SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪ નવપદ પ્રકાશ સિદ્ધચકના પ્રકાશે મયણું ને શ્રીપાલના જીવનમાં પાથરેલ પ્રકાશ : સિદ્ધચકનું ધ્યાન ધરતાં ધરતાં શ્રીપાલ રાજા સુખી થયા, કાકાના પ્રપંચથી શ્રીપાલે બાપ અને બાપનું રાજ્ય ગુમાવ્યું હતું તે વખતે તે બે વર્ષના હતા. એમની માતા એમને સાથે લઈ ભાગેલી. કેઢિયાના ટેળામાં તેમને સ્થાનરક્ષણ મળ્યું. કેઠિયા બન્યા--મયણાસુંદરી મળી બને ગુરુ પાસે ગયા. ગુરુએ નવપદ આધવાનો ઉપદેશ આપે, મયણાસુંદરીએ પાસે રહી શ્રીપાલ પાસે નવપદની આરાધના-સિદ્ધચકની આરાધના કરવી. ભવિ જીવ છે, ઊતરી ગયા આરાધના માં,ને આ ચમત્કાર દેખે,-નવપદની આરાધના કર્યા પછી નવપદના વહણ જળના અચિંત્ય પ્રભાવથી કેઢ ગયો-સાથેના બધા કેઢિયા કાઢમુક્ત બન્યા. હવે જીવનમાં મમરાવવું હોય તો તે ફક્ત સિદ્ધચકએમ શ્રીપાલને લાગ્યું. પૈસાને લેભી મનમાં પૈસા મમરાવ્યા કરે. રાતે ઊંઘમાં લીધાદીધાની લવરી ચાલુ હોય; એમ શ્રીપાલને નવપદની લગની લાગી. ઊઠતા-બેસતાં ક્યાંય સારૂં પરિણામ આવે છે તે સિદ્ધચકને પ્રભાવ માને છે. મયણા પણ એવી મળી–પરદેશ જતા શ્રીપાલને તે કહે છે : પરદેશ જાય છે, પણ નવપદને ન ભૂલતા-” શ્રીપાલ તે સ્વીકારી લે છે, તો શ્રીપાલે સિદ્ધચક્ર-નવપદનું ધ્યાન કેવું રાખ્યું ? કે ધવલ શેઠ વહાણમાંથી દરિયામાં ફેકે છે, ત્યારે પડતાં પડતાં “નમો નવપદાયઝ નમો નમશ્રી સિદ્ધચકાય બોલે છે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy