________________
નવપદ પ્રકારના
(૨) બીજી વાત એ છે કે જ્ઞાન જે જુદી વસ્તુ છે, તો એ આત્માને સ્વભાવ નહિ રહે; કેમકે વસ્તુને સ્વભાવ કાંઈ વસ્તુથી તદ્દન જુદા ન હોય, ત્યારે જે આત્માને શાનસ્વભાવ ન હોય તે તો જ્ઞાનસ્વભાવ વિનાના આત્મામાં આત્મપણું શું ? ચેતન્ય શું ? કશું જ નહિ, એટલે જડ પણ જ્ઞાનસ્વભાવ વિનાના, અને આત્મા ય જ્ઞાન સ્વભાવ વિનાના–એમ આત્મા અને જડ બે સરખા જેવા થઈ જશે!
ખરેખર વિશ્વના સમસ્ત જડ પદાર્થો કરતાં આત્માની આ વિશેષતા છે, કે એ ચેતન છે, એનામાં ચૈતન્ય સ્વભાવ છે, ચૈતન્ય એટલે જ્ઞાન. એ હિસાબે આત્મામાં જ્ઞાનસ્વભાવ છે. અને સ્વભાવ એ વસ્તુ સ્વરૂપ હોય છે, વસ્તુથી અભિન્ન હોય છે, તેથી જ્ઞાનસ્વભાવ આત્માથી અભિન્ન છે. આત્મામાં ભિન્નભિન્ન જ્ઞાન :
પરંતુ આત્મા-શાનની આ અભિન્નતા-અભેદ એકાંતે નથી; કેમકે એમ હોય તો “આત્મામાં જ્ઞાન એવો શબ્દપ્રગ અર્થાત એવો વ્યવહાર નહિ થઈ શકે. જેમકે ઘઉંને ઢગલો થઉંથી એકાન્ત ભિન્ન હોય તો “ઘઉમાં ઢગલે એવે વ્યવહાર નથી થતું. માટે માનવું જોઈએ કે જ્ઞાન એ આત્માને સ્વભાવ હેઈ આમાથી અભિન્ન પણ છે, અને “આત્મામાં જ્ઞાન એમ આધારમાં જુદી જ્ઞાન વસ્તુ રાખવા હિસાબે શાન એ આત્માથી ભિન્ન પણ છે. અર્થાત જ્ઞાન એ આત્માથી ભિન્નભિન્ન છે, પણ એકાંતે ભિન્ન નહિ, એકાંતે અભિન્ન નહિ.
તે આમાં આત્મા શાનથી અભિન્ન હવાના હિસાબે કહી શકાય કે આત્મા જ્ઞાનમય છે, ભગવાન જ્ઞાન તેજોમય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org