________________
૧૩૬
શ્રુતપ :
આ નવું નવું જ્ઞાન શ્રુત અર્થાત્ આગમશાસ્ત્રથી મળે છે, માટે ૧૯મા પદ્મમાં શ્રુત પદ મૂકયું અને શ્રુતના આધાર તીથ છે, માટે ૨૦મું પદ તી પદ રખાયું છે, અથવા શ્રુતપદ સહિત ઉપરોક્ત બધા પદ્માની આરાધના દીપ્તિમાન કરવા માટે ખાસ કરીને શત્રુંજય, સમ્મેતશિખર આદિ સ્થાવર તીર્થોની અને સાધુ સાધ્વી સ્વરૂપ જંગમ તીર્થોની ભક્તિ ખૂબ જ કરવી જોઈએ. તેા જ હૃદય દૈવ ગુરુ પ્રત્યે અત્યંત નમ્ર તથા અતિશય ગૌરવવાળુ મને, એવું જ દિલ ૨૦ સ્થાનકની ઉચ્ચકોટિની આરાધના કરી શકે.
અહીં આવા પ્રશ્ન ઊઠવા સભવિત છે કે—
પ્ર૦-જો વીસ સ્થાનકની આરાધનાથી તીર્થંકર નામકર્મ અકાય છે, તેા પછી અહીં ‘ વસ્થાનક તપ કરી ? કેમ કહ્યું ? શું ફક્ત ૨૦ સ્થાનકના એકલા તપ કરવાથી તીર્થંકર નાસક ન ખવાય? એકલા ૨૦×૨૦=૪૦૦ ઉપવાસ કરી આપીએ તે ન ચાલે ? કોઈ કહે : ‘અરિહંત’ના ૨૦ ઉપવાસ કરી દઈશ. એક વીસી નહિ, ૨૦ વીસી કરી દઈશ. પછી ?
આરાધના સાથે તપની મહત્તા :
C
—તા જવાબ એ છે કે અહીં તપ” શબ્દ આરાધનાના અમાં છે. તપ સાથે અરિહં‘ત પદની આરાધના જરૂર જોઈએ. આરાધનામાં અરિહંતની દર્શન-પૂજન-વંદન આદિભક્તિ, અરિહ'તના ગુણગાન, ધ્યાન-જાપ-સ્મરણ-પ્રાથના, અરિહંતની પ્રશંસા-અરિહંતની પ્રભાવના
Jain Education International
નવપદ પ્રકાશ
For Private & Personal Use Only
www.jainelibrary.org