________________
૧૫૪
નવપદ પ્રકારા
કેહીનુર હીરે તો મળે, પણ પેલા કાચના ટૂકડા જરા સરખા ન મળ્યા ને ? વાંકાચૂંકા મળ્યા એ ખામી છે.” આવું હીરાનું મૂલ્ય સમજનારે રેણું ન કરે.
એમ કહીનૂર જેવા અરિહંત મળ્યાના પરમ આનંદથી જડની બીજી ખામી પર દીનતા ન લાગે, પરંતુ દીર્ધકાળ સુધી આનંદ આનંદ માણ્યા કરે.
ઉદાહરણ: શ્રેણિકને જેલમાં કેરડા પડતા હતા. કેરડા મારનાર સિપાઈના હાથ ધ્રુજતા હતા, કેમકે તેમનું અન્ન પહેલાં ખાધું હતું. તેથી હાથ ચાલતો ન હતો. છતાં શ્રેણિક દુ:ખી ન હતા, કેમકે અરિહંત મળ્યાનો તેમને પરમ આનંદ હતો, એટલા જ માટે સિપાઈને શ્રેણિક કહેતા હતા: “તું શું કામ ગભરાય છે? તારે તારી ફરજ બજાવવાની છે. મને આનું દુ:ખ થાય છે તેમ ન માનીશ મને ભગવાન મહાવીર પ્રભુ મળ્યા છે મારે શું દુ:ખ છે? કશું જ દુ:ખ નહિ, ને દુ:ખ હોય તો એ વાતનું દુખ છે, કે ચારિત્ર વગર મારું જીવન ગયું ! મને મહાવીર ભગવાન મળ્યા છતાં ચારિત્ર ન લઈ શકે? > વંદનના બે પ્રકાર :
વંદન એટલે “નમન.” નમન બે પ્રકારે છે: (૧) દ્રવ્ય સંકોચ નમન અને (૨) ભાવ સંકોચ નમન
(૧) દ્રવ્ય સંકોચમાં હાથ, પગ, મસ્તકની ગમે તેવી સ્થિતિને સંકેચ કરી એને વ્યવસ્થિત અંજાલબદ્ધ મુદ્રામાં અથવા પંચાંગ પ્રણિપાત મુદ્રામાં લાવીને વ્યવસ્થિત કરવા તે
(૨) ભાવ સંકેચમાં મનના-હૃદયના ગમે તેવા ભાવને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org