________________
૧૦૦
નવપદ પ્રકાશ
જ્યારે મેાક્ષપદ પ્રાપ્ત થતાં આવી બધી સમગ્ર આપદાઓનો અંત આવી જાય છે, જ્યારે તીર્થંકરને નમસ્કાર કરવાથી આવુ ઊંચામાં ઊંચું મોક્ષપદે મળતુ હોય તો એ મૂકીને નીચેની હુલકી વસ્તુઓ કાણુ માગે? માગનારો મૂર્ખ ગણાય.
બીજી વાત એ છે કે જો મેાક્ષની કામના ન રાખવામાં આવે અને દુનિયાની યશ-સત્તા-સૌંપત્તિ વગેરેની કામના રાખી પરમાત્મ-નમન વગેરે ધર્મઆરાધના કરાય, તા તે વિષક્રિયા અને છે, જેનું ફળ સંસારની વૃદ્ધિરૂપ આવે છે, તેનું કારણ શ્રીજી કામનામાં આત્મામાં માહના સંસ્કાર દૃઢ થાય છે, ધર્મક્રિયાથી ઊભા થતા પુણ્યમાં શ્રીજી કામનાના લીધે અશુભ અનુષધ નખાય છે, જેના લીધે એ પુણ્યના ઉદ્દય વખતે પાપમુદ્ધિ અને પાષિષ્ઠતા રહે છે. વીતરાગ-અરિહંત પરમાત્માને નમસ્કાર જેવી ઉત્તમ ધક્રિયા કરવી અને ફળમાં પાપમુદ્ધિ, પાપિઠ આચરણ અને સંસાર વૃદ્ધિ જેવા ભયંકર અપાય–અનથ નાંતરવા; એ કેટલી માટી મૂર્ખાઈ થાય ?
માટે પણ તીર્થંકર ભગવાનને નમન માત્ર મેાક્ષકામનાથી જ કરાવા જોઈ એ.
એક વસ્તુ એ પણ છે કે જો કે અરિહંત પાત્માને પ્રારંભિક કક્ષાના નમસ્કાર એ નાનીશી ધર્મક્રિયા છે, છતાં જો એને શુદ્ધ મેાક્ષકામનાથી કરીએ છીએ, તેા મહાન સચમ અને તપ તથા ઉગ્ન પરિષહ-ઉપસર્ગ સહન કરનારા મહાત્માઓના મેાક્ષકામનાના ઉદ્દેશની જેમ આપણા પણ એ જ ઉદ્દેશ રહે છે, તેથી નાની પણ ધમક્રિયા દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org