________________
અરિહંત
૧૭૭ બાળજીવનું મન એ જ્ઞાનાચારાદિના પ્રકારોને જ મહત્ત્વ આપશે, અને વધતા જોમ-ઉલ્લાસ વગેરે એને મન ગૌણ થઈ જશે; જ્યારે વીર્યાચારને એક સ્વતંત્ર આચાર બતાવ્યો, તે અથી બાળજીવો વિચાર તરીકે અથાગ જેમ, અથાગ ઉલ્લાસ, અથાગ ઉસાહ વગેરેને સ્વતંત્ર કર્તવ્ય સમજશે.
એટલે પછી જેમ જ્ઞાનાચાર આદિનો પુરુષાર્થ એ સ્વતંત્ર કર્તવ્ય છે, અને તેમાં જોમ-ઉલ્લાસ-ઉત્સાહ વધારવાનું કર્તવ્ય એ પણ સ્વતંત્ર કર્તવ્ય છે, એમ બાળજીવ સમજી શકશે. એટલા જ માટે, વીર્યાચારનું પાંચમા આચાર તરીકે સ્વતંત્ર વિધાન કર્યું, અને એમાં કરવાનું આકે જ્ઞાનાચાર આદિના ૩૬ પ્રકારોમાંના દરેકે દરેક પ્રકારને આચરવાનો તો ખરો જ, પરંતુ આ પાંચમા આચાર-વિમર્યાચારના વિધાનની રૂએ એ દરેક પ્રકારમાં સહેજ પણ શક્તિ ન ગોપવવી, તેમજ એ આચાર પાલનમાં નિત્ય નો ઉલ્લાસ, નવો ઉત્સાહ, નેવો ઉછરંગ, નવું પરાક્રમ-જેમ-એકાકારતા -તન્મયતા વગેરે પણ વધતા રાખવાના એ સ્વતંત્ર વીર્યાચારનું પાલન થયું
આ જે ધ્યાનમાં રહે તો જ્ઞાનાચારના પાલન તરીકે જ્ઞાન “ભણવાનું તે ભણી કાઢવાનું.” એમ મુડદાલગીરીથી, તથા વચમાં ડાળિયાં ને બીજા વિચાર સાથે ભણીએ, એટલેથી બસ થઈ જાય, કિન્તુ, એમાં જેર–પરાક્રમ-ઉત્સાહ -ઉલ્લાસ-વગેરે વધતા રાખવાનું ભાન નહિ રહે. એ તો
સ્વતંત્ર વિચારનું પાલન પણ માથે છે, એવું મનને રહે તે જ વીર્યાચારના પાલન તરીકે એ જેમ–ઉત્સાહ વગેરેને દરેક આચારના પાલનમાં વધાર્યા કરાય.
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org