________________
T
.
.
.
.
૨૦૮
નવપદ પ્રકાશ કહે, અભિમાન કરે તે મૂર્ખ નહિ તે શું ડાહ્યો ગણાય? દાણ મળ્યા ને તે ચાલ્યો ગયે હેત તો? ના,
પાછળ ઊભેલ કાળરૂપી બિલાડે. હડપ કરી જશે, એ જોવું જ નથી, એટલે શાનું ચાલ્યા જવાય? (૨) રાજ્યાવસ્થા :
અભિમાનમાં અક્કડ રહેનારને સાધના ન થાય, એમ જોરદાર રાગ દ્વેષ હેય તે ય સાધના ન થાય, સાધના માટે કર્મના કિલ્લામાંથી પલાયન થવાનું છે. એ સાધના એટલે ભગવાનની રાજ્ય અવસ્થા છે. ભગવાનની રાજ્ય અવસ્થામાંય કેટલુંય વિચારવાનું આવે. મહાન સત્તા-ઠકુરાઈભેગ સામગ્રી છતાં એવા રાગદ્વેષ નહિ, આસક્તિ નહિ. ભગવાન નિર્લેપ છે. (૩) શ્રમણ અવસ્થા - શ્રમણ અવસ્થામાં પણ તેટલી સહિષ્ણુતા. ગોચરી લેવા જાય-ગોચરીની આશાએ જાય અને અભિગ્રહનપુરાવાથી ગોચરી ન મળે તે નિરાશ ન થાય. “અરે! આજેય ગોચરી ન મળી? ” એટલું ય ન થાય. “ગોચરી મળી હેત તો સંયમવૃદ્ધિ થાત, ને ગોચરી ન મળી તે તપવૃદ્ધિ થઈ આ જ હિસાબ પર લાભાલાભમાં સમત્વ ભાવ છે. - અરિહંતને શ્રમણ અવસ્થાને પર્યાય વિચારવામાં પ્રભુની તપ-અવસ્થા, પરિષહ-અવસ્થા, ઉપસર્ગ–અવસ્થા, વગેરે વિચારાય. એમાંય તત્વચિંતન અવસ્થા એવી કે એમાંની લીનતા બહારનો એક પણ વિકપ ઊઠવા ન દે
એ પછી પ્રભુની પદસ્થ અવસ્થાનો વિચાર, અરિહંતના પર્યાય તરીકે મનમાં લાવવાને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW