________________
૧૭૬
નવપદ પ્રકાશ
વિધાનથી જ વધતા જેમ-ઉલ્લાસવાળા જ્ઞાનાચાર આદિ સેવવાનો ભાર આભાને માથે આવી જ જશે. પછી વાર્યાચારના સ્વતંત્ર વિધાનની શી જરૂર ? ઉo–એમ તો ચાર આચારને પણ જુદા બતાવવાની શી
જરૂર છે ?–એવા સવાલ થઈ શકશે; કેમકે એકલા જ્ઞાનાચારનું જ વિધાન એવી રીતનું કરે કે દર્શનાચાર આદિના જે પ્રકારે છે, તે સહિત જ જ્ઞાનાચારનું પાલન કરવું એટલે પછી આચાર કેટલા? તે કે એક -જ્ઞાનાચાર, અમ જ આચાર બતાવવો પડે; કિન્તુ એમ નથી ચાલી શકતું, કારણ કે જેકે વિદ્વાન પુરુષ તો એક જ આચારના આ જાતના વિધાનથી બીજા આચાર પાળવાનું સમજી શકે, પણ જન-સામાન્ય બાળજી એ રીતે સમજી ન શકે. એ તો બિચારા એમ જ સમજી બેસે કે આપણે મુખ્ય પાળવાને આચાર એક માત્ર જ્ઞાનાચાર જ, તેથી દશનાચાર: ચારિત્રાચાર વગેરે પર સ્વતંત્રભાર આપવાનું નહિ કરે ને એથી દર્શનાચાર આદિ એને મન ગૌણ થઈ જશે ને એમ થાય તે ખોટું છે; કેમકે જેટલું જ્ઞાનાચારનું મહત્ત્વ છે, તેટલું જ દર્શાનાચારનું; તેટલું જ ચારિત્રાચારનું ને એટલું જ તપાચારનું મહત્ત્વ છે. બાળજીવને આ દરેકનું મહત્વ બરાબર ખ્યાલમાં આવે એ માટે એ દરેક આચારના સ્વતંત્ર વિધાન કરવા જોઈએ.
બસ, જો આ સમજાઈ જાય તે હવે વીચારનું સ્વતંત્ર મહત્વ કેમ? તે સમજાઈ જશે; કારણ કે પૂર્વે કલ્પના કરી તેમ, વધતા જેમ-ઉલ્લાસ સાથે જ્ઞાનાચાર આદિ ચારના પ્રકારે સેવવાનું વિધાન કરવામાં આવે તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org