SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંત ૧૭ દરેકને ૮ સુંઠ, દરેક સુંઢને ૮ જંતુશળ, દરેક દંતુશળ ઉપર ૮-૮ વાવડી, દરેક વાવડીમાં ૮-૮ કમળ, દરેક કમળને લાખ-લાખ પાંખડી, દરેક પાંખડી પર દેવદેવી નૃત્ય, અને વચલી કર્ણિકા પર વંદન કરતાં ઈન્દ્રનું રૂપ આમ દરેક હાથીના દતુશળ પર ૪૦૯૬ ઈન્દ્રોની વિફર્વણ એવી ૬૪ હજાર હાથી પર ઈન્દ્ર વિફર્વણું-આ જોતાં જ દશાર્ણભદ્રને મદ ગળી ગયે, પરંતુ સંકલ્પ પાર પાડવા પ્રભુ પાસે પહોંચી ઉત્કૃષ્ટભક્તિરૂપ સાધુપણું લઈ પછી પ્રભુને વંદન કર્યું અને અનન્ય ભક્તિથી વંદન કરવાને સંક૯પ સચવાયાનો સંતોષ માન્ય, ત્યાં ઈન્દ્ર નમી પડે છે અને એમના ત્યાગની, એમની સાધુતાની ભાભાર પ્રશંસા કરે છે. ઈન્દ્રની સમ્યગુદર્શન પદની ઉપાસના : દા. ત. મલ્લીનાથ ભગવાનના કાળમાં અહંનત શ્રાવકની ઈન્દ્ર સભામાં દેવોથી પણ અચલાયમાન એવા દઢ સમ્યક્ત્વને ધારણ કરનાર તરીકે પ્રશંસા કરી, એમ સુલસા શ્રાવિકાના દઢ સમ્યકત્વ અને ધર્મસત્ત્વની પ્રશંસા કરી. સમ્યગુરાન પદની ઉપાસના : ઈન્દ્ર એ રીતે કરી કે દા. ત. ભરત ચક્રવતી, પૃથ્વીચંદ્ર રાજા કેવળજ્ઞાન પામતાં, ઈન્ડે તરત ઝનન ઝનનન સંગીત વાજિંત્ર દેવ-દેવી પરિવાર સાથે આવી સાધુવેશ આપી વંદનાદિ ઠાઠ જમાવ્યું. એમ ઈન્ડે સીમંધર ભગવાન પાસે નિગોદનું સ્વરૂપ જેવું સાંભળ્યું, તેવું અહીં ભરતક્ષેત્રમાં કાલિકસૂરિ મહારાજ પાસે આબેહૂબ સાંભળી એવા જ્ઞાનીની ખૂબ સ્તુતિ કરી, અને પાછળથી મુનિઓને એની જાણ થઈ, શ્રદ્ધા વધે, એટલા માટે મુકામનો દરવાજો ફેરવી નાખે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy