________________
અરિહંત, પ્ર-ભગવાનને જ્ઞાનવરૂપ તેજોમય કહ્યા, તે જ્ઞાન એ
તેજ કેવી રીતે? ઉજ્ઞાન એ તેજ જ શું? મહાતેજ છે. દીવા કે સૂર્યનું
તેજ તે રૂપી અને પરિમિત વસ્તુને પ્રકાશ કરે છે, તે પણ એના અમુક ધર્મોનો જ પ્રકાશ કરે છે, એ પણ ચક્ષુના વિષયમાં આવતા પદાર્થોને જ પ્રકાશ કરે છે, તે પણ વર્તમાનમાં વિદ્યમાનનો અને તે પણ વસ્તુની ઉપરમાં દેખાતા ધર્મનો પ્રકાશ કરે છે, જ્યારે જ્ઞાનરૂપી તે જ તે રૂપી અને અરૂપી, અને પ્રકારના પદાર્થોને પ્રકાશ કરે છે, તે પણ અપરિમિત, સર્વ ધર્મોને પ્રકાશ કરે છે, તથા તે પણ સર્વ ઈદ્રિયોથી ગ્રાહ્ય તે શું? ઉપરાંત અતીન્દ્રિય પદાર્થોને પણ પ્રકાશ કરે છે. તે પણ ત્રિકાળના પદાર્થોને અને વસ્તુની આરપાર રહેલા ધર્મોને પ્રકાશ કરે છે.
આમ જ્યારે દીપક કે સૂર્યનું તેજ એ તેજ રૂપ એટલા માટે છે કે એના સહારે આપણને વસ્તુને બંધ થાય છે, તે પછી જ્ઞાનના સહારે તો એથીયે ઘણી ઘણી વસ્તુને બંધ થતો હોય છે. એટલે એને માત્ર તેજ જ શું? પણ મહાતેજ કેમ ન કહેવાય? ઉત્પન્ન સત જ્ઞાન-તેજોમય જિનેશ્વર ભગવાન પ્ર–અહીં ભગવાનને ખાલી સતજ્ઞાન તેજોમય ન કહેતાં ઉત્પન સંત જ્ઞાન–તેજોમય કહીને ભગવાનના એવા સમ્યક્ જ્ઞાન રૂપી તેજને ઉત્પન્ન કરનારૂં ? કેમ કહ્યું ? જ્ઞાન તે પહેલાં કહ્યું, તેમ આત્માનો સ્વભાવ હાઈ આત્મા સાથે જડાયેલું હોય, પછી એને નવું ઉત્પન્ન થવાનું શું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org