને ભવ્ય કહેવાય, એનામાં ભવ્યત્વ હેય, એ ભવ્યત્વ વ્યક્તિ દીઠ જુદું જુદું એવા વૈયક્તિક ભવ્યત્વને તથાભવ્ય કહેવાય, એમાંય અરિહંત થનાર આત્મામાં વિશિષ્ટ તથાભવ્યત્વ હેય, ભવ્યત્વની ખાતરી :
પ્ર—આપણે ભવ્ય છીએ એની ખાતરી શી? ઉo જેને ભવનો ભય લાગે તે ભવ્ય હેય. અભવ્યને
સંસાર માન્ય છે, મોક્ષ નહિ તેથી એને ભવમાં ભટકવાને ભય જ નહિ, આપણને જે એ ભય છે તે
એનો અર્થ જ એ કે આપણને મોક્ષ ગમે છે, ને મેક્ષ ગમે એ મેક્ષ પામવાને પહેલે ગુણ છે. માટે આપણે ભવમાંથી મોક્ષ થવાને. તેથી આપણે ભવ્ય છીએ, પણ દરેકનું ભવ્યત્વ એટલે કે વૈયક્તિક ભવ્યત્વ જુદું જુદું હોય છે. ભવ્યત્વ સામાન્ય તો એક હેય છે. “ભવિતુમ
શ્ય ભવ્ય કે ભવિમ? “સિદ્ધો વિતામ ચોગ્ય: ભવ્ય:- સિદ્ધ થવાને ગ્યા તે સત્ય જીવ. વિવિધ યોગ્યતા અને વિવિધ નિમિત્ત :
યોગ્યતા સામાન્ય તે બધામાં છે, વ્યક્તિ દીઠોગ્યતા જુદી જુદી છે. કારણ કે એકેક વ્યક્તિ મેક્ષ પામે છે તે અલગ અલગ કાળે, અલગ મારિમિત્તથી બેધ પામીને, ને અલગ અલગ સાધના કરે છે પામે છે. કેઈ એક સાધના કરે છે તે કઈ બીજી કોઈ એક નિમિત્તથી તે
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૦
નવપદ પ્રકાશ કઈ બીજા નિમિત્તથી પામી જાય છે. કોઈ એક જ વ્યાખ્યાન સાંભળીને પામી જાય છે, તો કઈ વધારે વખત સાંભળીને પામી જાય છે. સાધનામાં સાધનાના વેગમાં ફેર હોય છે. ઉપવાસમાં બધાની પરિણતિ સરખી ન હોય, કેઈની ઉચ્ચ હેય, કેઈની મંદ હેય. દરેકને કાળને ફરક હેય, વેગને ફરક હય, સાધનાના વિષયને ફરક હેય. કઈ તપ પાછળ પડે, તો કઈ વૈયાવચ્ચ પાછળ, કઈ જ્ઞાન પાછળ, તો કઈ સંયમ પાછળ... આવા ઘણ-અસંખ્ય વેગ મોક્ષના છે. એમાંથી મુખ્યપણે કઈ એક ભાગ લઈને પણ મોક્ષ પામી જાય, શ્રી મહાનિશીથ શાસ્ત્રમાં આવાં ઘણાં નિમિત્તના દૃષ્ટાંત છે. વિવિધ નિમિત્તનાં દૃષ્ટાંત:
૧. “મારૂં છૂપું પાપ છે, લાવ ગુરુ પાસે આલોચના કરવા જઉં...અહો! મારે આમા કે અધર્મ ! એને શુદ્ધ કરી દઉં' સાવીએ આટલે વિચાર કરતાં કરતાં ત્યાં જ એમને કેવળજ્ઞાન !
૨, બીજા સાધ્વી વિચારે છે: “જાઉં ગુરુ પાસે હમણું ને હમણાં, આલોચના બરાબર કરું! તોડી નાખું કેમ એકે એક !”...ભાવનામાં ચઢી, ને કેવળજ્ઞાન..!
૩. તો કેઈએ ગુરુ પાસે આલોચના કરવા જ્યાં પગલું ઉપાડી રસ્તામાં ચાલવા માંડયું, ત્યાં ભાવ ચઢ ને ત્યાં કેવળજ્ઞાન...!
૪. આચાર્ય પાસે ઊભી રહી “મારે આલોચના કરવી છે,' એમ પાપ કહેતાં કહેતાં કેવળજ્ઞાન પામી ગઈ !
Page #224
--------------------------------------------------------------------------
________________
અરિ ત
૨૦૧
૫. કાઈ તે। આલાચના કરી રહી ને હૈયામાં, ‘ હાશ ! પાપ ગયાં, હૈયું હલકું' થયું ‘હવે આત્મા આમ ચઢશે... ત્યાં કેવળજ્ઞાન...!
આલાચના કરવી છે તે પાપના તિરસ્કારની સાધના છે, પાપકારી આત્માના તિરસ્કારની સાધના છે.
૬, આલેાચના કહીને પ્રાયશ્ચિત્ત માગ્યુ તે, સ્વીકારતાં ભાવના વધી ‘અહા ! આ પ્રાયશ્ચિત્તથી મારાં પાપ સાફ તા એ રીતે બીજા પણ તપ કરી પાપ સમસ્ત સાફ કર્યું... એમ ભાવના વધતાં કેવળજ્ઞાન... !
૭. ‘અરે ! કેવાં મારાં ધાર પાપ ? છતા ગુરુએ પ્રાયશ્ચિત્ત આપ્યું ! કેવી ગુરુકૃપા મારા પર !” એમ ગુરુકૃપાના વિચારમાં લીન થયા ને ત્યાં કેવળજ્ઞાન... !
વાત આ છે: એકેક ભવ્ય આત્માની સાધના અલગ અલગ હોય છે. એટલે મેાક્ષે જવાનું વ્યક્તિગત ઉત્થાન અલગ અલગ ાય છે, એ સૂચવે છે દરેક વ્યક્તિની માક્ષમાગે આગળ વધવાની યાગ્યતા જુદી જુદી હાય છે અર્થાત્ વ્યક્તિદીઠ ભવ્યત્વ જુદું જુદું હોય છે, એને તથાભવ્યત્વ કહેવાય છે.
નિજામણા કરાવનાર ખધકસૂરિ ગુરુ પાછળ રહી ગયા, ને આલમુનિ ઘાણીમાંપીલાઈને પહેલા મેાક્ષે પહોંચી ગયા એમ તેા પછીથી ખધસૂરિય પીલાયા પણ મેાક્ષ ન પામ્યા તેનું ભવ્યત્વ જુદુ હતુ., માલમુનિને તે “ મારા હૈયામાં ભગવાન મુનિસુવ્રતસ્વામી છે માટે કોઈ ચિંતા નથી.” અને ખ`ધકાર પીલાયા, પણ ત્યારે વિચાર જુદા હતા: “હરામી પાલકે મારૂ' માન્યું નહિ” એટલે રહી ગયા
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૨
એક જ નિજામણા કાર્યમાં કેમ ફરક ? કહા, અનનુ તથાભવ્યત્વ જુદું જુદું. વિશિષ્ટ કાય્ઝિ તથાભવ્યત્વ !
તીર્થંકરનું તથાભવ્યત્વ વળી વિશિષ્ટ કોટિન હોય છે. એ વિશિષ્ટ કોટિનું ભવ્યત્વ હોવાથી વિશિષ્ટ રીતે સમ્યક્ત્ત્વ પામે તે વિશિષ્ટ રીતે આગળ વધે એમાં નવાઈ નથી. દા. ત. નયસારને મુનિ મળ્યા. તારા આત્માને ઓળખ. દેવ-ગુરુ-ધર્મ ને આળખ” એ બે ખેલમાં સમક્તિ પામી ગયા !
નવપદ પ્રકાશ
અરિહંત દ્રવ્ય ઊ’ચું ! સહેજમાં આત્માની અને દેવગુરુ--ધર્મની ઓળખ કરી લે ! સાધુ કદાચ દાવા કરે,
પ્ર–એમ તા અમને પણ દેવ-ગુરુ-ધર્મની ઓળખ થઈ છે. શું અને દેવગુરુ-ધમ ને ઓળખ્યા વગર દીક્ષા લીધી હશે ?
ઉતા પછી દીક્ષા લીધા બાદ દેવ-ગુરુ-ધર્મ ને આળખનારા વગર જોઈતા પ્રમાદ કરે ખરા ? ન કરે.
દા. ત. પરણીને સાસરે ગયેલી કન્યાએ પતિને આળખી લીધેા છે. તેથી પતિની સેવા, પતિના ખેલ પતિની રુચિ— તે બધુ સાચવવામાં એ એક મિનિટના પ્રમાદ નથી કરતી. કેમકે તેણે પતિને આળખ્યા છે કે આ સાણ વનના આધાર છે. તેમ દેવ-ગુરુ-ધર્મોને ઓળખનાર લેશમાત્ર પ્રમાદ ન કરે, દેવગુરુ-ધની ઓળખમાં શુ' અરિહંતની સરસાઈ કરવી છે? ના, એમને આશ તરીકે અરિજીત દ્રવ્ય ઊંચુ હાય છે, એ નજર સામે સખી એમની ઉપાસના કરવી છે.
Page #226
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૨૦૩ અરિહંતનું દ્રવ્યથી ચિંતન કરે: “હે હે ! પ્રભુ ! તમારું દ્રવ્ય કેટલું ઊંચું ? અનાદિ કાળથી વિશિષ્ટ તથાભવ્યત્વ! આપને અલ્પનિમિત્તમાં મહાવૈરાગ્ય! ગુરુના અલ્પ ઉપદેશમાં મહાસમ્યકત્વ! નયસારે સમ્યકત્વની કેવી આરાધના કરી હશે ?” મરીચિની આરાધના :
મરીચિ તરીકે જમ્યા, ત્યારે તેમના શરીરમાંથી સૂર્યનાં કિરણની જેમ કિરણ-મરીચિ નીકળેલાં, માટે “મરીચિ' નામ પડયું, તે છે સમ્યકત્વની મહાન આરાધનાનો પ્રભાવ, એ કેવી મહાન આરાધના હશે? તેઓ સમવસરણમાં ગયેલા, તેમની સાથે ભારતના દીકરાઓ હતા, બીજા ઘણા ગયેલા, બીજા તો સમવસરણ પરચઢયા, પ્રભુને વંદન કર્યો, પ્રદક્ષિણ દીધી, ઉપદેશ સાંભળે ને પછી બોધ પામ્યા...જ્યારે મરિચીને તો સમવસરણ દેખતાં જ બોધ થયે! સમવસરણના કાંગરે કાંગરે ઝગારા મારતાં રત્ન! એ બધું જોતાં જ વિચારમગ્ન થયા : “દાદાજીના ધર્મને આ પ્રભાવ!”
આંબે વા હોય તો થડ, ડાળી, પાંદડાં, મોર, કેરી આવે, આ બધું મૂળ ઉપર બીજરૂપ ગેટલા પર આધાર રાખે છે.
- તેમ ધર્મ તે ગોટલ છે. તેના પર સમવસરણ થાક્ય. ઇબ્રે–દેવ દેહતા આવે. સંસારમાં રહે તો ધર્મ થી કંચન, કામિની, સત્તા, બગીચા, ગાડી વગેરે મળે, મૂળમાં ધર્મ કામ કરી રહ્યો છે.
તે મરીચિએ વિચાર કર્યો : “મારે મૂળ પકડવું? કે ડાળ-પાંખળાને પકડીને બેસી રહેવું ? ડાળ પાંખળાં તુલ્ય લક્ષમી-લાડી–વાડી–ગાડીની લીલાએકદિકરરરફ ઊડી જશે!
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૦૪
નવપદ' પ્રકાશ ને એના મોહમાં આ જનમમાં મૂળભૂત ધર્મ સાથે નહિ, એટલે ભવાંતરે ભીખ માગવાની! મૂળ સલામત તો સબસલામત, માટે મારે મૂળ તે ધર્મ, તેને જ પકડવાને.” - મરીચિ અરિહંત દ્રવ્ય છે, કેટલું ઊંચું એ સહેજમાં વૈરાગ્ય!
સાધુઓ ! તમે સંસારને છોડીને અહીં આવ્યા, ડાળ-પાંખળાંને વળગવાનું તમે છોડી દીધું છે, ને ધર્મ મૂળ પકડ્યું છે, એ ન ભૂલશો તો અહીં ધર્મ જ સૂઝશે; ગોચરી પાણી વગેરેની અનુકૂળતા નહિ જવાય.
અરિહંતની આ વડાઈ છે, “પ્રભુ! તમારું દ્રવ્ય કેટલું ઊંચું ? જુદા જુદા ભગવાનનું જુદું દ્રવ્ય, એકેકની વિશિષ્ટ તથાભવ્યતા, મલિનાથ ભગવાને દીક્ષા લીધી જે દિવસે, તે જ દિવસે સાંજે કેવળજ્ઞાન ! જૈન દર્શનમાં સ્ત્રી જન્મની યશગાથા: - અજ્ઞાન લેકે કહે છે કે: “જૈન ધર્મે સ્ત્રીની કિંમત નથી આંકી. જવાબ એ છે કે જૈન ધર્મે સ્ત્રીની જે કિંમત આંકી છે, તે અન્ય નથી આંકી. મલ્લિનાથ સ્ત્રીના અવતારે તીર્થકર તો થયા પણ વધારામાં મલ્લિનાથ ભગવાનને દીક્ષાને દિવસે જ કેવળજ્ઞાન થતું બતાવ્યું છે! જ્યારે ગષભદેવને તથા મહાવીર સ્વામીને માટે તેવું નથી બતાવ્યું. તે જૈનદર્શને સ્ત્રીનું કેટલું ગૌરવ કર્યું છે?
હકીકતમાં તો એવું છે તેવું જૈનશાસને રજુ કર્યું છે.
(૨) અરિહંતનું દ્રવ્ય, ગુણને પર્યાયથી ધ્યાન કરવાનું. ગુણથી વિચાર કરવ, ગુણથી ધ્યાન કરવું.
Page #228
--------------------------------------------------------------------------
________________
અરિહંત
અરિહંતના ગુણાનું દર્શન : અરિહંતના ગુણા જોવાના. તે અનેક ગુણા છે :
(૧) મહાવીર ૮ વર્ષના થયા. ત્રિશલા માતા કહે : ‘ચાલા, ભગવાનને નિશાળે બેસાડીએ’ : તેા ભગવાન કેમ કાંઈ ન ઓલ્યા કે મને બધું આવડે છે ? લાવા તમારા મને ભણાવવા તૈયાર થયેલ પડિતને, એમને કેટલુ' આવડે છે એ તપાસી જોઉં.
૨૦૫
ભગવાનને ઘણું જ્ઞાન હતું, પણ તેમનામાં ગભીરતા ગુણુ હતા, તેથી તે ખેલ્યા નહી,
(૧) ત્રિશલા માતા ભગવાનને લગ્નનુ' બનાવવા ગયા તા તે એકદમ ઊભા થઈ ગયા.
“ તમે કેમ આવ્યા ? એમાં મારા અવિનય ઢેખાય છે. આપે ખેલાવ્યા હોત તે હું જ આપની સેવામાં હાજર થઈ જતે. ખેર, ફરમાવા કેમ પધારવું થયું ? કોઈ સેવા ?” ભગવાન અવધિજ્ઞાની છે, ઈદ્દો તેમને નમવા આવે છે, પણ માતાની આગળ આ છે વિનય ગુણુ !
(૩) સંગમે છ માસ દાટ વાળી નાખ્યા, મહાવીર પ્રભુ પર ધારતિધાર જુમાના વરસાદ વરસાવ્યા.
એક રાતમાં ૨૦ ધાર્ ઉપસર્ગ કર્યા . ઘીમેલ માટી ચટકા ભરે આખા શરીરે ચટક ચટક ! સામટા સાપ કરડે ! વીંછીએ કરડાવે, ડંખ્યા કરે ! તીક્ષ્ણ દાઢવાળા ઉંદરોની ફાજની કાજ શરીર પર ચઢી જાય ! શરીર પર અહીં બટકું, તહીં મટકું ! આવા ૨૦ ઉપસ એક રાતમાં વરસાવ્યા પણ ભગવાન ડગ્યા નહી ! ભગવાન ધ્યાનમાં રહ્યા. પ્રભુને ગેાચરી પાણી ય લેવા ન ઢે. ભગવાન જાય ત્યાં કાચુ’ પાણી રેડે, વહેારાવનાર કાચી વનસ્પતિને અડી જાય, દાષા
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૦૬
નવપદ પ્રકાશ ઊભા કરી દે; તેથી નિર્દોષ ગોચરી ન મળે. ઉપરથી તેમનું અપમાન થાય; પણ ભગવાન ડગ્યા નહીં. આ છે સહિષ્ણુતા ગુણ
(૪) છ માસ પછી સંગમ પાછા જવા તૈયાર થયે, ત્યારે ભગવાનની આંખમાં આંસુ આવ્યાં : “આ બિચાર! અમારૂં નિમિત્ત પામી ડૂબી ગયે! શું થશે તે બિચારાનું નરકાદિમાં!
“પણ ભગવાન, તમારું કાંઈ બગડયું નથી?” એમ કઈ પૂછે તો?
ભગવાન તે માનતા કે “જેટલું સહન કર્યું તેટલું મારે તો કર્મના ભારે ભારા તૂટી ગયા પણ તે બિચારે દુ:ખી થશે.” ભગવાનને આ છે મહાન કરણ ગુણ!
(૫) કેવા ગુણે ભગવાનના? સહન કર્યું તે કર્મના પડદા તૂટયા. “પિતાને સહન કરવાનું મળ્યું, એમાં આનંદ. આ ગુણ છે.
અરિહંતની પર્યાયથી વિચારણા (૩) અરિહંતની પર્યાયથી એટલે અવસ્થાથી વિચારણા થાય,
અરિહંતની અવસ્થા વિચારવાની છે. એમાં મોટી મોટી ત્રણ અવસ્થા છે. તેમાં (૧) પિંડ અવસ્થા,-તેમાં અવાંતર ત્રણ અવસ્થા :
જન્માવસ્થા, રાજ્યાવસ્થા, શ્રમણ-અવસ્થા, (૨) પદસ્થ અવસ્થા (૩) રૂપાતીત અવસ્થા
-
1
Page #230
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૨૦૭ આમ આ પાંચ અવસ્થાએ અરિહંતના પર્યાય કહેવાય, (૧) પિંડસ્થ અવસ્થા : જન્માવસ્થા
અરિહંતને જન્મ થાય કે દિકકુમારીએ નવડાવવા આવે, કપડાં પહેરાવવા આવે, રાસડા લે, ને ભગવાન પોતે નાના બટકા જેવા. તેમને કહે: “હે ભગવાન! તમને અમે નમીએ છીએ પછી મેટા ઈન્દ્ર મેરશિખર પર આટલા નાના ભગવંતને લઈ જઈ હરખભેર મોટા મોટા કળાથી અભિષેક કરે! છતાં આ બધાથી પ્રભુને અભિમાન નહિ થયું ! પિતા રાજા તરફથી જન્મમહેસવમાં પણ એમ જ નિરહંકાર !
સામંતો આવે, શેઠિયાઓ આવે, બધાય નમવા આવે, “અમને પારણું ઝુલાવવા દો.” બધા તલપાપડ થાય. ભગવાન આ બધું જાણે પણ તે માન-સન્માન-સત્કારમાં લેવાઈ ગયા નહીં. અભિમાન ન કર્યું કે કેવું મેટા મેટા દેવ-ઈન્દ્ર મારૂં સન્માન કરે છે !
અભિમાન કોણ કરે? મૂખ કે ડાહ્યો? અભિમાન અને કાળ:
ભૂખે ઉંદર અભિમાન કરે છે, તે રાતના ફરવા નીકળે. છાજલી પર ઘઉંની બરણીમાંથી દિવસે ઘઉં લેતાં ચાર પાંચ દાણા વેરાયલા તે મળ્યા તે ખુશી ખુશી ! તે પાછલા બે પગ પર ઊભો થઈ, પૂંછડી ઊંચી કરી, અભિમાન કરે છે: “પેલા ઉંદર કરતાં હું કે બહાદુર? પાંચ દાણા મળ્યા પણ તેને ખબર નથી કે પાછળ કાળે બિલાડે ઊભો છે ! તે બિલાડે વિચારે છે: “જણ સ્થિર થા, પછી હડપ!
Page #231
--------------------------------------------------------------------------
________________
T
.
.
.
.
૨૦૮
નવપદ પ્રકાશ કહે, અભિમાન કરે તે મૂર્ખ નહિ તે શું ડાહ્યો ગણાય? દાણ મળ્યા ને તે ચાલ્યો ગયે હેત તો? ના,
પાછળ ઊભેલ કાળરૂપી બિલાડે. હડપ કરી જશે, એ જોવું જ નથી, એટલે શાનું ચાલ્યા જવાય? (૨) રાજ્યાવસ્થા :
અભિમાનમાં અક્કડ રહેનારને સાધના ન થાય, એમ જોરદાર રાગ દ્વેષ હેય તે ય સાધના ન થાય, સાધના માટે કર્મના કિલ્લામાંથી પલાયન થવાનું છે. એ સાધના એટલે ભગવાનની રાજ્ય અવસ્થા છે. ભગવાનની રાજ્ય અવસ્થામાંય કેટલુંય વિચારવાનું આવે. મહાન સત્તા-ઠકુરાઈભેગ સામગ્રી છતાં એવા રાગદ્વેષ નહિ, આસક્તિ નહિ. ભગવાન નિર્લેપ છે. (૩) શ્રમણ અવસ્થા - શ્રમણ અવસ્થામાં પણ તેટલી સહિષ્ણુતા. ગોચરી લેવા જાય-ગોચરીની આશાએ જાય અને અભિગ્રહનપુરાવાથી ગોચરી ન મળે તે નિરાશ ન થાય. “અરે! આજેય ગોચરી ન મળી? ” એટલું ય ન થાય. “ગોચરી મળી હેત તો સંયમવૃદ્ધિ થાત, ને ગોચરી ન મળી તે તપવૃદ્ધિ થઈ આ જ હિસાબ પર લાભાલાભમાં સમત્વ ભાવ છે. - અરિહંતને શ્રમણ અવસ્થાને પર્યાય વિચારવામાં પ્રભુની તપ-અવસ્થા, પરિષહ-અવસ્થા, ઉપસર્ગ–અવસ્થા, વગેરે વિચારાય. એમાંય તત્વચિંતન અવસ્થા એવી કે એમાંની લીનતા બહારનો એક પણ વિકપ ઊઠવા ન દે
એ પછી પ્રભુની પદસ્થ અવસ્થાનો વિચાર, અરિહંતના પર્યાય તરીકે મનમાં લાવવાને.
WWW
Page #232
--------------------------------------------------------------------------
________________
અદ્ભુિત
(૪) પદસ્થ અવસ્થા! ( )પ
રિહંત પ્રભુ કેવળજ્ઞાની અન્યા, અરિહંતપદન્તી કર
પદની અવસ્થા પામ્યા, પ્રભુએ એમાં
૨૦૯
(i) કેવુ' પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત કર્યું...! (૨) પ્રભુનું સમવસરણ અને વિહાર કેવા !
(૩) પ્રભુના કેવા કેવા ૩૮ અતિશયો !
(૪) પ્રભુની વાણીના કેવા ૩૫ અતિશય ! (૫) પ્રભુના કેવા ત્રિવિધ ઉપકાર ! રિહંતના ત્રિવિધ ઉપકાર આ,—
=
(૧) પ્રભુએ જીવ–અજીર્વાદ નવતત્ત્વ કેવાં અનેરાં આપ્યાં ! તત્ત્વપ્રકાશ, તત્ત્વજ્ઞાન દેવાના ઉપકાર...
(૨) પ્રભુએ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપના કેવા મોક્ષમાર્ગ આપ્યા !
(૩) પ્રભુએ આરાધનામાં સ્તુતિ,-પ્રાર્થનામાં, અને દર્શન પૂજન-ભક્તિમાં કેવુ' અવ્વલ આલંબન આપ્યું ! આ બધા વિચાર અરિહંત પર્યાયમાં કરવાનો (૫) રૂપાંતીત અવસ્થા
અરિહંત પ્રભુ મેક્ષ પામી રૂપાતીત બન્યા. તે આત્માના કેવા અન ત ઐય વગેરે પામ્યા અને વિચાર કરવાના. આ પ્રભુના રૂપાતીત પર્યાયનું ધ્યાન થયું.
આમ અહિ તનુ દ્રવ્ય-ગુણ-પર્યાયથી ધ્યાન ધરવાનુ, આ બધા દ્રવ્ય-ગુણ-પર્યાય વિચારવા યાદ રહે.
૧૪
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૦
નવપદ પ્રકાશ વિચારણામાં વિશેષ તો ભેદ-છેદ કરવાનો છે. તે વખતે ખાસ વિશેષતા, ખાસ ધ્યાન, ખાસ સાવધાની એ રાખવાની છે કે અરિહંતના પર્યાય સાથે આપણામાં કેટલી પરિણતિ થઈ તે જોવાનું છે. એકલે અરિહંતને ચોપડો ન વાંચીએ, જોડે જેડે આપણે પણ વાંચતા જઈએ, એમ કરવું જોઈએ. તે ન થાય તો પેલી હરણની કથા જેવું થાય, - ઉદાહરણ-ભટ્ટજી કથા કરતા હતા, “જુઓ, રાવણે સીતાનું હરણ કર્યું સભામાંથી “જી બોલ્યા, પણ સાંભળનાર ડોબા જેવા હતા. ભટ્ટજીએ તેમને પૂછ્યું, “સમજી ગયા ? ”
શ્રોતા: “હા પણ હવે રાવણ હરણને શું કરશે ?
આ શું કર્યું? “સીતાનું હરણ કર્યું તે સમજવામાં શ્રોતાએ બુદ્ધિ ન વાપરી,
અરિહંતનું પાન કરીએ તે બુદ્ધિ વાપરવી કે “મારે અરિહંત સાથે શું લેણદેણ છે? કોને ખબર મારા આત્મા પણુ અરિહંત હોય તે ? મારુ દ્રવ્ય ઊંચું હોય તો તો શું કામ નીચાણમાં વહી રહુ છું ? મારે તો ઊંચે વહવાનું છે, અરિહંતનું આપણે દ્રવ્ય-ગુણુ-પર્યાયથી ધ્યાન કરતાં કરતાં નીચાણમાં વહેતા આત્માને ઊંચે વહેડાવવાને છે: પંપ લગાડવાને છે, ફેસ લગાડવાનું છે, ચિંતન ને પ્રગતિ
અરિહંતનું ધ્યાન કરીએ એ આપણા આત્માને લાગુ કરવાનું તેની સાથે સંબંધ જોડવાનો કે “આમાંથી મારે કેટલું કરવાનું ? ” આ શ્રવણની ગંભીરતા છે,
ગંભીર બને તો રહસ્ય સમજાય,
દ્રવ્ય-ગુણ-પર્યાયથી અરિહંતનું ચિંતન કરતાં, આપણા આત્મામાં કેટલી પ્રગતિ થઈ તે ચિંતન કરતા જઈએ તે
Page #234
--------------------------------------------------------------------------
________________
અદ્ભુિત
૨૧૧
ભેદ્રના છંદ થાય; કેમકે આત્માની પ્રગતિના સહૃદય વિચાર આત્માની ઉત્તરોત્તર પ્રગતિ વધારે છે, તે ઠેઠ પાત્મભાવ સુધીની આત્મપ્રગતિએ લઈ જાય છે, અને એ ભાવ આવ્યા એટલે અરિહંત પણ પરમાત્મા ને આપણે ય પરમાત્મા, એમ અહિત સાથેના ભેદ દૂર થયા.
આપણે એવા વિચાર કરીએ : એકલા અરિહંત કરી શકે, ને શું હું ન કરી શકું ? અલય્યત્, એટલું બધું નહિ, તા થાડું, પણ થાતુંય કરી શકું,
દા. ત. ભગવાન રાતભર કાઉસ્સગ્ગમાં સ્થિર રહ્યા તા શુ` હું ચાર લેાગસ્સના નિર્દોષ કાઉસ્સગ્ગમાં સ્થિર ન રહી શકું? માઢું ફેરવે તે વાનદ્દાષ લાગે, ડાળા ફેરવે તા. કાગઢાષ લાગે, આવા એક પણ ઢાષ નથી લાગવા દેવાના, એ નિર્દેષિ કાઉસ્સગ્ગ
અરિહંતનું ધ્યાન કરતાં ભેદના છેદ્ય કરવાનો છે. ‘હું ભવિષ્યના અરિહંત છું. હું સાધના લગા, સર્વ પ્રકારના ભેદના છેદ્ર કરૂં; અરિહંતનુ ખૂબ ખૂબ ધ્યાન કરે, તે આત્મા રિ ત સાથેની કરાગ ભિન્નતા છેતા જાય. જ્યારે સંપૂર્ણ ભેદના નાશ થઈ જાય ! આત્મા અરિહંત થઇ જાય. દુહા : ત્રીજી લીટી
“ વીર જિનેશ્વર ઉપદિશે, સાંભળો ચિત્ત લાઇ રે” મહાવીર ભગવાન ઉપદેશે છે કે ચિત્ત લગાડીને સાંભળજો, શકા : સાહેબ, સાંભળીએ તે ખરા, પણ સાંભળવાથી શુ થાય? તેા કહે છે : “આતમ-કાને આતમ-ઋદ્ધિ મળે સર્વિ આઇ રે,”
...( વીર્૦)
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧૨
નવપદ પ્રકાશ
આત્માનું ધ્યાન લાગે તે આત્માની બધી બદ્ધિઓ મળે, જે કર્મ સત્તાએ જપ્ત કરેલ છે. આપણે માલ કર્મ સત્તાએ જપ્ત કરેલ છે. આત્માનું ધ્યાન ધરીએ તો તે તાળું ખોલે, ને આપણી બધી દ્વિએ મળે.
પહેલાં અરિહંતનું ધ્યાન આવ્યું. હવે તે ધ્યાનથી આતમ ઋદ્ધિ કેવી રીતે મળે તે જોઈશું.
દુહાની થી લાટી આતમ-ધ્યાને આતમ-ગડદ્ધિ મળે સવિ આઈઝ
(વીર૦) આત્મદ્ધિ :
આત્માનું ધ્યાન કરવાથી આભાની બધી ગડદ્ધિ આવી મળે છે. આત્માની બધી બદ્ધિમાં મુખ્ય અનંતજ્ઞાનઅનંતદશન-અનંતચારિત્ર-અનંતવીર્ય-અનંત સુખ છે, આત્માની આ મૌલિક સ્વાભાવિક રુદ્ધિ છે.
સદ્ધિ એટલા માટે કહેવાય છે કે ઈન્દ્રપણાની સમૃદ્ધિથી ઈન્દ્રને અને ચક્રવતી પણાની સમૃદ્ધિથી ચક્રવતીને જે બાદશાહી નથી, તેવી બાદશાહી આ આત્માની સ્વાભાવિક જ્ઞાનાદિ સમૃદ્ધિથી આત્માને છે. વીતરાગ ભાવના અંશ :
અનંત ચારિત્ર એટલે વીતરાગ દશા છે. તો વીતરાગ દશા એ આમાનો ક્ષાયિક ભાવ છે.
ક્ષાયિક ભાવ એટલે કર્મના ક્ષયથી ઊભો થતો ભાવ, તે સમસ્ત મોહનીય કર્મના ક્ષયથી ઉતપન્ન થાય છે. એટલે સમસ્ત મેહનીય કર્મને નાશ ન થાય ત્યાં સુધી
Page #236
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૨૧૩
મેાહનીય કતા જે ક્ષયાપશમ થાય તેનાથી વીતરાગ ભાવના આંશિક ગુણા ઉત્પન્ન થાય છે.
મેહનીય કર્મીના સંપૂર્ણ નાશ તે વીતરાગ ભાવ છે. મેાહનીય કા અંશથી જે નાશ તે વીતરાગ ભાવના અશ કહેવાય. એમાં ક્ષમા-નમ્રતા-નિ:સ્પૃહતા-બ્રહ્મચય વગેરે આવે.
ક્રોધ-માહનીયને માવે તે ક્ષમા આવે. ક્ષમા તે વીતરાગ ભાવના અંશ છે, વીતરાગ ભાવમાં કાયાને સથા ક્ષય છે ઉપશમ છે,
અભિમાન–માહનીય કને કચડયું એટલે નમ્રતા આવી-નિરહુ કાર આવ્યા, તે ઉપશમ થયા, તે આત્માની આંશિક ઋદ્ધિ છે. સપૂર્ણ ઋદ્ધિ તે સમસ્ત ક્રોધ–મેાહનીય –માનમાહનીય–વેદ માહનીય વગેરે સમસ્ત માહનીય કર્માંના નાશથી થતા વીતરાગ ભાવ છે.
આત્મજ્ઞ અને અનાત્મજ્ઞ :
પ્ર—આ બધી આત્માની ઋદ્ધિ અત્યારે કેમ પ્રગટ નથી ? કેમ છૂપાઈ ગઈ છે ?
-આત્મા અનાત્મજ્ઞ અન્ય ો છે, આત્મા આત્મજ્ઞ બન્યો નથી. બધું બહારનું જોયા કર્યું, આત્માનુ ન જોયું; તેથી આત્માની ઋદ્ધિ લુપ્તપ્રાય: છે-આવૃત્ત છે -કર્મીના આવરણથી ઢંકાઈ ગઈ છે. આત્મા આત્માને પેાતાને ભૂલ્યા. માહથી પર પટ્ટા પર હુકુમત સ્થાપવા ગયે, તેથી તે અનાત્મજ્ઞ યાને જડસુખા અન્યા રહ્યો. જડમુખા થવાથી કનાં આવરણ ચઢી ગયાં,
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૧૪
નવદ પ્રકાશ
‘ખાવાનું સારૂં,' રહેવાનું સારૂ’ ‘મંગલા સારા, • આમ મહામાં તે મહારમાં જ સારાપણુ જોતા રહ્યો; તેથી આત્માનુ કશું સારૂં જોયુ... જ નહીં, વાસ્તવમાં, તે મહારમાં જે ધન-માલ આદિ છે, તે સારાં નથી, ભૂંડા છે, સારૂં તા દરમાં છે; રાગ્ય-ઉપશમ-નિમ મતાઅનાસક્તિ વગેરે એ સારાં, પરંતુ એના પર દૃષ્ટિ જ ન ગઈ; ઉલ્ટુ માહ-મૂઢતાથી એને આત્માની ઋદ્ધિવૈભવાસ...પત્તિ તરીકે આળખી જ ન શકયા; એટલે પછી એને પ્રગટ કરવાની વાતે ય શી? માટે અને પ્રગટ કરવા માટે પોતાના આત્માને મહત્ત્વ આપવુ જોઇ એ.
' આત્મજ્ઞ ? એટલે આત્માને અને આત્માની સમૃદ્ધિને જ મહુë આપનાર, તે એટલુ બધુ` મહુવ આપે કે એની સામે લાખાના ખજાનાને પણ લેશ મહત્ત્વ ન આપે.
જબુકુમાર, સ્થૂલભદ્ર વગેરે સંસારમાંથી કેમ ઊભા થઈ ગયા ? બસ, તેમને મન સાનૈયા ફૂંછ નહી, એટલે તેમણે આત્માને અને આત્મસમૃદ્ધિને મહત્ત્વ આપ્યું; કાણૢ કે તેમણે જોયું, કે આત્મજ્ઞ બની સાધક બનવાની જરૂર છે.
·
આત્માને મહત્ત્વ આપ્યા પછી પણ અત્યાર સુધી ઊંધા વૈતરણ કર્યા. તેનુ શું ? સાજણનાં ખૂન કર્યાં, પછી કહે : ‘ભૂલ થઈ ” માફી માગું છું.” આમ એકલી માફી માગે તે ચાલે ?
આત્માને મહત્ત્વ આપ્યા પછી ઊંધા વેતરણ સામે સીધાં વેતરણ ઊભા કરવાં જોઈએ, તે માટે શુ કરવુ જોઈએ?
Page #238
--------------------------------------------------------------------------
________________
અરિહંત આત્મહિતની પ્રવૃત્તિ :
પહેલાં જડને મહત્વ આપીને, જડની પૂર જેસમાં પ્રવૃત્તિ કરતો હતો, એવી પ્રવૃત્તિ કરતો હતો કે નજર સામે જડ ને જડ રહે. વેપારી દુકાન પર બેસે તો માલ ને પૈસા સિવાય કાંઈ સામે આવે તો તેને ધ્યાનમાં જ નથી લેતો, એવી રીતે હવે આત્મજ્ઞ બને તે તેની સામે આત્મહિત સિવાયની બીજી વાત આવે તે એના પર બહુ લક્ષ જ ન દે, એ તો આત્મહિતની એવી પ્રવૃત્તિઓમાં લીન રહે કે એને આભા જ આભા યાનમાં રહે એટલે કે નજર સામે આત્મા જ આવ્યા કરે ત્યાં પ્રવૃત્તિ જ એવી ! જેમ નવરા પડો ને જે વિકથામાં ચડે તો નજર સામે જડ જ આવે, એમ નવરા પડે ને મહાપુરુષનાં ચરિત્ર વાંચે તે નજર સામે પરાક્રમી આભા જ આવે. “કેવું સરસ તેમનું કામ!
આમ આત્મહિતની ધરખમ પ્રવૃત્તિ થયા કરે, તે એમાં આત્મા જ નજર સામે આવ્યા કરે; અને એવું કરાય તે સીધાં વેતરણ થાય, ને તેથી જૂનાં આંટા ઊકલી જાય, જુની વેતરણનું વળતર થઈ જાય, - જ્યારે આત્મા અનાત્મા હતા, ત્યારે રંગરાગ ને મોજ-મજામાં હતું, જડમુખે હતો, એટલે કે એ જે કાંઈ કરે ત્યારે જ તેની સામે આવે, એના બદલે આત્મજ્ઞ પુરુષને મહાપુરુષ-ચરિત્રનાં વાંચન વગેરે કરતાં કરતાં તેની સામે ત્યાગ-વૈરાગ્ય-સંવેગ-નિ:સ્પૃહતા-વાતવાતમાં વિરતિ, આટલું બંધ, આટલે ત્યાગ એ બધું નજરે ચઢે છે. અનામત્ત અવસ્થામાં આ બધું કયાંથી હેય? એને તે કુટુંબની સેવા, પરિવારની સેવા, વેપાર ખટલાની સેવા,
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૧૬
નવપદ પ્રકાશ આડતિયાની પાકી આરતી, આવું બધું જ કરવાનું રહેતું ને એમાં જડ જ જડ નજર સામે રહેતું હતું. માટે જ એ પાકે અનામશ, હૃદયથી અનાત્મજ્ઞ હતો. આત્મધ્યાન :
હવે દેવાધિદેવની સેવા, સાધુની સેવા, ધર્માત્મા સાધર્મિકની સેવા, ધમજનોનો સંસર્ગ-આ બધું રાખે, તો નજર સામે આભા જ આભા રહે. આ છે આત્મહિતની પ્રવૃત્તિ, આ બધાના ગુણોની અનુમોદના કરે, તો આમા નજર સામે તરવરે. આનું નામ છે આત્મધ્યાન
જડ ધ્યાનથી આત્મ દ્ધિ લુપ્ત હતી. હવે આત્મધ્યાનથી આમ–દ્ધિ પ્રગટ થવા માંડે છે,
કવિએ “આતમધ્યાને સવિ આતમરિદ્ધિ આવી મળે ? એમ કહ્યું, તો આ આતમ-ધ્યાન એટલે શું ? - શું ગુફામાં બેસીને “હું આત્મા! હું આત્મા !” એમ રટયા કરવાનું, કે જોયા કરવાનું? ના. એટલું કરવાથી પૂર્વના અનાત્મજ્ઞ એટલે કે જડમુખા આમાના કરેલા ઊંધા વેતરણના સંસ્કાર ભૂંસાય નહીં. કુસંસ્કારના ઊંધા વેતરણ:
ઊંધા વેતરણ કેવાં? કે - (૧) સ્વાર્થવૃત્તિની અંધતામાં પરનું ભલું કશું જવાનું નહિ.
(૨) બેઠા કામ થતું હોય તો ઊભા થવાની વાત નહિ, એવું હરામ હાડકાપણું.
Page #240
--------------------------------------------------------------------------
________________
હું ત
૨૧૭
(૩) ખાવાનુ છૂટથી મળતું હોય, અને ખાઇ શકાતુ હાય, તે એક ટંક પણ ખાવાનું છેાડવાની વાત નહીં....
(૪) અનુકૂળ સગવડા જેટલી મળે એટલી ભાગવી લેવાની જ વાત;
(૫) બિમારી ના પાડતી હોય એવા પદાર્થોના પણ પ્રતિજ્ઞાથી ત્યાગ રાખવાની વાત નહિ.
(૬) મનમાન્યું અની આવે એમ હાય હાય જૂઠડફાણ ચારી, અનીતિ, માયા, પ્રપ`ચ, વિશ્વાસઘાત વગેરે આચરી લેવામાં લેશ પણ સ`કાચ નહી! એસ જરાજરામાં
(૭) ગુસ્સા, રાફ, મ, માસ, નિંદા, ચાડી, આરોપ, કુવિકા વગેરે કરતા રહેવાનુ થયા કરે.
આવા કેઈ પ્રકારના ઊંધા વેતરણ, હજારા, લાખા શુ, કરાડા વાર કરેલા છે. એના આત્મા પર કેટલી રકમના ઘેરા સંસ્કાર જામ થઈ ગયા હૈાય ?
શું આ ઘેરા સંસ્કાર એમ ને એમ નિરાંતે આરામથી એસી અને બીજી બધી હિત પ્રવૃત્તિએ-પરા પ્રવૃત્તિઓ તથા અનેકવિધ ત્યાગ, અનેકવિધ તપ, તેમજ દેહાધ્યાસને તેડી નાખે એવા પ્રતિક્રમણ, અને કલાકો સુધી સ્વાધ્યાય વગેરેની પરવા મૂકી દે અને એકલુ` ‘આત્મા ! આત્મા !” એવું આત્મધ્યાન કરે, તો ભૂંસાય ખરા ? કુસંસ્કારે દૂર કરવાના ઉપાય :
એ કુસંસ્કારો તા એના પ્રતિપક્ષી અનેકવિધ ધર્મોસાધનાઓ, હિત પ્રવૃત્તિઓ, કાયકષ્ટદાયી આરાધના વગેરેના ધરખમ સેવનથી જ ભૂંસાય.
Page #241
--------------------------------------------------------------------------
________________
નવપ્રદ પ્રકાશ
આ ઊંધા વેતરણના કુસ`સ્કારી અનેકવિધ માનસિક વાચિક, કાયિક, સત્ પ્રવૃત્તિઓના ધોધમાર આચરા દ્વારા ભૂંસવાથી જ પરાવૃત્તિ, કાનિમ મતા, નિ:સ્વા સેવા, વૈયાવચ્ચ, ક્ષમા, નમ્રતા, નિ:સ્પૃહતા, ત્યાગ, તપ, વિશુદ્ધજ્ઞાન, દર્શન, અહિંસા, સંયમ, વગેરે આત્મ-ઋદ્ધિઓ સમૃદ્ધિ પ્રગટ થાય.
૨૧૮
વિચારવા જેવું છે કે આ બધી સમૃદ્ધિ ગૂફા જેવામાં એસી આત્માનું કારૂ ધ્યાન કરતા રહેવામાં શી રોતે પ્રગટ થાય?
સ`સ્કારનું દૃષ્ટાંત :
એવા એક પ્રસંગ અન્યા. એક પ્રમુખ સાધુ બિમાર હતા. બીજા અનેક મુનિએ સેવામાં હાજર રહેતા, પરતુ એક સારૂ ભણેલા સાધુ સેવામાં ફરકે નહિ, એમને પૂછવામાં આવ્યું કે શું તમને ખબર નથી કે આ મહારાજ બિમાર છે?”
અને
એમણે જવાબ આપ્યા : ૬ અને અાર છે, તેમના માટે હું મૈત્રીભાવના ચિંતવું છું, જેથી એમના રોગ મટી જાય, ઝ
3
વિચાર. આ ભાવના કરવાથી ખિમાર રાગીના રોગ મટે કે ન મટે એ જુદી વાત છે, પરંતુ ભાવના કરનારને પેાતાના આત્માના હશમહાડકાના રોગ મટે ખરા? કે પેાતે હાડકાં સુવાળાં ન રાખતાં કાયાનું કષ્ટ ઉપાડી, ખિમારની સેવા કરે, તેા જ એ આત્મરોગ મટે ? પરંતુ આ ન સમજનાર અને મૈત્રી ભાવનાથી જ પતાવનારને કોણ કહે કે “ ભાઈ! તમને બિમારી આવે અને બધા
Page #242
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૨૧૯ મૈત્રીભાવ ચિંતવી લે ને કાયાથી તમારી સેવામાં કેઈ ન ઊભું રહે, તો તમારે ચાલે ને? '
વાત આ છે: “અનાદિના ઊંધા વેતરણ કેરા આત્મધ્યાનથી ભૂંસાય નહીં. (ને તે વિના આમસમૃદ્ધિ પ્રગટે નહીં) એ તો સીધા વેતરણથી જ ભૂંસાય,
દા. ત. હાડકાં હરામ કરીને ઊભા કરેલા કુસંસ્કાર હાડકાં વિવિધ ધર્મ ક્રિયામાં તથા સેવા સુશ્રષામાં આખા કર્યા સિવાય જાય નહીં.
કોધ કરી કરીને ઊભા કરેલા કુસંસ્કાર જગત વચ્ચે રહીને આવી પડતા પ્રતિકૂળ પ્રસંગમાં અનેકાનેક વાર ક્ષમાને અભ્યાસ રાખ્યા વિના જાય નહીં.
નકરી સ્વાર્થોધતા જ સેવી સેવીને ઊભા કરેલ કુસંસ્કાર પરાર્થવૃત્તિ, પરગજુતા, પરેપકાર વગેરેની અને કાનેક વારની પ્રવૃત્તિઓ આચર્યા વિના ભૂંસાય નહીં,
ખાઉ, ખાઉંની વૃત્તિ-પ્રવૃત્તિથી ઊભા કરેલા કુસંસ્કાર ઉપવાસ, એકાસણું, બે આસણું, વગેરેના સતત તપના ખૂબ અભ્યાસ વિના ભંસાય નહીં.
પૈસા કિંમતી, પૈસા કિંમતી’ એમ જનમ-જનમ કરી કરીને સરજેલી ગાઢ ધન-મૂચ્છના કુસંસ્કાર પરાર્થ પરમાર્થમાં છૂટે હાથે વારંવાર દાન કર્યા વિના મટે નહીં. એટલે જ દેખાય છે કે કેરૂં આત્મધ્યાન લઈ બેસનારા પૈસા સાચવવામાં પાક. સાવધાન રહે છે, અનેકાનેક પાથ હાથવેંતમાં છતાં પૈસા છૂટતા નથી,
પ્રઆ બધું તો સૂચવે છે કે આત્માની ઉપરોક્ત ખરાબીઓ ઉપરેત જેવી માહિતની ધરખામ પ્રવૃત્તિઓ
Page #243
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ વિના મટે નહિ અને તે વિના આમ સમૃદ્ધિ પ્રગટે નહિ તો પછી અહીં આમધ્યાનથી આમ સમૃદ્ધિઓ આવી મળે એટલું જ કહ્યું, એનું શું ? આતમ-ધ્યાનનો અર્થ :
ઉ–અહીં “આતમસ્થાનને અર્થ એ છે કે બધી આત્મ-હિતની પ્રવૃત્તિઓ કેન્દ્રમાં આત્માને પૂરો ખ્યાલ રાખીને કરવાની છે, આભાને ઉદ્દેશીને કરવાની છે, અને આમાના સ્થિર લક્ષ સાથે કરાતી હિતપ્રવૃત્તિઓ પણ આત્મ-ધ્યાનરૂપ છે-એ વાત વિચારાઈ ગઈ છે. “જ્ઞાનધ્યાનમાં ઉજમાળ રહેજો – હિતવચનમાં “ધ્યાન શબ્દથી એકાગ્રતાપૂર્વક કરાતા ધાર્મિક આચાર-ક્રિયાઓ જ લેવાની છે.
જ્યારે “આત્મધ્યાન” શબ્દથી મુખ્ય ઉદેશે આત્માનો લીધો એટલે પછી દેવદર્શનાદિ હિતપ્રવૃત્તિઓ દુન્યવી સુખના ઉદ્દેશથી નહિ કરાય; કેમકે એ સુખ તે આત્માના નહિ કિન્તુ કાયાના, કાયા અને ઈન્દ્રિનાં, સુખ છે, આભાના ઉદ્દેશમાં તો આ સુખ નહિ પણ કલ્યાણ આવે.
અણસમજુ જીવ બધું સુખ માટે કરે છે.
સમજુ જીવ બધું કલ્યાણ માટે કરે છે. એટલે આતમધ્યાને કહીને આત્માના મુખ્ય લક્ષવાળી જ શુદ્ધ આત્મકલ્યાણ માટેની હિત પ્રવૃત્તિઓ લેવાનું સૂચવ્યું. એ પણ એકાગ્રતાપૂર્વક અર્થાત તન્મય થઇને કરાય તો જ ધ્યાનરૂપ બને; તેથી એને તન્મય થઈને કરવાનું સૂચવ્યું.
બે વાત થઈ:હિત પ્રવૃત્તિઓ (૧) આત્માના જ ઉદ્દેશથી કરવાની, અને (૨) એકાગ્રતા-તન્મયતાપૂર્વક કરવાની
Page #244
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
અરિહંત
૨૨૧ (૧) આત્માના ઉદ્દેશથી એટલે?
દ, ત, ઉપવાસ કર્યો તો તે આત્માના આત્મકલ્યાણના લાભમાં ઉતારવાને; એ તો જ બને કે જો આમા જ નજર સામે હેય, આમા જ ધ્યાનમાં હેય; ને એ જ આતમધ્યાન ઉપવાસમાં આત્મા જ નજર સામે હોય એટલે ખ્યાલ રહે કે આત્માનો સ્વભાવ અણહારીપણાને છે. એ સ્વભાવ અત્યારે ઢંકાઈ ગયો છે, પરંતુ એને ખેલ-પ્રગટ કરે છે તે ઉપવાસ એ સાધન છે. ઉપ=નજીક, વાસ સ્વભાવમાં વસવું. ભૂખ લાગવાનું કારણ :
પ્ર-આત્માનો સ્વભાવ જો અનાહારીપણાને છે, તે પછી ભૂખ કેમ લાગે છે? આહારની ઈચ્છા કેમ રહે છે? | ઉ-આત્માને કાયાને વળગાડ છે, તેથી ભૂખ લાગે છે. ખાઈ ખાઈને કાયાને વળગાડ વળગ્યો, ને કાયાના વળગાડથી ખાઉં ખાઉંની સંજ્ઞા વારેવારે ખાઈને પિષ્યા કરાય–અટલે પછી કાયાને વળગાડ જવાનો જ નહિ, તેથી કાયાનું ભૂતડું કાઢવા માટે ઉપાય આ જ છે કે-“આહાર સંજ્ઞા બને તેટલી કચડતા જવું ? એમ જડ આહારની પ્રવૃત્તિ જેટલી બંધ થાય, તેટલું એનું ધ્યાન મટે, ને આત્માનું ધ્યાન લાગે, આમાની નાલેશી:
રેડિયો પર સમાચાર સાંભળવા છે, રસ પૂરી ઉડાવવા છે, મોટરમાં ફરવું છે, ને સાથે આત્માનું ઉત્થાન કરવું છે, એણે આત્માનેય ઓળખ્યો નથી, અને એ આત્માના ધ્યાનને ય સમયે નથી.
નાખ્યા
અતઃ * * *
*
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૨
નવપદ પ્રકાશ
જેણે આત્માને જાણ, એને જડની પ્રવૃત્તિ ભારે વરૂપ કંટાળાજનક અને આત્માની નાલેશી કરનારી લાગે. નજરકેદી રાજાએ પોતાનું સ્વાતંત્ર્ય શું છે, તે જાણ્યું છે, તો કેદમાં મોટા રાજા તરફથી ખાન-પાન, સંગીત, શયન, વગેરેની અપાતી બધી સગવડને એ વેઠ રૂ૫, કંટાળાજનક અને નાલેશીભરી સમજે છે, તો પછી જો આમાને જાણ્યો છે, તો શું જડની પ્રવૃત્તિ એવી ન લાગે? માટે જ જડ પ્રવૃત્તિમાંથી જેટલું બહાર નીકળાય એટલું સારું, જેથી આત્મહિતની પ્રવૃત્તિમાં રહેવાય, અને ત્યાં આભાનું મુખ્ય ધ્યાન રહે.
આત્મા જ સર્વેસર્વા:
તાત્પર્ય, બધી પ્રવૃત્તિમાં આત્માને આગળ કરી, આમાને જ મહત્વ આપે, કદાચ કાયાને વધુ કષ્ટ પડયું તો ખુશી અનુભવો કે આ મારા આત્માને વધારે કુર્મક્ષયને લાભ આપનારૂં કષ્ટ આવ્યું તે સારું થયું સ્વાધ્યાય :
આત્માને મુખ્ય કરવાના હિસાબે જ ધ્યાનની પ્રવૃત્તિને સ્વાધ્યાય કહ્યો. “સ્વાધ્યાય એટલે સ્વને અવાય. સ્વનેઆભાને ઉદ્દેશીને કરાતું અધ્યયન એ સ્વાધ્યાય,
અત્યાર સુધી અનંતા ભવમાં પાપનાવિક અનહદ કરી કરીને જન્મ બગાડયા, એ હવે જે માત્ર આત્માને અનુલક્ષીને જ શાશ્વાધ્યાય કરાય તો તેનું નામ સ્વાધ્યાય કહેવાય,
આત્માને નજર સામે રાખ્યા એટલે અધ્યયન કરતાં મને માન મળે, યશ મળે” વગેરે મલિન આશ ઊડી
Page #246
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૨૨૩ જવાના, કેમકે એ માન વગેરે બધું કાયાના લાભના છે. આત્મા માટે તે એ કષાયેના કચરા વધારનાર છે.
આત્માને નજર સામે રાખ્યો એટલે આત્મામાં કચરા વધારવાના નથી, પરંતુ સાફ કરવાના છે. એટલે જ પાપ વિક કે મફતિયા વિચાર ને વિકલ્પ-વિચારોથી બચવા અધ્યયનમાં વિશેષ તન્મયતા રહેશે. એનું નામ સ્વાધ્યાય છે, આત્મધ્યાનની આવશ્યકતા :
આત્મધ્યાન ઊંધા વેતરણ કાઢવા માટે સીધાં વેતરણ રૂપ છે. એટલે જ અત્યાર સુધી દાત. જીભથી ખાવાની લાલચ રાખી હતી એ ઊંધા વેતરણ હતાં, એ કાઢવા માટે તપનાં સીધાં વિતરણ જ કામ લાગે,
અત્યાર સુધી આંખેથી જગતનું સારું સારૂં જવાના ઊંધા વેતરણ હતાં, તે કાઢવા માટે હવે પ્રભુ દર્શન, ગુરુ દશન, શાસવાંચન વગેરે સીધાં વેતરણ જ કામ લાગે.
અત્યાર સુધી પાપ વિકલપનાં ઊંધા વિતરણ હતાં, તે અટકાવવા માટે શાસ્ત્ર સ્વાધ્યાયનાં જ સીધાં વેતરણ જોઈએ.
અત્યાર સુધી જડ પદાર્થોની આશાઓનાં ઊંધાં વેતરણ રાખેલાં, તે સર્વ ત્યાગરૂપ ચારિત્રનાં તલસાટ, સ્વીકાર ને પાલનનાં સીધાં વેતરણથી જ મટે. માટે તો સંપ્રતિ રજાના જીવ ભિખારીની દીક્ષાનું પણ મહત્ત્વ હતું અને તે માત્ર અડધા દિવસના ચારિત્રના ફળ રૂપે એક લાખ નવાં જિનમંદિર અને સવા કોડ નવાં જિનબિંબ તેમજ ૩૬૦૦૦ જિર્ણોદ્ધારને કરાવનાર રાજા સંતતિને અવતાર મળે.
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૨૪
આત્મસમૃદ્ધિના પ્રગટીકરણના ઉપાય :
'
આ અધાં ઊંધાં વેતરણ ભૂંસવા માટે તે તે પ્રકારના સીધાં વેત જોઇ એ, એટલે સમજારો કે ખરૂં. આત્મ ધ્યાન એવા અધા સીધા વેતરણમાં જ છે,,' અને એમાં મુખ્યત્વે આત્મા જ નજર સામે રહેવાથી એને આત્મધ્યાન કહી શકાય છે. તેમજ આત્માને અનુલક્ષીને કરાતાં એ સીધાં વેતરણથી આત્માની તપ ક્ષમાદિ ગુણ વગેરેની સમૃદ્ધિ પ્રગટ થાય છે.
મનને સમજાવા અથવા મારો :
નવપદ પ્રકાશ
પ્ર૦-કેટલીક વાર સીધુ વેતરણ અશકય બને છે, દા. ત. ગુસ્સાની સામે ક્ષમા કરવા માગીએ, છતાં અવસરે ક્ષમાને બદલે ગુસ્સા જ થઈ આવે, ત્યાં શું કરવું?
ઉo-એ માટે ગુસ્સાનેા દંડ નક્કી કરવા. દા. ત. મારે નિયમ કે ગુસ્સે થઈ જાય તે ઉપવાસ, અગર એકારાન, અગર સે લોગસ્સના કાઉસ્સગ્ગ કરવા. એમ દંડના ભયથી ગુસ્સાના ટેક ઓછા થતા જશે, પરસ્ત્રીદર્શનથી પ્રચવા માટે એવા ઉપાય યાજવા જોઈએ. જેને દિવસમાં મહુ વાર ગુસ્સો, મહુવાર સ્ત્રીદર્શન વગેરે દોષ નડતા હોય, એ જો પ્રારભે એટલુંય નક્કી કરે : ‘ આજે મારે ઓછામાં ઓછા પાંચવાર ગુસ્સાને અટકાવવા. એછામાં એહું પાંચ વાર તા પરીદશ નથી ખચવુ' તે પછીથી મન મારીને પણ એમ અચારો,
આમાં આત્મા ને આત્મહિત જ નજર સામે છે, એથી એ એક પ્રકારનું આત્મ-ધ્યાન જ છે. એમાં મન મારીને પણ ક્રોધાદિ આત્મઢાષાથી પચવામાં વીતરાગ ભાવના આંશિક ગુણ પ્રગટ થાય છે, એ આત્મ સમૃદ્ધિ જ છે,
Page #248
--------------------------------------------------------------------------
________________
મા
જ ' જ '
'કે
:
ન
-
11
+
:--
*
અરિહંત
૨૨૫ શરૂ શરૂમાં, ભલે કદાચ દિલથી નહિ, તેપણ મન મારીનેય દોષોનો નિગ્રહ અને ક્ષમાદિ ગુણોને અભ્યાસ કરે અત્યંત જરૂરી છે.
દા. ત. કેઈના પર હૈયામાં ક્ષમા ન બેસતી હોય, ગુસ્સ કરવા મન રહેતું હોય, છતાં મન મારીને જે બહારમાં ગુસ્સે ન લવાય, તે એવું અનેક વાર કરતાં કરતાં અંતરમાંથી ગુસ્સાનું જોર ઘટતું આવે છે. ગુસ્સાના કુસંસ્કાર ભંસાતા આવે છે. ગુણ-સુકૃતનો કમશ અભ્યાસ : | મન મારીને, પણ વારંવાર કરેલ ગુણનો તથા સુકૃતોનો અભ્યાસ દષના ને દુષ્કતોના કુસંસ્કારને અર્થાત અશુભ અનુબંધોને (પાપના અનુબંધને) તોડે છે, અને એ કમશ: તૂટી જતાં, પહેલાં ભલે અંતરમાં ગુસ્સો વગેરે ખરાબ ભાવ હતા, અને ગુણોના અભ્યાસરૂપે માત્ર બહારથી ક્ષમા વગેરેને જાળવતા હતા. તે હવે એ ખૂબ અભ્યાસ દ્વારા પાપાનુબંધ તૂટી ગયા પછી હવે અંતરમાં જ કોધાદિ અશુભ ભાવ ઉઠતા નથી, મન મારીને પણ કરેલા ગુણસુકૃતના અભ્યાસનું આ ફળ પ્રત્યક્ષમાં દેખાય છે; એટલે પ્રશ્ન થાય, પાયાનુબંધો તૂટે ખરા? - પ્ર–પાપાનુબંધ-અશુભાનુબંધે તો પૂર્વથી લાવેલા હેય એ અશુભ ભાવ દુબુદ્ધિ વગેરે જગાડે જ છે, પછી બચવાનો આ જ કયાં છે?
ઉ૦-મન મારીને પણ એટલે કે અંતરમાં તો કષાયને ૧૫
નન
ન
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૨૬
નવપદ પ્રકાશ. અશુભ ભાવ છે, દુબુદ્ધિ છે, છતાંય બહારથી મન મારીને પણ કરેલ ગુણ-સુકૃતને અભ્યાસ ધીરે ધીરે પાપાનુબંધને તે આવે છે, અને એમ ક્રમશ: તૂટી જતાં હવે અંતરમાં શુભ ભાવ-સદબુદ્ધિ સહેજે જાગે છે.
દા. ત. શરૂ શરૂમાં ઉપવાસ-આયંબિલ-એકાસણું વગેરે તપ કરવાને ભાવ જ નહતો થત, ખાવાના ભાવ રહેતા હતા. એ શુભ ભાવ છે. પૂર્વના પાપાનુબંધનું એ ફળ છે. છતાં મન મારીને પણ તપને જે અભ્યાસ કર્યો જવાય તો, ભલે, શરૂ શરૂમાં તપ વખતે ખાવાના વિચાર આવી જતા હતા, છતાં મન મારીને પણ ચલાવેલ તપના અભ્યાસથી ખાવાના વિચાર મોળા પડતા જાય છે. અને એક દિવસ એવો આવી લાગે છે કે હવે ખાવાની લાલચે ઊઠતી નથી. બલકે તપના જ ભાવ જાગ્યા કરે છે, આ શું થયું ? પાપાનુબંધ તૂટયા, ખાઉ, ખાઉં ના કુસંરકારે તૂટયા તે જ ખાવાના ખરાબ ભાવ અટકળ્યા. આ કોણે કર્યું ? ભલે, પ્રારંભે અંતરમાં તપના શુભ ભાવ નહિ પણ ખાવાના અશુભ ભાવ હતા, છતાં મને મારીને બહારથી તપગુણતપ-સુકૃતને અભ્યાસ ચાલુ રાખ્યો. એણે એ પાપાનુબંધો તોડયે જવાનું કામ ચાલુ રાખ્યું, તે સરવાળે એ તૂટી જતાં હવે અંતરમાં જ તપના શુભ ભાવ જાગે છે, આત્માને નજર સામે રાખે:
આમ મન મારીને પણ બહારથી કરેલો આત્મગુણેનેઆત્મસુકૃતોને અભ્યાસ કુસંસ્કારને યાને અશુભ અનુબંધને તોડે છે. એ કરવામાં આત્મા નજર સામે છે. કેમકે વિચાર રહે છે કે “આ જાલિમ આહારસંડા, કોધસંજ્ઞા વગેરેથી મારા આત્માનું બ બગડી રહેલહુ છે, તેથી
Page #250
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૨૭ લાવ, તપ અને કોનિગ્રહ વગેરેના અભ્યાસ, ભલે અંતરમાં સંશા પીડતી હોય તોય, ચાલુ રાખ્યું.'
આમ ગુણ-સુકૃતના અભ્યાસમાં પણ આત્મધ્યાન ચાલુ જ છે, અને સરવાળે એવા બહુ અભ્યાસથી પાપાનુબંધ તૂટી જતાં અંતરમાં તપ-ક્ષમા વગેરેની આત્મસમૃદ્ધિ પ્રગટ થાય છે. એટલે અહીં કહ્યું: આતમ ને આમ રિદ્ધિ, મળે સવિ આઈ રે.
વાત આ છે : ભલે મનમાં ખોટા વિચાર આવતા હેય કે ચાલુ હોય, પરંતુ સારું આત્મહિત મન મારીને પણ કર્યું જાવ, એ મૂળ તો આત્માને નજર સામે રાખીને જ છે, એટલે કે આત્માનું ભલું થાય એ માટે જ કર્યું જવાનું છે, તેથી એમાં સાચું આત્મ-થાન જ છે. ઉપવાસ શબ્દનો મહિમા
આ જ હિસાબે ઉપવાસ શબ્દને મહિમા છે. અંતરમાં હજી ખાવાની લગાન-આહાર સંજ્ઞા ઊભી છે, છતાં એક દિવસ માટે પચ્ચક્ખાણથી ખાવાનું છોડ્યું એટલે “ઉપર એટલે કે આત્માની નિકટમાં “વાસ – વસવાનું થયું. આત્માની નિકટ રહેવાય, તો આત્મ-ભાવ-સ્વભાવ પ્રગટે, પછી એનો બહુ અભ્યાસ થતાં પરાકાષ્ઠાએ આત્મભાવમાં એકાકારતા આવી જાય છે. તુહિ, તું હિ; તું હિ માતા, તેહિ જાતા, એમ જે આત્માની એકાગ્રતા-તન્મયતા ઊભી કરાય છે, ત્યારે સહજ ભાવે એ બધી આસક્તિ છૂટી જાય છે, અને અનાસકત એગ લાધે છે.
પછી ઉપરની કક્ષામાં એક જ આત્મધ્યાન રૂપી વાવાઝોડું બસ છે. મોહનીય કર્મનાં છાબડાં ઊંચકાઈ
Page #251
--------------------------------------------------------------------------
________________
૧૮
નવપદ પ્રકાર
તણાઈ ગયા. સમજો, અને તરતમાં વીતરાગ ભાવ તથા અનંત જ્ઞાન-દર્શન–વીર્યાદિ લબ્ધિ સ્વરૂપ ઉત્કૃષ્ટ આત્મસમૃદ્ધિ પ્રગટ થાય છે.
9
આમ આત્મધ્યાનથી રિદ્ધિ મળે સવિ આઈ મહુ તપ વગેરેથી ક‘ટાળનારે સમજવુ જોઇએ કે ખાઉંની અનંતા કાળની ઊંધી રમત છે, એની સામે બે-પાંચ ભવની તા સીધી મહેનત જોઇએ ને ?
એ કરવાથી અશુભ અનુ.ધા તૂટતાં અર્થાત અનેકાનેક ભાવી ભવાની બીજશક્તિ તૂટતાં ભાવી ભવા ઢકાય છે, અને અલ્પ ભવામાં કમ અને અશુભ અનુભધાના ચાપડા ચુકતે થઈ જાય છે.
વાત આટલી જ છે કે આત્માને નજર સામે રાખી, એકાકાર મની, કામ કર્યે જાવ; ફળ નિર્વાશ્ચત છે.
આત્માને નજર સામે રાખનાર નેકર તે શેઠ અન્ય
*** R
સુદર્શન શેઠના જીવ પૂર્વભવે એ જ ઘરમાં દેરાં ચારના નોકર છે. આકાશગામી મુનિ પાસેથી માત્ર ‘નમેા અરિહંતાણ” મળ્યુ, તા એણે એમાં એકાકારતા કરી, દિવસ-રાત એ જ રણ, તે દુ:ખદ અકાળ મૃત્યુ વખતે પણ દેહાધ્યાસ ભૂલી દેહ કષ્ટને-દેહંવેદનાને અવગણી ‘નમા અરિહંતાણં” ની જ રાણા રાખી.
આ રટણાથી શું જોઇતુ હતું એને ? એના શેઠ અદ્દાસે અને શીખવ્યું હતું કે આ મંત્રથી ઠેઠ જન્મ મરણ સુધીની પીડા જાય' તો એને એ જ જોઇતું હતુ. એટલે જ અકાળ મેાતની કારમી પીડા વખતે પણ રાખેલી એ જ રાણા
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૨૯
અરિહંત આત્માને ઉદેશીને જ હાઈ આમધ્યાન રૂપ જ હતી. પરિણામ? પછીના જ ભવે સુદર્શન શેઠને અવતાર !
એકાંત રાણીવાસમાં ભાગ માટેના રાણીના કાલાવાલાં છતાં વિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન. પછીથી રાણી દ્વારા આરોપ અને રાજાની ખુલાસા માટેની ખાસ માગણી, છતાં રાણીની હિંસા ન થાય એ માટે કડક મૌન, જાએ ફરમાવેલ શૂળીનું સિંહાસન, અંતે ચારિત્ર અને એ જ ભવમાં મેક્ષ ! વગેરે અચિંત્ય પરિણામ આવી ઊભાં, આ મૂળ કેનું ફળ? આત્માને અનુલક્ષીને કરેલી ‘નમો અરિહંતાણુની એકાકારતા, મતલબ સાકેય આમધ્યાન એ મૂળ કારણ હતું. એના પર બધી આત્મસમૃદ્ધિ પ્રગટ થઈ ગઈ. સુદર્શન શેઠને એવા આત્મધ્યાન દ્વારા બીજા જ ભવે કમ અને અનુબંધોના ચોપડા ચુકતે થઈ ગયા
Page #253
--------------------------------------------------------------------------
________________
મલાડ (પૂર્વ)
વાચના ૧ ૦
મહા વદ ૧૩ ૨-૨-૮૦
અરિહંત
શ્રી અરિહંતપદ કાવ્ય યિંતરંગારિગણે સુનાણે સપાડેહાઈસય પહાણે સંદેહસંદેહ-રહેં હરતે ઝાએહ નિચંપિ જિણે હું તેના
અથ: આંતર શત્રુઓના સમૂહને જીતનાર, ઉત્તમ જ્ઞાનવાળા, આઠ પ્રાતિહાર્ય સહિત ત્રીસ રપતિશય વડે પ્રધાન ભવ્ય જીના સંદેહના ખૂહ રૂપી રજને હરણ કરનાર એવા અને અ-રહુત અર્થાત્ જેને કશું રહસ્ય રહ્યું નથી, એટલે કે ગુપ્ત રહ્યું નથી એવા જિનેશ્વર પ્રભુનું હંમેશાં ધ્યાન ધરે, વીતરાગ :
જિનેશ્વર એટલે વીતરાગ એવા અરિહંત પ્રભુ; જે અષ્ટ પ્રાતિહાર્યની શોભાવાળા છે, બાર ગુણે ગુણવંતા છે. અને ચોત્રીશ અતિશયવાળા છે. તેમનું હંમેશાં ધ્યાન પણ. ધરે. (નિર્ચાપિ હંમેશાં પણ)
Page #254
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૨૩૩
એટલે કા વિરોષમાં તા જરૂર ધ્યાન ધરે, પણ હું ઐશાં પણ તેનુ ધ્યાન ધો.
કારણ તે કેવા છે ? તે કે
રાગદ્વેષ, કામ, ક્રોધ, લાભ, માન વગેરે અંતરંગ શત્રુના સમૂહને જીતનારા છે. વીતરાગ-ધ્યાનની અસર
આપ્યું અગાડનાર આ અંતર્ગ શત્રુ છે. તેમને જેણે જીતી લીધા છે એવા અહિત પ્રભુનું ધ્યાન ધરો, તેથી આપણું મન સ્વચ્છ થાય, રાદિ વિનાના તેમને મનમાં લાવીએ તા મન નિમળ અને
અરિહંતને મનસાં કેમ લાવીએ ?
એટલા માટે કે વારવાર અરિહંત અનમાં ભાવથી લવાય એટલે અંતરંગ શત્રુ હટાવનારને મનમાં લાવ્યા તેથી અંતર્’ગ શત્રુ રાદિ પર ઘણા ઊભી થઈ, તેમજ એ વખતે અંતરંગ શત્રુ ખૂબ ભલાતા જાય. આ સૂચવે છે કે હું તને મનમાં ખૂળ લાગે તે અંતર્ગ શત્રુઓને ભુલા
તા પ ા છે કે કાર્યની સાથે કષ્ટ થયા ને લાગ્યું કે “આ મારો દુશ્મન છે,” “આછું મા ખગાડચુ છે;” તે પુર્ણ્ અમિત્રતા, વેર, ક્રોધ, વિરાધ, મનમાં આવેલા હાય, હવે જો અહિં નું ધ્યાન કરવું છે તો તે કૈર વિરોધને ક્રમમાં કમ અરિહંતના ધ્યાન વખતે બહાર કાઢી નાખવાના.
પેલા વેર, વરાધ, કષાયો વગેરેને અંદર રાખી મૂકવ્યા હશે, તેા અરિહંતનુ ધ્યાન ખરાખર લાગરો નહી”, વહાલા
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૩૨
નવપદ પ્રકાશ
લાગતા વિષયા, કષાયા, ને વાસનાને ફેંકી દો. ભલે માટી ઈન્દ્રાણી આવે. તેાય પરવા ન કરવાની, તેની વાસનાની જેમ ખાવાપીવાની વાસના જાગે, તે તે વાસનાને ય આજુએ મૂકવાની, એ વખતે મનમાં લાવવાનું કે મારે તે એક અરિહંત જ સાધ્ય-ઉપાસ્ય છે, બીજું કાંઈ નહિ, અશુભ અનુબંધ તૂટવાનું કારણ
અરિહંતના ધ્યાનમાં કૅમમાં કેમ આ વાસના અને કષાયાને બહાર મૂકીએ, તેા લાભ એવા અનન્ય છે, કે જન્મ જન્માંતી જે અશુભ અનુધ-પાપનુમા લઈ ને આવ્યા છીએ, તે તૂટતા જાય.
અરિહંતના ધ્યાનનાં અશુભ અનુબંધ તૂટી જાય, તેના જેવા ઉત્તમ લાભ અન્ય કોઈ નથી,
પાપ બુદ્ધિના અભાવ
દા. ત. મહાવીર ભગવાને ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં શય્યાપાલકના કાનમાં કેટલા ઉગ્ર ભાવથી સીસું રેડાવ્યું હતુ ? તે ત્યારે તીવ્ર અશુભ અનુંઅધવાળા યાને તીવ્ર પાપાનુબંધી પાપકમ ધેલા, એ પાપક તે અશાત્તાવેઢનીય આદિ.
હવે તે તીવ્ર પાપ ઉયમાં આવે, ત્યારે તીવ્ર પાપાનુંબંધ પણ ઉદયમાં આવે ને તેનાથી ભયંકર પાપબુદ્ધિ જાગે; પરંતુ એ પાપના ઉદય વખતે મહાવીર ભગવાનને કાનમાં ખોલા ડાકાવાની તીવ્ર વેદના તેા આવી, કિંતુ લેશ પણ પાપબુદ્ધિ કેમ ન થઈ?
ખીલા ઠોકનાર ગોવાળિયા પર સહેજ પણ ક્રોધ ન થયા, સમતાભાવ જ રહ્યો. કેટલા મા સમતાભાવ!
Page #256
--------------------------------------------------------------------------
________________
અરિહંત, પેલાને એકલે હાથે ખીલા ઠેકવાના હતા, એમાં તો ખીલે ઠોકતાં માથું હલી જાય એટલે ખીલે અંદર પેસે જ નહીં, તેથી પ્રભુ સીધા થાંભલા જેવા અકકડ જ ઊભા રહ્યા. આ સમતાભાવ શુદ્ધિ-બુદ્ધિ પાપાનુબંધ ઊભે હોય તે ન આવે, પાપાનુબંધમાં તો પાપ બુદ્ધિ જ જાગે, પછી પુન્યને ઉદય હોય ત્યાં પાપાનુબંધથી પાપ બુદ્ધિ જ જાગવાનો
દા. ત. પુણ્યના ઉદયથી કેઈએ આપણને જરા માન આપ્યું ને તે વખતે “હું કાંઈક છું” એ મનમાં થયું–તો તે પાપબુદ્ધિ છે. માનકષાય એ પાપબુદ્ધિ છે, એમ અશુભના ઉદયમાં કાંઈ વેદના-રોગ થાય, ત્યારે “હાય, હાય થાય-તે પાપબુદ્ધિ છે. તે પાપબુદ્ધ પાપના અનુબંધાને લીધે છે.
તો સવાલ આ છે કે ભગવાને ખીલાની વેદનાના કર્મ બાંધેલા, એ તે પાપના અનુબંધવાળા બાંધેલા તે પછી ખોલા ઠકાતા હતા, છતાંય હાય નાંહે, “વોય નહિ પછી વળી ભગવાન ગોચરીએ ગયા, ત્યારે કોઈને તેમણે કાંઈ કહ્યું નહીં, કે “ખીલ કાઢી નાખો એટલી બધી ચાલુ વેદના વખતે પણ સમતા હતી તો આ કેમ બન્યું ?
આનું સમાધાન એ છે કે અલબત, પાપાનુબંધ તીવ્ર બાંધ્યા હતા, પણ વચગાળામાં વિધભુતિના ભવમાં, નંદન રાજાષના ભવમાં, ચકવતીના ભવમાં તે તીવ્ર દુષ્કૃતગહ સાથેના આરિહંતના ધ્યાનથી તોડી નાખેલા, તીવ્ર પાપાનુબંધ તોડનાર–માત્ર અરિહંતનું એક ધ્યાન:
પ્રક-આરિહંતનું ધ્યાન તીવ્ર પણ પાપાનુબંધે કેમ તોડી શકે ?
ઉ૦-અરિહંતના ધ્યાન વખતે અર્થાત્ અરિહંતનું સ્વરૂપ વિચારતાં અંતરંગ શત્રુઓને બાજુએ મૂકવામાં
Page #257
--------------------------------------------------------------------------
________________
૩૪
નવપદ પ્રકાર
આવે અર્થાત્ એના પર ઘણા કરવામાં આવે, તેની આ તાકાત છે કે પાપાનુ. ધ એ તાડી નાખે.
દા. ત. ખધક મુનિના ૫૦૦ શિષ્યાને ઘાણીમાં પીલવાની તીવ્ર વેદનાના અશુભ કર્મો ઉદ્દયમાં આવ્યા, છતાં એમનું શું બગડયુ ? એ તા વહેલા કેવળજ્ઞાન ને મેાક્ષ પામી ગયા; કેમકે એમને ત્યાં પાપ બુદ્ધિ જ ન થઇ; કારણ પૂર્વે પાપનુ ધા હરશે તે એમણે અરિહંતના ધ્યાનથી તેડી નાખેલા.
અરિહંત-શ્રેષ્ઠ જ્ઞાની
FEEL ;\___
‘સુનાણે સપાડિહેરા ડઇસમ પહાણે’
જિનેશ્વર મુળ શ્રેષ્ઠ જ્ઞાનવાળા કેવળજ્ઞાનવાળા છે. અને સપ્તાડિહેર અર્થાત્ (૧) ઋતુ પ્રાતિહા વાળા અથવા (૨) સંપ્રાતિહા
C
એમાં અરિહંત પ્રભુ (૧ સત્ પ્રાતિહાય વાળા છે. પ્રાતિહા કાલ્પનિક નથી, ઇંદ્રજાળ નથી, કિંતુ સન્ યાને વાસ્તવિક છે, અથવા (૨) સંપ્રાતિહા એ પણ લઈને - પ્રાપ્તિા સહિત ” એમ અર્થ પણ કરાય, વળી અરિહંત પરમાત્મા શાત્રીસ અતિશયવાળા છે, તેથી અરિહંત જગતના જીવામાં પ્રધાન છે.
સસારના જીવ આત્મા ગણાય, ભગવાન પરમાત્મા ગણાય, સંસારના વેશ પુરુષ ગણાય, ભગવાન પુરુષોત્તમ ગણાય.
નામ નહિ, પણ ગુણથી-કાર્યો તે ઉત્તમ ગણાય.
-પ્રધાન ગણાય.
Page #258
--------------------------------------------------------------------------
________________
અરિહંત
સંદેહસંદેહ-રયં હતે. અરિહંત સંદેહ પુજના દૂર કરનાર
ભગવાન છોમાં સંદેહના સંદેહની-ઢગલાની રજા દૂર કરી નાખનારા છે. એક જિનની વાણીને વાયર એવો આવે કે જાય સંદેહના સંદેહની રજ ઊડી ! તેવા અરિહંતનું ધ્યાન ધારે.
ઝાએહ નિર્ચાપિ જિણે રહતે ! આવા સંદેહના સમૂહને હટાવી દેનાર ભગવાન કેવા છે? કે અ-રહે તે અર્થાત જેમને હવે કાંઇ રહસ્ય નથી, કાંઈ છૂપું-અજ્ઞાત નથી. એમનાથી જગતમાં ત્રણે કાળની કોઈ પણ વસ્તુ ગુપ્ત નથી, એવા “જિણે જિનેશ્વર ભગવાનનું હંમેશાં પણ ધ્યાન કરે, “પણ” એટલે વિશિષ્ટ કાર્યોમાં તે ખરૂં, ઉપરાંત હંમેશને માટે એમનું ધ્યાન કરતા રહેવાનું,
(કેત વિલંબિત કુત્તમ) વિમલ કેવલ ભાસન ભાસ્કરે, જગતિ જંતુ મહેદય કારણમા જિનવરં બહુમાન જઊંઘત: શુચિમના:પયામવિશુદ્ધ
સ્નાત્ર કરતાં જગદગુરૂ શરીરે સકલ દેવે વિમળ કળશની; આપણાં કમલ દૂર કીધાં
તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્વારા હર્ષ ધરી અસર વૃઆવે. સ્નાત્ર કરી એમ આશિષ ભાવે, જિહાં લગે સુર ગિરિજ બૂદી, અમિતણું નાથ દેવાધિદેવોક હો શ્રી પરમ પુરપાય પરમધરાય જન્મ જરા મૃત્યુનિવારણય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા
Page #259
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ
અભિષેકથી લાભ વિમલ કેવલ. જિનવરંશુચિમના: સ્નપયામિ વિશુદ્ધ
કેવળજ્ઞાની વગેરે વિશેષણોવાળા જિનેશ્વર અરિહંત ભગવાનને પવિત્ર મનવાળે હું વિશુદ્ધિ માટે અભિષેક
પ્ર–મન પવિત્ર બનાવી દીધું, પછી વિશુદ્ધિ માટે એમ કહેવાની શી જરૂર ?
ઉ –મન પવિત્ર બનાવ્યું તે પ્રાથમિક પવિત્રતા આવી.
પ્ર-પ્રાથમિક પવિત્રતા શું છે?
ઉo-પ્રાથમિક પવિત્રતા તે નિરાશં ભાવનિર્માય ભાવ છે. કોઈ પ્રકારની દુન્યવી લાલસા નથી. કોઈ પ્રકારનાં માયા-દંભ-પ્રપંચ નથી; આવું મન તે શુચિ મન-પવિત્ર મન
આ અભિષેક કરૂં છું, તેમાંથી મારે કઈ પૌગલિક ઋદ્ધિ આચકી નથી લેવી; એવી ઋદ્ધિ નથી જોઈતી. અર્થાત આશંસારહિતપણું છે. કોઈ સોદાબાજી નહિ કે
અભિષેક કરું છું, તો પ્રભુ આટલું આપી દેજે.' ના તેમ નહિ.
આ પ્રાથમિક પવિત્રતા તે નિરાશંસ ભાવ છે.
અને બીજી પવિત્રતા આત્માની લેવાની છે, અને તે મોહમળ ને કર્મ રજથી રહિત થવાની વિશુદ્ધિ છે, મોહમળમાં મિથ્યાત્વ–અવિરતિ-રાગદ્વેષાદિ કવા અને
અહિંસાદિ અશુભ યોગે આવે, કમરજમાં જ્ઞાનાવરણીય -આદિ આઠેય કર્મરૂપી રજ આવે, ખાસ કરીને ચાર ઘાતી કર્મરૂપ રજ આવે,
Page #260
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
- -
-
5
અરિહંત
૨૩૭ અભિષેક કરનાર નિરભિમાની હેય
પ્ર–અભિષેક કરે તેટલામાં કર્મની રજ અને મોહને મળ ચાલી જશે?
ઉ0–હા, એનું કારણ એ છે કે આરહંતને બહુમાન સાથે અભિષેક કરીએ છીએ, ત્યારે આપણું માન બાજુએ મૂકીએ છીએ-શેઠ થઈને નહિ, પરંતુ અરિહંતના અદના સેવક થઈને તે અભિષેક કરીએ છીએ. (અદને સેવક એટલે નાનામાં નાનો સેવક) તેથી રજ ને મળ દૂર થતા આવે.
ભગવંતના સેવક તે ગણધર. ગણધરના સેવક તે જબુસ્વામી જેવા મહામુનિ, જબુસ્વામીના ક્રમશ: સેવક તે પ્રભવસ્વામી વગેરે પાટપરંપરાએ શિષ્ય. એમના સેવક તે આપણું ગુરુ આચાર્ય. ગુરુના સેવક તે મોટા શિષ્ય. શિના સેવક તે આપણે
જે ભાવે તેના ય શિષ્ય સેવક થવું પડે, ત્યાં અભિમાનની વાત નહીં.
અભિમાનનું તાળું ખોલો તો ઉપાસનાની ફેકટરી ખૂલે. અભિમાનનું તાળું લાગેલું છે, ત્યાં સુધી પ્રભુની ઉપાસના ચાલુ ન થાય,
અરિહંતને અભિષેક કરીએ, તે સેવક થઈને; તેથી અભિમાન ગાળે છે, અહંવ મરે છે, ને નમ્રતા આવે છે; અને પવિત્ર મનથી અભિષેક કરે છે એમાં નિરાશંસ ભાવ છે, એટલે તૃણનો અભાવ આવે છે. હવે અહંન્દુ ને મમત્વ (તૃણું) એ બે સંસારના સ્તંભ કહ્યા છે. સંસાર એટલે કર્મ અને મળ, એના બે સ્તંભ અહેવને મમત્વ કહ્યા છે; અર્થાત મેહમી ને કમરજને આમા
Page #261
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ
પર ચોંટવાનાં આ બે કારણ છે; તેથી સ્વાભાવિક છે કે જે અરિહંતને અભિષેક કરવામાં અહં ને તૃષ્ણાને ત્યાગ છે, તે અહંન્દુ ને તૃષ્ણાથી ચટેલ મોહમળ ને કર્મ રજ દૂર થતી જાય,
એટલે જ અહીં બરાબર કહ્યું કે વિશુદ્ધિ માટે અભિષેક કરું છું. માટે જ અરિહંતને અભિષેક કરવાનો તે માન મૂકીને અને તૃણુને કાપીને.
આમ તો ગૃહસ્થને તૃષ્ણ-લાભ એ પાપ બાપ
અને સાધુને અભિમાન એ પાપનો બાપ. શ્રાવક અનેક વસ્તુઓનો લોભ કરે છે, તો એ લોભના કારણે કેટલાય પાપરૂપી પુત્રોનો જન્મ થાય છે. એમ સાધુને જે અહંવ છે, અભિમાન છે તો એના પર કેટલાય પાપ જન્મે છે ! | નાટે જ પહેલાં એ લેભ અને અહંકાર મારે, પછી એના આશ્રિતો મરવા માંડે. અરિહંતને અભિષેક કરવાથી આ લભ અને અહંકાર કરવા માંડે છે, તેથી બીજાં પાપ મરે એ સહજ છે,
આ અભિષેકથી પાપ એટલે મળના નાશની વાત થઈ. અહદ-અભિષેકથી કર્મની રજ કેમ હટે?
કહ્યું છે “ભત્તી જિણવરાણું ખિન્નતિ પુવ્યસંચિય કમાઈ ? જિનેશ્વર ભગવાનની ભક્તિથી પૂર્વસંચિત કર્મોનો ક્ષય થાય છે. પરંતુ અહીં ય પાછો પ્રશ્ન તો આ જ છે, કે
પ્રો- કર્મ એકત્રિત થયેલા તે તો જીવે કેટલાય રાગાદિ
-
-
-
-
-
-
-
- -
-
Page #262
--------------------------------------------------------------------------
________________
અરિહંત છે અને હિંસાદિ દુષ્ક કરીને કરેલાં, તે કર્મો માત્ર જિનભક્તિથી નાશ કેમ પામે?
ઉ– આ સમજવા માટે પહેલાં અરિહંત પ્રભુને સમજી લેવા જેવા છે કે એ કેટલું વિત્તમ દ્રવ્ય છે. વિચારે, અરિહંત ભગવાન શી રીતે થયા ? ત્યારે, પહેલું તો એ જયારે આ સંસારમાં અનંત કાળની ભ્રમણ પછી પહેલું સમ્યકત્વ પામે છે, તે અદ્દભુત ગ્યતાથી ! અરિહંતની સમ્યકત્વ પ્રાપ્તિ :
દા. તમહાવીર ભગવાનનો જીવ મુખી નયસાર જંગલમાં સમ્યક્ત્વ પામ્યા. તે જે વિકરાળ જંગલમાં પિતાને ય શિકારી પશુના ભય સામે શો લઈને જવું પડેલું, ત્યાં જમવાના અવસરે અતિથિને યાદ કરે છે. મળે ત્યાં અતિથિ? પણ પોતે જાતે તપાસ કરવા નીકળે છે. કેવી યેગ્યતા !
ત્યાં નસીબ જોગે ભૂલા પડેલા મુનિઓ મળી ગયા તો એમને આહારપાણીનું દાન કરી, જાતે રસ્તો બતાવવા જાય છે. કેવી યોગ્યતા!
પાસે નોકરે છે, પણ નોકરને આ કામ નહિ ભળાવવાનું ! કેમ ? મોટા માણસની સરભરા ભાડતી નોકર પાસે ન કરાવાય. તમે ભગવાનની પૂજાવિધિ-સરભરા પગારદાર પૂજારી પાસે કરાવે છે એ કેટલું વ્યાજબી છે ? એમાં તમારી યોગ્યતા પરખાય છે.
નયસાર મુનિઓને રસ્તે ચડાવી પાછા વળવા જાય, ત્યાં મુનિઓ કહે: “અમારે તને કાંઈક કહેવું છે.'
ત્યાં તે “હવે માફ કરે, બહુ સમય ગયે, મારે મારાં
Page #263
--------------------------------------------------------------------------
________________
ન
મકાનના : પા પા વા
૨૪૦
નવપદ પ્રકાશ કામ બગડે છે, એવું રૂક્ષ અને ધિક્કાઈભર્યું નહિ કહેતાં કહે છે: “અહેભાગ્ય મારાં કે આપ મહાન પુરુષ મારા જેવા નરાધમને કંઈક કહેવા ઈચ્છે છે. ખુશીથી આપના નાના શિષ્યની જેમ મને સમજી કહે,” મુનિએ નયસારને નરોત્તમ સમજે છે, ત્યારે આ જાતને નરાધમ તરીકે ઓળખાવે છે. કેવીક ગ્યતા !
ત્યાં મુનિએ આભા, દેવ-ગુરુ-ધર્મની ઓળખ કરાવી સમ્યક્ત્વ સાથે નવકાર મહામંત્ર આપે છે. અરિહંતની સંયમ તપ સાધના :
સમ્યક્ત્વ પામતાં આટ આટલી અદ્દભુત ગ્યતાઓ! ને પછી આગળના ભાવોએ સાધનાઓ કેવી અભુત!
- મરીચિના ભવે માત્ર સમવસરણ દર્શન કરી વૈરાગ્ય પામે છે, ચારિત્ર લેવાનો નિર્ધાર કરે છે ! કેવીક યોગ્યતા !
વિધભૂતિ રાજકુમારના અવતારે નહિ જેવી વાતમાં વિરાગ્ય પામી તરત ચારિત્ર લઈ સંયમ સાથે ૧૦૦૦ વર્ષ ઘેર તપ આદરે છે !
પ્રિય મિત્ર ચકવતીના અવતારે ૧ કોડ વરસ ચારિત્ર પાળે છે !
નંદન રાજાના અવતારે ચારિત્ર સાથે દીક્ષા દિવસથી માંડી માસખામણના પારણે માખણ ૧ લાખ વરસ સુધી કે રાખે છે !! કાંઈ કલ્પનામાં આવે ?
મહાવીર પ્રભુના અવતારે ચારિત્ર લઈ ૧૨ા વર્ષમાં ૧૧ વરસ જેટલા ઉપવાસ કરે છે. કેવીક ગ્યતા! છમાસી ૨ વાર, ચારમાસી ૯ વાર, પાખમણ ૭૨...આવી તપસ્યા પણ સાડા બારેય વરસ ખડા ખડા; દિવસે કે રાતે જમીન
Page #264
--------------------------------------------------------------------------
________________
આરિત પર પલાંઠી માંડીને બેસવાની વાત નહિ, તે સુવાની તે વાતે ય શી? કયાં સુધી ? સાડાબાર વરસ ! મોટા ભાગે કાઉસ્સગ ધ્યાનમાં રહેવાનું. તેમાંય ગમે તેમ ઠંડી પડે, ગરમી પડે, માખી ડાંસ મચ્છર કરડો, પણ તત્વચિંતનની વચમાં એનો કોઈ વિકલ્પ-વિચાર લાવવાની વાત નહિ! ઘોર ઉપસર્ગ પણ આનંદથી સહી લેવાના !
આ બધું કહેવાનું કારણ એ, કે અરિહંત શી રીતે થયા એનો ખ્યાલ આવે.
તાત્પર્ય, ઘોર તપસ્યા, કઠોર સાધના, ને અદ્ભુત ગ્યતાએ એની પાછળ કામ કરી રહી હોય છે. વિચારે, આ કેટલાં કર્મોને ખોડે કાઢી નાખે? ત્યારે એ અરિહંતના વિષયમાં આ બધું હોય, ત્યાં એ અરિહંતનું જેણે આલંબન લીધું એણે કમ કામ કીધું ? એને એ ભીમ સાધનાઓની અનુમોદનાનું ભવ્ય બળ મળવાથી કેમ એ પણ કમરજને ન ખંખેરી નાખે?
અરિહંતને અભિષેકમાં એ બધી અતિ કઠોર અહંતસાધનાઓની અનુમોદના છે, તેથી અહ-અભિષેકને કર્મ રજ અને પૂર્વે કહ્યું તેમ મોહમળને દૂર કરનાર તરીકે ઓળખાવ્યો. હવે કેવા અરિહંતને નવડાવું છું ? તો કે
વિમલ કેવલ ભાસન ભાસ્કર અરિહંત શરણ તે જ મહદય
જગતમાં નિર્મળ એવા “કેવળ ભાસન અર્થાત કેવળજ્ઞાન રૂપી “ભાસ્કર યાને સૂર્ય સમાન જે છે તે અરિહંતને હું નવડાવું છું-હું અભિષેક કરૂં છું,
૧૬
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૪૨
નવપદ પ્રકાશ
સૂર્ય બિચારો કેટલા પ્રકાશ ફેંકે ? માત્ર વર્તમાન પર; જ્યારે ભગવાનનું જ્ઞાન ભૂત-ભવિષ્ય પર પણ અધે પ્રકાશ ફેકે; સૂર્યના પ્રકાશ વસ્તુના બહુ અલ્પ પર્યાયાને પ્રકાશિત કરે, ત્યારે કેવળજ્ઞાન સવ કાળના સ` પર્યાયાને પ્રકાશિત કરે છે.
“જગત જ તુ અહેાદ કારણ-’
એવા જિનવરે જગતમાં વેાના મહાન ઉદ્ભયનુ કારણ છે.
જેણે ભગવાનનું શરણું લીધું – જે ભગવાનને શણે ગયા, તેને શરણે માયા ઉદય (મહેદય) આવે છે. મહેાદય કહે:- “તું ભગવાનને ચરણે છે ? તો હું તારા ચણું છું. ”
ગૌતમના શરણભાવ
ગૌતમ ગણધર ૩૦ વર્ષ ભગવાનને ચરણે રહ્યા હતા. તેમના મનમાં એક જ વાત ઘૂમતી : “મારે ! મહાવીર પ્રભુ શરણ, મીજું કશું શણ નહિ” ગૌતમ સ્વામીના પ્રભુ પ્રત્યે શણ ભાવ કેટલા ઊંચે! હતા કે
દા. ત. આનંદ શ્રાવકને અવધિજ્ઞાન થયું. ગૌતમ મહારાજે કહ્યું: ‘ શ્રાવકને આટલું. અવિધાન ન થાય.’ આનંદ કહે: ‘મને થયું છે એ હકીકત છે,' પેાતાને અવિધજ્ઞાન હતું, પણ તે જ્ઞાનથી ગૌતમ મહારાજ તે જોવા ન બેઠા. એ તા કહે : ઊભા રહેા ગુરુને પૂછી આવું. શકિત હોવા છતાં ગુરુને શરણે જાય છે. ત્યાં જઈ ભગવાનને પૂછ્યું: “હું... પ્રભુ ! શ્રાવકને આટલું. અવધિજ્ઞાને થાય ?”
Page #266
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૨૪૩ પ્રભુ બોલ્યા થાય, માટે આનંદ કહે છે તે સાચું છે.” ગૌતમ: “તે શું કરવાનું? પ્રભુ: “આનંદને મિચ્છામિ દુકક દેવાનું.'
ગૌતમ મહારાજ કહે : “તે આ હું ચાલે.” ને ગૌતમ ગણધરે આનંદ શ્રાવકને “
મિચ્છામિ દુકકડ દીધા. “અવધિજ્ઞાની આણંદને દીયે રે મિચ્છામિ દુકકડ ગોયમ સ્વામી રે.”
૫૦ હું જાર કેવળજ્ઞાની શિના ગુરુ ને ૧૪ હજાર મુનિઓમાં વડેરા ગૌતમ જેવા ગણધરને શ્રાવક પાસે ક્ષમા માગવાનું જોર-જેમ શી રીતે આવ્યું ? તેનું કારણ એ કે
એ પ્રભુના શરણે હતા. ગૌતમસ્વામીના બે ભાવ છે:
૧. પ્રભુના શરણે છે.
૨. ચૌદ હજારના વડેરા છે. (૧) પ્રભુની આગળ અજ્ઞાન, પણ (૨)ચૌદહજાર મુનિઓ કરતાં જ્ઞાની છે. આ બેમાંથી બીજા ભાવને કાઢી મૂકેલો. એમને ફકત એક જ ભાવ : “ હે પ્રભુના શરણે છું.” આજ્ઞાની આરાધના જ માગવાની.
ભગવાનને શરણે રહેલાને શરણે મહદય આવે છે, જે મહદય થાય છે, તે જિનેશ્વર ભગવાનને શરણે જવાથી થાય છે.
પ્ર-મહાદય તે પોતાના પુરુષાર્થથી થાય છે. તેનું શું? ગૌતમ યજ્ઞ છોડીને આવ્યા હતા તે પોતાના પુરુષાર્થ. થી, અને મુનિ ઈન્દ્રભૂતિ ગૌતમ બન્યા તે પણ પોતાના પુરુષાર્થથી, તે ત્યાં ભગવાનનું શરણ કેવી રીતે મુખ્ય
Page #267
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ. કારણ? મહા ઉદય થવામાં પિતાને પુરુષાર્થ નહિ, પણ ભગવાન કારણભૂત -એમ કેવી રીતે કહેવાય?
ઉ૦- ભગવાનનું શરણું લીધું તે પુરુષાર્થ કરવામાં કારણભૂત બન્યું, ને તેથી મહેદય થયે, પુરુષાર્થ જે બીજે લગાવ્યા હેત તો આ મહેાદય કાંઈ થાત નહીં; પણ પ્રભુનું શરણું એવું પાયાનું કારણ મળ્યું કે એના પર જ પુરુષાથ લેખે લાગે અરિહંત સર્વ શુભમાં અસાધારણ કારણ:
સેનાપતિ ભગવાન છે. લડાઈમાં જરૂરી લાગે બધા સૈનિકે, પરંતુ તેમને દોરનાર સેનાપતિ ન હોય, તો તે શું કરી શકે ? લડાઈમાં સેનાપતિની મુખ્યતા છે. સેનાપતિનાં માર્ગદર્શન અને વર્ચસ્વના હિસાબે જ સૈનિક સારું વ્યવસ્થિત લડી શકે છે, એટલે ભલે લડે સૈનિકે, તે સૈનિકે, પણ સેનાપતિ જીત્ય” કહેવાય, એમ ભગવત શરણના પ્રતાપે જ પુરુષાર્થ વગેરે સારું સફળ કામ કરે, ને મહદય થાય, એટલે એ મહાદય ભગવતશરણથી જ મળે ગણાય.
- બીજે દાખલે : યાત્રા અથે પાલીતાણું ગયા, રાત્રે ગાડીમાં સખત શરદી થઈ છતાંય સવારે યાત્રા કરવાની હામ ભીડી, ઉપર ચઢવા તે માંડ્યું, પગ લથડતા હતા, ધાસ જેરમાં હતો, આગળ ચઢતાં ચઢી ન શકાયું, તેથી પાછા વળ્યા, ત્યાં રસ્તામાં સંબંધી મળ્યા, તેમણે પૂછયું :
“કેમ ? યાત્રા થઈ ગઈ “શું થાય? આ શરદી હાંફ ઉધરસ, નથી ચઢાતું ઉપર.”
“અરે ! એમાં નિરાશે શું થાય છે ? પકડો મારે સુહાથ હુમાં યાત્રા કરાવી દઉં.”
Page #268
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૪૫
તેણે હાથ પકડાવ્યા ને ઉપડયા અને, યાત્રા થઇ, ને નીચે આવ્યા, ત્યાં બીજા સંબંધી મળ્યા; યાત્રા થઈ ગઈ ?” “હા, પણ રૂડા પ્રતાપ પેલા ભાગ્યશાળીના કે એમનાથી જ મારે યાત્રા થઈ. ”
“તા રૂડા પ્રતાપ કોના ? પેલા ભાગ્યશાળીના કે પેાતાના પગના પુરુષાર્થ ના?” કહા, પેલા ભાગ્યશાળીના જ રૂડા પ્રતાપ. પ્ર૦-ગ ચાલત જ નહિ તે! શી રીતે યાત્રા થાત? માટે રૂડા પ્રતાપ પોતાના પગના કેમ નહિ ?
ઉ-અરે ! પણ પેલાના હાથ પકડયા ન હેાત તા? પગ તા હતા, પણ હાથ પકડાવનાર કોઈ ન હતા, તે પગ પાછા પડયા હતા. તે મળ્યા તે જ પગે કામ કર્યુ” ને યાત્રા થઇ. બસ, પહાડ ચઢવામાં રૂડા પ્રતાપ હાથનુ આલંબન દેનારના, તે જ રીતે આરાધનામાં રૂડા પ્રતાપ આલંબન દેનાર અરિહંતના, અરિહંત--શરણના અરિહંત ન હેાત, તા શત્રુ ન હેાત; તેથી અંત તે સ શુભમાં અસાધારણ કારણ છે; બીજા બધાં સાધારણ કારણ છે.
શત્રુ લા-પ્રાર્થના કરા-દર્શન પૂજન કરો-જાપ મરણ ગુણગાન કરા-આરાધનાનો પુરુષાર્થ કરે, પણ અધામાં મુખ્ય આલમન જો અરિહંતનું છે, તેા જ એ અધા સફળ, ઉચ્ચ કેટિના ઉદયને આપનારા. માટે હેાયમાં મુખ્ય કારણ અહિંતને અરિહંત-શરણ,
તેથી કહ્યું:
• જગતિ જંતુ મહેાય કારણ’ જગતમાં જીવને મહેાયનુ કારણ જિનેશ્ર્વર છે’
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૪૬
તેવા જિનેશ્વરના સ્નાત્ર અભિષેક સાધુ અભિષેક-સ્નાત્ર કરે કેવી રીતે? પાણીને અડવાનું નથી.
તા કહ્યું: “સ્નપયામિ બહુમાન જીઘત:” હુમાનની વિશિષ્ટતા:
નવપદ પ્રકાશ
પણ.
કરવાના છે. એમને તે કાચા
શ્રાવક કે સાધુ અહુમાનરુપી પાણીના ધોધથી ભગવાનને સ્નાન કરાવે છે.
મહારના પાણીથી દ્રવ્ય-અભિષેક થાય. અહુમાનરૂપી પાણીથી ભાવ-અભિષેક થાય. કોની જેમ ?
(
દેવપાલ નાકરની જેમ, એને ઢાર ચાવતાં જંગલમાં ભેખડમાંથી ભગવાન મળ્યા તા શી વાત ? ભગવાન ! ભગવાનને એટલા બધા ભક્તિ-મહુમાનથી નવરાવ્યે રાખ્યા કે વરસાદ હેલીમાં ૭ દિવસ દર્શીન ન મળ્યા, તા પ્રભુ પરના હુમાનથી ખાધું પીધું નહિ, ખાનપાન વહાલાં ન કર્યાં, જતાં કર્યાં! એટલા બધા ભક્તિ-બહુમાનથી નવરાવ્યે રાખ્યાં કે ચક્રેશ્વરી હાજર થઈ.
“ભક્તિ-બહુમાનના બદલામાં માગ તે આપુ” એમ કહે છે. પણ દેવપાલના દિલમાં મહુમાનના અતિરેક કેટલા અધો !
તે કહે છે: “મને માત્ર અહુ ભક્તિ આપ. ભક્તિના અદ્દલામાં ભક્તિ જ માગું છું. ખાકી તો દુનિયાનું ગમે તે આપે એ ગધેડા તુલ્ય છે, એની ખાતર ઐરાવણ હાથી. સમાન મારી પ્રભુ-ભકિતને વેચી ન નખાય”, ભગવાન પ્રત્યેનું મહુમાન ભકતના ઉદ્ધાર કરે છે, અરિહંત પદ્મ આપે છે.
Page #270
--------------------------------------------------------------------------
________________
અહિંસ
સ્નાત્ર કરતાં જગદગુરુ શરીરે, સકલદેવે વિમલ કળશ નીરે, આપણાં કેમ મલ દર કીધાં. તેણે તે વિષુધ ગ્રંથે પ્રસિદ્દા ।શા
નિળ એવા જ્ઞાનવાળા જગદ્ગુરુના શરીરને નિમળ એવા કળશના પાણીથી સ્નાન કરાવતાં સઘળા દેવતાઓએ પેાતાનાં કમ-મળ દૂર કરી નાખ્યા.
સ્નાન કરાવ્યું ભગવાનને, અને નિમ ળ થયા પાતે ! એટલા માટે તે વા શાશ્વમાં વિબુધ' એટલે કે વિશિષ્ટ કોટિના પતિ તરીકે પ્રસિદ્ધ છે, જાણીતા છે.
અભિષેકથી દેવાના પણ ઉદ્ધાર
પ્ર૦-દેવાના કર્યાં અને મળ નાશ પામ્યા, જે તેઓના આત્મા કઈ વાતે આગળ વધ્યા ?
ઉ-મિથ્યાત્વ એટલે વિષયોના રાગદ્વેષ, અવિરત, આસક્તિ માહ-મ-મત્સર વગેરે, અને કમ એટલે જ્ઞાનાવાદિ આઠ કમ, દેવતાઓ મેરુ શિખર પર તી કર્ ભગવાનના જન્માભિષેક કરતાં એવા શુભભાવમાં ચઢે છે. કે જેનાથી આ મળ અને ક`માં ઘટાડા થાય છે, એનેા સર્વનાશ નહિ સહી. પરતુ અંગે નાશ કરે છે, એથી કહેવાય કે ‘એમના એટલા કમ અને મળ દૂર થાય છે.'
પ્ર૦-દેવતાને ત્યાગ, વ્રત, નિયમ તે આવતા નથી. તા પછી વિષયરાગના મળમાં શા ઘટાડા થયા ?
ઉ-વાત સાચી. દેવતા અવિરતિ છે, તેથી વિરતિ નહિ, વ્રત–નિયમ નહિ, આખાય દેવભવમાં કદીય વ્રત,
Page #271
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ
નિયમ પામતા નથી. એટલા એમના વિષય-રાગ દૃઢ હોય છે, છતાં પરમાત્માને જન્માભિષેક કરીને એમના વિષ પ્રત્યેના અનંતાનુબંધી કક્ષાના રાગ મરવા પડે છે. એટલે અંતરમાં એ વિષયે પ્રત્યે એવી નફરત ઊભી થાય છે કે હવે વિષય પ્રત્યે થતા રાગમાં એમને હોંશ નથી. વિષયરાગમાં અને વિષયસેવનમાં એમને અકર્તયતાનું ભાન અને અરિહંતભક્તિમાં અત્યંત ઉપાદેયતાનું ભાન જાગતું થઈ જાય છે. એટલે જ હવે નંદીશ્વર દ્વીપ વગેરેમાં અરિહંત ભક્તિ કરવાની જે હોંશ-આકર્ષણ અને બાહેશી રહે છે, તે વિષયે પ્રત્યે નહીં,
આમ મેરુ-શિખર ઉપર ભગવાનને હરખભેર સ્નાત્ર કરતાં કરતાં દેવતાઓ આ અનંતાનુબંધી વિષય-રાગ વગેરેને મળ દૂર કરે એટલે બીજા મિથ્યાત્વ વગેરે મળ પણ દૂર થાય છે,
ત્યારે ભગવાનને અભિષેક કરતાં દિલમાં સુંદર વીતરાગ-ભક્તિના શુભ અધ્યવસાયે ઉભરાય છે, એ ભાવભક્તિમાં મન એકાકાર હોવાથી શુભ ધ્યાનરૂપ બને છે, અને એ જ્ઞાનાવરણાદિ કર્મોના કચરાને દૂર કરે એમાં નવાઈ નથી.
દયાનબળે એવિ કર્મ જલાઈ. આ જગગુરુને સ્નાત્ર કરતાં મિથ્યાવને ફેંકી દીધું એટલે મળને ફગાવી દીધે, સમ્યકત્વને ટકાવી નિમલ કર્યું; ને ભવપાર કરાવનારી ચીજ છે સમ્યકત્વ, એટલે એ પામ્યાથી ભવપાર થવાય,
પ્ર-તે ભવપાર કરાવનાર શું ચારિત્ર નથી? ઉo_અલબત તે છે, પણ પહેલું સમ્યકત્વ જરૂરી છે.
Page #272
--------------------------------------------------------------------------
________________
અરિહંત
૨૪૯
સમ્યક્ત્વમાં ઢીારા આવે તે ચારિત્રમાં મઢતા આવે. સમ્યફવ જરદાર હોય તો કષ્ટામાં પણ ચારિત્ર જોરદાર : જવ છે શું?” કહી છાતી કાઢીને ઊભા રહે તો ચારિત્ર અણીશુદ્ધ રહે.
અરિહંત માટે અાશિષ-ચિતન
ભગવાનની આગળ એકલા દેવતા જ આવે છે એસ નહિ, પણ સાથે અપ્સરાના મેળાય હરખધેલા થઈ ને આવે છે. તે પણ ભગવાનને સ્નાત્ર કરે છે, ને એ કરીને હે આશીષ ભાવે છે-આશિષ ચિતવે છે કે પ્રભુ ? અમને તમારા એવા આશીર્વાદ હો, કે
“ જિહાં લગે સુરગિરિ જમ્મૂ દીવેા, અમ તણા નાથ દેવાધિદેવ.”
અર્થાત જ્યાં લગી આ પૃથ્વી પર મેરુ પર્યંત છે, ને જઐ દ્વીપ છે, ત્યાં સુધી અમારા નાથ દેવાધિદેવ હો. મેરુ તે જ મૂઠ્ઠીપ શાધતા છે. એટલે શાધૃત્ત કાળ સુધીનુ નાથષ્ણુ. દેવાધિદેવમાં માગ્યું, અર્થાત જ્યાં સુધી ભવમાં રહેવાનુ હોય ત્યાં સુધી કોઈ પણ ગતિમાં આ નાથ રહો.
મત્ર
ૐ હ્રી શ્રી પરમપુરુષાય પરમેન્ધ્રરાય જન્મ-જરા-મૃ હ્યુનિવાર્ણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક યજામહે સ્વાહા
928
Page #273
--------------------------------------------------------------------------
________________
૨પ૦
શુદ્ધિપત્રક અશુધ
અતજ્ઞાન પણ
પૃષ્ઠ લીટી ૧૦ ૧૮ ૧૧ ૮ ૧૨ ૨૨
પણ બ્રાન એ છે થતો
કિયું
ચરિત્રતા સનણ હઠાવવા
ચરિત્રના સન્માણ
२४
१
હટાવવા
ઉત્તેજિત
૨૫
ઉનાજિત એવા. ભગવાનને જિJાણાં
એવા ભગવાન વિજણાણું ઈપણ
૩૫ ૪ર
૨૨ ૧૨
ઉપમાં
૨૩ ૪૯ ૧૦/૧૧
ઉપભોગમાં ગુણ હસ્તિપાલ ભક્તિ કર્મના બધું
પુરુષોત્તમ વ્યકિત કમના બધું.
૨૧.
૬૩
૧૧
ભોગવતાં ઠેકવાની ધમપદેશ કિયા
મમ ભોગવાતાં ઠેકાવાની ધર્મોપદેશ કિયા પ્રતિક્રિયા
૭૩
૧૧
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૫૧
૭૬ ૮૦
૧ ૨૩
વિચાર લક્ષ્ય આહિર ચંડકૌશિકની કર્મો: ન બીજુ બતાવ્યું.
બિચારો લક્ષ આમ વીરપ્રભુની
૧૫ ૧
કર્યો.
૧૧૦ ૨૪ ૧૧૩ ૨૧ ૧૧૬ ૧૮ ૧૧૭ ૧૦ ૧૧૭ ૧પ
વીર કરનાર ચારિત્ર અરિહંત નથી.
ને બીજું બતાવ્યું. વીર પ્રભુની ધીરતા જોતાં ચંડકૌશિક ધીર બની ગયો ! વીર બની થાય ચારિત્રભાવ અહીં નથી.”આ વ્યવહાર ચારિત્ર છું વ્યવહારની ન હોવા દુભિક્ષ (વૈર વિરોધ) ગામિની ૩૫ અતિશાયવાળી વચ્ચેના ખાનામાંથી ૭ મે અતિશય પહેલા ખાનામાં મૂકે, એકેન્દ્રિયને ધર્મપ્રવર્તકે
વ્યવહારથી
૧૧૮ ૧૨૦
હેવા
૬ ૮ ૧૩ ૧૫
ગામિની
૧૨૧ १२२
૭ મું ખાનું
૧૨૩
એકેન્દ્રિયનું પ્રવર્તકે
Page #275
--------------------------------------------------------------------------
________________
૧૨૪
૧૨૮
૧૦
૧૨૯ ૧૨
૧૩૦
૧૮
૩૧
૧૩૫
૨૧૯ ૨૩૧
૧૧
૨૩૫
૨૩૭
૯
૧૩
૧૩૭
૧૩૯
૧૪૪
૧૪૫
૧૪૬
૧૫૧
૧૫૩
૧૫૯
૧૬૩
૧૭૩
૨૩
૧૮૬ ૧૨
૧૮૭ ૯
૧૯૭ ૧૩
૨૦૯
૧
૧૯
૧૪
૧૪
૧૯
૧૬
८
૧૪
૮
૧૯
૧૪
ઊં
૧૧
૬
પર
થાય
એથય
કે
નામ
વ્યવહારના
સમતા
સમાવવાની
રહે.
વિચારતા
તેત્રીશ
થી
શાક
પુરુષાત્તમ
ભુંડા વીતરાગથી
જાતના કર્મ :
દેશાથે
વિકતાની
આત્મા
આસકિત
અરિહંતને
() યપ
સુશ્રયામાં
ધ્યાનનાં
ધારા
મોહન
જાય
માથે એથય
કે એ તીર્થંકર નામ
વ્યવહારમાં
વિષમતા
માવવાની
રહે ! અને
વિચરતા
તે વીશ
નથી.
દુઃખ
હસ્તિપાલ
ભુંડી વીતરાગતાથી
તના
દેખાડશે વિરકતતાની
આત્મ
આસકત
અરિહત
(પર્યાય)
શુશ્રષામાં ધ્યાનમાં
ધો
મોહતા
Page #276
--------------------------------------------------------------------------
________________ = = = nesrererererererererer ન્યાયવિશારદ વિજય ભુવન ભીનુ સૂરીશ્વરજી મહારાજનું પ્રેરક, બેધક, તાર્કિક અને તાત્ત્વિક સાહિત્ય પુસ્તકનું નામ ભાષા - પરમ તેજ ભાગ 1 ગુજરાતી પરમતેજ ભાગ 2 15-0 0 પ્રતિક્રમણ. સૂત્રચિત્ર આલ્બમ 12-00 ધ્યાન અને જીવન 7-50 ઉરચ પ્રકાશનાં પંથે ધ્યાન શતક જૈન ધર્મના પરિચય નિશ્ચય-વ્યવહાર આરાધના ભાવભર્યા સ્તવન–સજઝાય. 1-50 રૂકૅમીરાજોનું પતન અને ઉથાન ભાગ 1 , ભાગ 2 (7-50 પ્રતિક્રમણ સૂત્રચિત્ર આલ્બમ 12-00 શાસ્ત્રવાર્તા સમુરચય 25-00 ગણધરવાદ 1-50 મદન રેખા 2-8 0 પ0 0 પ-be જે - 8 9 પ-૦૦ હિન્દી પુસ્તક મેં ગાવના૨ને પટેજ ખર્ચ અલગ લાગશે. પુસ્તકની ૨કમ મની એડ 2 દ્વારા એકલવી. . દિવ્ય દર્શ ન કા ચલ યુ કુમારપાળ વિ. શાહ 6 8, ગુલાલ વાડી, ત્રીજે માળ, મુંબઈ-૪ 0 0 0 0 8. " રમી રાહ નટવર રકૃતિ અમદાવ૬-૦૧ ફોન : 261 238