________________
૧૩૫
આરિહંત
પછી ૧૭મા સંયમ પદમાં સંયમના ૧૭ ગુણોની
આરાધના થાય એ સ્વતંત્ર વસ્તુ બની. દ્રવ્ય સમાધિ અને ભાવ સમાધિ : ૨. બીજુ સમાધાન એ છે કે ૧૭મું પદ ખરેખર
સંઘ-સમાધિ પદ છે. અને આ વસ્તુ ૨૦ સ્થાનકની પૂજાની સત્તરમી પૂજાને જોતાં સ્પષ્ટ થાય છે એટલે આ પદમાં શ્રી સંઘની સાધમિકને દ્રવ્યસમાધિ અને ભાવસમાધિ આપવાની આરાધના કરવાની રહે છે. દ્રવ્યસમાધિમાં કોઈના કુસંપ, વૈર વિરોધ, અંટસ, વગેરે નિપટાવી બાહ્યથી સમાધાન કરવાનું હોય છે.
ભાવસમાધિમાં આંતરિક આર્તધ્યાન: ખેદ, શોક, આકુળ વ્યાકુળતા-સમતા વગેરેને સમાવવાની અને અંતરથી સમાધિ પ્રાપ્ત કરાવવાની હોય છે. - ઉપરોક્ત સત્તરેય પદની આરાધનાને નવનવો ઉલ્લાસ બ રાખવા માટે શાસન પર સદા બહુમાન-શ્રદ્ધા વધતી રહેવી જોઈએ. શાસન પરનું એ બહુમાન રેજ વધતું જ રહે તે જે શાસનની રોજ નવનવી વિશેષતા જણાતી રહે. આ માટે રોજ નવું નવું મળતું શાસ્ત્રજ્ઞાન અદભુત કામ કરે છે, અભિનવ જ્ઞાનપદ :
સહજ છે કે શાસનનું -શાસ્ત્રનું નવું નવું જાણે એટલે એના પરનું બહુમાન વધતું જાય. એટલે સહેજે શાસને કહેલા વીસ સ્થાનકની આરાધનામાં રેજ ન ન ઉલ્લાસ બન્યો રહે. આ હિસાબે ૧૮મું અભિનવજ્ઞાન પદ મૂકયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org