________________
અરિહંત
૫૩.
છે તો તેની આશાતના, વિરાધના અવગણના ન થાય. તેમ પવતિથિ પિતે આરાધ્ય છે, જ્ઞાન આરાધ્ય છે, તો તેની પણ આશાતના-અવગણના ન થાય અર્થાત બીજ, પાંચમ વગેરે પર્વતિથિની પ્રત્યે માન-સન્માનની દૃષ્ટિ રહેવી જોઈએ, પણ “આ પણ તિથિ એટલે દિવસ, અને એકમ, ત્રીજ, ચેાથ વગેરે પણ તિથિ એટલે દિવસ, પર્વ કે અપવ દિવસ બધા સરખા.—આ ભાવ પવૃતિથિ માટે ન લેવાય. એટલે ભાવ પણ એની આશાતના છે, અવગણના છે.
એમ જ્ઞાન પણ પૂજ્ય છે, તેથી એની પણ આરાધના કરવાની છે. એમાં ગમે તે જ્ઞાનનું પણ પુસ્તક એ અક્ષરજ્ઞાનને આધાર છે, તે એને પણ બગલમાં લગાવવું, માથા નીચે ઓશીકા તરીકે રખવું, એને પગ લગાડવોવગેરે આશાતના ન થાય. આ વિવેક ઈતર દર્શનમાં ક્યાં જોવા મળે? એ તો જિન શાસનના સિદ્ધચક્રના પ્રકાશથી વિવેક મળે.
અજ્ઞાનના અંધકારવાળાને નવપદને પ્રકાશ મળે તો તે અંધારું દૂર થાય. તે જે સિદ્ધચક દ્વારા આત્મામાં પ્રકાશ મળે એટલે ખબર પડે કે કર્તવ્ય શું છે? અકર્તવ્ય શું છે? હિત શું ? અહિત શું છે? સાર શું? અસાર શું છે?
સિદ્ધચકને પ્રકાશ ન મળે તો અવિવેક અને અજ્ઞાનતાનું અંધારૂં ને ટળે,
થયા જેહના છા થી સૌભાજ સદા સિદ્ધચકાય શ્રીપાલ રાજા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org