________________
૧૭૮
નવપદ પ્રકાશ અર્થાત જ્ઞાન ભણવામાં નિત્ય નવો ઉત્સાહ, અધિક ઉલાસ તથા અધિકાધિક એકાકારતા-તન્મયતા લાવ્યે જવાની,
એમ વીતરાગ પ્રભુનું દર્શન કરાય, એ સમ્ય દર્શનની કરણી છે. એમાં સ્વતંત્ર વિયચારના પાલનનો ખ્યાલ રાખીને જ એ કરાય તે દર્શનમાં જેમ-ભાલ્લાસ વગેરે વધારતા રખાય,
એમ ઉપવાસ કર્યો, એ તપાચાર તે પાળ્યો, પરંતુ જે વીર્યાચાર પાલનને અતિ જરૂરી કર્તવ્ય તરીકે ભાર માથે નથી, તો ઉપવાસ મુડદાલગીરીથી પૂરે થશે. હજુ તો સવારે દશ વાગ્યા હશે, ત્યાં વ્યાખ્યાનમાં મોટું દિવેલ પીધા જેવું કરી લમણે હાથ પર ટેકાવી માથું નીચું ઘાલીને બેસશે, એને પૂછે, “કેમ ભાઈ ! આમ ? કાંઈ બિમાર છે ? ” તે રોતડગીરીથી કહેશે : “આજ મારે ઉપવાસ છે.” અલ્યા અત્યારમાં ઉપવાસ ? સાંજ પડયે મનની નબળાઈ ભારે વધી જશે, એટલે ઉપવાસના જાણે હકની રૂએ આખું પ્રતિકમણ બેઠો બેઠો કરશે. અલબત, આમાં તપાચાર તો પાળે, પરંતુ તેમાં ભલીવાર નહિ, કારણ કે વીર્યચારના પાલનની ખામી રહી,
જો તપાચારની જેમ વીર્યાચારને પણ માથે ભાર હેત તો સવારથી જ “અનાદિની પિધેલી અને ભવના ફેરા વધારનારી પાપિણી આહારસંશાને કચડવાને આજે ખરેખ મોકો મળ્યો છે, ધન્ય અવતાર! ધન્ય શાસન ! ” એમ માનીને ઉપવાસમાં વધતું વીર્ય જેમ-ઉત્સાહ દાખવવા પ્રયત્ન ચાલુ રહેશે. એમ વિચારી વીર્યાચારના પાલન તરીકે ઉપવાસમાં ભારે ઉત્સાહ-ઉછરંગ વગેરે જરૂર રખાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org