________________
અરિહંત
૧૫૩
પ્રએ વંદન કરવાથી ચિરકાળ આનંદ થાય તે શી રીતે? ઉo-વંદન શું છે?
(૧) પિતાના અપકર્ષને-પોતાની હીનતાને અને અરિહંતની ઉત્કૃષ્ટતાને બતાવનારી કિયા તે વંદન કહેવાય.
ગુરુને વંદન એટલે એક એવી નમન ક્રિયા કે જ્યાં પિતાની હીનતા ને ગુરુની ઉત્કૃષ્ટતા દેખાય, ગુરુ ચઢીયાતા લાગે, પોતે ઊતરતો જણાય; તેમ અહીં વંદનમાં અરિહંત ચઢિયાતા લાગે, સર્વ સંગત્યાગ અને વીતરાગથી ચઢિયાતા લાગે. એમની સામે પોતે મોટો સમ્રાટ હેય કે ધનકૂબેરે હોય, તોય અરિહંતની સામે પોતાને પોતાની જાત તુચ્છ લાગે.
અરિહંત વંદનાની ક્રિયા કરીએ તો અરિહંત ઉત્કૃષ્ટ મનાવાથી તે “શરણ્ય” શરણ કરવા ગ્ય લાગે, ' હે પ્રભુ ! તમે ઊંચા છે, હું નીચો છું. તમે ઊંચા એટલે મારે માટે શરણ્ય છે. અને શરણ કરવા યોગ્ય લાગે એને અર્થ એ કે જગતની વસ્તુઓ શરણરૂપ નહિ, તેથી એ એછી મળ્યાની અફસોસી નહિ અને મહાન કિંમતી અરિહંત મળ્યાથી પરમ નિરાંત થાય-શાંતિ થાયતૃપ્તિ થાય, કે “હે ? મને પરમનિધાનરૂપ પરમ શરણભૂત અરિહંત મળ્યા ? હવે મારે શું ખામી છે? કઈ જ ખામી નથી, અરિહંત-પ્રાપ્તિની આગળ ગરીબી, રોગ, અપમાન કઈ ચીજ નથી, જડની ખામી તે ખામી નથી, દુનિયાનાં દુખ તે દુખ નથી,
કેહીનુર હીરાની થેલી મળી, પછી પૈસા વગેરે ઓછા મળ્યાનું કેઈ દુ:ખ ન લાગે, બકે હીરા મળ્યાને પરમ આનંદ થાય, હીરે મળ્યા પછી કેણ એ છે કે “મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org