________________
૧૪
નવપદ પ્રકાશ
શ્રી નવપદ જેવી ઉપાસનાના ફળ રૂપે દરિયામાં કુંકાવા પ્રસગે એમની રક્ષા અર્થે કાઈ દેવતા જ મગરમચ્છનું રૂપ કરી એમને ઝીલી લે ને સમુદ્ર કાંઠે મૂકી દે એમાં શુ' અસ`ભવિત છે? ઊંચા ભાવેાલ્લાસનું ફળ :
દા. ત. શાસ્ત્રમાં રાત્રિભોજન ત્યાગના પ્રભાવ પર બ્રાહ્મણ પુત્રીના દૃષ્ટાંતમાં આવે છે કે એ સાસરે ગયા પછી ઘણું કષ્ટ પડવાં છતાં પણ અતિ ઊંચા ભાવેાલ્લાસથી રાત્રિભોજન ત્યાગનું વ્રત પાળી રહી છે અને એથી સાસુ ખીજાઈ જતાં એના કહેવાથી વહુને સસરો ને તેના પતિ એના પિયેર મૂકી આવવા નીકળી પડે છે.
રસ્તામાં અંધારૂ થતાં નજદીકંના ગામમાં આળખીતાને ત્યાં રાતવાસા કરવા જાય છે. ત્યાં જજમાન દૂધપાક પૂરી મનાવી, એ બધાના અતિથિસત્કાર કરે છે. સૌ જમે છે, પર ંતુ બ્રાહ્મણપુત્રી અણનમ રહી રાત્રે જમતી નથી. દૂધપાકમાં સર્પનું ઝેર પડેલુ હોઈ જમનારા બધા જમ્યા પછી બેભાન થઈ લાંબા પડયા. ત્યાં કરીએ તત્કાલ પરિસ્થિતિ સમજી લઈ ઘરના નોકર દ્વારા વૈદ્યને ખેલાવી વમનના ઉપચાર કરાવ્યા. સૌ જીવતા થયા અને વઘે તપાસ કરતાં દૂધપાક રંધાવાની જગ્યાએ ઉપર ચદામાં સાપ બફાઈ ગયેલા, ને તેના માઢામાંથી ઝેર સાથે લાળ ટપકતી જોઇ એ પરથી સસરા ને ધણી રાત્રિભોજન ત્યાગના મહા પ્રભાવને જોઈ તાજુમ થઈ ગયા. તેમણે વહુની ક્ષમા માગી અને સવારે વહુને પાછી ઘેર લઈ ગયા. અતિ ઉંમ સુક્તનો પુણ્ય તાત્કાલિક ફળે એ સમજવાની
re
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org