________________
અરિહંત
૨૧. છે તે જ એકને પૂરેપૂરું જાણે છે અને જે એકને પૂરેપૂરું જાણે છે, એણે સર્વને પૂરેપૂરા જાણી જ લીધા છે. “ जाणइ सो सव्वं जाणइ'।
આવું એક”ને સંપૂર્ણપણે જાણનાર માત્ર કેવળગાન છે, જ્ઞાનમાત્ર; લેશ પણ કશાનું અજ્ઞાન નહિ, અર્થાત સર્વકાળના સમસ્ત દ્રવ્ય અને તેના સમસ્ત પર્યાનું જ્ઞાન ભૂત, ભવિષ્ય, કઈ કાળને કઈ જ પદાર્થ, દ્રવ્ય કે પર્યાય અજ્ઞાત નહિ. આવા કેવળજ્ઞાન અર્થાત સમ્યકજ્ઞાન રૂપી મહાતેજમય જિનેશ્વર ભગવાનને નમસ્કાર!
જિનેશ્વર ભગવાનમાં કેવળજ્ઞાનનું તેજ ઉત્પન્ન થયું છે, કેવળજ્ઞાન રૂપી તેજવાળા જિનેશ્વર ભગવાન: પ્ર–તો પછી અહીં જિનેશ્વર ભગવાનને કેવળજ્ઞાનરૂપી તેજવાળા કેમ ન કહ્યા? તેજોમય કેમ કહ્યું ? તેજોમય
એટલે તો પોતે જ તેજ, તેજસ્વરૂપ. ઉ.-એકાંતવાદી અને અધુરા જ્ઞાની જૈનેતર ન્યાયાદિ દશનેની
આ માન્યતા છે કે ભગવાનમાં કે આત્મામાં જે જ્ઞાન ગુણ છે, તે આધારથી તદ્દન ભિન્ન છે. તેથી એ એમ સમજે છે કે ભગવાન કે જીવાત્મા જ્ઞાનવાળા કહેવાય, જ્ઞાનમય નહિ, જ્ઞાનસ્વરૂપ નહિ, પરંતુ આ માનવું ખોટું છે, કેમકે જ્ઞાન જે આત્માથી એકાન્ત ભિન્ન જ હોય તે
(૧) આત્મામાં એને સંબંધ જ ન થાય. સંબંધ માટે બીજે સમવાય વગેરે સંબંધ કઃપવા જતાં એ સંબંધ પણ આત્માથી તદ્દન ભિન્ન હાઈ એને ય આત્મામાં સંબંધ નહિ થઈ શકે એ માટે વળી ને સંબંધ ક૨વા જતાં, એવા સંબંધની કલ્પનાને પાર જ નહિ આવે, અર્થાત્ અનવસ્થા થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org