SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંત સંકેચ કરી, અરિહંત પદ પ્રત્યેના અત્યંત રાગ–બહુમાન વગેરે શુભ અધ્યવસાયમાં મનને, હૃદયને વ્યવસ્થિત કરવું તે. આ રીતે વંદનમાં દ્રવ્યસંકેચ કરી, નમનની મુદ્રા લાવીને હૃદયમાં અરિહંત પદ પ્રત્યે ખૂબ જ ભાવોલ્લાસ સાથે ઉછળતું રાગ-ભક્તિ-બહુમાન ઊભું કરવાથી એ અને આત્મિક આનંદ અનુભવાય છે કે એ દુન્યવી ગમે તેટલા ઊંચા વિષય સુખના ઉત્પાદભર્યા આનંદ કરતાં કેઈ ગુણો ચઢિયાતો લાગે છે, અને એના તીવ્ર શુભ સંસ્કાર વારેવારે અરિહંત પદનું અને અનુભવેલા એ આનંદનું સ્મરણ કરાવી કરાવી દુનિયાનું બધું લૂખું દેખાડે છે. તેમજ વારંવારના આ નમન અને સંસ્મરણ આત્મિક આનંદની એવી પરંપરા સજે છે કે ચિરકાળ સુધી આત્માને એ આનંદને અનુભવ થાય છે. એ અરિહંત પદ કેવું છે ? જેહના હેર કલ્યાણક દિવસે નરકે પણ અજવાળું કયાણકનો પ્રભાવ : અરિહંતના કલ્યાણક પ્રસંગે નરકમાં જ્યાં ઘોર અંધકાર હોય છે, ત્યાં અજવાળું--ત્યાં પ્રકાશ થાય છે. એટલો બધો પ્રભાવ અરિહંત પદને છે. આત્માની આવી ઉન્નત સ્થિતિ છે કે તેને આ પ્રભાવ પડે છે, હજુ તીર્થકર થયા નથી, છતાંય તીર્થંકર નામકર્મ નિકાચિત કરી લીધું છે. તેને પ્રભાવ પડે છે. સકળ અધિક ગુણ અતિશયધારી તે જિન-નમી અઘ ટાળું રે ! તે અરિહંત કેવા છે? સકળ અધિક ગુણ અતિશયધારી સૌના કરતાં અધિક ગુણવાળા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy